આશ્રમશાળા

વિકિપીડિયામાંથી

પ્રાથમિક શિક્ષણ એટલે કે ધોરણ ૧ થી ૭ સુધીનું શિક્ષણ. આ પ્રાથમિક શિક્ષણ જ્યાં આપવામાં આવતું હોય, તે શાળાને પ્રાથમિક શાળા કહેવાય છે. આ જ રીતે માધ્યમિક શાળા ધોરણ ૮ થી ધોરણ ૧૦ સુધીનું શિક્ષણ અને ઊચ્ચતર માધ્યમિક શાળા ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ સુધીનું શિક્ષણ આપે છે. આ ધોરણ ૧ થી ધોરણ ૧૨ સુધીનું શિક્ષણ આપતી જે શાળામાં વિદ્યાર્થીને રહેવા તેમ જ જમવાની સગવડ પણ હોય તેવી શાળાને આશ્રમશાળા કહેવામાં આવે છે, જે ખાસ કરીને અંતરીયાળ ગામોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવેલી હોય છે. ગુજરાત રાજ્યના ઘણાં ગામોમાં આશ્રમશાળાઓ આવેલી છે. આ આશ્રમશાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા સમુહજીવનના અભ્યાસના હેતુ માટે રસોઇકાર્યમાં મદદ, સફાઇ તેમ જ સુશોભન કાર્ય, પાણી ભરવાનું કાર્ય, ગૌશાળાકાર્ય, બાગકામ, ખેતીકામ, કાંતણકામ જેવાં શ્રમકાર્યો પણ કરવામાં આવે છે. કેટલીક આશ્રમશાળાઓમાં વિદ્યાર્થીઓમાંથી વ્યવસ્થાપક સમિતિ પણ બનાવવામાં આવે છે, જે બધાં જ કાર્યોમાં દેખરેખ અને માર્ગદર્શનનું કાર્ય કરે છે.

ગુજરાત રાજ્યમાં આવેલી આશ્રમશાળાઓમાં સરકાર દ્વારા આવી કેટલીક આશ્રમશાળાઓ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત કેટલાંક કેળવણી મંડળો દ્વારા તેમ જ સર્વોદય સંસ્થાઓ દ્વારા પણ આશ્રમશાળાઓ ચલાવવામાં આવે છે. કેટલીક ખાનગી સંસ્થાઓ પણ આ ક્ષેત્રમાં કાર્યરત છે.

બાહ્ય કડી[ફેરફાર કરો]