બહાદુર શાહ ઝફર
વિકિપીડિયા થી
બહાદુર શાહ ઝફર (૧૭૭૫-૧૮૬૨) ભારતમાં મોઘલ સામ્રાજ્યનાં અંતિમ શહેનશાહ હતા અને ઉર્દૂ ભાષાનાં જાણીતા શાયર હતા. તેમણે ૧૮૫૭નાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભારતીય સિપાહિઓનું નેતૃત્વ કર્યુ હતું. યુદ્ધમાં હાર્યા પછી અંગ્રેજોએ તેમને બર્મા (હવે મ્યાન્માર) મોકલી દીધા જ્યાં તેમનું મૃત્યુ થયું.
બહાદુર શાહ ઝ્ફર નો જન્મ ૨૪ ઓક્ટોબર ૧૭૭૫નાં થયો હતો. તે પોતાનાં પિતા અકબર શાહ દ્વિતીય નાં મૃત્યુ પશ્ચાત ૨૮ સપ્ટેમ્બર ૧૮૩૮નાં રોજ દિલ્હીનાં બાદશાહ બન્યાં. તેમની માતા લલબાઈ હિંદુ પરિવારનાં હતા. ૧૮૫૭માં જ્યારે હિંદુસ્તાનની આઝાદીની ચિનગારી ભડકી તો બધા વિદ્રોહી સૈનિકો અને રાજા-મહારાજાઓએ તેમને હિંદુસ્તાનનાં સમ્રાટ માન્યા અને તેમના નેતૃત્વમાં અંગ્રેજો સામે લડાઇ લડી. અંગ્રેજોની વિરૂધ્ધ ભારતીય સૈનિકોની ચળવળ જોઇ બહાદુર શાહ ઝફરનો ગુસ્સો પણ ફુટી પડ્યો અને તેમણે અંગ્રેજોને હિંદુસ્તાનની બહાર કરવાનું આહ્વાન કર્યું. ભારતીઓએ દિલ્હી અને દેશનાં અન્ય ભાગોમાં અંગ્રેજોને ખરાબ રીતે હરાવ્યા.
શરૂઆતી પરીણામો હિંદુસ્તાની યોદ્ધાઓની તરફેણમાં રહ્યાં, પરંતુ પછીથી અંગ્રેજોનાં છળ-કપટે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ની દિશા બદલી અને અંગ્રેજો ચળવળને દબાવવામાં સફળ થયા. બહાદુર શાહ ઝફરે હુમાયૂનાં મકબરામાં શરણ લીધું પરંતુ મેજર હડસને તેમને તેમનાં પૂત્ર મિર્ઝા મુઘલ અને ખિજર સુલ્તાન તથા પૌત્ર અબૂ બકર સાથે પકડી લીધા.
અંગ્રેજોએ જુલ્મની તમામ હદો પાર કરી. જ્યારે બહાદુર શાહને ભુખ લાગી તો અંગ્રેજો તેમની સામે થાળીમાં તેમનાં પૂત્રનું મસ્તક લાવ્યાં. તેમણે અંગ્રેજોને જવાબ આપ્યો કે હિંદુસ્તાનનાં સપૂતો દેશ માટે માથાં કુરબાન કરી અને પિતા સમક્ષ આજ અંદાજમાં આવતા રહ્યા છે. આઝાદી માટેનાં આ સંગ્રામને પૂરી રીતે ખતમ કરી દેવા માટે અંગ્રેજોએ અંતિમ મોઘલ બાદશાહને દેશ નિકાલ કરી અને રંગુન મોકલી દીધાં.
[ફેરફાર કરો] ઉર્દૂ ના કવિ
બહાદુર શાહ ઝફર ફક્ત એક દેશભક્ત બાદશાહજ નહીં, પરંતુ ઉર્દૂનાં જાણીતા કવિ અને શાયર પણ હતા. તેમણે ઘણી મશહુર ઉર્દુ કવિતાઓ લખી, જેમાંની ઘણી અંગ્રેજો સામેનાં સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન નષ્ટ થઇ ગઇ. તેમનાં દ્વારા લખાયેલ ઘણી પંકતિઓ પ્રખ્યાત છે, જેમકે,
હિંદિઓં મેં બૂ રહેગી જબ તલક ઈમાન કી
તખ્ત એ લંદન તક ચલેગી તેગ હિંદુસ્તાન કી|
દેશની બહાર રંગુનમાં પણ તેમની ઉર્દૂ કવિતાઓનો દબદબો ચાલુ રહ્યો. ત્યાં તેમને દર વખત હિંદુસ્તાનની ચિંતા જ રહેતી હતી. તેમની અંતિમ ઇચ્છા હતી કે તેઓ પોતાનો અંતિમ શ્વાસ હિંદુસ્તાનમાં લે અને તેમને હિંદુસ્તાનમાં દફનાવવામાં આવે, પરંતુ તેમ થઇ શક્યું નહી.
દેશમાંથી અંગ્રેજોને હટાવવાનું સપનું લઇને ૭ નવેમ્બર ૧૮૬૨નાં રોજ ૮૭ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. તેમને રંગુનમાં શ્વેડાગોન પેગોડા નજીક દફનાવાયા. તે સ્થળ આજે બહાદુર શાહ જફર દરગાહનાં નામથી ઓળખાય છે. લોકોનાં દિલમાં તેમના પ્રતિ કેટલો પ્રેમ હશે તેનો અંદાજ એ વાતથી મળે છે કે ભારતમાં કેટલીય જગ્યાએ રસ્તાઓનાં નામ તેમનાં નામ પરથી રખાયા છે આટલું જ નહી પાકિસ્તાનમાં પણ લાહોર શહેરમાં એક માર્ગનું નામ તેમનાં નામ પર રખાયું છે. બાંગ્લાદેશનાં જુના ઢાકા શહેરમાં સ્થિત વિક્ટોરિયા પાર્ક નુ નામ બદલી બહાદુર શાહ ઝફર પાર્ક કરવામાં આવ્યું છે.