અક્કલ સાહેબ

વિકિપીડિયામાંથી

સંત અક્કલ સાહેબ રવિ-ભાણ સંપ્રદાયના સંતકવિ છે. તેઓ દાસી જીવણ સાહેબ (ઇસ. ૧૭પ૦-૧૮રપ)ના ગુરુભાઈ અને ભીમ સાહેબ (જન્મ: ઇસ. ૧૭૧૮)ના શિષ્ય હતા. તેઓ ગેડિયા બ્રાહ્મણ (કચ્છના ગેડી નામના ગામેથી સ્થળાંતરિત ગરો-બ્રાહ્મણ) હતા. સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે તેમનું સમાધિસ્થાન અને આશ્રમ આવેલો છે. તેમની આ ગુરુગાદી બુંદશિષ્ય પરંપરાથી આજે પણ ચાલી રહી છે.

ગાદી પરંપરા
સંત શ્રી અક્કલસાહેબ
શ્રી હરીદાસ સાહેબ
શ્રી ધનદાસ સાહેબ
શ્રી ચતુરદાસ સાહેબ
શ્રી નિત્યાનંદદાસ સાહેબ
શ્રી હરિપ્રસાદ સાહેબ
શ્રી કૃષ્ણવદન સાહેબ (હાલમાં)