તાવ

વિકિપીડિયામાંથી
તાવ

જ્યારે શરીર નું તાપમાન સામાન્ય થી અધિક થઈ જાય તો તે દશા ને તાવ (જ્વર) (અંગ્રેજી-ફીવર) કહે છે. આ રોગ નથી પણ એક લક્ષણ (સિમ્ટમ્) છે જે બતાવે છે કે શરીર નું તાપ નિયંત્રિત કરતી પ્રણાલી એ શરીર નું વાંછિત તાપ (સેટ-પોઇંટ) ૧-૨ ડિગ્રી સલ્સિયસ વધારી દીધું છે.મનુષ્ય ના શરીર નું સામાન્‍ય તાપમાન ૩૭°સેલ્સિયસ કે ૯૮.૬° ફેરનહાઇટ હોય છે. જ્યારે શરીર નું તાપમાન આ સામાન્‍ય સ્‍તર થી ઊપર જાય તો આ સ્થિતિ તાવ (તાવ) કે બુખાર કહે છે. તાવ કોઈ રોગ નથી. એ માત્ર રોગ નું એક લક્ષણ છે. કોઈ પણ પ્રકાર ના સંક્રમણ ની આ શરીર દ્વારા દેવાતી પ્રતિક્રિયા છે. વધતો તાવ રોગ ની ગંભીરતા ના સ્‍તર તરફ સંકેત કરે છે.

કારણ[ફેરફાર કરો]

નિમ્‍નલિખિત રોગ તાવનું કારણ હોઈ શકે છે-

સાધારણ તાવના લક્ષણ[ફેરફાર કરો]

સાધારણ તાવ માં શરીર નું તાપમાન ૩૭.૫ ડિ.સે. કે ૧૦૦ ફેરેનહાઇટ થી અધિક હોય, માથુઁ દુખે, ઠંડી લાગે, સાંધામાં દર્દ, ભૂખ માં કમી, કબજિયાત થવો કે ભૂખ ઓછી થવી કે થકાવટ લાગવી એ પ્રમુખ લક્ષણ છે.

આના ઉપચાર હેતુ સરળ ઉપાયોનું પાલન કરો: રોગી ને સારા હવાદાર ઓરડામાં રખવો જોઈએ. તેને ઘણાં પ્રવાહી પદાર્થ પીવા દો. સ્‍વચ્‍છ એવં મુલાયમ વસ્‍ત્ર પહેરાવો, પર્યાપ્‍ત વિશ્રામ અતિ આવશ્‍યક છે. જો તાવ ૩૯.૫૦ ડિગ્રી સે. કે ૧૦૩.૦૦ ફેરેનહાઇટ થી અધિક હોય કે પછી ૪૮ કલાક થી અધિક સમય રહે તો ડૉક્‍ટર ની સલાહ લો.

આ સિવાય રોગી ને ઘણું સારું સ્‍વચ્‍છ અને ઉકળેલું પાણી પીવડાવો, શરીર ને પર્યાપ્‍ત કેલેરી દેવ માટે, ગ્‍લૂકોઝ, આરોગ્‍યવર્ધક પેય (હેલ્‍થ ડ્રિંક્‍સ), ફળો નો રસ આદિ લેવાની સલાહ અપાય છે. સરળતાથી પચવાવાળો ખોરાક જેમકે ચોખાની કાંજી, સાબૂદાણા ની કાંજી, જેનું પાણી આદિ દેવું જોઈએ. દૂધ, રોટલી કે ડબલરોટી (બ્રેડ), માંસ, ઈંડા, માખણ, દહીં અને તેલ માં રાંધેલ ખોરાક ન દો.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય સૂત્ર[ફેરફાર કરો]