આઈ.એન.એસ. કુરસુરા (એસ ૨૦)
દેખાવ
આઈએનએસ કુરસુરા (એસ ૨૦) એ ભારત દેશની એક યુદ્ધ સબમરીન હતી. આ ડીઝલ તેમ જ ઈલેકટ્રીક ઊર્જા સંચાલિત કલવરી કક્ષાની ભારત દેશની પાંચમી સબમરીન હતી. આ સબમરીનને ૧૮ ડિસેમ્બર, ૧૯૬૯ના રોજ કાર્યરત કરવામાં આવી હતી અને ૩૧ વર્ષની દીર્ઘકાળની સેવાઓ પછી ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૧ના રોજ સબમરીનને તેના કાર્યમાંથી નિવૃત્ત કરવામાં આવી હતી. આ સબમરીને વર્ષ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભાગ[૧] લઈ દરિયાઈ સંત્રી તરીકે ચાવીરુપ ભૂમિકા ભજવી હતી.
હાલમાં આ સબમરીનને એક સંગ્રહાલય તરીકે આંધ્ર પ્રદેશ રાજ્યના વિશાખાપટનમ શહેર ખાતે રામકૃષ્ણ મીશન બીચ ખાતે જાહેર જનતા માટે પ્રદર્શિત કરવામાં આવેલ છે. આ એશિયા ખંડનું સૌ પ્રથમ સબમરીન સંગ્રહાલય છે.[૨]
ચિત્રદર્શન
[ફેરફાર કરો]- આઈ એન એસ કુરસુરા સંગ્રહાલય તરીકે
- સબમરીનનો બાહ્ય દેખાવ
- સબમરીનની અંદરનું એક દૃશ્ય
- અધિકારી આરામ-કક્ષ
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "નૌકાદળ સબમરીનના દુકાળનો સામનો કરી રહ્યું છે". દિવ્ય ભાસ્કર. ૧૫ ઓગસ્ટ ૨૦૧૩. મેળવેલ ૨૧ જાન્યુઆરી ૨૦૧૮.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ સતિષકુમાર વિશાખાપટ્ટનમ (૨૦૧૪ માર્ચ ૧૬). "જ્યારે સબમરીન બહાર નીકળે છે..." માતૃભૂમિ (મલયાલમમાં). મૂળ (સમાચારપત્ર) માંથી ૨૦૧૪-૦૩-૧૬ ૦૮:૦૫:૧૫ પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૮ જાન્યુઆરી ૨૧.
{{cite news}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ)