ગુરુત્વાકર્ષણીય તરંગો

વિકિપીડિયામાંથી

ગુરુત્વાકર્ષણીય તરંગો અથવા ગ્રેવિટેશનલ વેવ્સ (અંગ્રેજી: Gravitational waves) એ ગુરુત્વાકર્ષણક્ષેત્રમાં થતા ક્ષોભને કારણે ઉદભવતા તરંગો છે. વ્યાપક સાપેક્ષવાદના સિદ્ધાંત અનુસાર જ્યારે કોઈ પદાર્થ તેની સમગ્રાકૃતિ બદલે ત્યારે તેના ગુરુત્વાકર્ષણક્ષેત્રમાં પરિવર્તન થાય છે અને ગુરુત્વાકર્ષણીય તરંગો ઉત્પન્ન થાય છે.[૧]

વર્ણન[ફેરફાર કરો]

આલ્બર્ટ આઇન્સ્ટાઇને તેમના વ્યાપક સાપેક્ષવાદમાં ગુરુત્વાકર્ષણીય તરંગોની સમજૂતી આપી હતી. એ મુજબ કોઈ પદાર્થ પોતાની સમગ્રાકૃતિ બદલે ત્યારે તેના ગુરુત્વાકર્ષણક્ષેત્રમાં થતું પરિવર્તન બધી દિશામાં તરંગ સ્વરૂપે ફેલાય છે. જ્યારે કોઈ ભારે વજનદાર પદાર્થ પ્રચંડ ગતિથી તેની સમગ્રાકૃતિ બદલે ત્યારે શક્તિશાળી ગુરુત્વાકર્ષણીય તરંગો ઉત્પન્ન થાય છે. ઉદાહરણ તરીકે, ગુરુત્વીય નિપાત દ્વારા તારા, તારકગુચ્છ કે તારાવિશ્વના કેન્દ્રીય ભાગનું બ્લેકહોલમાં રૂપાંતર થાય અથવા તારાવિશ્વની ઉત્પત્તિ પહેલા પદાર્થનું સંઘનન થાય તે દરમ્યાન શક્તિશાળી ગુરુત્વાકર્ષણીય તરંગો ઉત્પન્ન થાય છે. આ તરંગો પૃથ્વી સુધી પહોંચે ત્યા સુધીમાં અત્યંત ક્ષીણ થઈ જાય છે. આથી તેની ભાળ મેળવી શકાતી નથી.[૧]

શોધ[ફેરફાર કરો]

ગુરુત્વાકર્ષણ તરંગોની ભાળ મેળવવા માટે ૧૯૬૦માં જોસેફ વેબરે એક ઉપકરણ બનાવ્યું હતું, જેમાં કેટલાક અત્યંત ભારે વજનના એલ્યુમિનિયમના નળાકારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ પાઠક, પરંતપ (૧૯૯૪). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૬. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૩૮.