સ્મારક સ્તંભ, સંજાણ

વિકિપીડિયામાંથી
સ્મારક પરની તકતી

સ્મારક સ્તંભ સંજાણ, ગુજરાત ખાતે આવેલ એક સ્મારક છે. આ સ્મારક પારસીઓ (ઝોરાષ્ટ્રીયન)ના છ સદીઓ પહેલાના આગમનની યાદ અપાવે છે. અહીં જાદી રાણા નામક હિંદુ રાજાના શાસન વેળા વહાણો ભરીને હિજરતીઓનું એક જૂથ - જે ફારસી સામ્રાજ્યના પતન પછી મુસ્લિમ દમનના કારણે આવ્યા હતા અને સંજાણના રાણાએ તેમનું સ્વાગત કર્યું હતું અને વસવાટ કરવાની મંજુરી આપી હતી.[૧][૨]

આ સ્મારક પરની તકતી પરથી માહિતી મળે છે કે આ આગમન ઇ.સ. ૯૩૬ના સમયમાં થયું હતું. આ સ્મારક ઝોરાષ્ટ્રીયનોના ભારતમાં આગમનની ઘટનાને શાશ્વત બનાવવાના હેતુથી ૧૯૨૦ના વર્ષમાં બાંધવામાં આવ્યું હતું, આ સ્મારક સંકુલમાં એક પારસી ધર્મશાળા છે. સંજાણના સ્થાનિક પારસીઓ આગમનની ઉજવણી સમુદાય દ્વારા ઉજવણી નવેમ્બર મહિનામાં "સંજાણ દિન" ઉજવે છે. આ સ્મારક વડોદરા ગ્રેનાઈટ વડે બાંધવામાં આવેલ છે. તેની ઊંચાઇ સળગતી જ્યોત સહિત ૫૦ ફુટ છે. આ સ્તંભ એક ચોરસ પ્લેટફોર્મ પર બનાવવામાં આવેલ છે. ત્યાં ૨૩ જેટલા કોતરણીવાળા પથ્થરો (rosettes) સુશોભન માટે મુકવામાં આવેલ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Dangarwala, Trisha (28 November 2019). "Parsi Darbar". The Hindu.
  2. Rawal, Gargi (16 November 2018). "Ahmedabad: City's Parsis to commemorate Sanjan Day today". DNA India.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

  • Uday Mahurkar; Farah Baria (ડિસેમ્બર ૪, ૨૦૦૦). "Rite of Passage". ઈન્ડિયા ટુડે. મૂળ માંથી 2015-09-24 પર સંગ્રહિત. મેળવેલ મે ૧૩, ૨૦૧૪.