લખાણ પર જાઓ

દીપ

વિકિપીડિયામાંથી
દીવો

પ્રાચીન ઇતિહાસ

[ફેરફાર કરો]

દીપ અથવા દીવો માનવ સંસ્કૃતિ સાથે હજારો વર્ષોથી વણાયેલ છે.દીવો પ્રગટાવવા માટે માટીનાં કોડીયા વપરાતા, પુરાતત્વશાસ્ત્રીઓને ભારતવર્ષના સૌથી પ્રાચિન દીવા નાં કોડીયા મોહેંજો ડેરોના,ઇ.સ.પૂર્વે ૨૭૫૦ ના સમયના મળી આવેલ છે.આ સમયમાં દીવાઓનો ઉપયોગ મોટેભાગેતો ધાર્મિક હેતુમાટે નહીં પરંતુ ઉજાસ માટે થતો હતો.સહેજ મોટા કદના દીવા છત પર લટકાવવામાં આવતા હતાં જેથી ચોમેર અજવાળુ ફેલાય.ક્યાંક ક્યાંક ઘરોમાં ગોખલાની વ્યવશ્થા પણ રાખવામાં આવતી,જેમાં દીવા મુકવામાં આવતા.આ સમયમાં જોકે મોહેંજો ડેરોના સામાન્ય રહેવાસીઓ માટે તો દીવો પણ એક દુર્લભ વસ્તુ ગણાતી,કેમકે કોડીયામાં બળતણ તરીકે વપરાતા તૈલી પદાર્થો ત્યારે દુર્લભ હતા.આથી મોટાભાગના લોકોનો દિવસતો સાંજ પડતાંજ પૂરો થઇ જતો.

તાત્ત્વિક મહત્વ

[ફેરફાર કરો]

દીવાનો સંબંધ સીધોજ અગ્નિ સાથે છે. ભારતમાં પ્રાચીનકાળથી (સનાતન ધર્મ) સભ્યતાના ઉદય સાથે અગ્નિને પવિત્ર અને દૈવીભાવથી પૂજ્ય માનવામાં આવે છે. દીવાનો મૂળ તાત્પર્ય અંધકારનો નાશ કરી પ્રકાશના પ્રસારણનો છે. દીવાનો પ્રકાશ જ્ઞાન, સુખ, સમૃદ્ધિ, ઉર્જા, અર્ઘ્ય, હકારાત્મકતાનું પણ પ્રતિક છે.

પૌરાણિક કથા

[ફેરફાર કરો]

દીવો એદિવાળીના પર્વ સાથે જોડાયેલ છે,પરંતુ એક ઓછી જાણીતી પૂરાણકથા પ્રમાણે દીવાની હારમાળા (દીપાવલી) સાથે જેને પ્રત્યક્ષ સંબંધ હોય તેવો તહેવાર માત્ર ધન તેરસ છે.સામાન્ય રીતે આપણે દીપ નો સંબંધ લક્ષ્મીજી સાથે ગણીયે છીએ,પરંતુ પૌરાણીક કથા પ્રમાણે યમરાજાએ વરદાન આપેલ છે કે ધનતેરસને દીવસે જે મનુષ્ય દીપદાન કરશે (દીવડાઓ પ્રગટાવશે) તેનો જીવનદીપ એ દીવસે બુઝાશે નહીં.આમ આ દીવસે દીપમાલા પ્રગટાવનાર શ્રધ્ધાળુઓ માટે યમરાજાએ એક દીવસનું અમરત્વ પ્રદાન કરેલ છે.


પરંપરાગત ઉપયોગ

[ફેરફાર કરો]

દીવાઓ પ્રતીકાત્મક રીતે પ્રાર્થના, ધાર્મિક વિધિઓ અને સમારંભો દરમિયાન પ્રગટાવવામાં આવે છે; તે ઘરો અને મંદિરોમાં હંમેશા રહે છે. દીવામાંથી નીકળતી ગરમ, તેજસ્વી ચમક શુભ માનવામાં આવે છે, જે પ્રબોધન, સમૃદ્ધિ, જ્ઞાન અને શાણપણનું પ્રતિનિધિત્વ કરે છે. દીવાઓ અંધારા પર પ્રકાશનો, અનિષ્ટ પર સારાનો વિજય દર્શાવે છે, જેનું સૌથી નોંધપાત્ર ઉદાહરણ દિવાળીના દિવસે જોવા મળે છે. હિન્દુ મહાકાવ્ય, રામાયણમાં જણાવ્યા મુજબ, અનિષ્ટ પર સારાના વિજયની ઉજવણી કરવા માટે દર વર્ષે દિવાળી ઉજવવામાં આવે છે. દિવાળી એ દિવસને ચિહ્નિત કરે છે જ્યારે રામ, સીતા અને લક્ષ્મણ 14 વર્ષના વનવાસ પછી, રાવણના પરાજય પછી, અયોધ્યા પરત ફર્યા હતા. પરંપરા અનુસાર, રામ, સીતા અને લક્ષ્મણનું સ્વાગત કરવા માટે, અયોધ્યાના નાગરિકોએ રસ્તાઓને દીવાઓથી પ્રકાશિત કર્યા હતા એમ કહેવાય છે. હિન્દુ પ્રતિમાઓ અને પૂજામાં તેમને લક્ષ્મી સાથે સંકળાયેલા માનવામાં આવે છે. []

પ્રકાર

[ફેરફાર કરો]
તમિલનાડુના સુશોભન નાચીરકોઇલ અથવા અન્નમ દીવાની ટોચ

સામગ્રીની પસંદગીની દ્રષ્ટિએ, ભઠ્ઠાથી પકવવામાં આવેલા માટીના દીવા અને ત્યારબાદ બહુવિધ વાટવાળા ધાતુના દીવા, જે મોટાભાગે પિત્તળના બનેલા હોય છે, જે સમાઈ તરીકે ઓળખાય છે, સૌથી સામાન્ય છે, જોકે અન્ય સામગ્રીનો પણ ઉપયોગ થાય છે જેમ કે પાંદડામાંથી બનાવેલા પત્રાવલી તરતા દીવા અથવા પથ્થરોથી બનેલા કાયમી દીવા.

વાટની દ્રષ્ટિએ, એક વાટવાળા દીવા સૌથી સામાન્ય છે, ત્યારબાદ બે વાટ શૈલીનો ઉપયોગ થાય છે, ઉપરાંત ચાર, પાંચ કે સાત વાટવાળા દીવા જેવા અન્ય પ્રકારે પણ બનાવવામાં આવે છે.

એકંદરે દીવાની ડિઝાઇનની દ્રષ્ટિએ, સુશોભન દીવા વિવિધ ડિઝાઇનમાં આવે છે. પ્રતિષ્ઠિત નાચિયારકોઇલ દીપ, જેને "અન્નમ દીપ" તરીકે પણ ઓળખવામાં આવે છે, તે તમિલનાડુના નાચિયાર કોઇલમાં પાથેર (કમ્માલર) સમુદાય દ્વારા ખાસ બનાવવામાં આવે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Stutley, Margaret (9 April 2019). The Illustrated Dictionary of Hindu Iconography (અંગ્રેજીમાં). Routledge. p. 390. ISBN 978-0-429-62425-4. {{cite book}}: Check date values in: |date= (મદદ)