ગતિના નિયમો

વિકિપીડિયામાંથી
આઇઝેક ન્યુટન

ગતિના નિયમો સર આઇઝેક ન્યૂટને આપેલા, આ ત્રણેય નિયમો ગતિ વિષયક નિયમો છે. આ નિયમો ક્લાસિકલ મિકેનિક્સનો પાયો છે.સૌપ્રથમ આ નિયમો આઇઝેક ન્યૂટનના પુસ્તક ફિલોસોફી નચુરાલીસ પ્રિન્સિપીઆ મેથેમેટિકાલમાં નોધાયા હતા જેમાં તેઓએ આ નિયમોનો ઉપયોગ વિવિધ પદાથોની ગતિના અભ્યાસ માટે કર્યો. આ નિયમો પદાર્થનું દળ, તેના પર લાગતું બળ, અને તેની ગતિ વચ્ચેનો સંબંધ દર્શાવે છે.

નિયમો[ફેરફાર કરો]

ન્યુટને ગતિના કુલ ત્રણ નિયમો આપ્યા.જે નીચે મુજબ છે.

પહેલો નિયમ[ફેરફાર કરો]

પહેલો નિયમ કહે છે કે જ્યાંં સુધી કોઈ વસ્તુ પર બાહ્ય બળ(ફોર્સ) ન લગાડવામાં આવે ત્યાંં સુધી જે વસ્તુ ગતિમાં હોય એ ગતિમાં અને જે વસ્તુ સ્થિર હોય એ સ્થિર રહે છે.

બીજો નિયમ[ફેરફાર કરો]

કોઇપણ વસ્તુ પર લાગતુ બળ એ તેના કુલ દળ અને પ્રવેગના ગુણાકાર જેટલુ થાય છે,અને તે વેગમાનના સમય ની સાપેક્ષેના વિકલનના સમપ્રમાણમાં હોય છે.

ત્રીજો નિયમ[ફેરફાર કરો]

બે પદાર્થની આંતરવિશિષ્ઠ ક્રિયા દરમિયાન જ્યારે પહેલો પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે ત્યારે બીજો પદાર્થ તત્કાલિન પહેલા પર બળ લગાડે છે. આ બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે

ઉપયોગ[ફેરફાર કરો]

આ ગતિના નિયમો અને ન્યુટનના ગુરૂત્વાકર્ષણના નિયમોથી કેપ્લરના નિયમો સમજાવી શકાય છે.