સ્વાઝીલેન્ડ

વિકિપીડિયામાંથી
Kingdom of Swaziland

Umbuso weSwatini
Swazilandનો ધ્વજ
ધ્વજ
Swaziland નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: "Siyinqaba"  (SiSwati)
"We are a fortress"

"We are a mystery/riddle" "We hide ourselves away"
રાષ્ટ્રગીત: Nkulunkulu Mnikati wetibusiso temaSwati
Location of Swaziland
રાજધાનીLobamba (royal and legislative)
Mbabane (administrative; coordinates below)
સૌથી મોટું શહેરMbabane
અધિકૃત ભાષાઓEnglish, SiSwati
લોકોની ઓળખSwazi
સરકારAbsolute Monarchy
• King
Mswati III
Queen Ntombi
Barnabas Sibusiso Dlamini
Themba N. Masuku
Independence
• from the United Kingdom
6 September 1968
વિસ્તાર
• કુલ
17,364 km2 (6,704 sq mi) (157th)
• જળ (%)
0.9
વસ્તી
• 2009 અંદાજીત
1,185,000[૧] (154th)
• 2007 વસ્તી ગણતરી
1,018,449
• ગીચતા
68.2/km2 (176.6/sq mi) (135th)
GDP (PPP)2009 અંદાજીત
• કુલ
$5.858 billion[૨]
• Per capita
$5,708[૨]
GDP (nominal)2009 અંદાજીત
• કુલ
$2.983 billion[૨]
• Per capita
$2,907[૨]
જીની (1994)60.9
very high
માનવ વિકાસ દર (HDI) (2007)Increase 0.572
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · 142nd
ચલણLilangeni (SZL)
સમય વિસ્તારUTC+2
વાહન દિશાleft
ટેલિફોન કોડ268
ISO 3166 કોડSZ
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).sz
Estimates for this country explicitly take into account the effects of excess mortality due to AIDS; this can result in lower life expectancy, higher infant mortality and death rates, lower population and growth rates, and changes in the distribution of population by age and sex than would otherwise be expected.

સ્વાઝીલેન્ડ , અધિકૃત રીતે સ્વાઝીલેન્ડના રાજ્ય (ઉમ્બુસો વેસ્વાતીની ) અને કેટલીક વખત ન્ગ્વેને અથવા સ્વાતીની તરીકે પણ ઓળખાતો આ દેશ દક્ષિણી આફ્રિકામાં ચોતરફ ભૂમિ સરહદ ધરાવતો દેશ છે, તેની ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ સરહદે દક્ષિણ આફ્રિકા અને પૂર્વે મોઝામ્બિક છે. આ દેશ અને તેના લોકો 19મી સદીના રાજા મ્સ્વાતી II (બીજા)ના નામ પરથી ઓળખાય છે.

સ્વાઝીલેન્ડ એક નાનો દેશ છે, તેનો વિસ્તાર ઉત્તરથી દક્ષિણે 200 કિમી અને પૂર્વથી પશ્ચિમે 130 કિમીથી વધારે નથી. તેનો અડધો પશ્ચિમી છેડો પર્વતીય છે અને પૂર્વ તરફ છતા સપાટ ભૂમિ આવતી જાય છે. મોઝામ્બિક અને દક્ષિણ આફ્રિકા સાથેની પૂર્વ સરહદ લેબોમ્બો પર્વતમાળાથી છવાયેલી છે. પશ્ચિમમાં આબોહવા ગરમ છે પરંતુ નીચાણ વાળા પ્રદેશોમાં ઉનાળામાં 40 ડિગ્રી તાપમાન નોંધાય છે. મોટાભાગે ઉનાળામાં જ વરસાદ પડે છે અને પશ્ચિમમાં સંભવતઃ 2 એમ (m) સુધી પહોંચે છે.

સ્વાઝીલેન્ડ હાલમાં જે વિસ્તાર આવરે છે તે પ્રદેશ સતત પ્રાગૈતિહાસિક સમયથી વસેલો છે. આજે, અહીંની વસ્તીમાં મુખ્યત્વે સ્વાઝી લોકો છે જેમની ભાષા સીસ્વાતી છે, છતા અહીં અંગ્રેજી બીજા ક્રમે બોલાતી ભાષા છે. સ્વાઝી લોકો મૂળ દક્ષિણ બાંન્તુમાંથી આવેલા છે જેમણે 15મી અને 16મી સદીમાં મધ્ય આફ્રિકામાંથી હિજરત કરી હતી. એન્ગ્લો બોઅર (ડચ વંશના દક્ષિણ આફ્રિકન લોકો) યુદ્ધમાં જોવા મળ્યું હતું કે સ્વાઝીલેન્ડ યુનાઈટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન અને આયર્લેન્ડના સીધા અંકુશ હેઠળ રક્ષિત રાજ્ય હતું. સ્વાઝીલેન્ડને 1968માં સ્વતંત્રતા મળી હતી. સ્વાઝીલેન્ડ આફ્રિકન સંગઠન દક્ષિણ આફ્રિકન વિકાસ સમુદાયમાં સભ્ય છે, અને કોમનવેલ્થ રાષ્ટ્રોમાં પણ છે. આ રાજ્યના વડા રાજા છે, જે વડાપ્રધાનની નિમણૂંક કરે છે ને ચેમ્બર્સ તેમજ સંસદ માટે નાની સંખ્યામાં પ્રતિનિધિઓની પણ નિમણૂંક કરે છે. પ્રતિનિધિઓની બહુમતિ નક્કી કરવા માટે અહીં દર પાંચ વર્ષે ચૂંટણી યોજાય છે. નવું બંધારણ અહીં 2005માં અપનાવવામાં આવ્યું હતું.

સ્વાઝીલેન્ડનું અર્થતંત્ર સેવા ઉદ્યોગ, ઉત્પાદન અને કૃષિપ્રધાન છે. કુલ વસ્તીના લગભગ 75% લોકોની આજીવિકા ખેતી છે અને 60% લોકો રોજના US$1.25ની સમકક્ષ કરતા ઓછી રકમ કમાઈને ગુજરાન ચલાવે છે.[૩] સ્વાઝીલેન્ડનો મુખ્ય વ્યાપારિક ભાગીદાર દક્ષિણ આફ્રિકા છે, અને તેનું ચલણ દક્ષિણ આફ્રિકાના રેન્ડ પર નભેલું છે. સ્વાઝીલેન્ડમાં ખૂબ જ મોટાપાયે ફેલાયેલી એચઆઈવી (HIV) મહામારીના કારણે તેની આર્થિક વૃદ્ધિ અને સામાજિક એકીકરણ પર ખૂબ જ વધારે જોખમ છે, વધુમાં કહીએ તો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમે ટાંક્યું હતું કે જો આ સ્થિતિ અવિરતપણે ચાલુ જ રહેશે તો “લાંબા ગાળે સ્વાઝીલેન્ડ એક રાષ્ટ્ર તરીકે ગંભીરપણે જોખમમાં મુકાઈ જશે.”[૪] દેશમાં ચેપ ફેલાવાનો દર અભૂતપૂર્વ છે અને વિશ્વમાં પુખ્તવયનાઓમાં સૌથી વધારે 26.1%[૫] તેમજ તેમના પુખ્તવયનાઓમાં 20માં વર્ષે પહોંચે ત્યાં સુધીમાં 50%થી વધારે લોકોને ચેપ લાગે છે.[૪]

ઇતિહાસ[ફેરફાર કરો]

મ્લીલવેલ અભયારણ્યમાં હીપોપોટેમસ સાથેનું તળાવ, સ્વાઝીલેન્ડ, ઓગસ્ટ 2003

સ્વાઝીલેન્ડના રાજ્યમાં લગભગ 200,000 વર્ષ પૂર્વે પથ્થરયુગ વખતે માનવ ગતિવિધિઓ હોવાનું દર્શાવતી કલાકૃતિઓ મળી આવી છે. પથ્થરો પર દોરેલા પ્રાગૈતિહાસિક કલા ચિત્રોની આશરે 25000 બી.સી. (B.C.) પહેલા શરૂઆત થઈ હતી જે 19મી સદી સુધી ચાલુ રહ્યા હતા.

આ વિસ્તારમાં પ્રાચીનકાળમાં ખોશીઆન વસ્તી હતી જેઓ શિકારી સમૂહો હતા. બાન્તુ હિજરતો વખતે મોટાપાયે તેમના સ્થાને બાન્તુઓ આવી ગયા હતા જે મૂળ પૂર્વીય આફ્રિકાના ગ્રેટ લેક્સના પ્રદેશના હતા. અહીં 4થી સદીથી ખેતી થતી હોવાના તેમજ લોખંડનો ઉપયોગ થતો હોવાના પુરાવા મળ્યા છે અને લોકો હાલની સોથો અને ન્ગુની ભાષાની પૈતૃક ભાષા બોલતા હતા જે 11મી સદીથી મોડી અમલમાં નહોતી આવી. બાન્તુ લોકો સ્વાઝીઓ તરીકે ઓળખાય છે તેમણે 15મી સદીમાં લીમ્પોપો નદી પાર કર્યા બાદ અહીં લોહકામની સ્થાપના કરી હતી તેમજ કૃષિ વસાહતો બનાવી હતી. તેમને દક્ષિણના ન્ડવાન્ડે વંશીય લોકોના કારણે ખૂબ જ આર્થિક દબાણનો અનુભવ થયો હતો.[૬]

દેશે પોતાનું નામ રાજા મ્સ્વાતી (I) પહેલાના નામ પરથી અપનાવ્યું હતું. જોકે ન્ગ્વેને સ્વાઝીલેન્ડ માટે વૈકલ્પિક નામ છે અને દ્લામીની શાહી પરિવારની અટક છે, જ્યારે ન્કોસી નામનો અર્થ રાજા થાય છે.

સ્વાઝીલેન્ડ દેશની સ્વાયત્તતા દક્ષિણી આફ્રિકાના બ્રિટિશ કાયદા દ્વારા 19મી અને 20મી સદીમાં નક્કી કરવામાં આવી હતી. 1881માં બ્રિટિશ સરકારે સ્વાઝી સ્વતંત્રતાને સ્વીકૃતિ આપતી સર્વસંમતિ પર હસ્તાક્ષર કર્યા હતા. જોકે, વિવાદાસ્પદ જમીન અને ખાણોના હકોની છૂટછાટો 1890ના ફોરેન જ્યુરિડિક્શન એક્ટ (વિદેશ ન્યાયપાલિકા ધારો)ની સત્તા હેઠળ નક્કી કરવામાં આવ્યા હતા જેની શરતો અનુસાર સ્વાઝીલેન્ડનું વહીવટીતંત્ર પણ તત્કાલિન દક્ષિણ આફ્રિકન ગણરાજ્ય (ટ્રાન્સવાલ) હેઠળ મુકવામાં આવ્યું હતું.

બીજા બોઅર (ડચ વંશના દક્ષિણ આફ્રિકન લોકો) યુદ્ધ (1899-1902)માં સ્વાઝીલેન્ડ પરોક્ષ રીતે સંડોવાયેલું હતું. સંઘર્ષની શરૂઆતમાં જાણવા મળ્યું કે તેનો વહીવટ બ્રેમેર્સડોર્પ ખાતે ઉભા કરાયેલા વસાહતી મુખ્યાલયોની મદદથી દક્ષિણ આફ્રિકન ગણરાજ્ય દ્વારા કરાતો હતો. સપ્ટેમ્બર 1899માં, યુદ્ધના ભણકારા વચ્ચે, વસાહતોમાં રહેનારાઓએ આ વિસ્તાર ખાલી કરવાની શરૂઆત કરી દીધી હતી. સ્વાઝીલેન્ડના ન્ગ્વેને વી (ભુનુ)ને જાણ કરવામાં આવી કે શ્વેત લોકોની ગેરહાજરીમાં આ વિસ્તાર તેમની સંભાળ હેઠળ રહેશે. સ્વાઝીલેન્ડ પોલીસ સર્જીઅન્ટ (સૈન્યમાં એક હોદ્દો) ઓપ્પેરમેનના આદેશ હેઠળ અહીં બાકી રહેલા પરદેશીઓને રાઈફલ અને દારુગોળો આપી રહી હતી ત્યારે તેમણે યુદ્ધનો અભ્યાસ શરૂ કરી દીધો હતો. 4 ઓક્ટોબર 1899ના રોજ, વિશેષ કમિશનર (આયુક્ત) ક્રોઘે સક્રિય સેવાઓમાં લાયક હોય તેવા પરદેશીઓ સિવાય “તમામ શ્વેત વસાહતીઓ”ને વિસ્તાર ખાલી કરવા માટેનું અધિકૃત જાહેરનામું બહાર પાડ્યું હતું. મોટાભાગના બ્રિટિશ વિષયો મોઝામ્બિક સાથેની સરહદ તરફ વળતા હતા, મહિલાઓ અને અન્ય દક્ષિણ આફ્રિકન નાગરિકો વિવિધ મુકામો તરફ જવા લાગ્યા હતા. બેવડું નાગરિકત્વ ધરાવતા લોકો સામે હજુ પણ કાર્યવાહી શક્ય હતી, જોકે તેઓ પોતાના જ લોકો સામે લડવા માંગતા નહોતા. જોકે અચરજમાં મૂકી દે તે રીતે, તે પૈકીના કેટલાક મોઝામ્બિક તરફ અથવા નતલની વસાહતો તરફ નાસી છુટ્યા હતા.[૭]

સ્વાઝીલેન્ડના દળો ઓચિંતી અથડામણમાં સંડોવાયા તે પહેલા સુધી આમ નહોતું. 28 ઓક્ટોબર 1899ના રોજ, સ્વાઝીલેન્ડની નવનિયુક્ત સૈનિકોની ટુકડી (કમાન્ડો યુનિટ) ક્વાલિવેની ખાતે બ્રિટિશ પોલીસ વિરુદ્ધ ધસી ગઈ હતી. દક્ષિણ આફ્રિકન ટુકડીમાં અંદાજે 200 પરદેશીઓ હતા, જ્યારે બહારની છાવણીમાં માત્ર 20 માણસો હતા. ભુનુ તેમની સામે આવી રહેલા આક્રમણની પોલીસ છાવણીને ચેતવણી આપી શક્યા હતા. પોલીસ મેજિસ્ટ્રેટ (મુલકના વડા)ના સ્થાન ઈંગ્વાવુમા તરફ ધસી ગઈ હતી. સૈનિકોએ આ જમીન પર ત્યજી દેવાયેલી છાવણીને અને દુકાનને સળગાવી દીધી હતી. ત્યારબાદ જોઆચીમ ફેર્રેરા તેને ઈંગ્વાવુમા તરફ લઈ ગયા હતા. આ ગામને વધુ સુરક્ષા નહોતી અને બાદમાં તેને પણ ખાલી થવું પડ્યું હતું. સ્વાઝીલેન્ડ સૈનિકોએ તેને સળગાવીને જમીન સુધી સંપૂર્ણ ભષ્મીભૂત કરી દીધું હતું, જ્યારે મેજિસ્ટ્રેટ (મુલકના વડા) અને તેમના લોકો નોંગોમા નાસી છુટ્યા હતા.[૭]

દરમિયાન, પીએટ જોઉબેર્ટે સ્વાઝી લોકોને શાંત રહેવા માટે અને તેમને સંઘર્ષમાં ન સંડોવવા માટે ચેતવણી આપી હતી. તેના બદલે ભુનુને પોતે વસાહતીઓના સત્તાઅધિકારીઓથી અપ્રતિબંધિત હોવાનું પ્રથમ વખત લાગ્યું હતું. ટૂંક સમયમાં પોતે રાજકીય દુશ્મનો સાથે જૂના સંબંધો સ્થાપવા મુક્ત હોવાનું તેને લાગવા માંડ્યું હતું. રાજદ્વારી મ્નકોનકોની કુનેને અને કેટલાક અન્ય લોકોના હિંસક મૃત્યુના સમાચારથી બોઅર (ડચ વંશના દક્ષિણ આફ્રિકન લોકો) દળો લેડીસ્મિથની ઘેરાબંધીમાં સંડોવાયા હતા. મૃતકો પૈકી કેટલાક વસાહતી સત્તાધિકારીઓ સાથે નિકટતાથી જોડાયેલા હતા. જોઉબેર્ટે ચિંતાતુર સૈનિકોને ખાતરી આપવાની હતી કે સ્વાઝીલેન્ડ તેમની વિરુદ્ધ નથી જઈ રહ્યું. ખરેખર, ગુપ્તચરોએ અહેવાલ આપ્યા કે ભુનુને ડર હતો કે તેના પર જાદુઈ વિદ્યાનો ઉપયોગ કરાયો હતો. આ કામ કર્યું હોવાની કોઈપણ વ્યક્તિ પર શંકા જાય તેના ઉપર તે હુમલો કરતો હતો. 10 ડિસેમ્બર 1899ના રોજ, ગંભીર બીમારીના કારણે ભુનુનું મૃત્યુ થયું હતું. સમકાલીન પત્રો તેનું મૃત્યુ દારુના કારણે થયુ હોવાની આશંકા વ્યક્ત કરતા હોવા છતા, તેની મૃત્યુ માટે જાદુટોણાંને જવાબદાર ગણાવ્યા હતા.     ત્યારબાદ તેની માતા લાબોત્સીબેની મ્દલુલી કારભારી બની ગઈ હતી. તેણે ભુનુના બચી ગયેલા પ્રિય લોકો અને સલાહકારોને લગભગ કાઢી મુકવાનો તખતો ઘડ્યો હતો.[૭]

આંતરિક વિવાદો દરમિયાન સ્વાઝી લશ્કરી ટુકડીઓ દેશમાં ફરતી હતી. દક્ષિણ આફ્રિકન સત્તાધીશોને ચિંતા હતી કે હિંસા સ્વાઝીલેન્ડની દક્ષિણ-પશ્ચિમ સરહદ સુધી પ્રસરી શકે છે, જ્યાં બોઅર (ડચ વંશના દક્ષિણ આફ્રિકન લોકો)ના ખેતરોમાં મહિલાઓ અને બાળકો આશ્રય લઈ રહ્યા હતા. તેમણે ખેતરો ખાલી કરાવ્યા હતા અને વસ્તીને પીએટ રેટીફ સ્થળાંતરિત કરવામાં આવી હતી. પીએટ રેટીફ, વેક્કેરસ્ટ્રૂમ અને તેમના આસપાસના પ્રદેશના ખેડૂતોએ તેમના બળદગાડાઓને શિયાળામાં ઘાસચારા માટે સ્વાઝીલેન્ડ તરફ લઈ જવાનું શરૂ કર્યું હતું. જાન્યુઆરી 1900માં, દક્ષિણ આફ્રિકન ગણરાજ્યના રાજ્ય સચિવ ફ્રાન્સિસ વિલિયમ રેઈટ્ઝે, ઘેંટાપાલકો સ્વાઝીલેન્ડમાં પ્રવેશતા ખચકાય તેવા આદેશો જારી કરવાનું શરૂ કર્યું હતું. 18 એપ્રિલ 1900ના રોજ આવા પ્રવેશને બંધ કરાયો હતો. સ્વાઝીલેન્ડ સૈનિકો તે તબક્કે તેમના મૂળ ગૃહપાયાથી દૂર હતા અને તુગેલા નદીના કાંઠે લડી રહ્યા હતા.[૭]

બ્રિટનને સ્વાઝીલેન્ડ અંગે પોતાની અલગ ચિંતા હતી. તેમને આશંકા હતી કે મોઝામ્બિકથી થતા પુરવઠાની સ્વાઝીલેન્ડ થઈને બોઅર્સ (ડચ વંશના દક્ષિણ આફ્રિકન લોકો) સુધી દાણચોરી થઈ શકે છે. કારભારી રાણી લાબોસ્તીબેની જોકે વ્યાપક વિવાદમાં નિષ્પક્ષતા જાળવી રાખવાના પ્રયાસો કરી રહ્યા હતા, અને પોતાના સિંહાસનની સુરક્ષામાં પહેલાથી જ વ્યસ્ત હતા. તેમના પૌત્ર સ્વાઝીલેન્ડના સોબુઝા (II) બીજાની ઉમર ઓછી હતી અને દ્લામીની નિવાસમાં સિંહાસન માટે અન્ય યોગ્ય ઉમેદવાર હતા. ખાસ કરીને પ્રિન્સ માસુમ્ફે. માસુમ્ફે ભુનુના પિતરાઈ હતા અને સિંહાસન માટે 1889થી હરીફ ઉમેદવાર હતા. તેમનો પરિવાર બોઅર્સ (ડચ વંશના દક્ષિણ આફ્રિકન લોકો) સાથે ખૂબ જ નજીકના સંબંધો ધરાવતો હતો, તેમજ પ્રિન્સે પોતે પ્રેટોરિયામાં શિક્ષણ મેળવ્યું હતું. મે 1900 સુધી, રાણીને ચિંતા હતી કે અનુગામીના વિવાદમાં બોઅર્સ તેની સામે બળવો કરી શકે છે. તેણીએ પુનઃનિયુક્ત કરાયેલા ઈંગ્વાવુમાના મેજિસ્ટ્રેટ સાથે મુક્ત સંદેશાવ્યવહાર શરૂ કર્યો હતો, અને જરૂર હોય ત્યારે તેમના વિસ્તારમાં જતા રહેવાની વ્યવસ્થા પણ કરી હતી.[૭]

તેમનો સંદેશો નતલની સરકારને મોકલવામાં આવ્યો હતો અને ત્યાંથી કેપ ટાઉન રાજધાની કેપ ટાઉનમાં મોકલાયો હતો. તેના જવાબમાં જોહાન્નીસ સ્મટ્સ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે બ્રિટિશ સ્વાઝી અંગે ભુલ્યુ નથી અને બ્રિટિશ પ્રતિનિધિઓ વિશ્વાસપાત્ર રીતે નજીકના દિવસોમાં જ સ્વાઝીલેન્ડ પરત ફરશે. આ સંદેશામાં સંભવતઃ સ્મટ્સની પોતાની મહત્વાકાંક્ષા પ્રતિબિંબિત થતી હતી પરંતુ આવા મુદ્દે તેમની અધિકૃતતા શંકા ઉપજાવનારી હતી. પરંતુ ઉચ્ચ કક્ષાના સૈન્ય અધિકારી ફ્રેડ્રીક રોબર્ટ્સ, બેરોન રોબર્ટ્સ પણ રાણી સાથે રાજદ્વારી સંપર્કો માટે તૈયાર થયા હતા. તેમના પ્રતિનિધિઓ કારભારી રાણીને ત્રણ બાબતો સમજાવવા માટે પહોંચ્યા હતા. પ્રથમ તો એ કે, બોઅર્સને પર્વતીય વિસ્તારો પર કબજો જમાવતા રોકવા. બીજુ કે બ્રિટિશ સુરક્ષા માટે ઔપચારિક વિનંતીની જરૂર. ત્રીજી વાત, સ્વાઝીલેન્ડમાં થઈ રહેલા અયોગ્ય નરસંહારનો અંત આણવો.[૭]

સ્વાઝી સાથેના બ્રિટિશ સંપર્કોએ નજીકમાં જ દક્ષિણ આફ્રિકાના પ્રબળ તાબા હેઠળના કોમાતીપૂર્ત પર તેમના કબજામાં પૂર્વભુમિકા ભજવી હતી. સપ્ટેમ્બર 1900માં, એક તબક્કે સમગ્ર શહેર ધરાશાયી થતા, બ્રિટિશ લોકો બાર્બેર્ટોન અને તેના વિસ્તારો પર કબજો જમાવી શક્યા હતા. સંખ્યાબંધ બોઅર્સ સ્વાઝીલેન્ડ નાસી છુટ્યા હતા. માત્ર સ્વાઝી માટે તેમને નિઃશસ્ત્ર કરવા અને તેમના પુશધનને લઈ લેવા માટે. આ વિસ્તારમાં દક્ષિણ આફ્રિકનોની હાજરીના અંતથી સ્વાઝીલેન્ડનું શું કરવું તે પ્રશ્ન ઉભો થયો હતો. સ્મટ્સ સ્વાઝીલેન્ડને તેમના વહીવટ હેઠળ લેવા માટે મે મહિનાથી બ્રિટિશ સત્તાધિકારીઓને મનાવવા માટે અભિયાન ચલાવી રહ્યા હતા. સપ્ટેમ્બર સુધીમાં, સ્મટ્સે નાગરિક સત્તાધિકારીઓ પાસેથી વધુ સમર્થન મેળવું લીધું હતું. પરંતુ રોબર્ટ્સ આ વિસ્તાર પર ઘુસણખોરી કે હસ્તાંતરણ માટે તેના કોઈપણ દળને સમર્પિત કરવા નહોતા માંગતા માટે સૈન્યનું સમર્થન નહોતું મળ્યું. તેમ છતા પણ, સ્મટ્સે સ્વાઝી સાથે કેટલાક રાજદ્વારી સંપર્કોનો પ્રયત્ન કર્યો હતો. જોકે ખાસ કોઈ ચોક્કસ બાબતે સફળતા મળી નહોતી. ઈન્ડવુના સ્મટ્સ ચર્ચા માટે મળ્યા હતા અને સ્વાઝીલેન્ડની આંતરિક બાબતો કે બોઅર પ્રવૃત્તિઓ અંગે કોઈપણ માહિતી આપવાની ના પાડી દીધી હતી.[૭]

કોમાતીપૂર્ત પડી ભાંગતા બોઅર્સ માટે સ્વાઝીલેન્ડનું મહત્વ વધી ગયું હતું. મોઝામ્બિકના લૌરેન્કો મર્કિઝમાં રાજદ્વારીઓ સાથે સંદેશાવ્યવહાર અને વ્યાપારિક સંપર્કો જાળવી રાખવા માટે, બોઅર્સે સમગ્ર સ્વાઝીલેન્ડમાં આ સંદેશ મોકલવાનો હતો. બ્રિટિશ દળોને સ્વાઝી વિસ્તારના ચોક્કસ ભાગોમાં જ પસાર થવાની મંજૂરી હોવાથી આ વાત ઘણી અઘરી હતી. નવેમ્બર 1900 સુધીમાં, રાણી રોબર્ટ્સ અને સ્મટ્સ બંનેને એવી ખાતરી અપાવી શક્યા હતા કે તેઓ “તેણીના દેશમાંથી બોઅર્સને બહાર ધકેલવા માટે પોતાના તરફથી શ્રેષ્ઠ પ્રયત્નો કરી રહ્યા છે”. કેટલાક સશસ્ત્ર પરદેશીઓ અને તેમના આફ્રિકન સાથીઓ, તેની સરકારના દુશ્મનો હતા, અને તેઓ હજુ પણ સક્રિય હતા.[૭]

29 નવેમ્બર 1900ના રોજ, રોબર્ટ્સે  તેનો અંકુશ મુક્ત કર્યો હતો. તેના સ્થાને ખાર્તૌમના દિગ્ગજ કિચનર, હેર્બર્ટ કિચનર આવ્યા હતા. ડિસેમ્બરના અંત સુધીમાં, સ્મટ્સે સ્વાઝીલેન્ડની ચિંતા સાથે કિચનરના સૈન્ય સચિવની કચેરીનો સંપર્ક કર્યો હતો. બ્રિટિશ પાસે સમગ્ર વિસ્તાર પર વાસ્તવિક સત્તા ન હોવા છતા સ્મટ્સે સ્વાઝીલેન્ડના નિવાસી આયુક્તનો હોદ્દો સુરક્ષિત કરી લીધો હતો. સ્વાઝીલેન્ડમાં કાયમી સૈન્યની હાજરી સ્થાપવા માટે તે યોગ્ય સમય હોવાની કિચનરને ખાતરી કરાવવા માટે તેમણે પ્રયત્નો કર્યા હતા. તેમજ પોતે સમગ્ર વિસ્તારનો કાર્યભાર સંભાળવાની વાત કરી હતી. કિચનર અલગ દ્રષ્ટિકોણ ધરાવતા હતા. લાબોત્સીબેની સાથે પોતાનો અલગ પત્રવ્યવહાર સાધી કિચનરે ત્રણ મુદ્દાઓ રજૂ કર્યા હતા. પ્રથમ, સ્વાઝીઓ હજુ પણ યુદ્ધમાં ભાગ ન લે તે જરૂરી છે. બીજુ કે, જ્યાં સુધી સ્વાઝીલેન્ડમાં એક પણ બોઅરની ઘુસણઘોરી ન થાય ત્યાં સુધી આ વિસ્તારમાં કોઈ બ્રિટિશ દળોને ન મોકલવામાં આવે. ત્રીજી વાત, સ્વાઝીઓ યુનાઈટેડ કિંગડમના વિક્ટોરિયાને તેમની વફાદારીના કારણે હવે સીધા જ બ્રિટિશ રાજસત્તા હેઠળ આવી ગયા છે.[૭]

ડિસેમ્બર 1900- જાન્યુઆરી 1901માં, એવી માહિતી આવી હતી કે પીછેહઠ કરી રહેલા બોઅર્સ સ્વાઝીલેન્ડમાંથી ભાગવાના પ્રયત્નો કરી રહ્યા હતા. બોઅર્સ સૈનિકોને શરણે થવાનું દબાણ કરવા અથવા સ્વાઝીલેન્ડમાંથી જતા રહેવા માટે આઠ બ્રિટિશ ટુકડીઓ મોકલવામાં આવી હતી. હોરેસ સ્મિથ-ડોર્રિએનના અંકુશ હેઠળની એક ચોક્કસ ટુકડીએ સ્વાઝીલેન્ડ સરહદે તમામ માર્ગે કાર્યવાહી કરી હતી, અને 9 ફેબ્રુઆરી 1901ના રોજ કેટલાક બોઅર વેગનો (માલની હેરફેરના વાગન)ને તેમજ તેમના પશુધન અને ઘેંટાઓને જપ્ત કરવામાં સફળ રહ્યા હતા. જપ્ત કરાયેલા મોટાભાગના બોઅર્સને વોલ્ક્સ્રસ્ટના ધ્યાન છાવણીમાં મોકલાયા હતા. 11 ફેબ્રુઆરીના રોજ, એડમન્ડના એલેન્બે હેઠળની અન્ય ટુકડી સ્વાઝીલેન્ડની દક્ષિણ સરહદે તૈનાત કરવામાં આવી હતી. 14 ફેબ્રુઆરીના રોજ, સ્મિથ-ડોર્રિએનના દળો એમ્સ્ટર્ડમ પહોંચ્યા હતા. ત્યાં કારભારી-રાણીના દૂતોએ તેનો સંપર્ક કર્યો હતો, તેમજ બોઅર્સને તેમની ભૂમિ પર મોકલવા માટે વિનંતી કરી હતી. તેના જવાબમાં, ઈમ્પિરિઅલ લાઈટ હોર્સ અને સફ્ફોક રેજિમેન્ટને સ્વાઝીલેન્ડમાં મોકલવામાં આવ્યા હતા.[૭]

સશસ્ત્ર સ્વાઝીઓ સાથે મળીને, બે રેજિમેન્ટ પ્રારંભિક અથડામણોમાં 30 બોઅર્સને ઝડપી લેવામાં સફળ રહી હતી. જોકે, ભારે વરસાદના કારણે દેશમાં આગળ વધવાની તેમની ગતિ ધીમી પડી ગઈ હતી. 28 ફેબ્રુઆરી 1901ના રોજ, બ્રિટિશ દ્વારા નિયુક્ત પાયદળના 200 માણસો સ્વાઝીલેન્ડમાં પ્રવેશ્યા હતા. લેફ્ટેનન્ટ કર્નલ હેન્રીના વડપણ હેઠળ, આ દળ પીએટ રેટીફ સૈનિકોના પરિવહન કાફલાને શોધવામાં અને જપ્ત કરવામાં સફળ રહ્યા હતા. આ કાર્યવાહીમાં અંદાજે 65 બોઅર્સ ઝડપાઈ ગયા હતા. બાકી રહેલી સૈનિકોની ટુકડીએ સ્વાઝીલેન્ડની દક્ષિણ સરહદે રહેલા બ્રિટિશ દળો દ્વારા બંધક થવા માટે તે તરફ પીછેહઠ કરી હતી. માર્ચની શરૂઆત સુધીમાં, સ્મિથ-ડોર્રિએને નોંધ્યું હતું કે સ્વાઝીઓ બોઅર લોકોને લૂંટી રહ્યા હતા. તે સમય સુધીમાં, એલેન્બે મહામ્બા પહોંચ્યો હતો અને ત્યાં એક છાવણી ઉભી કરી હતી, હેન્રી અન્ય બોઅર વેગન (માલની હેરફેરના વાહન) કાફલાઓ પર હુમલા કરી રહ્યો હતો અને કારભારી-રાણી લાબોત્સીબેની તેણીના ક્રૂર માણસોને તેમની ભૂમિ પરથી બોઅરનો સફાયો કરવાનો આદેશ આપતા રહ્યા હતા. હેન્દ્રી અનેક વખત કેટલાક કેદીઓ સાથે ડર્બી પહોંચવામાં સફળ રહ્યો હતો, જ્યારે એલેન્બે અને તેના દળો હેલ્તીકુલુની આસપાસના પ્રદેશો સુધી પહોંચી શક્યા હતા. “દક્ષિણપશ્ચિમી સ્વાઝીલેન્ડની ટેકરીઓ” પર આ બંને ભાઈઓની મર્યાદા આવી જતી હતી.[૭]

ડેવોનશાયર ટુકડીથી બચી ગયેલાઓ સુચિત કરતા હતા કે સ્વાઝીઓ “સ્વાઝીઓના રાણી દ્વારા અંકુશિત નવમી ટુકડી” તરીકે કામ કરી રહ્યા હતા. 8 માર્ચ 1901ના રોજ પીએટ રેટીફના બાકી રહેલા સૈનિકો તેમજ મહિલાઓ અને બાળકો પર હુમલો કરાયો હતો જે દળો વડા ન્ત્શીનગીલા સીમેલાનોના નેતૃત્વ હેઠળના હોવાનું માનવામાં આવે છે. તેમાં બે રાઈફલધારીઓ સહિત અંદાજે 40 માણસો શામેલ હતા. 13 પરદેશીઓ અને એક આફ્રિકન ગાઈડની હત્યા થઈ હતી, કેટલાકને ઈજા પહોંચી હતી અને અન્ય આમતેમ નાસી છુટ્યા હતા. બચી ગયેલા પૈકી કેટલાકે બાદમાં 18મા હુસાર્સ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ન્ત્શીનગીલાએ બાદમાં આ નરસંહારમાં કોઈપણ પ્રકારે સંડોવણી હોવાનું નકારી કાઢ્યું હતું. કોઈપણ કિસ્સામાં, આ ઘટનાએ અન્ય કેટલાક બોઅર્સમાં ડર ફેલાવી દીધો હતો. 8 અને 11 માર્ચ દરમિયાન, અંદાજે 70 પરદેશીઓ અને વિવિધ મહિલાઓ તેમજ બાળકોને સ્વાઝીઓનો સામનો કરવાના બદલે એલેન્બે સમક્ષ આત્મસમર્પણ માટે પસંદ કરાયા હતા. બ્રિટિશે તેમ છતા પણ વધુ નરસંહાર રોકવા માટે લાબોત્સીબેનીને ચેતવણી આપી હતી.[૭]

11 એપ્રિલ 1901ના રોજ, લુઈસ બોથાએ કિચનર સાથે પત્રવ્યવહાર દ્વારા ફરિયાદ કરી હતી કે બ્રિટિશ અધિકારીઓ સ્વાઝીઓને બોઅર્સ સામે લડવા માટે પ્રેરિત કરી રહ્યા હતા. પરદેશીઓ, મહિલાઓ અને બાળકોની સ્વાઝી સૈનિકો દ્વારા કરપીણ હત્યા કરાઈ હોવાનો દાવો પણ કર્યો હતો. એલેન્બેએ તેમની હદમાં બોઅર હુમલાઓના વળતા જવાબ માટે અમુક અંશે આ હત્યાઓ માટે સ્વાઝી ચિંતાને જવાબદાર ઠેરવી હતી અને અમુક અંશે બોઅર પ્રતિહિંસાને જવાબદાર ઠેરવી હતી. આ એ જ હતું જે અંતે બ્રિટિશે છોડ્યા બાદ બોઅર્સે કરવાનું હતું. એલેન્બેએ પોતે મોટી સંખ્યામાં સશસ્ત્ર સ્વાઝીઓ પૈકી કેટલાકનો ગાઈડ તરીકે ઉપયોગ કરતો હોવા છતા તેમને પોતાની ટુકડીમાં જોડાવાની મંજૂરી આપવાની ના પાડી દીધી હતી, સ્મટ્સ બ્રિટિશ દળો પર તેમની સત્તા જમાવવા માટે અસમર્થ હોવા છતા અંતે એ મહિનામાં સ્વાઝીલેન્ડમાં પ્રવેશ્યા હતા.[૭]

નિયમિત બ્રિટિશ સૈનિકોની હાજરીથી કારભારી રાણીને તેમની સમક્ષ અનિયમિત સમુદાય “સ્ટેઈનેક્ટરના અશ્વ” અંગેની ચિંતા વ્યક્ત કરવાની મંજૂરી મળી શકી હતી. યુદ્ધની શરૂઆતમાં રચાયેલ આ સમુદાય બ્રિટિશ અંકુશ હેઠળના સાહસો અને ભાડાના સૈનિકોનો હતો, જેઓ બોઅરની સંપત્તિ લૂંટવા બદલ વિશેષ ઓળખાતા હતા. પરંતુ બોઅર વધુ ગરીબ બનતા ગયા, તેથી તેમણે પોતાનું ધ્યાન સ્વાઝી પશુધન તરફ વાળ્યું હતું. લાબોત્સીબેનીએ બંને પક્ષે ફરિયાદ કરી હતી કે આ સમુદાયમાં સામાન્ય લૂંટારા પણ હતા જે બ્રેમેર્સડ્રોપ પર કબજો જમાવતા હતા. બોથાને અશ્વ વિરુદ્ધ સૈનિકોની ટુકડી મોકલીને પ્રતિક્રિયા અપાઈ હતી. તેમણે કોઈપણ પ્રકારે સ્વાઝીનો વિરોધ કરવાનું ટાળ્યું હતું. સ્વાઝી રાષ્ટ્રીય પરિષદ તેમને નીકળવા દેવા માટે સહમત થઈ હતી. 21 અને 23 જુલાઈ 1901 દરમિયાન, અર્મેલો સૈનિકોને 35 માણસોને ઝડપી લઈને, કેટલાકની હત્યા કરીને કે તેમને ઈજા પહોંચાડીને, અને બ્રેમેર્સડ્રોપને સંપૂર્ણ ભષ્મીભૂત કર્યા બાદ મોટાભાગના “સ્ટેઈનેક્ટરના અશ્વ” દળોને પીછેહઠ કરાવવા માટે મજબૂર કરવામાં સફળતા મળી હતી,[૭]

બ્રિટિશ અને બોઅર્સ બંનેએ પ્રાસંગિક અથડામણો દ્વારા સ્વાઝીલેન્ડમાં પ્રવેશ માટે પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. 8 નવેમ્બર 1901ના રોજ, ઉદાહરણ તરીકે જોઈએ તો, મહામ્બા નજીક 13મા હુસાર્સે 14 પરદેશીઓને પકડી લીધા હતા. સ્વાઝીલેન્ડમાં આ અથડામણોનો ફેબ્રુઆરી 1902માં છેલ્લા બોઅર સમુદાયની હાર સાથે અંત આવ્યો હતો.[૭]

તેમ છતા પણ, સ્વાઝીલેન્ડ સ્વતંત્ર બંધારણની જાહેરાત બ્રિટન દ્વારા નવેમ્બર 1963માં કરવામાં આવી હતી અને એક બંધારણીય પરિષદ તેમજ એક કાર્યકારી પરિષદની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રગતિનો સ્વાઝી રાષ્ટ્રીય પરિષદ (લીકોકો) દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

અમુક વિરોધો છતા, ચૂંટણીઓ યોજાઈ અને 9 સપ્ટેમ્બર 1964ના રોજ સ્વાઝીલેન્ડની પ્રથમ બંધારણીય પરિષદની રચના થઈ હતી. બંધારણીય પરિષદ દ્વારા મૂળ બંધારણમાં ફેરફારો અંગે કરાયેલા પ્રસ્તાવને બ્રિટને સ્વીકાર્યો હતો અને હાઉસ ઓફ એસેમ્બલી (ધારાસભા ગૃહ) તેમજ સેનેટની જોગવાઈ ધરાવતું નવું બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું. આ બંધારણ હેઠળ 1967માં ચૂંટણીઓ યોજવામાં આવી હતી. 1973થી, સ્વાઝીલેન્ડે બહુપક્ષીય પ્રવૃત્તિઓના સમર્થકો અને હાલની વહીવટી વ્યવસ્થાની તિંખુન્દલા (મતક્ષેત્રો) પ્રણાલી અથવા તો મૂળ લોકશાહી પ્રણાલી વચ્ચે સંઘર્ષો જોયા છે.

સરકાર[ફેરફાર કરો]

વોશિંગ્ટન, ડી.સી.(D.C.) યુએસએ (USA) સ્વાઝીલેન્ડનું દૂતાવાસ

આ રાજ્યનો વડો રાજા અથવા ન્ગ્વેન્યામા (ખરેખર સિંહ ), હાલમાં રાજા મ્સવાતી (III) ત્રીજો, કે જેમણે તેમના પિતા રાજા સોભુઝા (II) બીજાનું 1982માં અવસાન થયા બાદ અને એક સમયગાળા સુધી રાજ્યકારભારી તરીકે બીજાએ હોદ્દો સંભાળ્યા બાદ 1986માં સિંહાસન સંભાળ્યું છે. પરંપરા પ્રમાણે, રાજા તેમની માતા અથવા ધાર્મિક સહભાગી, ન્દ્લોવુકાતી (ખરેખર માદા હાથી ) સાથે રાજ કરવાનું હોય છે. અહીં પહેલાનું પાત્ર એટલે માતાને રાજાને સંતુલિત રાખતા અસલ જવાબદાર સત્તા સાથેના, રાજ્યના વહીવટી વડા તરીકે જોવામાં આવતા હતા અને બાદમાં રાજ્યના આધ્યાત્મિક તેમજ રાષ્ટ્રીય વડા તરીકે જોવાતા હતા, પરંતુ સોભુઝા (II) બીજાના લાંબા શાસનકાળ દરમિયાન ન્દ્લોવુકાતી ની ભૂમિકા માત્ર સાંકેતિક એટલે કે કહેવા પૂરતી જ રહી ગઈ હતી. સર્વસત્તાધીશ તરીકે, રાજા સલાહાકાર સમિતિની સલાહને ધ્યાનમાં રાખી સરકારની ધારાસભામાંથી સરકારના વડા એટલે કે માત્ર વડાપ્રધાનની જ નિમણૂંક નથી કરતા પરંતુ લિબાંદલા (સંસદ)માં બંને ચેમ્બર માટે પણ નાની સંખ્યામાં ધારાસભ્યોની નિમણૂંક કરે છે. રાજાને કેટલાક વિશેષ હકો માટે અમુક સંસદ સભ્યોની નિયુક્તિ કરવા માટે બંધારણીય મંજૂરી છે. આ વિશેષ હકો એવા નાગરિકો હોય છે જેઓ ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન મતદાનમંડળ દ્વારા પડતા મુકાયા હોય છે અથવા તેમાં ઉમેદવારો તરીકે પ્રવેશ્યા નથી હોતા. સંસદમાં વૈચારિક સમતુલન માટે આમ કરવામાં આવે છે. વિશેષ હકો અમુક ચોક્કસ જાતિ, વંશ, અસક્ષમતા, વ્યાપારિક સમુદાય, નાગરિક સમુદાય, વિદ્વાનો, વડાઓ વગેરે હોઈ શકે છે. સેનેટમાં 30 સભ્યોનો સમાવેશ કરેલો હોય છે જે પૈકી કેટલાકની નિયુક્તિ સલાહકાર સમિતિની ભલામણોના આધારે રાજા દ્વારા કરાયેલી હોય છે અને અન્યો નીચલા ગૃહમાં ચૂંટાયેલા હોય છે. ધારાસભા ગૃહમાં 65 બેઠકો છે, જેમાંથી 55 બેઠકો સમગ્ર દેશમાં વિવિધ 55 મતક્ષેત્રોમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓની હોય છે, 10ની નિયુક્તિ સલાહકાર સમિતિની ભલામણોના આધારે રાજા દ્વારા કરવામાં આવે છે અને એટર્ની જનરલ હોદ્દાની રૂએ બનેલા સભ્ય હોય છે. દર પાંચ વર્ષે અહીં ચૂંટણી યોજાય છે.

1968માં, સ્વાઝીલેન્ડે વેસ્ટમિન્સટર-પ્રકારનું બંધારણ અપનાવ્યું હતું, પરંતુ સમગ્ર દેશમાં લોકો દ્વારા વ્યાપક ફરિયાદોના કારણે 1973માં રાજા સોભુઝા (II) બીજાએ સંસદની સલાહના પગલે તુરંત તેને રદ કર્યું હતું. 2001માં, રાજા મ્સ્વાતી (III) ત્રીજાએ નવા બંધારણનો મુસદ્દો તૈયાર કરવા માટે એક સમિતિની નિમણૂંક કરી હતી. આ મુસદ્દાને લોકોની ટીપ્પણીઓ માટે મે 1999 અને નવેમ્બર 2000માં જાહેર કરવામાં આવ્યો હતો. સ્વાઝીલેન્ડમાં નાગરિક સમુદાય સંગઠનો અને અન્યત્ર માનવાધિકાર સંગઠનો દ્વારા તેની પ્રબળ ટીકા થઈ હતી. બંધારણમાં સુધારા મામલે દેશમાં વ્યાપક ચર્ચા અને દલીલબાજી ચાલતી હોવા છતા, 2005માં, બંધારણ અમલમાં મુકવામાં આવ્યું હતું. સિત્તેરના દાયકાની શરૂઆતથી, અહીં શાહી વર્ચસ્વનો સક્રિય વિરોધ ચાલતો હતો. જોકે, પ્રગતિશીલ સંગઠનોના વિરોધ છતા, રાજાશાહીને પ્રબળ સમર્થન અને બહુમતિ વસ્તી દ્વારા રચાયેલી હાલની રાજકીય પ્રણાલી હજુ પણ અહીં છે. આ હકીકતના કારણે સમગ્ર દેશમાંથી લોકોએ બંધારણીય મુસદ્દા સમિતિ સહિત પંચને એવી રજૂઆત કરી હતી કે તેઓ હવે વર્તમાન સ્થિતિને જાળવી રાખવાનું પસંદ કરશે.

સ્વાઝીની બે ગૃહની સંસદ અથવા તો લિબાંદલામાં સેનેટ (30 બેઠકો; 10 સભ્યો ધારાસભા ગૃહ દ્વારા નિયુક્ત અને 20 સભ્યો રાજા દ્વારા નિયુક્ત; પાંચ વર્ષ સુધી સેવા આપવા માટે) અને ધારાસભા (65 બેઠકો; 10 સભ્યો રાજા દ્વારા નિયુક્ત અને 55 લોકપ્રિય મત દ્વારા ચૂંટાયેલા; પાંચ વર્ષ સુધી સેવા આપવા માટે)ની બનેલી હોય છે. ચૂંટણીઓઃ ધારાસભા – છેલ્લે 19 સપ્ટેમ્બર 2008ના રોજ યોજાઈ હતી (આગામી ચૂંટણી 2013માં યોજાશે) ચૂંટણી પરિણામોઃ ધારાસભા - અપક્ષ ધોરણે મતદાન થયું હતું; ચૂંટણી માટેના ઉમેદવારોનું નામાંકન દરેક મતક્ષેત્રોની સ્થાનિક પરિષદો દ્વારા કરવામાં આવ્યું હતુ અને દરેક મતક્ષેત્ર માટે પ્રથમ રાઉન્ડમાં સર્વાધિક મતો ધરાવતા ત્રણ ઉમેદવારો લેવામાં આવ્યા હતા જેમાંથી બીજા રાઉન્ડમાં એક ઉમેદવારનો વિજય થયો હતો.

વહીવટી વિભાગો[ફેરફાર કરો]

સ્વાઝીલેન્ડના વહીવટી વિભાગો - હોહો2 - લુબોમ્બો3 - માન્ઝીની4 - શીસેલ્વેની

સ્વાઝીલેન્ડ ચાર જિલ્લાઓમાં વહેંચાયેલું છે:

  • હોહો
  • લુબોમ્બો
  • માન્ઝીની
  • શીસેલ્વેની

દરેક જિલ્લો બાદમાં તિંખુન્દલામાં વિભાજિત થયેલો છે. સ્વાઝીલેન્ડમાં 55 તિંખુન્દલા છે અને દરેકમાં સ્વાઝીલેન્ડના ધારાસભા ગૃહ માટે એક પ્રતિનિધિ ચૂંટાય છે.

ભૂગોળ[ફેરફાર કરો]

સ્વાઝીલેન્ડ ભૌગોલિક ખામીયુક્ત પ્રદેશ પર વસેલું છે જે લેસોથોની ડ્રેકેન્સબર્ગ પર્વતમાળા, ઉત્તર થઈને ઝિમ્બાબ્વેના પૂર્વીય ઉચ્ચપ્રદેશો, કેન્યાની ગ્રેટ રીફ ખાણો થઈને અંતે, પેટેર્સ હાલનું તૂર્કીમાં થઈને પસાર થાય છે.

સ્વાઝીલેન્ડમાં મેદાનો

નાનો, ચોતરફ ભૂમિ સરહદ ધરાવતો દેશ, સ્વાઝીલેન્ડ છે જેની ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ સરહદે દક્ષિણ આફ્રિકા ગણરાજ્ય છે અને પૂર્વ સરહદે મોઝામ્બિકા છે. સ્વાઝીલેન્ડમાં 17,364 કિમી2નો ભૂમિ વિસ્તાર હોવા છતા, અંદાજે તે વેલ્સના કદ અથવા અમેરિકાના ન્યૂ જર્સી રાજ્ય જેવડો દેશ છે, જેમાં ચાર ભૌગોલિક પ્રદેશો આવેલા છે. તે ઉત્તરથી દક્ષિણ તરફ ઊંચાઈવાળો પ્રદેશ ધરાવે છે.

સ્વાઝીલેન્ડ અંદાજે 26°30'એસ (S), 31°30'ઈ (E) પર આવેલું છે.[૮] સ્વાઝીલેન્ડમાં અનેક પ્રકારની ભૂમિ છે જેમાં મોઝામ્બિકન સરહદે ડુંગરાળ પ્રદેશથી માંડીને પૂર્વમાં ઘાંસના મેદાનો અને ઉત્તર-પશ્ચિમમાં વરસાદી જંગલો આવેલા છે. આ દેશમાં ગ્રેટ ઉસુતુ નદી સહિતની કેટલીક નદીઓ પણ વહે છે.

મોઝામ્બિકા સાથેની પૂર્વ સરહદમાં પર્વતમાળા લુબોમ્બો છે, જે અંદાજે 600 મીટર ઊંચાઈ ધરાવે છે. ત્રણ નદીઓ ન્ગ્વાવુમા, ઉસુતુ અને મ્બ્લુઝીના ધસમસતા પ્રવાહના કારણે પર્વતો તુટી ગયા છે. આ દેશ પશુપાલન પર આધારિત છે.

દેશની પશ્ચિમ સરહદનો વિસ્તાર સરેરાશ 1200 મીટરની ઊંચાઈ ધરાવતા પ્રદેશોના ઢોળાવ પર વસેલો છે. પહાડો વચ્ચે થઈને પસાર થતી નદી ઊંડી ખાણોમાંથી ખળખળ કરતી વહે છે જેના કારણે આ પ્રદેશ ઘણો રમણીય લાગે છે. મ્બાબાને તેની રાજધાની છે જે ઊંચા સપાટ મેદાનો પર વસેલી છે.

મધ્યમ ઊંચાઈ ધરાવતો પ્રદેશ સમુદ્ર સ્તરથી લગભગ 700 મીટરે વસેલો છે જેમાં સ્વાઝીલેન્ડની સૌથી વધારે વસ્તી છે અને પર્વતીય પ્રદેશો કરતા ઓછો વરસાદ થાય છે. માન્ઝીની, અહીંનું મુખ્ય વ્યાપારિક અને ઔદ્યોગિક શહેર છે જે મધ્યમ ઊંચાઈઓના પ્રદેશો પર વસેલું છે.

સ્વાઝીલેન્ડનો નીચાણવાળો પ્રદેશ અંદાજે 250 મીટરની ઊંચાઈએ વસેલો છે અને બીજા વિસ્તારો કરતા ઓછી વસ્તી ધરાવે છે તેમજ વૃક્ષો અને ઘાંસના મેદાનોના કારણે લાક્ષાણિક આફ્રિકન દેશ દેખાય છે. આ પ્રદેશમાં પ્રારંભિક દિવસોમાં મોટાપાયે મેલેરિયા ફેલાવાથી તેનો વિકાસ થંભી ગયો છે.

આબોહવા[ફેરફાર કરો]

સ્વાઝીલેન્ડનો ભૌગોલિક નક્શો

ઉત્તરી ગોળાર્ધ કરતા અહીં ઉલટી ઋતુઓ જોવા મળે છે જેમાં ડિસેમ્બરમાં મધ્ય-ઉનાળો અને જૂનમાં મધ્ય-શિયાળો હોય છે. સામાન્યપણે કહીએ તો, વરસાદ મોટાભાગે ઉનાળાના મહિનાઓમાં આવે છે, અનેક વખત અહીં અતિશય ઠંડા પવન કે બરફનું તોફાન પણ આવે છે. શિયાળો અહીં સુકી ઋતુ છે. પશ્ચિમમાં ઉચ્ચ પ્રદેશોમાં સૌથી વધારે વાર્ષિક વરસાદ નોંધાય છે, જે વર્ષ પ્રમાણે અંદાજે 1,000 and 2,000 mm (39.4 and 78.7 in)ની વચ્ચે હોય છે. પૂર્વમાં ઓછો વરસાદ નોંધાય છે, અને નીચાણવાળા પ્રદેશોમાં પ્રતિ વર્ષે 500 to 900 mm (19.7 to 35.4 in) વરસાદ નોંધવામાં આવ્યો છે. અલગ અલગ ઊંચાઈ ધરાવતા પ્રદેશોના કારણે અહીં તાપમાનમાં પણ ફેરફારો જોવા મળે છે. ઊંચાઈવાળા પ્રદેશોમાં તાપમાન વધારે હોય છે, અને ભાગ્યેજ જોવા મળતી સ્થિતિમાં, કમનસીબે વધુ ગરમ હોય છે જ્યારે નીચાણવાળા પ્રદેશોમાં ઉનાળામાં અંદાજે 40 °C (104 °F) તાપમાન હોય છે.

મ્બાબાનેમાં ઋતુ પ્રમાણે નોંધાતુ સરેરાશ તાપમાન અહીં દર્શાવ્યા પ્રમાણે હોય છેઃ

વસંતઋતુ સપ્ટેમ્બર – ઓક્ટોબર 18 °C (64.4 °F)
ઉનાળો નવેમ્બર – માર્ચ 20 °C (68 °F)
પાનખર એપ્રિલ – મે 17 °C (62.6 °F)
શિયાળો જૂન – ઑગસ્ટ 13 °C (55.4 °F)

અર્થતંત્ર[ફેરફાર કરો]

સ્વાઝીલેન્ડના સિક્કાઓ

સ્વાઝીલેન્ડનું વૈવિધ્યપૂર્ણ અર્થતંત્ર ખેતી, વનસંવર્ધન અને ખાણકામ આધારિત છે જે કુલ જીડીપી (GDP)ના 13% હિસ્સો ધરાવે છે, ઉત્પાદન (કાપડ અને ખાંડ સંબંધિત કામગીરીઓ) જીડીપી (GDP)ના 37% ટકા હિસ્સાને સમાવે છે અને સેવાઓ – મુખ્યત્વે સરકારી સેવાઓ સહિત – જીડીપી (GDP)નો 50% હિસ્સો ધરાવે છે. ટાઈટલ ડીડ લેન્ડ્સ (મુખ્ય સારી જમીનો (TDLs)) કે જ્યાં મોટાપાયે ઊંચા મૂલ્યના પાકનું વાવેતર થાય છે (ખાંડ, વનસંવર્ધન અને નારંગીઓ) તેને રોકાણ અને સિંચાઈના ઉચ્ચ સ્તર તરીકે દર્શાવાય છે, અને સૌથી વધુ ઉત્પાદક વિસ્તાર તરીકે પણ ગણાય છે. તેમ છતાં પણ, મોટાભાગની વસ્તીએ – અંદાજે 75% - સ્વાઝી રાષ્ટ્ર ભૂમિ (એસએનએલ (SNL))માં ખેતીને જ આજીવિકા તરીકે અપનાવી છે, જે ઉલટી ઓછી ઉત્પાદક છે અને રોકાણ માટે પણ નબળી ગણાય છે. એક તરફ કાપડ ઉત્પાદનક્ષેત્રે ઉચ્ચ ઉત્પાદકતા અને એ જ ભૂમિ પર કૃષિ ઔદ્યોગિક ટીડીએલએસ (TDLs) છે જ્યારે બીજી તરફ ઘટતી કૃષિ નિર્વાહ ઉત્પાદકતા (એસએનએલ (SNL)પર)ના કારણે સ્વાઝી અર્થતંત્રમાં બેવડી પ્રકૃતિ જોવા મળે છે, જે દેશના સરેરાશ ઓછા વિકાસ, ઊંચી અસમાનતા અને બેરોજગારીને વધુ સારી રીતે રજૂ કરે છે.

સ્વાઝીલેન્ડમાં આર્થિક વૃદ્ધિ તેની આસપાસના દેશો કરતા ઓછી જોવા મળે છે. 2001થી અહીં વાસ્તવિક જીડીપી (GDP) સરેરાશ 2.8% છે, જે દક્ષિણ આફ્રિકન કસ્ટમ્સ યુનિયન (એસએસીયુ (SACU))ના અન્ય સભ્ય દેશો કરતા 2 ટકા પોઈન્ટ ઓછો છે. એસએનએલએસ (SNLs)માં ઓછી કૃષિ ઉત્પાદકતા, વારંવાર થતા દુષ્કાળ, એચઆઈવી/એઈડ્સ (HIV/AIDS)ની ખૂબ જ વિપરિત અસરો અને વધુ પડતા તેમજ બિનસક્ષમ સરકારી ક્ષેત્ર આ માટે સંભવિત જવાબદાર પાસાઓ છે. સ્વાઝીલેન્ડની સાર્વજનિક નાણાં વ્યવસ્થામાં 1990ના દાયકા અંતમાં લગભગ એક દાયકા પહેલાની દેખીતી સિલકના પગલે પડતીની શરૂઆત થઈ હતી. દેશમાં ઘટતી મહેસૂલ અને વધતા ખર્ચા અંદાજપત્રમાં નોંધપાત્ર ખાદ્યનું કારણ બન્યા.

નોંધપાત્ર ખર્ચાઓ વધુ વિકાસ નથી થવા દેતા અને ગરીબોને લાભ પણ થવા દેતા નથી. મોટાભાગના વધેલા ખર્ચાઓના નાણાં હાલના પગાર, બદલીઓ અને આર્થિક સહાય (સબ્સિડી) સંબંધિત ખર્ચાઓમાં જતા રહ્યા છે. હાલના દિવસોમાં પગાર બિલ જીડીપી (GDP)ના 15% છે અને કુલ સાર્વજનિક ખર્ચામાં 55% હિસ્સો ધરાવે છે; આફ્રિકન ખંડમાં આ સૌથી ઊંચા સ્તરો પૈકી છે. જોકે એસએસીયુ (SACU) મહેસૂલમાં તાજેતરમાં આવેલી ઝડપી વૃદ્ધિના કારણે નાણાકીય સ્થિતિ ઊંધી થઈ છે અને 2006થી દેખીતી સિલક નોંધાય છે. હાલમાં સરકારની કુલ આવકમાં 60% હિસ્સો એસએસીયુ (SACU) મહેસુલનો છે. સકારાત્મક બાજુએ, છેલ્લા 20 વર્ષમાં વિદેશી દેવાના બોજામાં સ્પષ્ટ ઘટાડો નોંધાયો છે, અને સ્થાનિક દેવું લગભગ નજીવું થઈ ગયું છે; 2006માં વિદેશી દેવુ જીડીપી (GDP)ના ટકા પ્રમાણે 20% કરતા ઓછુ નોંધાયું હતું.

સ્વાઝી અર્થતંત્ર દક્ષિણ આફ્રિકાન અર્થતંત્ર સાથે ખુબ જ નિકટતાથી જોડાયેલું છે, જ્યાંથી તે પોતાની આયાતનો 90% હિસ્સો મેળવે છે અને ત્યાં અંદાજે કુલ નિકાસમાંથી 70% નિકાસ કરવામાં આવે છે. સ્વાઝીલેન્ડના અન્ય ચાવીરૂપ વ્યાપારિક ભાગીદારો યુનાઈટેડ સ્ટેટ્સ અને ઈયુ (EU) છે, જેના તરફથી આ દેશને સાજ-સજાવટની વસ્તુઓ (આફ્રિકન વૃદ્ધિ અને તકો ધારો - એજીઓએ (AGOA)- હેઠળ યુએસ (US)માં) અને ખાંડ (ઈયુ (EU)માં)ની નિકાસ માટે વ્યાપાર પ્રોત્સાહન મળ્યું છે. આ કરાર હેઠળ, સાજ-સજાવટની વસ્તુઓ અને ખાંડ બંનેની સારી રીતે નિકાસ થઈ શકે છે જેના કારણે ઝડપી વૃદ્ધિ અને સીધા વિદેશી રોકાણની મજબૂત આવક થાય છે. 2000 અને 2005 દરમિયાન કાપડ નિકાસમાં 200%થી વધારે વૃદ્ધિ થઈ છે અને આજ સમયગાળામાં ખાંડની નિકાસમાં 50%થી વધારે વૃદ્ધિ થઈ છે.

કાપડ બજાર માટે વ્યાપાર પ્રોત્સાહનમાં ઘટાડો તેમજ પૂર્વ એશિયન દેશોમાં તે માટે વધતા પ્રોત્સાહનના કારણે, ઉપરાંત ઈયુ (EU) બજારમાં ખાંડના ભાવોમાં થતા ઘટાડાના કારણે સતત ધબકતા રહેતા નિકાસ ક્ષેત્ર પર જોખમ ઉભુ થયું છે. આમ સ્વાઝીલેન્ડને વૈશ્વિકફલક પર બાકી રહેલી સ્પર્ધાના પડકારોનો સામનો કરવો પડશે. તેમના માટે આ પડકારમાં સામનો કરવો પડે તેવું નિર્ણાયક પાસુ રોકાણ માટેની ખાસિયતો છે. તાજેતરમાં સંપન્ન થયેલા ઈન્વેસ્ટમેન્ટ ક્લાઈમેટ એસેસમેન્ટ (રોકાણની ખાસિયતોની આકારણી)માં આ અંગે તેમના માટે કેટલીક સકારાત્મક બાબતો રહી હતી, ખાસ કરીને અન્ય પ્રદેશોમાં મધ્યમ આવક ધરાવતા દેશોની કંપનીઓની સરખામણીએ સ્વાઝીલેન્ડની કંપનીઓની ઉત્પાદકતા ઓછી હોવા છતા ઉપ-સહારા આફ્રિકામાં સૌથી વધારે ઉત્પાદન કરતી કંપનીઓમાં તેમને ગણાવાઈ હતી. ઓછી મધ્યમ આવક ધરાવતા દેશોની કંપનીઓ સાથે તેમની વધુ તરફેણ સાથે સરખામણી કરવામાં આવી હતી, પરંતુ અપૂરતી વહીવટી વ્યવસ્થા અને આંતરમાળખાકીય સુવિધાઓના અભાવે તેમના માટે અંતરાયો છે.

સ્વાઝીલેન્ડનું ચલણ દક્ષિણ આફ્રિકાન રેન્ડ પર નિર્ભર છે, જે સ્વાઝીલેન્ડની નાણાં નીતિને દક્ષિણ આફ્રિકા હેઠળ લાવે છે. દક્ષિણ આફ્રિકન કસ્ટમ્સ યુનિયનનો સીમા વેરો, જે સંભવતઃ આ વર્ષે સરકારની આવકના 70%ની સમકક્ષ છે, અને દક્ષિણ આફ્રિકામાંથી આવતી કામદારોના પગારની રકમ પ્રત્યક્ષરૂપે તેમની વધારાની કમાયેલી સ્થાનિક આવક છે. સ્વાઝીલેન્ડ આઈએમએફ (IMF) કાર્યક્રમમાં યોગ્યતા પામવા માટે પૂરતો ગરીબ નથી; જોકે, આ દેશ તેમની નાગરિક સેવાઓનું કદ ઘટાડવા માટે અને જાહેર ઉદ્યોગોના નુકશાનો પર કાબુ લાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. સરકાર સીધા વિદેશી રોકાણ માટે વધુ સારુ વાતાવરણ ઉભું કરવા માટે પ્રયત્નો કરી રહી છે.

સ્વાસ્થ્ય[ફેરફાર કરો]

સ્વાઝીલેન્ડ દેશવ્યાપી ચેપી રોગ એચઆઈવી (HIV) અને એઈડ્સ (AIDS) મહામારીથી ખૂબ જ અસરગ્રસ્ત છે, જેનાથી હાલમાં તેના સમાજના અસ્તિત્વ સામે જોખમ છે. સીઆઈએ (CIA) વર્લ્ડ ફેક્ટબૂકના 2009ના અહેવાલ અનુસાર, સ્વાઝીલેન્ડ વિશ્વભરમાં સૌથી વધુ એચઆઈવી (HIV) ચેપ દર ધરાવે છે (તમામ પુખ્તવયના લોકોના 26%; અન્ય અહેવાલોમાં વધુ છે) અને 32 વર્ષ સુધીનું જ સૌથી ઓછું અપેક્ષિત આયુષ્ય ધરાવે છે, જે સૌથી ઓછા અપેક્ષિત આયુષ્ય દરમાં બીજા ક્રમ આવતાં એંગોલાના સરેરાશ આયુષ્ય દર કરતાં 6 વર્ષ ઓછું છે. અન્ય એક પ્રમાણ અનુસાર, 2002માં અંતિમ ઉપલબ્ધ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની વિગતોમાં દર્શાવાયું છે કે દેશમાં કુલ મૃત્યુનાં 61 ટકા મોત એચઆઈવી/એઈડ્સ (HIV/AIDS)થી થયા છે.[૯] પ્રત્યેક 1,000માં 30 ટકાના સ્થૂળ મૃત્યુદરની નોંધણી સાથે, પ્રત્યેક વર્ષે એચઆઈવી (HIV)થી સ્વાઝી વસ્તીના 2% લોકો મોતને ભેટે છે. વિકસિત વિશ્વમાં હઠીલા રોગો મૃત્યુના કારણોમાં મુખ્ય ગણાય છે જે સ્વાઝીલેન્ડમાં થતાં મૃત્યુના પ્રમાણમાં ઓછા જવાબદાર છે. ઉદાહરણ તરીકે, હ્રદય રોગ, લકવો અને કેન્સર જેવા રોગથી અમેરિકામાં વાર્ષિક કુલ મૃત્યુના 55%ની સરખામણીમાં, સ્વાઝીલેન્ડમાં કુલ મરણ દરના માત્ર 5% લોકોનાં જ મોત નીપજે છે.[૧૦]

વર્ષ 2004માં, સ્વાઝીલેન્ડને પ્રથમવાર જાણ થઈ કે તે એઈડ્સ (AIDS)ના સંકટથી પીડાઈ રહ્યું છે, જેમાં પરીક્ષણ કરાયેલી સગર્ભા મહિલામાંથી 38.8% એચઆઈવી (HIV) પીડિત હતી (જૂઓ આફ્રિકામાં એઈડ્સ (AIDS)). વડાપ્રધાન થેમ્બા દ્લામીનીએ, દુષ્કાળ, ભૂમિ ધોવાણ, વધેલી ગરીબી અને એચઆઈવી/એઈડ્સ (HIV/AIDS)ની સંયુક્ત અસરના કારણે માનવીય કટોકટી જાહેર કરી. અહીં અપેક્ષિત આયુષ્ય 2000માં 61 વર્ષનું હતું તે ઘટીને 2009માં 32 વર્ષનું થઈ ગયું.[૧૧] 18%ના મરણ દર સાથે, ક્ષયરોગ પણ એક મહત્વની સમસ્યા બની ગઈ છે. ઘણા દર્દીઓ મલ્ટી-ડ્રગ (એક કરતા વધારે દવાઓ) પ્રતિકારક વલણ ધરાવે છે, અને 83% એચઆઈવી (HIV)થી પણ અસરગ્રસ્ત છે.[૧૨]

દેશમાં જાહેર ખર્ચ દેશના કુલ જીડીપી (GDP)ના 4% હતો, જ્યારે ખાનગી ખર્ચ 2.3% હતો.[૧૩][સ્પષ્ટ કરો] 2000ના દાયકાના આરંભમાં અહીં 1,00,000 વ્યક્તિ દીઠ 16 તબીબ હતા.[૧૩][સ્પષ્ટ કરો] 2005માં પ્રત્યેક 1,000 શિશુ દીઠ મરણ દર 110 હતો,[૧૩][સ્પષ્ટ કરો] જેમાં હુ (WHO)એ દર્શાવ્યા પ્રમાણે 5 વર્ષથી નીચેની વયના કુલ મૃત્યુનાં 47% મૃત્યુ એચઆઈવી-એઈડ્સ (HIV/AIDS)ના કારણે થયા હતા.[૯]

સંસ્કૃતિ[ફેરફાર કરો]

ગ્રામ્ય સાંસ્કૃતિક નાટકમાં નૃત્ય કરતા સ્વાઝી લોકો
સ્વાઝીલેન્ડમાં પરંપરાગત મકાનો

મુખ્ય સ્વાઝી સમાજ રચનાના ઘર, સૂકા ઘાસ સાથેની છતવાળા પરંપરાગત મધપૂડા આકારની ઝુંપડીઓ છે. બહુપત્નીત્વ ધરાવતાં ઘરમાં, દરેક પત્નીને પોતાની આગવી ઝુંપડી અને પોલા ઘાંસ(રાડા)ની વાડ સાથે ફરતો વરંડો હોય છે. તેમાં ઉંઘવા, રાંધવા અને સંગ્રહ (ગાળેલા બીયરને રાખવા) માટે ત્રણ બાંધકામ હોય છે. મોટાઘરોમાં કુંવારાઓ માટેના ઓરડાઓ અને મહેમાન માટેની સુવિધા તરીકે ઉપયોગમાં લેવાતું બાંધકામ પણ હોય છે.

પરંપરાગત ઘરની મધ્યમાં ઢોર માટેની ગમાણ હોય છે, આ વિસ્તાર ડાળીઓ ધરાવતા વૃક્ષના વિશાળ લાકડાથી બંધ એવો ગોળાકાર ભાગ હોય છે. ઢોરોની ગમાણએ સંપત્તિના સંગ્રહ અને પ્રતિષ્ઠાના પ્રતિક તરીકે ધામિર્ક ઉપરાંત વ્યવહારુ મહત્વ ધરાવે છે. તેમાં અનાજના દાણા રાખવાની બંધ કોઠીઓનો સમાવેશ થાય છે. ઢોરની ગમાણના આગળના ભાગમાં એક મોટી ઝુંપડી હોય છે જેના પર ઘરના વડા પુરુષની માતાનું આધિપત્ય હોય છે.

ઘરનો વ઼ડો પુરુષ ઘરની તમામ બાબતોમાં કેન્દ્ર સ્થાને હોય છે અને તે બહુપત્ની ધરાવતો હોય છે. તે ઘરની તમામ સામાજીક બાબતો અંગે પોતાની પત્નીઓને ઉદાહરણો અને સલાહો દ્વારા માર્ગદર્શન આપે છે આ ઉપરાંત પરિવારના વિશાળ જીવનનિર્વાહનું ધ્યાન રાખે છે. તે નાના બાળકો સાથે હળીમળીને રહેવા માટે સમય ફાળવે છે, આ બાળકો તેનાં પુત્રો અથવા નજીકના સગાં હોય છે, ઉપરાંત ઉછેર અને મર્દાનગીની અપેક્ષાઓ અંગે તેઓને સલાહ પણ આપે છે.

ચોક્કસ પરિવારના પૂર્વજો દ્વારા પસંદ કરાયેલા પરંપરાગત જ્યોતિષને સંગોમા કહેવાય છે. સંગોમાની તાલિમને “ક્વેટફ્વાસા” કહેવાય છે. તાલિમના અંતે, પદવીદાન સમારંભ યોજાય છે જ્યાં તમામ સ્થાનિક સંગોમા મિજબાની અને નૃત્ય માટે એકત્રિત થાય છે. વિવિધ કારણો માટે જ્યોતિષની સલાહ લેવામાં આવે છે, જેમ કે માંદગી અથવા મોતના કારણો માટે. તેઓ “કૂભૂલા”ના આધાર પર રોગનું નિદાન કરે છે, કૂભૂલા સમાધી દ્વારા, કુદરતની સર્વોપરીશક્તિ સાથે સંપર્ક કરવાની પ્રક્રિયા છે. બોન થ્રોઈંગ સ્કિલ (અસ્થિ ફેંકવાની કળા) (“કૂશ્ય ઈમાટસ્મબો”) ધરાવતાં ઈનયંગા (આધુનિક પરિભાષામાં તબીબી અને દવા ક્ષેત્રના વિશેષજ્ઞ)નો ઉપયોગ માંદગીના કારણ નક્કી કરવા માટે થાય છે.

સ્વાઝીલેન્ડની સૌથી મહત્વની સાંસ્કૃતિક ઘટના ઈન્ક્વાલા ઉત્સવ છે. 21 ડિસેમ્બરના સૌથી લાંબા દિવસની નજીકના પૂર્ણ ચંદ્રોદય બાદ ચૌથા દિવસે આ ઉત્સવ ઉજવાય છે. ઈન્ક્વાલાનો અનેકવાર, ‘ફસ્ટ ફ્રૂટ સેરિમની’ તરીકે અંગ્રેજીમાં અર્થ કરાયો છે, પણ રાજા નવા પાકનો સ્વાદ માણે તે આ લાંબા જાહેર ઉત્સવનુ એક માત્ર પાસું હોવાનું અનેક લોકો માને છે. ઈન્ક્વાલાનો શ્રેષ્ઠ અર્થ ‘કિંગશિપ સેરિમની’ છેઃ જ્યારે કોઈ રાજા ન હોય, ત્યારે ઈન્ક્વાલા ઉત્સવ ઉજવાતો નથી. ઈન્ક્વાલાની ઉજવણી કરવી કોઈ અન્ય વ્યક્તિ માટે ઘોર રાજદ્રોહ ગણાય છે.

દરેક સ્વાઝી ઈન્ક્વાલાના જાહેર કાર્યક્રમમાં ભાગ લે છે ઈન્ક્વાલાનો ચોથો દિવસ ઉત્સવની પરાકાષ્ટા હોય છે. રાજા, રાજમાતા, રાજવી વહુઓ અને બાળકો, રાજવી વહીવટદારો (ઈન્ડૂનાઓ), વડાઓ, સૈન્ય વડાઓ અને “બેમાન્તી” અથવા “વોટર પીપલ” મહત્વની હસ્તીઓ ગણાય છે.

સ્વાઝીલેન્ડમાં સૌથી જાણીતો સાંસ્કૃતિક ઉત્સવ વાર્ષિક વાંસના રાડા નૃત્ય (રીડ ડાન્સ) છે. આઠ દિવસના આ સમારંભમાં, યુવતીઓ રાડા કાપે છે અને રાજમાતાને સમર્પિત કરે છે અને તે પછી નૃત્ય કરે છે. (તેમાં કોઈ વિધિવત સ્પર્ધા નથી.) તે ઓગસ્ટના અંતમાં અથવા સપ્ટેમ્બરના આરંભમાં ઉજવાય છે. તેમાં માત્ર નિઃસંતાન, કુંવારી યુવતીઓ જ ભાગ લઈ શકે છે. સમારંભનો ઉદ્દેશ યુવતીઓની પવિત્રતા સુરક્ષિત રાખવાનો, રાજમાતા માટે શ્રમની ભેટ આપવી, અને એકસાથે કામગીરી કરીને એકતાને પ્રોત્સાહન આપવાનો છે. રાજવી પરિવાર સામાન્ય વર્ગની અપરિણીત સ્ત્રીને યુવતીઓની “ઈન્ડૂના” (સુકાની) તરીકે નિમણૂંક કરે છે અને તે સમારંભની તારીખોની રેડિયો પર જાહેરાત કરે છે. તે નિષ્ણાત નૃત્યાંગના અને રાજવી શિષ્ટાચાર અંગે જાણકાર હોવી જોઈએ. રાજાની પુત્રીઓમાંની એક તેણીની સમકક્ષ હોઈ શકે.

આજે રીડ ડાન્સ પ્રાચીન સમારંભ રહ્યો નથી, પણ જૂની “ઉમચ્વાશો” રીત-રિવાજમાંથી વિકસિત કરાયો છે. “ઉમચ્વાશો”માં, તમામ યુવાન છોકરીઓને મહિલાઓની ઉંમરના સંગઠનમાં મુકવામાં આવે છે. કોઈ છોકરી લગ્ન બાહ્ય સંબંધથી સગર્ભા બને તો, તેના પરિવારે દંડ પેટે સ્થાનિક વડાને એક ગાય આપવી પડે છે. ઘણા વર્ષો બાદ, યુવતીઓ લગ્નની ઉંમર સુધી પહોંચે ત્યારે, તેઓ રાજમાતા માટે નૃત્ય અને મિજબાની સાથે પૂરી થતી શ્રમ સેવા પ્રદાન કરે છે. આ દેશ, 19 ઓગસ્ટ, 2005 સુધી “ઉમચ્વાશો”ના પવિત્રતા આચાર હેઠળ હતો. “ઉમચ્વાશો”નું અર્થઘટન, લગ્ન પૂર્વે પ્રજનનક્ષમતા સિદ્ધ કરવાની યુવતીઓની સામાન્ય જરૂરિયાત સાથે ઊંડો સંઘર્ષ ધરાવે છે. અનેક યુવાન છોકરીઓને, સામાન્ય રીતે ફળદ્રુપતાની સાબિતી રૂપે લગ્નસંબંધ બહાર એક બાળક હોય છે. ઘણીવાર આ બાળક યુવતીના વાગ્દત્તનું જ સંતાન હોય છે, પણ તેમાં સફળ નહીં થવાય તેમ જણાતું હોય અને પુરુષની પ્રજનનક્ષમતા ગૂઢ પ્રશ્નાર્થ ઊભો કરતી હોય, ત્યારે યુવતી પ્રજનનક્ષમતા પૂરવાર કરવા પુરુષના અથવા પોતાના જ કોઈ સગા પાસે જઈ શકે છે. આ બાબતમાં સીધા સંકળાયેલાઓ દ્વારા ખૂબ જ સુરક્ષિત ગુપ્તતા જાળવવામાં આવે છે અને વર ક્યારેય આ રહસ્ય શોધી શકતો નથી. આ બાળક યુવતીના પિતાની સંપત્તિ બને છે. લગ્ન પૂર્વે વરરાજા ચોક્કસ દહેજ ચૂકવે છે, તે પછી જ વરરાજા સ્વીકૃત વળતર દ્વારા પિતા પાસેથી પોતાના બાળકને કદાચ પાછું મેળવી શકે છે.

શિક્ષણ[ફેરફાર કરો]

સ્વાઝીલેન્ડમાં હવે પ્રાથમિક સ્તરે ખાસ કરીને 1લા અને 2જા ધોરણમાં શિક્ષણ વિનામૂલ્યે અપાય છે તેમજ અનાથ અને નિર્બળ બાળકો માટે પણ વિનામૂલ્યે શિક્ષણ અપાય છે, પણ ફરજિયાત નથી.[૧૪] 1996માં, પ્રાથમિક સ્તરે જાતિ સમાનતા સાથે ચોખ્ખો પ્રાથમિક શાળા ભરતી દર 90.8% હતો.[૧૪] 1998માં, 80.5% બાળકો પાંચમા ધોરણ સુધી પહોંચ્યાં હતાં.[૧૪] યુનિવર્સિટી ઓફ સ્વાઝીલેન્ડ ઉચ્ચ શિક્ષણ પૂરું પાડે છે.

વસ્તી-વિષયક માહિતી[ફેરફાર કરો]

સ્વાઝીલેન્ડની મોટાભાગની વસ્તી ઝૂલૂ અને શ્વેત આફ્રિકનની નાની સંખ્યાના મિશ્રણ સાથે સ્વાઝી જાતિની છે. મોટાભાગના લોકો બ્રિટિશ અને અફ્રિકનર વંશના છે. પરંપરાગત સ્વાઝી લોકો ગુજરાન માટે ખેડૂત અને પશુપાલકો છે, પણ મોટાભાગના લોકોએ હવે વધી રહેલા શહેરી અર્થતંત્ર અને સંચાલન જેવી પ્રવૃત્તિઓને પરંપરાગત વ્યવસાય સાથે જોડી દીધી છે. કેટલાંક સ્વાઝી દક્ષિણ આફ્રિકાની ખાણોમાં કામ કરે છે.

સ્વાઝીલેન્ડે પોર્ટુગીઝ વસાહતીઓ અને મોઝામ્બિકના આફ્રિકન નિરાશ્રિતોને પણ સ્વીકાર્યા છે. સ્વાઝીલેન્ડમાં ખ્રિસ્તી ધર્મ ક્યારેક પરંપરાગત માન્યતાઓ અને રીત-રિવાજો સાથે ભળી જાય છે. ઘણા પરંપરાવાદીઓ માને છે કે મોટાભાગના સ્વાઝીઓ, સર્વસત્તાધારી શાસક માટે એક વિશેષ આધ્યાત્મિક ભૂમિકા ધરાવે છે. સ્વાઝીલેન્ડના રહીશો વિશ્વમાં સૌથી ઓછા અધિકૃત આયુષ્યની અપેક્ષા ધરાવે છે, જે વિશ્વના સરેરાશ અપેક્ષિત આયુષ્ય 69.8 વર્ષ કરતાં લગભગ અડધા ભાગનું એટલે કે 31.88 વર્ષ છે.[૧૫]

ભાષાઓ[ફેરફાર કરો]

સીસ્વાતી [૧૬] (સ્વાતી , સ્વાઝી અથવા સેસ્વાતી તરીકે પણ ઓળખાય છે) ન્ગુની જૂથની બાન્તુ ભાષા છે, જે સ્વાઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં બોલાય છે. તે ભાષા બોલનારા 2.5 મિલિયન લોકો છે અને શાળાઓમાં શીખવાડાય છે. તે સ્વાઝીલેન્ડ (અંગ્રેજી સાથે)ની સત્તાવાર ભાષા છે અને દક્ષિણ આફ્રિકાની સત્તાવાર ભાષાઓમાંની એક છે.

દેશમાં 76,000 લોકો ઝૂલૂ ભાષા બોલે છે.[૧૭] પ્રદેશભરમાં ઘણા લોકો દ્વારા બોલચાલમાં વપરાતી ત્સાંગા ભાષા સ્વાઝીલેન્ડમાં 19,000 લોકો બોલે છે. અફ્રિકેનર વંશના કેટલાંક રહીશો દ્વારા પણ અફ્રિકાન્સ ભાષા બોલાય છે.

ધર્મો[ફેરફાર કરો]

સ્વાઝીલેન્ડમાં સૌથી સામાન્ય ખ્રિસ્તી ધર્મ છે જે કુલ વસ્તીનાં 82.70% છે જેમાં આફ્રિકન ઝિઓનિસ્ટ સહિત વિવિધ પ્રોટેસ્ટન્ટ અને સ્વદેશી આફ્રિકન ચર્ચો બહુમતી ખ્રિસ્તીઓને સમાવે છે, તે પછી રોમન કેથલિકવાદ આવે છે. દેશમાં ઈસ્લામ (0.95%), બહાઈ આસ્થા (0. 5%) અને હિન્દુ (0.15%) જેવા બિન-ખ્રિસ્તી ધર્મ પણ પાળવામાં આવે છે.[૧૮]

આ પણ જુઓ[ફેરફાર કરો]

  • સ્વાઝીલેન્ડમાં પરિવહન

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Department of Economic and Social Affairs Population Division (2009). "World Population Prospects, Table A.1" (PDF). 2008 revision. United Nations. મેળવેલ 2009-03-12. Cite journal requires |journal= (મદદ)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ "Swaziland". International Monetary Fund. મેળવેલ 2010-04-21.
  3. "UNDP: Human development indices - Table 3: Human and income poverty (Population living below national poverty line (2000-2007))" (PDF). United Nations Development Programme. 28 November 2008. મેળવેલ 29 December 2009.
  4. ૪.૦ ૪.૧ "Country programme outline for Swaziland, 2006-2010". United Nations Development Program. મૂળ માંથી ડિસેમ્બર 5, 2010 પર સંગ્રહિત. મેળવેલ November 22, 2009.
  5. "October 2008 Kaiser Family Foundation HIV/AIDS Policy Fact Sheet" (PDF). Kaiser Family Foundation. October 2008. મૂળ (PDF) માંથી 14 મે 2011 પર સંગ્રહિત. મેળવેલ 29 December 2009.
  6. Jacana Lodge. "A Short History of the Kingdom of Swaziland". મૂળ માંથી 23 મે 2009 પર સંગ્રહિત. મેળવેલ 29 December 2009.
  7. ૭.૦૦ ૭.૦૧ ૭.૦૨ ૭.૦૩ ૭.૦૪ ૭.૦૫ ૭.૦૬ ૭.૦૭ ૭.૦૮ ૭.૦૯ ૭.૧૦ ૭.૧૧ ૭.૧૨ ૭.૧૩ ૭.૧૪ સૈન્ય ઇતિહાસ સામયિક, ભાગ 11 નંબર 3/4 (ઓક્ટોબર, 1999). સંગ્રહિત ૨૦૧૫-૧૨-૨૨ ના રોજ વેબેક મશિનહુવ એમ જોન્સ, "ન્યૂટ્રૅલિટિ કોમ્પ્રોમાઈઝ્ડ: સ્વાઝીલેન્ડ એન્ડ ધ એંગ્લો-બોઅર વૉર, 1899 - 1902" સંગ્રહિત ૨૦૧૫-૧૨-૨૨ ના રોજ વેબેક મશિન
  8. WorldAtlas.com, Inc. "Map of Swaziland". મેળવેલ 29 December 2009.
  9. ૯.૦ ૯.૧ "Swaziland, Mortality Country Fact Sheet 2006" (PDF). WHO. મૂળ (PDF) માંથી ઑગસ્ટ 5, 2009 પર સંગ્રહિત. મેળવેલ November 22, 2009. Check date values in: |archive-date= (મદદ)
  10. "Causes of death in US, 2006" (PDF). CDC. મેળવેલ November 22, 2009.
  11. "Swaziland: A culture that encourages HIV/AIDS". Integrated Regional Information Networks (IRIN). 15 April 2009. મેળવેલ 2009-10-21.
  12. "Swaziland: An MSF Doctors Explains HIV-TB Co-Infection". USA: Doctors Without Borders/Médecins Sans Frontières. October 28, 2009. મેળવેલ 2009-10-31.
  13. ૧૩.૦ ૧૩.૧ ૧૩.૨ "Human Development Report 2009 - Swaziland". Hdrstats.undp.org. મૂળ માંથી 2010-07-15 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-27.
  14. ૧૪.૦ ૧૪.૧ ૧૪.૨ "2001 Findings on the Worst Forms of Child Labor". Bureau of International Labor Affairs, U.S. Department of Labor. 2002. "Swaziland" મૂળ Check |url= value (મદદ) માંથી 15 મે 2009 પર સંગ્રહિત. મેળવેલ 29 December 2009.
  15. CIA. "The World Factbook". મૂળ માંથી 26 ડિસેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ 29 December 2009. સંગ્રહિત ૨૦૧૮-૧૨-૨૯ ના રોજ વેબેક મશિન
  16. U.S. Department of State. "Background Note:Swaziland". મેળવેલ 29 December 2009.
  17. M. Paul Lewis (2009). "Ethnologue: Languages of the World, Sixteenth edition". મેળવેલ 29 December 2009.
  18. Religious Intelligence. "Country Profile: Swaziland (Kingdom of Swaziland)". મૂળ માંથી 26 જૂન 2008 પર સંગ્રહિત. મેળવેલ 29 December 2009.

વધુ વાંચન[ફેરફાર કરો]

  • સ્વાઝીલેન્ડની રસોઈ પદ્ધતિ

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]

સ્વાઝીલેન્ડ વિષય પર વધુ જાણવા માટે જુઓ:
શબ્દકોશ
પુસ્તકો
અવતરણો
વિકિસ્રોત
દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો અને ચિત્રો
સમાચાર
અભ્યાસ સામગ્રી
Wikivoyage
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:
સરકાર
સામાન્ય
પ્રવાસન
અન્ય

ઢાંચો:Swaziland topics