જન્નત

વિકિપીડિયામાંથી

ઇસ્લામ ધર્મમાં મુસ્લિમો જન્નતમાં આસ્થા ધરાવે છે. આસ્‍થા અને એકરાર, જન્નતમાં વિશ્વાસ રાખવો જરૂરી છે. મુસ્લિમોની માન્યતા અનુસાર મૃત્યુ પછી પણ જીવન છે, જે લોકો અલ્લાહ અને તેના રસુલ સલ્લ્લાહો અલયહિ વસલ્લ્લમે બતાવેલા રસ્તા પર ચાલ્યા હશે, તેને ક્યામતના દિવસે અલ્લાહ પાક તેના રહેમ કરમ (દયા)થી જન્નતમા દાખલ કરશે. જ્ન્નત અલ્લાહ પાકે એવી બનાવી છે કે, માણસે તેની દુનિયામાં કલ્પના પણ નહિં કરી હોય, સૃષ્ટીનો સર્વનાશ થઈ ગયા પછી કયામતનો દિવસ આવશે અને તેમાં મનુષ્યોની સાથે જગતભરનાં બુદ્ધિમાન લોકોને જીવન પ્રદાન કરીને મેદાન હશરમાં ભેગા કરવામાં આવશે, ત્યાં તેમનું જીવન બતાવવામાં આવશે અને તેમના પાપોનો હિસાબ લેવામાં આવશે. ખુદા પ્રત્યેના પાપને ખુદા ઈચ્છે તો માફ કરી શકશે. જ્યારે મનુષ્યોએ મનુષ્યો પ્રત્યે આચરેલા પાપોની સજા તેનો ભોગ બનેલા લોકો નક્કી કરશે. મનુષ્યોને તેમના સારા કાર્યો અને વર્તનના આધારે સ્વર્ગ કે નર્કમાં મોકલવામાં આવશે. જન્નતમાં ફરિશ્તા છે.