ભ્રષ્ટાચાર

વિકિપીડિયામાંથી
ભ્રષ્ટાચારનું પ્રમાણ દર્શાવતો નકશો, ૨૦૧૭. ઓછાં આંકડા વધુ ભ્રષ્ટાચાર દર્શાવે છે.
ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર સંમેલન

કોઇ પણ સત્તાધીશ દ્વારા તેની સત્તાનો લાભ (પૈસા કે ભેટ) મેળવવા દુરુપયોગ કરવો તેને ભ્રષ્ટાચાર કહેવાય છે. સરકારી કાર્ય ખોટી રીતે કે યોગ્ય સમય કરતાં પહેલાં કે લાયકાત વગર કરી આપી, તેના બદલામાં મેળવેલ પૈસા કે ભેટને લાંચ કહેવાય છે. ભારતમાં ભ્રષ્ટાચારની શરૂઆત અંગ્રેજ સરકારના સમયગાળામાં થઇ હતી અને અંગ્રજોની કલકત્તાની કોઠીમાં તેના મૂળ નંખાયા તેવુ કહેવાય છે. ભ્રષ્ટાચારનાં અનેક કારણો પૈકીનું એક કારણ છે, શિક્ષણનો અને માહીતીનો અભાવ. શિક્ષણના અભાવને કારણે પ્રજા પોતાના હક્ક પ્રત્યે માહિતગાર હોતી નથી.

ક્રમાંક[ફેરફાર કરો]

ટ્રાન્સપરન્સી.ઓર્ગના ૨૦૧૭ના સર્વેક્ષણ મુજબ દુનિયાના બધા દેશોમાં સરકારી પારદર્શિકતામાં ભારતનો ક્રમાંક ૮૧મો આવે છે.[૧] ભારત જેવા જ બીજા ભ્રષ્ટ દેશોમાં રશિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને આફ્રિકાના દેશોનો સમાવેશ થાય છે.

વૈશ્વિક રેકિંગમાં સોમાલિયા સૌથી નીચલા ૧૮૦માં ક્રમ પર છે.

ભારતના પડોશી દેશોમાં ભૂતાન એકમાત્ર દેશ છે, જ્યાં ભ્રષ્ટાચાર ઓછો છે. તે ૬૮ મૂલ્યાંકન સાથે ૨૫માં ક્રમ પર છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Corruption Perception Index 2017". મૂળ માંથી ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૮ પર સંગ્રહિત. Unknown parameter |dead-url= ignored (|url-status= suggested) (મદદ)
  2. "ભ્રષ્ટાચાર હજુ પણ દેશની મોટી સમસ્યા, સમગ્ર વિશ્વમાં ભારત 80માં નંબરે". vyaapaarsamachar. મેળવેલ 2020-07-23.