સ્નેહલતા નાથ

વિકિપીડિયામાંથી
સ્નેહલતા નાથ
જન્મની વિગત૨૭ ડિસેમ્બર ૧૯૬૫
રાષ્ટ્રીયતાભારત

સ્નેહલતા નાથ (જન્મ ૨૭ ડિસેમ્બર ૧૯૬૫) એક ભારતીય ચળવળ કાર્યકર છે જેઓ નિલગિરિ ક્ષેત્રમાં તેમના કામ માટે જાણીતી છે. તેમને જમનાલાલ બજાજ એવોર્ડ અને નારી શક્તિ પુરસ્કાર મળ્યો છે .

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૧૯૬૫ માં થયો હતો. [૧]

તેઓ કીસ્ટોન ફાઉન્ડેશનના સ્થાપક તેમજ નિર્દેશક હતા જેની સ્થાપના ૧૯૯૩માં થઈ હતી. [૧] ફાઉન્ડેશનો ઉદ્દેશ ગરીબી હટાવવાનો હતો અને નીલગિરિ ક્ષેત્રના લોકો લક્ષ્યમાં હતા. તેઓ આ સંસ્થાનું દિલ્હીથી સંચાલન કરવાનો પ્રયત્ન કરી શકતા હતા પરંતુ તેઓ જાણતા હતા કે તેમને કાર્ય ક્ષેત્રની નજીક રહેવાની જરૂર છે. [૨] ફાઉન્ડેશને કોટાગિરી ખાતે પોતાનું કાર્યાલય સ્થાપ્યું. [૩]

ફેયરવિલ્ડ ફાઉન્ડેશનની સ્થાપના ૨૦૦૮માં જંગલીમાંથી એકત્રિત કરવામાં આવતી વનસ્પતિ જન્ય પેદાશો માટે સાશ્વત અને વાજબી વેપાર વ્યવસ્થા બનાવવા માટે કરવામાં આવી હતી. તેઓ આ સંસ્થાની સલાહકાર પેનલ પર સેવા આપે છે. [૩]

૨૦૧૩ માં તેમને "ગ્રામીણ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગ સંબંધે ઉત્કૃષ્ટ યોગદાન" માટે જમનાલાલ બજાજ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તે પુરસ્કાર ભારતના રાષ્ટ્રપતિ - પ્રણવ મુખર્જીએ આપ્યો હતો. [૪]

૨૦૧૯ માં તેમને રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હીમાં ભારતની મહિલાઓ માટેનો સર્વોચ્ચ નાગરિક સન્માન, નારી શક્તિ પુરસ્કાર, ભારતના રાષ્ટ્રપતિ - રામનાથ કોવિંદના હસ્તે આપવામાં આવ્યો હતો. તેઓ ૨૬ વર્ષ સુધી નીલગિરિ બાયોસ્ફિયર રિઝર્વમાં પર્યાવરણીય વિકાસ અને તેના સાશ્વતપણા માટે કામ કરી રહ્યા હતા. [૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Snehlata Nath - Jamnalal Bajaj Award 2013 Recipient - Application of Science & Technology for Rural Development". Jamnalal Bajaj Foundation. મેળવેલ 2020-04-27.
  2. "For 26 Years, This Woman Has Been Helping Nilgiris Tribals Stand For Their Rights". The Better India (અંગ્રેજીમાં). 2019-01-15. મેળવેલ 2020-04-27.
  3. ૩.૦ ૩.૧ "FairWild advisory panel". FairWild Foundation (અંગ્રેજીમાં). મેળવેલ 2020-04-27.
  4. ૪.૦ ૪.૧ "Snehlata Nath conferred with the Prestigious Nari Shakthi Puraskar Award". Keystone Foundation (અંગ્રેજીમાં). 2019-03-12. મેળવેલ 2020-04-27.