લખાણ પર જાઓ

સભ્ય:Aniket/ભારતીય પંચાંગ/વિસ્તૃત

વિકિપીડિયામાંથી

ભારતીય પંચાંગ એ સુર્ય અને ચંદ્ર બન્નેની ગતિનો સંપૂર્ણ અને સચોટ અભ્યાસ કરીને બનાવવામાં આવેલું એવું એક વૈજ્ઞાનિક તારીખીયું છે કે જેની મદદથી આજે ક્યો મહીનો છે અને કઈ તિથી છે એ માહીતી આપણે ફક્ત આકાશદર્શનની મદદથી કોઈ પણ યંત્રોની સહારો લીધા વગર પણ જાણી શકીએ છીએ.
ગુજરાતી વિકિ પર એ તારીખીયાનો અમલ કરવા માટેની હિલચાલ ઘણા વખતથી શરૂ છે.

કોઈ પણ દિવસ ની તિથિ શોધવા માટેની પદ્ધતિ

[ફેરફાર કરો]
  1. ) ઉજ્જૈનના મહાકાળ મંદિરના અક્ષાંશ અને રેખાંશ મેળવો.
  2. ) એ અક્ષાંશ અને રેખાંશ પર એ દિવસે સુર્યોદય ક્યારે થશે એ શોધો
  3. ) એ સુર્યોદય સમયે સુર્ય અને ચંદ્રની આર્ક ડીગ્રી, આર્ક મીનીટ અને આર્ક સેકન્ડમાં સ્થીતી મેળવો.
  4. ) ચંદ્રની સ્થીતીમાંથી સુર્યની સ્થીત બાદ કરો. જો જવાબ શુન્ય કરતા નાનો આવે તો એ જવાબમાં ૩૬૦ આર્ક ડીગ્રી ઉમેરો
  5. ) હવે જે જવાબ મળ્યો છે એ સુર્ય અને ચંદ્ર વચ્ચેનો ખૂણો દર્શાવે છે. હવે નિચેના કોષ્ટકની મદદથી તિથિ જાણી શકાશે.
કોણ ઊપરથી તિથિ શોધવા માટેનું કોષ્ટક
શરુવાતનો કોણઅંતિમ કોણતિથિ
૦° ૦′ ૦.૦૦″૫° ૫૯′ ૫૯.૯૯″અમાસ
૬° ૦′ ૦.૦૦″૧૭° ૫૯′ ૫૯.૯૯″સુદ એકમ
૧૮° ૦′ ૦.૦૦″૨૯° ૫૯′ ૫૯.૯૯″સુદ બીજ
૩૦° ૦′ ૦.૦૦″૪૧° ૫૯′ ૫૯.૯૯″સુદ ત્રીજ
૪૨° ૦′ ૦.૦૦″૫૩° ૫૯′ ૫૯.૯૯″સુદ ચોથ
૫૪° ૦′ ૦.૦૦″૬૫° ૫૯′ ૫૯.૯૯″સુદ પાંચમ
૬૬° ૦′ ૦.૦૦″૭૭° ૫૯′ ૫૯.૯૯″સુદ છઠ્ઠ
૭૮° ૦′ ૦.૦૦″૮૯° ૫૯′ ૫૯.૯૯″સુદ સાતમ
૯૦° ૦′ ૦.૦૦″૧૦૧° ૫૯′ ૫૯.૯૯″સુદ આઠમ
૧૦૨° ૦′ ૦.૦૦″૧૧૩° ૫૯′ ૫૯.૯૯″સુદ નોમ
૧૧૪° ૦′ ૦.૦૦″૧૨૫° ૫૯′ ૫૯.૯૯″સુદ દસમ
૧૨૬° ૦′ ૦.૦૦″૧૩૭° ૫૯′ ૫૯.૯૯″સુદ અગીયારસ
૧૩૮° ૦′ ૦.૦૦″૧૪૯° ૫૯′ ૫૯.૯૯″સુદ બારસ
૧૫૦° ૦′ ૦.૦૦″૧૬૧° ૫૯′ ૫૯.૯૯″સુદ તેરસ
૧૬૨° ૦′ ૦.૦૦″૧૭૩° ૫૯′ ૫૯.૯૯″સુદ ચૌદસ
૧૭૪° ૦′ ૦.૦૦″૧૮૫° ૫૯′ ૫૯.૯૯″પુનમ
૧૮૬° ૦′ ૦.૦૦″૧૯૭° ૫૯′ ૫૯.૯૯″વદ એકમ
૧૯૮° ૦′ ૦.૦૦″૨૦૯° ૫૯′ ૫૯.૯૯″વદ બીજ
૨૧૦° ૦′ ૦.૦૦″૨૨૧° ૫૯′ ૫૯.૯૯″વદ ત્રીજ
૨૨૨° ૦′ ૦.૦૦″૨૩૩° ૫૯′ ૫૯.૯૯″વદ ચોથ
૨૩૪° ૦′ ૦.૦૦″૨૪૫° ૫૯′ ૫૯.૯૯″વદ પાંચમ
૨૪૬° ૦′ ૦.૦૦″૨૫૭° ૫૯′ ૫૯.૯૯″વદ છઠ્ઠ
૨૫૮° ૦′ ૦.૦૦″૨૬૯° ૫૯′ ૫૯.૯૯″વદ સાતમ
૨૭૦° ૦′ ૦.૦૦″૨૮૧° ૫૯′ ૫૯.૯૯″વદ આઠમ
૨૮૨° ૦′ ૦.૦૦″૨૯૩° ૫૯′ ૫૯.૯૯″વદ નોમ
૨૯૪° ૦′ ૦.૦૦″૩૦૫° ૫૯′ ૫૯.૯૯″વદ દસમ
૩૦૬° ૦′ ૦.૦૦″૩૧૭° ૫૯′ ૫૯.૯૯″વદ અગીયારસ
૩૧૮° ૦′ ૦.૦૦″૩૨૯° ૫૯′ ૫૯.૯૯″વદ બારસ
૩૩૦° ૦′ ૦.૦૦″૩૪૧° ૫૯′ ૫૯.૯૯″વદ તેરસ
૩૪૨° ૦′ ૦.૦૦″૩૫૫° ૫૯′ ૫૯.૯૯″વદ ચૌદસ
૩૫૬° ૦′ ૦.૦૦″૩૫૯° ૫૯′ ૫૯.૯૯″અમાસ

અન્ય નિયમો

  1. ) તિથી આજના સુર્યોદયથી શરૂ કરી ને આજ પછીના દિવસના સુર્યોદય ની આગલી ઘટીકા સુધીની સળંગ એક જ ગણાય છે.
  2. ) એ સમય દરમ્યા સુર્ય ચંદ્ર વચ્ચેનો ખૂણો બદલાઈ જાય તો પણ તિથી એજ ગણવાની રહે છે.
  3. ) એવું શક્ય છે કે આજે સવારે એક તિથી હોય અને આવતી કાલે સવારે એ પછીની તિથી આવવાના બદલે એના પણ પછીની તિથી હોય. તો જે તિથી ન આવી એને ક્ષયતિથી કહેવાય. એ ક્ષય તિથીમાં કોઈ તહેવાર કે ઉજવણી નો પણ ક્ષય થતો હોય તો એ સંજોગોમાં આગળની તિથી ને ભાગીતીથી બનાવીને ઉજવણી કરવાની હોય.
  4. ) કોઈ વાર એવું પણ બને એકની એક તિથી બે સુર્યોદય સુધી હોય. એ સંજોગોમાં એ બે માંથી આગળની તિથીને મુળ તિથિ અને પાછળની તિથિને વૃદ્ધિતિથી કહેવામાં આવે છે.
  5. ) જે તિથી ક્ષય ન પામતી હોય એના તહેવારો ભાગીતીથી તરીકે ઉજવવાના રહેતા નથી.