ગાર્ગી

વિકિપીડિયામાંથી

ગાર્ગી એ વૈદિક કાળની એક તત્વજ્ઞાની સ્ત્રી હતાં. વૈદિક સાહિત્યમાં તેમને પ્રાકૃતિક તત્વજ્ઞાની, વેદાંતી બ્રહ્મવાદિની સ્ત્રી, બ્રહ્મવિદ્યા સાથેની વ્યક્તિ ગણવામાં આવે છે.[૧] બૃહદારણ્યક ઉપનિષદના છઠ્ઠા અને આઠમાં ખંડમાં દર્શાવ્યા અનુસાર તેમણે રાજા જનક દ્વારા યોજાયેલ પરિષદમાં ભાગ લીધો હતો અને યાજ્ઞવાલક્ય ઋષિને આત્મા વિશેના અઘરાં પ્રશ્નો પૂછ્યાં હતાં.[૨] તેમણે ઋગ્વેદની ઋચાઓ પણ લખી હોય તેવું માનવામાં આવે છે.[૩] તે પોતાના જીવનકાળ દરમિયાન સંપૂર્ણ રીતે કુંવારા રહ્યાં હતાં અને તેથી જ તેને હિંદુઓ સમ્માનજનક રીતે જુએ છે.[૪]



સંદર્ભો[ફેરફાર કરો]

  1. Veṭṭaṃmāṇi, 1921- (1975). Purāṇic encyclopaedia : a comprehensive dictionary with special reference to the epic and Purāṇic literature (1st ed. in English આવૃત્તિ). Delhi: Motilal Banarsidass. ISBN 0-8426-0822-2. OCLC 2198347.
  2. Ahuja, M.L. (2011). Women in Indian Mythology. Rupa Publications. ISBN 978-81-291-2171-4. પૃષ્ઠ ૩૪
  3. Mody, Rekha (1999). A Quest for Roots: Stree Shakti. Stree Shakti. પૃષ્ઠ ૧૨૫
  4. Kapur-Fic, Alexandra R. (1 January 1998). Thailand: Buddhism, Society, and Women. Abhinav Publications. ISBN 978-81-7017-360-1 પૃષ્ઠ ૩૨૩