અરવિંદ ઘોષ

વિકિપીડિયામાંથી
અરવિંદ ઘોષ
અરબિન્દો ઘોષ
અરવિંદ ઘોષ
અંગત
જન્મ
અરવિંદ ઘોષ

(1872-08-15)15 August 1872
કોલકાતા, બંગાળ પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત
(વર્તમાન પશ્ચિમ બંગાળ)
મૃત્યુ5 December 1950(1950-12-05) (ઉંમર 78)
પોંડિચેરી, ફ્રેન્ચ ભારત
ધર્મહિન્દુ
રાષ્ટ્રિયતાભારતીય
જીવનસાથી
મૃણાલિની દેવી
(લ. 1901; અવસાન 1918)
Alma materકેમ્બ્રિજ યુનિવર્સિટી
સંબંધીઓમનમોહન ઘોષ (ભાઈ)
બારિન્દ્રકુમાર ઘોષ (ભાઈ)[૧]
સહી
સ્થાપકઅરવિંદ આશ્રમ
ફિલસૂફી
  • યોગ
  • વિકાસવાદ
કારકિર્દી માહિતી
સાહિત્યિક સર્જનધ લાઈફ ડિવાઈન, ધ સિન્થેસિસ ઓફ યોગા, સાવિત્રી

અરવિંદ ઘોષ અથવા શ્રી અરવિંદ (૧૫ ઓગસ્ટ ૧૮૭૨ – ૫ ડિસેમ્બર ૧૯૫૦) એક ભારતીય તત્ત્વજ્ઞાની, યોગી, મહર્ષિ, કવિ અને ભારતીય રાષ્ટ્રવાદી હતા.[૨] તેઓ એક પત્રકાર પણ હતા, જેઓ વંદે માતરમ્ જેવા અખબારોનું સંપાદન કરતા હતા.[૩] તેઓ બ્રિટિશ વસાહતી શાસનથી સ્વતંત્રતા માટેની ભારતીય ચળવળમાં જોડાયા હતા. ૧૯૧૦ સુધી તેઓ તેના પ્રભાવશાળી નેતાઓમાંના એક હતા, અને ત્યારબાદ તેઓ આધ્યાત્મિક સુધારક બન્યા હતા. તેમણે માનવ પ્રગતિ અને આધ્યાત્મિક ઉત્ક્રાંતિ પરના તેમના દૃષ્ટિકોણનો પરિચય કરાવ્યો હતો.

શ્રી અરવિંદે કિંગ્સ કોલેજ, કેમ્બ્રિજ, ઇંગ્લેન્ડ ખાતે ભારતીય સનદી સેવા (ઇન્ડિયન સિવિલ સર્વિસ) માટે અભ્યાસ કર્યો હતો. ભારત પાછા ફર્યા બાદ તેમણે વડોદરા રજવાડાના મહારાજાના હાથ નીચે વિવિધ સનદી સેવા કાર્યો હાથ ધર્યા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં રાષ્ટ્રવાદી રાજકારણ અને અનુશીલન સમિતિ સાથે બંગાળમાં પ્રારંભિક ક્રાન્તિકારી ચળવળમાં સામેલ થયા.

ન્યાયિક જાહેર સુનાવણીમાં તેમના સંગઠન સાથે સંકળાયેલા સંખ્યાબંધ બોમ્બ ધડાકાઓ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તેમને અલીપોર ષડયંત્ર માટે દેશદ્રોહના આરોપોનો સામનો કરવો પડ્યો હતો. જો કે, શ્રી અરવિંદને ભારતમાં બ્રિટીશ વસાહતી શાસન વિરુદ્ધ લેખો લખવા બદલ જ દોષિત ઠેરવી જેલમાં ધકેલી દેવામાં આવ્યા. સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષના સાક્ષી નરેન્દ્રનાથ ગોસ્વામીની હત્યા બાદ પુરાવાઓના અભાવે તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. જેલમાં તેમના રોકાણ દરમિયાન તેમને રહસ્યવાદી અને આધ્યાત્મિક અનુભવો થયા. ત્યારબાદ તેઓ પોંડિચેરી ગયા અને આધ્યાત્મિક કાર્ય માટે રાજકારણ છોડી દીધું.

પોંડિચેરીમાં શ્રી અરવિંદે એક આધ્યાત્મિક અભ્યાસ વિકસાવ્યો હતો, જેને તેઓ ઇન્ટિગ્રલ યોગ કહેતા હતા. તેમની આદ્યાત્મિક દૃષ્ટિનો મુખ્ય વિષય માનવ જીવનનો દૈવી શરીરમાં દૈવી જીવનમાં વિકાસ હતો. તેઓ એક આધ્યાત્મિક અનુભૂતિમાં માનતા હતા, જેણે માનવ સ્વભાવને માત્ર મુક્ત જ નથી કર્યો, પરંતુ તેમાં પરિવર્તન પણ લાવ્યું છે, જેણે પૃથ્વી પર દૈવી જીવનને સક્ષમ બનાવ્યું છે. ૧૯૨૬માં તેમના આધ્યાત્મિક સહયોગી મિરા આલ્ફાસા (જેને "માતા" તરીકે ઓળખવામાં આવે છે)ની મદદથી શ્રી અરવિંદ આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી.

તેમની મુખ્ય સાહિત્યિક કૃતિઓ ધ લાઇફ ડિવાઇન, જે ઇન્ટિગ્રલ યોગના દાર્શનિક પાસા સાથે સંબંધિત છે;[૪] સિન્થેસિસ ઓફ યોગા, જે અભિન્ન યોગના સિદ્ધાંતો અને પદ્ધતિઓ સાથે સંબંધિત છે;[૫] અને સાવિત્રી: અ લિજેન્ડ એન્ડ અ સિમ્બોલ, એક મહાકાવ્ય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Dasgupta, Sanjukta. "A horrendous tale". www.thestatesman.com. The Statesman. મેળવેલ 18 January 2022.
  2. Chaama, Sridhar (16 August 2012). "Remembering a guru". The Hindu. મેળવેલ 17 August 2021.
  3. McDermott (1994), pp. 11–12, 14
  4. Sri Aurobindo, Sri (May 2009). The Life Divine. ISBN 9788170588443. મેળવેલ 19 June 2021.
  5. Sri Aurobindo, Sri (1992). The Synthesis of Yoga. ISBN 9780941524667. મેળવેલ 19 June 2021.