આલ્ફ્રેડ નોબેલ

વિકિપીડિયામાંથી
આલ્ફ્રેડ નોબેલ
Alfred Nobel
જન્મAlfred Bernhard Nobel Edit this on Wikidata
૨૧ ઓક્ટોબર ૧૮૩૩ Edit this on Wikidata
Jakob and Johannes parish Edit this on Wikidata
મૃત્યુ૧૦ ડિસેમ્બર ૧૮૯૬ Edit this on Wikidata
Sanremo (ઈટલીEdit this on Wikidata
અંતિમ સ્થાનNorra begravningsplatsen Edit this on Wikidata
વ્યવસાયરસાયણશાસ્ત્રી Edit this on Wikidata
માતા-પિતા
  • Immanuel Nobel Edit this on Wikidata
  • Karolina Andriette Ahlsell Edit this on Wikidata
કુટુંબLudvig Nobel, Robert Nobel Edit this on Wikidata
પુરસ્કારો
  • National Inventors Hall of Fame (૧૯૯૮)
  • Officer of the Legion of Honour
  • Knight of the Order of the Polar Star
  • Officer of the Order of the Crown of Italy
  • Officer of the Imperial Order of the Rose
  • Knight Officer of the Order of Saints Maurice and Lazarus
  • John Fritz Medal (૧૯૧૦)
  • Knight of the Legion of Honour
  • Officer of the Order of the Southern Cross Edit this on Wikidata
સહી

આલ્ફ્રેડ નોબલનો જન્મ ૨૧ ઓક્ટોબર ૧૮૩૩ના રોજ સ્વિડનમાં બાલ્ટિક સમુદ્રના કાંઠે આવેલા સ્ટોકહોમમાં થયો હતો. પિતાના આઠ સંતાનો પૈકી તેઓ ત્રીજા સંતાન હતા. તેઓ નાનપણથી જ વિસ્ફોટકોમાં રસ ધરાવતા હતા. તેમનું શરૂઆતનું શિક્ષણ સ્ટોકહોમમાં થયું. યુવાવસ્થામાં રસાયણશાસ્ત્ર અને ઈજનેરીના અભ્યાસ માટે ફ્રાન્સ અને અમેરિકામાં રહ્યાં. તેમની મુખ્ય ઓળખ રસાયણશાસ્ત્રી, ઈજનેર, વ્યાપારી અને વિશેષતઃ દાનવીર તરીકેની છે. નોબલના નામે ૩૫૫ પેટન્ટની નોંધણી થયેલી છે. તેમાં સૌપ્રથમ ગન પાવડર બનાવવાની રીત હતી. તે પછી નાઈટ્રો-ગ્લિસરીનનો ઉપયોગ, ડિટોમિટર, બ્લાસ્ટીંગ કેપ અને ૧૮૬૭માં શોધાયેલ ડાઈનેમાઈટ હતું. ડાઈનેમાઈટ નામના પ્રસિદ્ધ વિસ્ફોટકના શોધક આલ્ફ્રેડ વિશ્વમાં ભાવિ સંશોધનો માટે સતત સચેત હતા. ૧૮૮૪માં તેઓ રોયલ સ્વિડીશ એકેડમી ઓફ સાયન્સમાં સક્રિય સભ્ય તરીકે ચૂંટાયા હતા. નોબેલે વૈજ્ઞાનિક શોધો દ્વારા અઢળક પ્રમાણમાં ધન પ્રાપ્ત કર્યું હતું. તેમણે કમાયેલા ધનના વ્યાજબી ઉપયોગ માટે ૨૯ જૂન ૧૯૦૦ના રોજ નોબલ ફાઉન્ડેશનની સ્થાપના કરી. તેમની મિલકતના વ્યાજમાંથી સાહિત્ય, વૈદક, ભૌતિક વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, રસાયણ વિજ્ઞાન અને શાંતિ એમ કુલ છ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિવિશેષને દર વર્ષે એક એક કરોડની સ્વિડિશ રાશિનું પારિતોષિક એનાયત કરવામાં આવે છે. ઇ.સ. ૧૯૦૧ના વર્ષથી આ નોબેલ પારિતોષિકો નિયમિતપણે એનાયત કરવામાં આવે છે. વિશ્વ ઈતિહાસમાં નોબલ પુરસ્કારથી સૌથી મોટો પુરસ્કાર ગણાય છે.

આલ્ફ્રેડ નોબલનું અવસાન ૧૦ ડિસેમ્બર ૧૮૯૬ના રોજ ઈટલીમાં થયું હતું.

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]