કિરણ મોરેભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. કિરણ શંકર મોરે (જન્મ સપ્ટેમ્બર ૪, ૧૯૬૨ના દિને વડોદરા, ગુજરાત, ભારત ખાતે) ભારતીય ક્રિકેટ ટીમનાવિકેટકીપર તરીકે ૧૯૮૪ થી ૧૯૯૩ સુધી રમતા હતા. તેઓ બીસીસીઆઇની પસંદગી સમિતિના ચેરમેન તરીકે પણ તેમના અનુગામી દિલીપ વેંગસારકર આવ્યા ત્યાં સુધી ૨૦૦૬ કાર્ય કરી ચૂક્યા છે. તેઓ હાલમાં ઇન્ડીઅન ક્રિકેટ લીગ માટે કાર્ય કરી રહ્યા છે.
આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં વિકેટકીપર તરીકે તેમ જ બેટધર તરીકે ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.