એબીઓ રક્તસમુહ પ્રણાલી

વિકિપીડિયામાંથી
સીરમમાં રક્તકણો અને 'આઇજીએમ' 'એન્ટિબોડીઝ'માં હાજર એબીઓ રક્તસમુહ 'એન્ટિજન્સ' antigens

એબીઓ રક્તસમુહ પ્રણાલી એ માનવ રક્તાધાનમાં (રક્ત બદલવાની ક્રિયા જે 'લોહી ચઢાવવું' પણ કહેવાય છે) અતિમહત્વની રક્તપ્રકાર પ્રણાલી (કે રક્તસમુહ પ્રણાલી) છે. સંબંધીત 'એન્ટિ-એ એન્ટિબોડીઝ' અને 'એન્ટિ-બી એન્ટિબોડીઝ' એ મોટેભાગે 'આઇજીએમ એન્ટિબોડીઝ' છે, જે મોટેભાગે જીવનનાં પ્રથમ વર્ષમાં પર્યાવરણીય પદાર્થોની સંવેદનશીલતા,જેમકે ખોરાક, જીવાણુઓ અને વિષાણુઓને કારણે ઉત્ત્પન થાય છે. એબીઓ રક્તસમુહ કેટલાક પ્રાણીઓમાં પણ જોવા મળે છે, ઉદા: ગાય અને ઘેટું અને ચિમ્પાન્ઝિ તેમજ ગોરીલા જેવા કેટલાક વાનરોમાં.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Maton, Anthea (૧૯૯૩). માનવ જીવવિજ્ઞાન અને આરોગ્ય (Human Biology and Health). Englewood Cliffs, New Jersey, USA: Prentice Hall. ISBN 0-13-981176-1. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); CS1 maint: discouraged parameter (link)