લખાણ પર જાઓ

આલુપુરી

વિકિપીડિયામાંથી
સુરતની આલુ પુરી

આલુપુરી એક વ્યંજન (વાનગી) છે. આ શાકાહારી વાનગી છે. જેમાં આલુ (બટાકાં) અને ચણા અથવા વટાણાનું શાક, મેંદા પુરી ઉપર ડુંગળી અને મસાલા-ચટણી સાથે પીરસવામાં આવે છે. આ વાનગી ઉત્તર ભારતની પ્રખ્યાત નાસ્તામાં લેવાતી વાનગી છે. જ્યાં એ સામાન્ય રીતે બુંદી રાયતા અને કેરીના અથાણા સાથે ખવાય છે.[]

રાંદેરની પ્રખ્યાત આલુ પુરી[] માટે કહેવાય છે કે તેની મુળ બનાવટ રાંદેરમાં વસતા મુસ્લિમ સમુદાયનાં લોકોની છે. રાંદેરમાં વર્ષો પહેલા ખાલીદચાચા નામના વ્યક્તિએ બર્માથી આ વાનગી શીખી આવીને અહીંના લોકોને પીરસવાનું શરૂ કર્યું હતું[સંદર્ભ આપો]. સમય જતા તે લોકોને ખુબ પસંદ પડી અને શહેરભરમાં પ્રખ્યાત થઇ ગઈ.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "indianfoodforever.com". મૂળ માંથી 2014-03-26 પર સંગ્રહિત. મેળવેલ 2014-07-01. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. દિ.ભા. અહેવાલ