લખાણ પર જાઓ

ઉત્ક્રાંતિ

વિકિપીડિયામાંથી

અસંખ્ય પેઢીઓ માં પ્રાણીઓના વારસાગત લક્ષણોના પરિવર્તન ને ઉત્ક્રાંતિ કહેવાય છે. ઉત્ક્રાન્તીના કારણે પૃથ્વી પર વિવિધ પ્રકારોના જાનવર, વનસ્પતિ, સુક્ષ્મજીવો અને બીજા જીવ-જંતુઓ અસ્તિત્વમાં છે. એના કારણે પરમાણુ સ્તરે (જેવીરીતે (પ્રોટીન) અને (ડી. એન. એ) માં) ઘણી વિવિધતા છે. પૃથ્વી પર તમામ જીવન ૩ થી ૩.૫ અબજ વર્ષો પહેલા સામાન્ય પૂર્વજ થી પ્રગટ થયું છે.

ઉત્ક્રાંતિના માધ્યમની ચર્ચા પ્લેટો અને એરિસ્ટોટલના દિવસોથી ચાલતી હતી. ચાર્લ્સ ડાર્વિન પ્રથમ વ્યક્તિ હતો જેણે અનુમાન કર્યો કે પ્રાણીઓ સહિયારું પૂર્વજ થી મૂળ થયા છે. ડાર્વિનને આ વિચાર દક્ષિણ અમેરીકા માં ગૈલાપાગોસ દ્વીપ પર એક પક્ષી, (ફિન્ચ) ના અલગ પ્રકારમાં ઝીણી અસમાનતા જોઈને આવ્યો. એ સમજ્યો કે ભિન્ન જાતના ફિન્ચ એક પૂર્વજ પક્ષી થી પ્રગટ થયું છે.

વ્યાપક અભ્યાસ પછી ડાર્વિને (કુદરતી ચયનના) વિચારનો પ્રસ્તાવ કર્યો. ડાર્વિનને કુદરતી ચયનનો વિચાર આવ્યો જ્યારે એને (થોમસ મૈલ્થસ) , એક અર્થશાસ્ત્રી, નો લેખ (An Essay on the Principle of Population) વાંચ્યો જેમા વસ્તી વૃદ્ધિ અને પૃથ્વીની સંપત્તિની ચર્ચા થાય છે. કોઈ પણ પ્રાણીના સમાજમાં સહજ અસમાનતાઓ હોય છે. સંપત્તિ માટે હંમેશા સંઘર્ષ થશે અને અયોગ્ય વ્યક્તિઓ મરી જશે. ડાર્વિને અનુમાન કર્યું કે પ્રાકૃતિક સ્થિતિ પ્રમાણે સૌથી યોગ્ય પ્રાણીઓ જીવશે અને પુનઃ ઉત્પાદન કરી શકશે. એવી રીતે પ્રકૃતિ સૌથી યોગ્ય પ્રાણીઓનું ચયન કરે છે. ડાર્વિને એના સમસ્ત વિચારો અને સિદ્ધાંતોના પ્રમાણને એકત્રિત કરી On the Origin of Species પુસ્તક લખી. આ પુસ્તક વિજ્ઞાનની સૌથી મહત્વપૂર્ણ પુસ્તકોની શ્રેણી માનવામાં આવે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Evolution 2nd Edition by Douglas Futuyma, Sinauer Associates, 2005
  2. On the Origin of Species by Charles Darwin
  3. Campbell Biology 9th Edition, Pearson Benjamin Cummings, 2011

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]