લાલ કિલ્લો

વિકિપીડિયા થી

સીધા આના પર જાઓ: ભ્રમણ, શોધો
આ લેખ દિલ્હીના લાલ કિલ્લા વિશે છે, આગ્રાનો કિલ્લો પણ "લાલ કિલ્લા" તરીકે ઓળખાય છે.
લાલ કિલ્લો,દિલ્હી

દિલ્હી ફોર્ટ કે લાલ કિલ્લો, (હિન્દી: लाल क़िला), ભારતનાં દિલ્હીમાં જુના દિલ્હીમાં સ્થિત છે. જેનો ૨૦૦૭ માં યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળો (UNESCO World Heritage Site) માં સમાવેશ કરાયેલ છે.[૧]

અનુક્રમણિકા

[ફેરફાર કરો] ઈતિહાસ

કિલ્લાનો મુખ્ય દેખાવ

લાલ કિલ્લો અને 'શાહજહાંનાબાદ' શહેર, સને ૧૬૩૯ માં,શહેનશાહ શાહજહાં દ્વારા બંધાવવામાં આવેલ. [૨]

લાલ કિલ્લો મૂળ તો "કિલ્લા-એ-મુબારક","સુખનો કિલ્લો" તરીકે ઓળખાતો, કારણકે તે રાજવી કુટુંબનું નિવાસ સ્થાન હતું. લાલ કિલ્લાની રૂપરેખા 'સલિમગઢ કિલ્લા'ની સાથે સ્થાઇ અને એકીકૃત રહે તે રીતે આયોજીત કરાયેલ. મધ્યકાલિન શહેર શાહજહાંનાબાદનું મહત્વનું કેન્દ્રબિંદુ દુર્ગમહેલ હતું. લાલકિલ્લાનું આયોજન અને 'સૌંદર્ય શાસ્ત્ર' (aesthetics) મુઘલ રચનાત્મક્તાનાં શીરોબિંદુ સમાન છે,કે જે શહેનશાહ શાહજહાંના શાસનકાળ દરમિયાન પ્રબળ હતી. શાહજહાંને આ કિલ્લો બંધાવ્યા પછી તેમાં ઘણાં સુધારાઓ કે વિકાસ કરાયા છે. વિકાસનો મહત્વપૂર્ણ તબક્કો ઔરંગઝેબ અને તેના પછીના શાસકોના સમયમાં આવેલો. ૧૮૫૭ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ પછી,બ્રિટિશ શાસનનાં સમયમાં, આ આખી જગ્યાની રચનામાં મહત્વના ભૌતિક ફેરફારો કરવામાં આવેલ. સ્વતંત્રતા પછી,આ સ્થળે બહુ ઓછા માળખાગત ફેરફારો કરવામા આવેલ છે. બ્રિટિશ શાસનના સમયમાં આ કિલ્લો મુખ્યત્વે લશ્કરી છાવણીના રૂપમાં વાપરવામાં આવતો,આઝાદી પછી પણ,છેક ઇ.સ.૨૦૦૩ સુધી,આ કિલ્લાનો મહત્વનો હિસ્સો લશ્કરનાં નિયંત્રણ હેઠળ હતો.

લાલ કિલ્લો એ મુઘલ સમ્રાટનો, નવા પાટનગર શાહજહાનાબાદ સ્થીત, મહેલ હતો.શાહજહાનાબાદ દિલ્હી વિસ્તારનું સાતમું શહેર થયું. તેમણે પોતાના રાજ્યને ભવ્યતા પ્રદાન કરવા અને પોતાના હીત અને ભવ્ય ઇમારતોના નિર્માણનાં સ્વપ્નોને સાકાર કરવાની પર્યાપ્ત તક પ્રાપ્ત કરવા માટે પોતાનું પાટનગર આગ્રાથી અહીં ફેરવ્યું.

આ કિલ્લો યમુના નદીનાં કિનારે સ્થીત છે,જે મોટાભાગની દિવાલોની ચારો તરફ ખાઇથી ઘેરાયેલો છે.તેની ઉત્તર-પૂર્વ તરફની દિવાલ જુના કિલ્લા,સલીમગઢ કિલ્લા, સાથે સંલગ્ન છે,જે સને ૧૫૪૬ માં ઇસ્લામ શાહ સૂરી દ્વારા રક્ષણ હેતુ ચણવામાં આવેલ. લાલ કિલ્લાનું બાંધકામ સને ૧૬૩૮ માં શરૂ થયું અને સને ૧૬૪૮ માં સંપન્ન થયું.

માર્ચ ૧૧ ૧૭૮૩ નાં રોજ, થોડા શીખોએ કિલ્લામાં પ્રવેશ કરી અને 'દિવાને આમ'નો કબ્જો કરેલ. વાસ્તવમાં શીખોના સહયોગમાં મુઘલ વજીરે શહેરનું સમર્પણ કર્યું હતું. આ ઘટનાને 'કરોર સિંઘીયા મિસ્લ'નાં સરદાર ભાગલસિંઘ ધાલિવાલની સરદારી હેઠળ સંપન્ન કરવામાં આવેલ.

બહાદુર શાહ ઝફર,છેલ્લો મુઘલ સમ્રાટ હતો જેનો આ કિલ્લા પર કબ્જો રહેલ.મુઘલ સત્તા અને રક્ષણની ક્ષમતા ધરાવતો હોવા છતાં આ કિલ્લો,૧૮૫૭ માં,અંગ્રેજો સામેનાં સંઘર્ષ દરમિયાન રક્ષણ આપી શક્યો નહીં. ૧૮૫૭નાં સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતા પછી, બહાદુર શાહ ઝફરે આ કિલ્લો ૧૭ સપ્ટેમ્બરનાં છોડી દીધો. તેઓ ફરી આ કિલ્લામાં અંગ્રેજોનાં કેદી તરીકે આવ્યા. ઝફર પર જાન્યુઆરી ૨૭ ૧૮૫૮,માં મુકદમો ચાલ્યો અને,ઓક્ટોબર ૭નાં તેમને દેશનિકાલની સજા કરાઇ.

૧૫મી ઓગસ્ટ ૧૯૪૭,ભારત સ્વતંત્રતા રાષ્ટ્ર બન્યું. ભારતના વડાપ્રધાન પં.જવાહરલાલ નહેરૂ દ્વારા, લાલ કિલ્લા પર ભારત નો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. આજ દિન સુધી, આ દિવસે,ભારતના વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અને રાષ્ટ્રજોગ સંબોધન કરવાની પ્રથા જીવંત છે.

[ફેરફાર કરો] વાસ્તુકલા ડિઝાઇન

ચોગાનમાં મંડપોનો દેખાવ

લાલ કિલ્લો ઉચ્ચત્તમ કલા કારીગરી અને સજાવટનું પ્રદર્શન છે.આ કિલ્લાની કલા કારીગરી પર્શિયન,યુરોપિયન અને ભારતીય કલાઓનું સંમિશ્રણ છે,જેનાં પરીણામ સ્વરૂપ અદ્વિતીય શાહજહાની શૈલીનો વિકાસ થયો જે રૂપ,અભિવ્યક્ત્તિ અને રંગોથી પ્રચુર છે. દિલ્હીનો લાલ કિલ્લો,ભારતનાં મહત્વપૂર્ણ ભવન પરિસરમાંનો એક છે જે ભારતીય ઈતિહાસ અને તેની કલાનાં એક લાંબા યુગને સાચવીને ઉભો છે. તેનું મહત્વ સમય અને સ્થળથી પરે છે.તે સ્થાપત્યની પ્રતિભા અને સત્તાનું પ્રાસંગિક પ્રતિક છે. ભાવી પેઢી માટે,૧૯૧૩માં તેને રાષ્ટ્રીય મહત્વનાં સ્મારક તરીકે ઘોષીત કરતી અધિસુચના બહાર પડાયા પહેલાથી,તેના રક્ષણ અને સંરક્ષણનાં પ્રયાસો હાથ ધરાયેલા હતા.

કીલ્લાની દિવાલો ભારે કલાત્મક કોતરણી કામથી શુશોભિત છે. તેમાં બે મુખ્ય દ્વાર આવેલ છે,દિલ્હી દરવાજો અને લાહોર દરવાજો. લાહોર દરવાજો મુખ્ય પ્રવેશદ્વાર છે; તે એક લાંબી છાજેલી બજાર ગલી (bazar street),'છત્તા ચોક' (Chatta Chowk),તરફ ખુલે છે. તેની દિવાલોએ અડીને દુકાનો આવેલ છે. છત્તા ચોક એક વિશાળ ખુલ્લા ચોગાનમાં ખુલે છે જ્યાં તે વિશાળ ઉત્તર-દક્ષિણ ગલીને પાર કરે છે,જે ખરેખરતો કિલ્લાનાં પશ્ચિમ તરફનાં લશ્કરી વિભાગ અને પૂર્વ તરફનાં મહેલ વિભાગને વિભાજીત કરે છે. આ ગલીનો દક્ષિણ છેડો એટલે દિલ્હી દરવાજો.

[ફેરફાર કરો] કિલ્લાની અંદરના મહત્વના બાંધકામ

[ફેરફાર કરો] દિવાને આમ

આ દરવાજાની આગળ એક મોટુ ખુલ્લુ મેદાન આવે છે, જે શરુઆતમા^ દિવાને આમના આંગંણા તરીકે વપરાતુ હતું. રાજા આમ જનતાને અહીં મળતા હતી. તેમાં સમ્રાટ માટે એક અલંકારીક ઝરુખો છે. તેના થાંભલા સોનેરી રંગે રંગાયેલા હતા તનો સિંહાસન ચાંદીના કઠોડાથી સંરક્ષિત હતો.તે રાજાને પ્રજાથી દૂર રાખવામાં આવતો.

[ફેરફાર કરો] નહરે બહિસ્ત

રાજકીય વ્યક્તિ વિશેષના ઘરો સિંહાસનની પાછળ આવેલા છે.આઘરો કિલાની પૂર્વી તરફની દિવાલની બાજુમાં યમુનાની સમ્મુખાવેલા છે. આ ઘરોનો સમુહ એક સળંગ નહેર દ્વારા જોડાયેલા છે. આ નહેર નહરે બહિસ્ત તરીકે ઓળખાય છે.જેનો અર્થ સ્વર્ગીય નહેર એવો થાય છે. તે દરેક ઘર સમુહની મધ્યમાંથી નીકળે છે. આ નહેરમાં પાણી યમુના નદી, અને કિલ્લાની ઉત્તર પશ્ચિમ માં આવેલ એક મિનાર શાહ બુર્જ માંથી આવે છે. આ ક્ષેત્રની રચના કુરાનમાં વર્ણન કરાયેલ સ્વર્ગ જેવી કરવામાં આવેલ છે. આ જગ્યા પર ઘણી વખત વર્ણન કરાયેલા કુરાનની આયત કહે છે, "જો પૃથ્વી પર ક્યાંય સ્વર્ગ હોય તો તે અહીં છે, અહીં છે, અહીં છે" અહીંના મહેલની રચના ઈસ્લામિક પ્રણાલી પર અધારીત છે. પણ તેની દરેક ઈમારત પર હિંદુ શૈલીની છાપ સ્પષ્ટ જણાઈ આવે છે.લાલ કિલ્લાના મહેલ ક્ષેત્રને મોગલ વસ્તુકળાનો ઉત્કૃષ્ટ નમૂનો માનવામાં આવે છે.

[ફેરફાર કરો] ઝનાના

આ ક્ષેત્રના બે અંતિમ છેડાપર આવેલા ગૃહ મહિલા માટે ખાસ બનેલા હતા તેમને જનાના તરીકે ઓળખાતા હતાં. તેને મુમ્તાઝ મહેલ, હવે સંગ્રહાલય એક મોટું અને આલીશાન મહેલ છે. રંગ મહેલ તેની સોનેરી રંગે રંગાયેલ છત અને આરસના હોજ માટે પ્રસિદ્ધ છે. આ હોજમાં નહેર એ બેહીશ્તમાંથી પાણી આવતું હતું.

[ફેરફાર કરો] મોતી મસ્જીદ

હમામની પશ્ચિમ તરફ મોતી મસ્જીદ આવેલી છે. આને પાછળથેએ ઉમેરવામાં આવી હતી. તે શહાજહાનન પાટવી ઔરંગઝેબની અંગત મસ્જીદ હતી જેને ૧૬૫૯માં બાંધવામાં આવી હતી. આ એક ત્રણ ગુંબજ ધરાવતી નાનકડી આરસની બનેલ મસ્જીદ છે. તેને ત્રણ કમાન છે જે આંગણામાં ઉતરે છે

[ફેરફાર કરો] હયાત બખ્શ બાગ

To its north lies a large formal garden, the Hayat Bakhsh Bagh, or "Life-Bestowing Garden", which is cut through by two bisecting channels of water. A pavilion stands at either end of the north-south channel, and a third, built in 1842 by the last emperor, Bahadur Shah Zafar, stands at the center of the pool where the two channels meet.

[ફેરફાર કરો] કિલ્લો વર્તમાનમાં

લાલ કિલ્લો, રાત્રીના સમયે.

The Red Fort is one of the most popular tourist destinations in Old Delhi, attracting thousands of visitors every year. The fort is also the site from which the Prime Minister of India addresses the nation on 15 August , the day India achieved independence from the British. It also happens to be the largest monument in Old Delhi.

At one point in time, more than 3,000 people lived within the premises of the Delhi Fort complex. But after the Sepoy Mutiny of 1857, the fort was captured by Britain and the residential palaces destroyed. It was made the headquarters of the British Indian Army. Immediately after the mutiny, Bahadur Shah Zafar was tried at the Red Fort. It was also here in November 1945, that the most famous courts-martial of three officers of the Indian National Army were held. After India gained independence in 1947, the Indian Army took control over the fort. In December 2003, the Indian Army handed the fort over to the Indian tourist authorities.

The fort was the site of a December 2000 attack by terrorist group Lashkar-e-Toiba which killed two soldiers and one civilian in what was described in the media as an attempt to derail the India-Pakistan peace process in Kashmir.

[ફેરફાર કરો] ચિત્ર ગેલેરી

[ફેરફાર કરો] સંદર્ભ

  1. લાલ કિલ્લા પરિસર - UNESCO વિશ્વ ધરોહર કેન્દ્ર
  2. વિવાદ: જો કે આ કિલ્લો ૧૬૩૯ માં બંધાયેલો, ૧૬૩૮ માં ફારસી રાજદુતે મેળવેલા દસ્તાવેજો અને શાહજહાંના ચિત્રોમાં લાલ કિલ્લાના દિવાને આમ નાં ઝરૂખાઓ વગેરેનું ચિત્રણ છે.આ ચિત્રો 'બોડલેઇન સંગ્રહાલય,ઓક્ષફર્ડ'માં સંરક્ષિત છે,જે ભારતના 'ઇલેસ્ટ્રેટેડ વિકલી'ના માર્ચ ૧૪,૧૯૭૧નાં અંકમાં પાના ૩૨ પર પ્રકટ કરાયેલ.જો કે આ ચિત્રો દિલ્હીનાં નહીં પરંતુ લાહોરના ઝરૂખાઓ દર્શાવે છે. જુઓ 'મુઘલ સ્થાપત્યનો ઈતિહાસ' આર.નાથ,અભિનવ પ્રકાશન,૨૦૦૬.

[ફેરફાર કરો] બાહ્ય કડીઓ

Red Fort વિષય પર સહયોગી વિકિપીડિયાઓમાં વધુ જાણવા માટે (આ બધી માહિતી અંગ્રેજી ભાષામાં મળશે):
Wiktionary-logo-en.svg શબ્દકોષ
Wikibooks-logo.svg પુસ્તકો
Wikiquote-logo.svg અવતરણો
Wikisource-logo.svg વિકિસોર્સ
Commons-logo.svg દ્રશ્ય-શ્રાવ્ય મિડિયા અને ચિત્રો
Wikinews-logo.svg સમાચાર
Wikiversity-logo-Snorky.svg અભ્યાસ સામગ્રી

ઢાંચો:Forts in India ઢાંચો:World Heritage Sites in India