શીતળા માતા

વિકિપીડિયામાંથી
શીતળા માતા
શીતળા માતા
જોડાણોદેવી
આદિશક્તિ
શસ્ત્રઝાડુ, પંખો, કળશ
વાહનગદર્ભ

શીતળા માતા હિંદુ ધર્મના લોકોની દેવી તરીકે પૂજાય છે.[૧] શીતળા માતાનું પ્રાચીન કાળથી અધિક માહાત્મ્ય રહ્યું છે. સ્કંધપુરાણમાં શીતળા માતાના વાહન તરીકે ગદર્ભને દર્શાવવામાં આવેલ છે. માતાના હાથોમાં કળશ (લોટો), સૂપ (પંખો), માર્જન (ઝાડુ) અને લીમડાનાં પાંદડાં ધારણ કરેલી દર્શાવાવામાં આવેલ છે. માતાને શીતળા જેવા રક્તસંક્રમણના રોગોની દેવી તરીકે દર્શાવવામાં આવેલ છે. આનું પ્રતિકાત્મક મહત્વ છે, જેમ કે પંખા વડે હવા નાખી રોગીના શરીરની બળતરા શાંત કરવી, ઝાડુ વડે ફોડલા ફફોડી શકાય, કળશના ઠંડા જળથી શરીરને ઠંડુ કરી શકાય તેમ જ લીમડાના પર્ણો વડે ફોડલાને સડવાથી બચાવી શકાય. ગદર્ભની લાદના લેપનથી શીતળાના ડાઘ મટી શકે એવી પણ માન્યતા છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Folk Religion: Change and Continuity Author Harvinder Singh Bhatti Publisher Rawat Publications, 2000 Original from Indiana University Digitized 18 Jun 2009 ISBN 8170336082, 9788170336082