નાનોસણા (તા. વડગામ)

વિકિપીડિયામાંથી
નાનોસણા
—  ગામ  —
નાનોસણાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°03′N 72°17′E / 24.05°N 72.28°E / 24.05; 72.28
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો વડગામ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, બેંક, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી, બટાટા, મગફળી, એરંડા, રાયડો, ઘઉં

નાનોસણા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા વડગામ તાલુકામાં આવેલું એક ગામ છે. નાનોસણા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, બેંક તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ગામની ચારે બાજુ મંદિરો આવેલા છે. આઝાદી પહેલા પાલનપુર નવાબના તાબા હેઠળનું ગામ હતું.

નાનોસણા ગામ તાલુકા મથક વડગામથી ૧૩ કિમી અને જિલ્લા મુખ્ય મથક પાલનપુરથી ૩૦ કિમીના અંતરે આવેલું છે. ગામમાં તળાવ, પાંચવાટિકા, પુસ્તકાલય, જાહેર સૌચાલાય, વગેરે પણ આવેલાં છે. ગામની ઉત્તરે એદ્રાણા થઈ છાપી બજાર અને જીઆઈડીસી આવેલી છે અને રેલવે સ્ટેશન છે, દક્ષિણમાં પાટણ જિલ્લાના લુખાસણ ગામ સાથે સરહદ અડે છે. અહિંથી સિદ્ધપુર ૯ કિમીના અંતરે આવેલું છે. પૂર્વમાં નાંદોત્રાથી તાલુકા મથક વડગામ જવાનો માર્ગ છે જે ખેરાલુ, વિસનગર થઈ ને ગાંધીનગરને જોડે છે.