કમલા નેહરુ
કમલા નેહરુ | |
|---|---|
| જન્મની વિગત | કમલા કૌલ ૧ ઓગસ્ટ ૧૮૯૯ દિલ્હી, બ્રિટીશ ભારત |
| મૃત્યુ | ૨૮ ફેબ્રુઆરી ૧૯૩૬ (ઉંમર 36) લૂસાન, સ્વીટ્ઝર્લેન્ડ |
| જીવનસાથી | |
| સંતાનો | ઈન્દિરા ગાંધી |
| સંબંધીઓ | કૈલાસનાથ કૌલ (ભાઈ) |
| કુટુંબ | નહેરુ–ગાંધી પરિવાર |
કમલા નેહરુ (૧ ઓગસ્ટ ૧૮૯૯ – ૨૮ ફેબ્રુઆરી, ૧૯૩૬) એક ભારતીય સ્વાતંત્ર્ય ચળવળકાર અને ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુનાં પત્ની હતાં. તેમની પુત્રી ઈન્દિરા ગાંધી ભારતના પ્રથમ મહિલા વડા પ્રધાન હતા.
પ્રારંભિક જીવન અને લગ્ન
[ફેરફાર કરો]કમલાનો જન્મ ૧ ઓગસ્ટ, ૧૮૯૯ના રોજ રાજપતિ અને જવાહર મુલ અટલ કૌલના ઘરે થયો હતો, જેઓ જૂની દિલ્હીના કાશ્મીરી પંડિત પરિવારમાંથી આવતા હતા.[૧] તેઓ ચાર ભાઈ–બહેનોમાં સૌથી મોટા સંતાન હતા. તેમને બે ભાઈઓ ચાંદ બહાદુર કૌલ અને કૈલાસ નાથ કૌલ તથા એક બહેન સ્વરૂપ કાત્જુ હતા.

કમલાએ ૧૬ વર્ષની ઉંમરે જવાહરલાલ નહેરુ સાથે લગ્ન કર્યા હતા.[૧] જવાહરલાલ નેહરુએ પોતાની આત્મકથામાં પોતાની પત્નીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે "મેં તેને લગભગ નજરઅંદાજ કરી દીધી હતી."[૨] કમલાએ નવેમ્બર ૧૯૧૭માં એક બાળકી 'ઇન્દિરા પ્રિયદર્શિની'ને જન્મ આપ્યો હતો, જેમણે પાછળથી તેમના પિતાના સ્થાને વડાપ્રધાન તરીકે અને કોંગ્રેસ પક્ષના વડા તરીકે સ્થાન મેળવ્યું હતું.[૨]
હરિલાલ ગાંધી આંદોલન ૧૯૩૧
[ફેરફાર કરો]રાષ્ટ્રીય ચળવળમાં કમલા હરિલાલ ગાંધી સાથે સંકળાયેલા હતા. ૧૯૩૧ની અસહકારની ચળવળમાં તેમણે અલ્હાબાદમાં મહિલા જૂથોની આગેવાની કરી વિદેશી કાપડ અને દારૂ વેચતી ચોકીઓ સામે ધરણાનું આયોજન કર્યું હતું . જ્યારે જવાહરલાલ નેહરુની જાહેર ભાષણ આપવા માટે ધરપકડ કરવામાં આવી ત્યારે તેણીએ તે ભાષણ વાંચવા માટે તેમની જગ્યા લીધી હતી. અંગ્રેજોને ટૂંક સમયમાં જ ખ્યાલ આવી ગયો કે કમલા નહેરુએ તેમના માટે કેવો ખતરો ઊભો કર્યો હતો અને સમગ્ર ભારતના મહિલા જૂથોમાં તેઓ કેટલા લોકપ્રિય બન્યા હતા. સરોજિની નાયડુ, નહેરુનાં માતા અને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની અન્ય મહિલાઓ સાથે સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ તેમની બે પ્રસંગોએ ધરપકડ કરવામાં આવી હતી.[૩][૪] આ સમયગાળા દરમિયાન તેમણે પોતાના ઘરમાં સ્વરાજ ભવનમાં એક દવાખાનું શરૂ કર્યું હતું, જેમાં ઘાયલ કાર્યકરો, તેમના પરિવારો અને અલ્હાબાદ (હવે પ્રયાગરાજ)ના અન્ય રહેવાસીઓની સારવાર માટે કેટલાક ઓરડાઓને કોંગ્રેસ ડિસ્પેન્સરીમાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા. તેમના મૃત્યુ પછી, મહાત્મા ગાંધીએ અન્ય અગ્રણી નેતાઓની મદદથી તેમની સ્મૃતિમાં આ દવાખાનાને 'કમલા નહેરુ મેમોરિયલ હોસ્પિટલ' તરીકે ઓળખાતી હોસ્પિટલમાં પરિવર્તિત કર્યું હતું.[૫]
કમલા નહેરુએ કસ્તુરબા ગાંધી સાથે ગાંધીજીના આશ્રમમાં થોડો સમય વિતાવ્યો હતો, જ્યાં તેમણે સ્વાતંત્ર્ય સેનાની જયપ્રકાશ નારાયણની પત્ની પ્રભાવતી દેવી સાથે ગાઢ મિત્રતા કેળવી હતી.[૬]
અવસાન
[ફેરફાર કરો]૨૮ ફેબ્રુઆરી ૧૯૩૬ના રોજ સ્વિટ્ઝરલેન્ડના લુસાનેમાં ક્ષય રોગને કારણે કમલાનું અવસાન થયું, જેમાં તેમની પુત્રી અને સાસુ તેમની સાથે હતા. છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન કમલા અવારનવાર બીમાર રહેતા હતા અને તેમને સારવાર માટે સ્વિટ્ઝરલેન્ડના સેનેટોરિયમમાં લઈ જવામાં આવતા હતા, જોકે તબિયતમાં સુધારો થતાં તેઓ ભારત પાછા ફરતાં હતા. ૧૯૩૫ની શરૂઆતમાં કમલાની તબિયત ફરી બગડતાં સુભાષચંદ્ર બોઝ તેમને બાડનવાઇલર (દક્ષિણ જર્મની) લઇ ગયા હતા અને સારવાર માટે સેનેટોરિયમમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પતિ (પંડિત જવાહરલાલ નહેરુ) તે સમયે ભારતની જેલમાં હતા. તેમની તબિયત લથડતાં, નહેરુને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા અને ઓક્ટોબર ૧૯૩૫માં જર્મની લઈ જવામાં આવ્યા હતા. શરૂઆતમાં કમલાની તબિયતમાં સુધારો થયો હતો, પરંતુ ૧૯૩૬માં તે ફરીથી બગડવા લાગી હતી અને ફેબ્રુઆરીમાં તેમનું અવસાન થયું હતું. કમલાના મૃત્યુ પછી ઉમેરવામાં આવેલા એક પ્રકરણમાં પોતાની આત્મકથાના પ્રસ્તાવનામાં નહેરુએ જણાવ્યું છે કે તેઓ ભાંગી પડ્યા હતા અને થોડા મહિનાઓ સુધી શોકમાં રહ્યા હતા.[૭]
વિરાસત
[ફેરફાર કરો]
કમલા નહેરુ મેમોરિયલ હોસ્પિટલ એન્ડ રિજયોનલ કેન્સર સેન્ટર, કમલા નહેરુ પ્રાણી સંગ્રાહલય (ઇન્દોર), કમલા નહેરુ કોલેજ (દિલ્હી યુનિવર્સિટી), કમલા નહેરુ ડિગ્રી ઇવનિંગ કોલેજ (બેંગ્લોર), કમલા નહેરુ ડિગ્રી ઇવનિંગ કોલેજ (બેંગ્લોર), કમલા નહેરુ કોલેજ ફોર વિમેન (જોધપુર), કમલા નહેરુ પાર્ક (પુણે), કમલા નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (સુલતાનપુર), કમલા નહેરુ કોલેજ (કોરબા), કમલા નહેરુ વિમેન્સ કોલેજ (ભુવનેશ્વર), કમલા નહેરુ પોલિટેકનિક (હૈદરાબાદ), શ્રી રામદેવબાબા કમલા નેહરુ એન્જિનિયરિંગ કોલેજ (નાગપુર), કમલા નેહરુ મેમોરિયલ વોકેશનલ હાયર સેકન્ડરી સ્કૂલ વતનપ્પલ્લી (કેરળ) અને શશાંક કમલા નહેરુ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ (ભોપાલ) જેવી સંખ્યાબંધ સંસ્થાઓનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે.
પાકિસ્તાનમાં કરાંચીમાં કમલા નહેરુના નામ પર એક રસ્તો છે.[૮]
પ્રસાર માધ્યમોમાં
[ફેરફાર કરો]કમલા કૌલ (નહેરુ) ૧૯૮૬માં આવેલી ભારતીય દસ્તાવેજી ફિલ્મ છે, જેનું નિર્દેશન આશિષ મુખરજીએ કર્યું છે. ભારત સરકારના ફિલ્મ વિભાગ દ્વારા નિર્મિત તે તેમના જીવન અને યોગદાનની ઝાંખી પૂરી પાડે છે.[૯]
સંદર્ભ
[ફેરફાર કરો]- 1 2 Jayakar, Pupul (1995). Indira Gandhi, a biography (Rev. આવૃત્તિ). New Delhi, India: Penguin. pp. 9–11. ISBN 978-0140114621.
- 1 2 "From years 1916 to 1964...The man and the times". The Windsor Star. 27 May 1964. મેળવેલ 19 January 2013.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ Nehru, Jawaharlal (26 January 1936). An Autobiography. London: Bodley Head.
{{cite book}}: Check date values in:|date=(મદદ) - ↑ "Kamala Nehru Biography". Iloveindia. મેળવેલ 15 September 2012.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ)[હંમેશ માટે મૃત કડી] - ↑ "KNMH : The Legacy". www.knmhospital.org. મૂળ માંથી 2025-02-23 પર સંગ્રહિત. મેળવેલ 2022-03-19.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ Jayakar, Pupul (1995). Indira Gandhi, a biography (Rev. આવૃત્તિ). New Delhi, India: Penguin. pp. 90–92. ISBN 978-0140114621.
- ↑ Nehru, Jawaharlal (1940). An Autobiography (2nd આવૃત્તિ). London: Bodell Head.
- ↑ "Blog: Finding Kamala Nehru in Pakistan, Jinnah in Guntur". NDTV.com. 20 May 2015.
{{cite news}}: Check date values in:|date=(મદદ) - ↑ "KAMALA NEHRU | Films Division". filmsdivision.org. મૂળ માંથી 2021-06-12 પર સંગ્રહિત. મેળવેલ 2021-06-12.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ)