ગેટવે ઓફ ઇન્ડિયા
દેખાવ
| ગેટવે ઓફ ઇન્ડિયા | |
|---|---|
ગેટવે ઓફ ઇન્ડિયા | |
| સામાન્ય માહિતી | |
| સ્થાન | મુંબઈ, મહારાષ્ટ્ર |
| અક્ષાંશ-રેખાંશ | 18°55′19″N 72°50′05″E / 18.9219°N 72.8346°E |
| બાંધકામની શરૂઆત | ૩૧ માર્ચ ૧૯૧૩ |
| પૂર્ણ | ૧૯૨૪ |
| ઉદ્ઘાટન | ૪ ડિસેમ્બર ૧૯૨૪ |
| ખર્ચ | ₹૨૧ લાખ |
| માલિક | ભારતીય પુરાતત્વ વિભાગ |
| ઉંચાઇ | 26 m (85 ft) |
| પરિમાણો | |
| વ્યાસ | 15 metres (49 feet) |
| રચના અને બાંધકામ | |
| સ્થપતિ | જ્યોર્જ વિટૈટ |
| સ્થપતિ કાર્યાલય | ગેમ્મોન ઇન્ડિયા |
| સમારકામ કરનાર | |
| સ્થપતિ | જ્યોર્જ વિટૈટ |
| વેબસાઇટ | |
| gatewayofindia.org | |
ગેટવે ઓફ ઇન્ડિયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના પાટનગર મુંબઇ શહેરના દક્ષિણ ભાગના દરિયાકિનારે કોલાબા વિસ્તારમાં આવેલું સ્મારક પ્રવેશદ્વાર છે. આ ઇમારત ૨૬ મીટર જેટલી ઉંચાઇ ધરાવે છે. અહીં પર્યટકો માટે નૌકા-વિહાર સેવા ઉપલબ્ધ છે.
આ પ્રવેશદ્વારનું નિર્માણ ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ પાંચમા અને રાણી મેરીના આગમન ૪ ડિસેમ્બર, ૧૯૧૧ સમયનો સ્મરણોત્સવ ઉજવવા માટે કરવામાં આવ્યું હતું. તેના નિર્માણ માટે પીળા રંગના આરસના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના સ્થપતિ જ્યોર્જ વિટૈટ નામના અંગ્રેજ હતા. આ પ્રવેશદ્વારનું નિર્માણકાર્ય ઇ. સ. ૧૯૨૪ના વર્ષમાં પૂર્ણ થયું હતું.
છબીઓ
[ફેરફાર કરો]- એપોલો બંદર, ૧૯૦૫, જ્યાં હાલમાં ગેટવે ઓફ ઇન્ડિયા આવેલ છે
- રસ્તા પર કબૂતરો
- આકાશી દેખાવ
- કમાનોનું નકશીકામ
- ફૂલોની ભાત
- મિનારનો નજીકથી દેખાવ
- સાંજના સમયે ગેટવે
- ગુંબજનો અંદરનો દેખાવ
- નૌસેના દિવસની ઉજવણી, ૨૦૧૮
- તાજ હોટેલ અને ગેટવે ઓફ ઇન્ડિયા
| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |