પૂર્વગ્રહ

વિકિપીડિયામાંથી

પૂર્વગ્રહ એટલે સાચી માહિતીના આધાર વગર કોઈ વ્યક્તિ અથવા જૂથ વિષે બાંધેલું પ્રતિકૂળ વલણ.[૧] બીજા શબ્દોમાં કહીએ તો "અન્ય વ્યક્તિ કે જૂથની વિરુદ્ધમાં વિચાર, લાગણી કે ક્રિયાનો પ્રતિભાવ આપવાનું પૂર્વનિર્ધારિત વલણ" એટલે પૂર્વગ્રહ. આમ, પૂર્વગ્રહ એટલે પહેલેથી સ્વીકારેલો નિર્ણય.[૨] પૂર્વગ્રહ એ જન્મદત્ત નથી, પણ શીખેલું વલણ છે.[૧] વ્યક્તિ પોતાના વિવિધ અનુભવો દ્વારા પૂર્વગ્રહો બાંધે છે. આથી મોટેભાગે નાના બાળકોમાં પૂર્વગ્રહો હોતા નથી, પણ પુખ્ત વયની વ્યક્તિઓમાં તે જોવા મળે છે.[૨]

વ્યાખ્યા[ફેરફાર કરો]

થીયોડોર ન્યુકોમ્બ પૂર્વગ્રહની વ્યાખ્યા આપતા કહે છે કે "પૂર્વગ્રહ એટલે મનનું પ્રતિકૂળ વલણ. એટલે કોઈ વ્યક્તિ અથવા જુથ પ્રત્યે પ્રતિકૂળ ર્દષ્ટિથી જોવાની, વર્તવાની, વિચારવાની અથવા લાગણી અનુભવવાની મનની વૃત્તિ".[૩]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ વણીકર ૧૯૭૯, p. ૧૭૯.
  2. ૨.૦ ૨.૧ ગુજરાતી વિશ્વકોશમાં પૂર્વગ્રહ.
  3. વણીકર ૧૯૭૯, p. ૧૮૦.

સ્ત્રોત[ફેરફાર કરો]

  • વણીકર, વિ. સ. (૧૯૭૯) [૧૯૬૬]. સામાજિક મનોવિજ્ઞાન (સંશોધિત બીજી આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ.

બાહ્ય કડિઓ[ફેરફાર કરો]