ઘોડાસરાપીર

વિકિપીડિયામાંથી

ઘોડાસરા દાદા અથવા ઘોડાસરા પીર અથવા ઘોડાખરા પીરભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં જામનગર શહેરથી ૩૦ કિલોમીટર દુર આવેલું પૌરાણિક સમયથી જાણીતું યાત્રાધામ તેમજ જામનગર જિલ્લાનું યાત્રાધામ છે.

ભૌગોલિક સ્થાન[ફેરફાર કરો]

આ સ્થળ જામનગર થી કાલાવડ હાઇવે ઉપર ૨૨ કિલોમીટરે મોડપર બસ સ્ટેશનથી હડમતીયા (તા. જામનગર) ૪ કિલોમીટરે અને ત્યાંથી ૫ કિલોમીટરે આવેલું છે.

મહત્વ[ફેરફાર કરો]

જંગલમાં આવેલી જગ્યાનું અહીં ખુબ જ મહત્વ રહેલું છે. કહેવાય છે કે લગભગ ૪૦૦ થી ૫૦૦ વર્ષે પૂર્વે હડમતીયા (મતવા) ગામ ભાંગવા માટે બહારવટીયા આવેલ. જે સમયે સિંધુ કુટુંબના સાત હિંદુ ભાઈઓ ગામ લોકોની રક્ષા કરવા માટે ગયેલા અને શહીદ થયેલા તેમાંથી સૌથી મોટા ભાઈ ઘોડાસરા (ઘોડાખરાપીર) તરીકે પુજાય છે.