ભકિતફેરી

વિકિપીડિયામાંથી

ભકિતફેરી શબ્દ સ્વાધ્યાય પ્રવ્રુત્તિ ના પ્રણેતા પૂ. પાંડુરંગ શાસ્ત્રી આઠવલેએ આપેલ છે. ભકિતફેરીનો સામાન્ય અર્થ કરીએ તો, ભકિત+ફેરી (ફરવુ, ઘુમવું, અન્ય પાસે જવું), એટલે ભકિતના દ્રષ્ટિકોણથી અન્ય પાસે જવું. ભગવાન અને આપણી વચ્ચેનો સંબંધ સમજવા અને સમજાવવા જવું.


મનુષ્ય ગૌરવદિન ની ભકિતફેરી[ફેરફાર કરો]

મનુષ્ય ગૌરવદિન ની ભકિતફેરી એટલે તારીખ ૧૯ થી ૨૫ ઓક્ટોબર વચ્ચે ગોઠવવામાં આવતી ભકિતફેરી, જેમાં લાખોની સંખ્યામાં સ્વાધ્યાય પરીવારના અનુયાયિઓ દૈવિ સંબંધ બાંધવાં ભકિતફેરીમાં નિકળે છે. આ સહુ પોતાના ટિકીટ, ટિફીન અને ટાઇમ ખર્ચીને ભક્તિફેરીમાં જોડાય છે.