લખાણ પર જાઓ

પ્રાણલાલ વ્યાસ

વિકિપીડિયામાંથી
પ્રાણલાલ વ્યાસ
જન્મ૧૯ મે ૧૯૪૧ Edit this on Wikidata
જેતલસર (તા. જેતપુર) Edit this on Wikidata
મૃત્યુ૩ ઓગસ્ટ ૨૦૧૧ Edit this on Wikidata
ભજનિક શ્રી પ્રાણલાલ વ્યાસ માર્ગ, જૂનાગઢ

પ્રાણલાલ વ્યાસ (૧૯ મે ૧૯૪૧[] - ૩ ઓગસ્ટ ૨૦૧૧[]) ભજનીક, ગુજરાતી ફીલ્મોના પાર્શ્વગાયક અને લોકગીતોના કલાકાર હતા.

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

એમનો જન્મ જેતલસરમાં માતા શાંતાબેન અને પિતા પ્રેમશંકર ભાઈના ઘરે થયો હતો.[]

કારકિર્દી

[ફેરફાર કરો]

પ્રાણલાલ વ્યાસે પોતાની ગાવાની સફર જૂનાગઢના શિવરાત્રીના મેળાથી કરી હતી. અવિનાશ વ્યાસે એમને ૧૯૭૫માં ચલચિત્ર 'શેઠ સગાળશા'માં પાર્શ્વગાયક તરીકે તક આપી હતી. જેમાં તેઓ "ભાગુ તો મારી ભોમકા લાજે, ભોરીંગ જીલે ન ભાર, મેરૂ સરીખા ડોલવા લાગે, આકાશના આધાર" ગીત દ્વારા પ્રસિદ્ધ થયા હતા[]. એ પછી એમણે ૧૯૭૮માં 'ભગત ગોરા કુંભાર' નામના ગુજરાતી ચલચિત્રમાં ગાયેલું કવિ દાદ રચિત 'ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું'[] ગીત પણ બહુ જ વખણાયેલું.

તેમની સ્મૃતિમાં ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ જૂનાગઢ શહેરના સોનાપુરથી ભવનાથ પ્રવેશદ્વાર સુધીના માર્ગનું "ભજનિક શ્રી પ્રાણલાલ વ્યાસ માર્ગ" તરીકે નામકરણ કરવામાં આવ્યું છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. 1 2 3 "સોરઠનો સિંહ સમો 'ખજાનો' 'લૂટાઇ' ગયો, બસ, બધું લૂંટાયું". દિવ્ય ભાસ્કર. ૩ ઓગસ્ટ ૨૦૧૧. મૂળ માંથી ૩૧ મે ૨૦૨૧ પર સંગ્રહિત. મેળવેલ ૩૧ મે ૨૦૨૧. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  2. અભિલાષ ઘોડા (સંશોધન-લેખન-સંકલન-નિર્માણ અને દિગ્દર્શન) (૨૬ ડિસેમ્બર ૨૦૧૬). Pranlal Vyas - Gujarati Lok Gayak Folk Singer - JUNAGADH. વિડિયો પરિચય. માહિતી કમિશ્નર, ગુજરાત રાજ્ય. મેળવેલ ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૮. {{cite AV media}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  3. ભગત ગોરા કુંભાર, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ૨૬ ડિસેમ્બર ૨૦૧૬. મેળવેલ ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૮. {{cite AV media}}: Check date values in: |access-date= and |date= (મદદ)