માહિષ્મતિ

વિકિપીડિયામાંથી
નકશો
નકશામાં ઉજ્જયની અને પ્રતિષ્ઠાનને જોડતા માર્ગ પર બે સંભવિત (તારાંકિત) સ્થળોની રૂપરેખા આપવામાં આવી છે, જે પ્રાચીન માહિષ્મતી હોવાની સંભાવના દર્શાવે છે.

માહિષ્મતિ એ એક પ્રાચીન ભારતીય શહેર હતું. તે વર્તમાન મધ્ય પ્રદેશ રાજ્યમાં નર્મદા નદીના કિનારે સ્થિત હતું, જો કે તેના ચોક્કસ સ્થાન વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.[૧]

આ શહેરનો ઉલ્લેખ કેટલાક પ્રાચિન હિંદુ ગ્રંથોમાં જોવા મળે છે, 'શ્રી હરીવંશ પુરાણ' તેમાં મુખ્ય છે. આ ગ્રંથોમાં વર્ણવ્યા મુજબ, આ નગર પર હૈહય વંશના શક્તિશાળી રાજા કાર્તવીર્ય અર્જુનનું રાજ હતું. પરમાર વંશના લેખો મુજબ ૧૩મી શતાબ્દી સુધી માહિષ્મતિ નગર અસ્તિત્વ ધરાવતું હતું.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. James G. Lochtefeld (2002). The Illustrated Encyclopedia of Hinduism: A-M. The Rosen Publishing Group. પૃષ્ઠ 410. ISBN 978-0-8239-3179-8.