ભારતીય વિદ્યા ભવન

વિકિપીડિયામાંથી
ભારતીય વિદ્યા ભવન
રચના૭ નવેમ્બર ૧૯૩૮
પ્રકારશૈક્ષણિક ટ્રસ્ટ
સ્થાન
પુરસ્કારોગાંધી શાંતી પુરસ્કાર
વેબસાઇટwww.bhavans.info

ભારતીય વિદ્યા ભવન ભારતનું એક શૈક્ષણિક ટ્રસ્ટ છે. જેની સ્થાપના મહાત્મા ગાંધીજીના સહયોગથી ૯ નવેમ્બર ૧૯૩૮ના કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી.[૧] જે ભારતનું ઐતિહાસિક શૈક્ષણિક ટ્રસ્ટ છે. સરદાર વલ્લભભાઇ પટેલ તથા રાજગોપાલાચારીના સક્રિય યોગદાનથી વિદ્યા ભવન ગાંધીજીના આદર્શો પર ચાલીને આગળ વધ્યું. સંસ્થા દ્વારા ભારતીય સ્ંસ્કૃતિનો બહારના દેશોમાં પ્રસાર-પ્રચાર કરવા માટે પણ નોંધપાત્ર કાર્યો કરવામાં આવ્યા છે.

આ સંસ્થાના ભારતમાં ૧૧૯ કેન્દ્રો છે અને ૭ કેન્દ્રો વિદેશોમાં છે. તેના દ્વારા પેટા સંસ્થા તરીકે ૩૬૭ સંસ્થાઓનું સંચાલન કરવામાં આવે છે.[૨]

ભારત સરકાર દ્વારા સન ૨૦૦૦માં ભારતીય વિદ્યા ભવનને ગાંધી શાંતી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "President Abdul Kalam to confer Gandhi Peace Prize on Bharatiya Vidya Bhavan".
  2. "bhavans.info". www.bhavans.info.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]