અંબોલી ઘાટ

વિકિપીડિયામાંથી
અંબોલી ઘાટ
સ્થાનમહારાષ્ટ્ર, ભારત
પર્વતમાળાસહ્યાદ્રી

અંબોલી ઘાટસહ્યાદ્રીનો એક પર્વતીય માર્ગ છે. આ ઘાટ પર અંબોલીનું હિલ સ્ટેશન આવેલું છે. તે કોલ્હાપુરથી સાવંતવાડી (અંબોલી થઈને) જવાના માર્ગ પર છે. આ ઘાટ પર ભારે વરસાદ પડે છે અને તે ગાઢ જંગલો, ધોધ અને સુંદર કુદરતી પર્યાવરણ ધરાવે છે.[૧] આ ઘાટ મહારાષ્ટ્રના પ્રવાસીઓના આકર્ષણોમાંનું એક છે.

અંબોલી ઘાટ ગોવા જવા માટેનો લોકપ્રિય રસ્તો છે.

દુર્ઘટનાઓ[ફેરફાર કરો]

૩૧ જુલાઈ ૨૦૧૭ના રોજ, સેલ્ફી લેવાનો પ્રયાસ કરતી વખતે અંબોલી ઘાટમાં ૨૦૦૦ ફીટ ઊંડી ખીણમાં પડી જવાથી બે પ્રવાસીઓના મૃત્યુ થયા હતા.[૨] [૩] [૪]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Adventures Drive Through The 9 Majestic Ghats of Maharashtra
  2. "Disturbing video: Two drunk men fall to their death in Amboli Ghat". 3 August 2017.
  3. "Body of youth who fell into valley in Amboli recovered". 4 August 2017.
  4. "Caught on Camera: 2 Fall into 2,000-Ft Deep Valley in Maharashtra, die".