સભ્ય:Aniket/ભારતીય પંચાંગ/વિસ્તૃત

વિકિપીડિયામાંથી

ભારતીય પંચાંગ એ સુર્ય અને ચંદ્ર બન્નેની ગતિનો સંપૂર્ણ અને સચોટ અભ્યાસ કરીને બનાવવામાં આવેલું એવું એક વૈજ્ઞાનિક તારીખીયું છે કે જેની મદદથી આજે ક્યો મહીનો છે અને કઈ તિથી છે એ માહીતી આપણે ફક્ત આકાશદર્શનની મદદથી કોઈ પણ યંત્રોની સહારો લીધા વગર પણ જાણી શકીએ છીએ.
ગુજરાતી વિકિ પર એ તારીખીયાનો અમલ કરવા માટેની હિલચાલ ઘણા વખતથી શરૂ છે.

કોઈ પણ દિવસ ની તિથિ શોધવા માટેની પદ્ધતિ[ફેરફાર કરો]

  1. ) ઉજ્જૈનના મહાકાળ મંદિરના અક્ષાંશ અને રેખાંશ મેળવો.
  2. ) એ અક્ષાંશ અને રેખાંશ પર એ દિવસે સુર્યોદય ક્યારે થશે એ શોધો
  3. ) એ સુર્યોદય સમયે સુર્ય અને ચંદ્રની આર્ક ડીગ્રી, આર્ક મીનીટ અને આર્ક સેકન્ડમાં સ્થીતી મેળવો.
  4. ) ચંદ્રની સ્થીતીમાંથી સુર્યની સ્થીત બાદ કરો. જો જવાબ શુન્ય કરતા નાનો આવે તો એ જવાબમાં ૩૬૦ આર્ક ડીગ્રી ઉમેરો
  5. ) હવે જે જવાબ મળ્યો છે એ સુર્ય અને ચંદ્ર વચ્ચેનો ખૂણો દર્શાવે છે. હવે એ જવાબ ને ૩૦ વડે ભાગો અને અને એ ભાગફળમાંથી ફક્ત પુર્ણાક સંખ્યા લો.
  6. ) જવાબમાં જે પૂર્ણાંક સંખ્યા આવી છે એ જે તે દિવસની તિથી દર્શાવે છે.
  7. ) ઉ.દા. તરીકે શુન્ય હોય તો અમાસ, ૧ થી ૧૪ હોય તો શુક્લ પક્ષ ની એકમ થી માંડી ૧૪ સુધીની તિથી, ૧૫ હોય તો પૂનમ એ પ્રમાણે એથી મોટી સંખ્યા માટે કૃષ્ણપક્ષ લેવાનો.

અન્ય નિયમો

  1. ) તિથી આજના સુર્યોદયથી શરૂ કરી ને આજ પછીના દિવસના સુર્યોદય ની આગલી ઘટીકા સુધીની સળંગ એક જ ગણાય છે.
  2. ) એ સમય દરમ્યા સુર્ય ચંદ્ર વચ્ચેનો ખૂણો બદલાઈ જાય તો પણ તિથી એજ ગણવાની રહે છે.
  3. ) એવું શક્ય છે કે આજે સવારે એક તિથી હોય અને આવતી કાલે સવારે એ પછીની તિથી આવવાના બદલે એના પણ પછીની તિથી હોય. તો જે તિથી ન આવી એને ક્ષયતિથી કહેવાય. એ ક્ષય તિથીમાં કોઈ તહેવાર કે ઉજવણી નો પણ ક્ષય થતો હોય તો એ સંજોગોમાં આગળની તિથી ને ભાગીતીથી બનાવીને ઉજવણી કરવાની હોય.
  4. ) કોઈ વાર એવું પણ બને એકની એક તિથી બે સુર્યોદય સુધી હોય. એ સંજોગોમાં એ બે માંથી આગળની તિથીને વૃદ્ધી તિથી અને પાછળની તિથીને મુળતિથી કહેવામાં આવે છે.
  5. ) જે તિથી ક્ષય ન પામતી હોય એના તહેવારો ભાગીતીથી તરીકે ઉજવવાના રહેતા નથી.