ગતિના નિયમો

વિકિપીડિયામાંથી
આઇઝેક ન્યુટન

ગતિના નિયમો સર આઇઝેક ન્યૂટને આપેલા. આ ત્રણેય નિયમો ગતિ વિષયક નિયમો છે. આ નિયમો ક્લાસિકલ મિકેનિક્સનો પાયો છે. આ નિયમો પદાર્થનું દળ, તેના પર લાગતું બળ, અને તેની ગતિ (વેલોસિટી) વચ્ચેનો સંબંધ દર્શાવે છે.

નિયમો[ફેરફાર કરો]

ન્યુટને કુલ ત્રણ નિયમો આપ્યા. જે નીચે મુજબ છે.

પહેલો નિયમ[ફેરફાર કરો]

પહેલો નિયમ કહે છે કે જ્યાંં સુધી કોઈ વસ્તુ પર બાહ્ય બળ(ફોર્સ) ન લગાડવામાં આવે ત્યાંં સુધી જે વસ્તુ ગતિમાં હોય એ ગતિમાં અને જે વસ્તુ સ્થિર હોય એ સ્થિર રહે છે.

બીજો નિયમ[ફેરફાર કરો]

બળ એ તેના કુલ દળ અને પ્રવેગના ગુણાકાર જેટલો થાય છે.અને તે વેગમાન ની સમય ની સાપેક્ષે ના વિકલન ના સમપ્રમાણ મા હોય છે.

ત્રીજો નિયમ[ફેરફાર કરો]

બે પદાર્થની આનંતરવીષટ ક્રિયા દરમિયાન જ્યારે પહેલો પદાર્થ બીજા પર બળ લગાડે છે તત્કાલિન બીજો પદાર્થ પહેલા પર લગાડે છે. આ બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે.

ઉપયોગ[ફેરફાર કરો]

આ ગતિના નિયમો અને ન્યુટનના ગુરૂત્વાકર્ષણના નિયમોથી કેપ્લરના નિયમો સમજાવી શકાય છે.