કનિષ્ક

વિકિપીડિયામાંથી
Kanishka I
Kushan king
[[File:|frameless|alt=]]
Gold coin of Kanishka I (late issue, c.150 AD). Kanishka standing, clad in heavy Kushan coat and long boots, flames emanating from shoulders, holding standard in his left hand, and making a sacrifice over an altar. Bactrian legend in Greek script (with the addition of the Kushan Ϸ "sh" letter): ϷΑΟΝΑΝΟϷΑΟ ΚΑΝΗϷΚΙ ΚΟϷΑΝΟ ("Shaonanoshao Kanishki Koshano"): "King of Kings, Kanishka the Kushan".
રાજ્યકાળKushan: 127 AD - 151 AD
તાજપોશીc. AD 127
આખું નામKanishka (I)
ખિતાબોKing of Kings, the Great Saviour, the Son of God, the Shah, the Kushan
પૂર્વગામીVima Kadphises
અનુગામીHuvishka

કનિષ્ક (સંસ્કૃતઃ कनिष्क, બે્ક્ટ્રિયન ભાષા:Κανηϸκι, મધ્ય ચીન:迦腻色伽)એ મધ્ય એશિયામાં સ્થિત કુષાણ સામ્રાજ્યનો રાજા હતો. સામાન્ય સંવસ્તરની બીજી શતાબ્દીમાં બેક્ટ્રિયાથી માંડીને ઉત્તર ભારત સુધી પોતાનું સામ્રાજ્ય વિસ્તારતો શાસક, જે પોતાના સૈન્ય, રાજનીતિક અને આધ્યાધ્યામિક સિદ્ધીઓ માટે જાણીતો હતો. તેની મુખ્ય રાજધાની પુરુશપુરામાં (વર્તમાનમાં પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમમાં આવેલું પેશાવર), જ્યારે પાકિસ્તાનના તક્ષશિલા, અફ્ઘાનિસ્તાનના બેગ્રામ અને ભારતના મથુરા શહેરોમાં પ્રાદેશિક રાજધાનીઓ હતી.

મહાન કુષાણ રાજા[ફેરફાર કરો]

કનિષ્ક યુએઝી રાજવંશના કુષાણ હતા. તે પૂર્વીય ઈરાન, ભારત-યુરોપિયન ભાષા, જે બેક્ટ્રિયન તરીકે જાણીતી હતી તેનો ઉપયોગ કરતા. (કહી શકાય "αρια," ઉ.દા. રબાતક શિલાલેખમાં “આર્યન”), જે તેમના શિલાલેખોમાં ગ્રીક હસ્તલિપિમાં જોઈ શકાય છે. તેમ છતાં કુષાણો જે ભાષા મૂળ રીતે બોલતા હતા તે નિશ્ચિત નથી; શક્ય છે કે તે ટોચારિઅનનું સ્વરૂપ હોઈ શકે. શિલાલેખોની “આર્યન” ભાષા મધ્ય ઈરાનની ભાષા હતી,[૧] સંભવત: “આર્ય” અથવા “અરિઅના”માં બોલાતી તે એક છે. (આધુનિક હેરાત અન્સ આસપાસનો પ્રદેશ હતો, પરિણામ સ્વરૂપ અંશત: રીતે કુષાણની ભાષા સાથે સુસંગત નથી (અથવા યુએઝી), પરંતુ સ્થાનિક લોકો સાથે પ્રત્યાયનના હેતુસર અપનાવવામાં આવી. કુષાણ રાજાઓના એક પ્રભાવશાળી વારસ દ્વારા પ્રદર્શિત, રબાતક શિલાલેખ પ્રમાણે કનિષ્ક વિમા કડફેસેસના ઉત્તરાધિકારી હતા.[૨][૩]

કનિષ્ક વિષે ઘણાં મુદ્રાલેખો છે, બૌદ્ધ ધમર્ના મહાન પુરસ્કર્તા સ્વરૂપે તેઓ બૌદ્ધ ધાર્મિક પરંપરાઓમાં સંરક્ષિત છે. બૌદ્ધ ધર્મ પાળનારા લોકો, ભારતના રાજા અશોક અને હર્ષવર્ધન તેમજ ભારતીય-ગ્રીક રાજા મેનાન્દેર(મિલિન્દ)ની જેમ તેમને પણ મહાન બૌદ્ધ રાજા તરીકે ઓળખાવે છે. કનિષ્કના સંવત્સરનો કુષાણો અને બાદમાં મથુરામાં ગુપ્ત લોકો દ્વારા પંચાગ તરીકે લગભગ ત્રણ દાયકાઓ સુધી ઉપયોગ કરાયો. હેરી ફેલ્કના નક્કર સંશોધનને આધારે કનિષ્કના સંવત્સર (યુગ)ની શરૂઆત 127 સીઈ (CE)માં થઈ હોવાનું હાલમાં ઘણાં લોકો માને છે.[૪] વાસ્તવિક સ્ત્રોત છતાં, 227 સીઈ (CE) એ કનિષ્કના નામનો ઉલ્લેખ કર્યા વિના કુષાણનો એક વર્ષ તરીકે ઉલ્લેખ આપે છે. ચીનના તેમજ અન્ય સ્રોતોના આધારે ફ્લેક દ્વારા નિષ્કર્ષિત કરાયું કે, કુષાણ શતાબ્દીઓ પછીથી હંમેશા “સેંકડો પતન” સાથે 127 સીઈ(CE)નો આરંભ થયો હતો.

દક્ષિણ અને મધ્ય એશિયામાં વિજય[ફેરફાર કરો]

કનિષ્ક સામ્રાજ્ય નિશ્ચિતરૂપે વિશાળ હતું. તે દક્ષિણ ઉઝબેકિસ્તાન અને તઝિકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ઉત્તર પશ્ચિમમાં અમુ દર્યા (ઓક્સસ)ની ઉત્તરે, અને તે જ રીતે દક્ષિણ પૂર્વમાં મથુરા સુધી વિસ્તારેલું હતું. (રબાતક શિલાલેખના ઉલ્લેખો પ્રમાણે પાટલીપુત્ર અને શ્રી ચાંપા પણ તેના હેઠળ હતું.) તેના રાજ્યક્ષેત્રમાં કાશ્મીરનો પણ સમાવેશ થતો હતો, જ્યાં કનિષ્કપુર શહેર આવેલું હતું, જેનું નામકરણ તેના બાદ થયું અને તે બારામુલાથી દૂર નહોતું, અહીં આજે પણ વિશાળ સ્તૂપનો મૂળભાગ આવેલો છે.

મધ્ય એશિયા પર તેની પકડનું જ્ઞાન તેના સારી રીતે સ્થાપિત વિસ્તારથી ઓછું હતું. લેટર હાનના પુસ્તક, હોઉ હન્શુ માં ટાંકવામાં આવ્યું છે કે જનરલ બાન ચાઓએ 90 સીઈ (CE)માં ખોતન નજીક 70,000 માણસો સાથેની કુષાણ સેના સાથે યુદ્ધ કર્યું હતું, જેનું નેતૃત્વ અજ્ઞાત કુષાણ અથવા વાઈસરોય ક્ષીઈ (ચીનની ભાષામાં : 謝) દ્વારા કરવામાં આવ્યું. જોકે બાન ચાઓએ વિજયી હોવાનો દાવો કર્યો હતો, તેમણે જમીનને આગ લગાડવાની નીતિ (સ્ક્રોચ અર્થ પોલિસી)નો ઉપયોગ કરી કુષાણોને પીછેહટ માટે મજબૂર કર્યા, અંતે બીજી સદીની શરૂઆતમાં આ પ્રાન્ત કુષાણ સેનાએ ગુમાવ્યો પડ્યો.[૫] પરિણામરૂપે એક અવધિ માટે (જ્યાં સુધી ચીનનું નિયંત્રણ આવ્યું સી . 127 સીઈ (CE))[૬] કુષાણ રાજ્યક્ષેત્રનું ટુંકા સમયગાળા માટે અનુક્રમે કષ્ગર, ખોતાન અને યાર્કખંડ તરીકે વિસ્તરણ થયું. જ્યાં તરીમ બસીનમાં ચીનની સંભવિત પરિસંપતિ હતી, જે હાલનું આધુનિક ઝિંજિયાંગ છે. તરીમ બેસીનમાં કનિષ્કના ઘણાં સિક્કાઓ મળી આવ્યા છે.

દક્ષિણ એશિયા અને રોમ વચ્ચે ભૂમિ (સિલ્ક રોડ) અને સમુદ્ર એમ બંને વ્યાપાર માર્ગનું નિયંત્રણ એ કનિષ્કના મુખ્ય શાહી લક્ષ્યોમાંથી એક હોવાનું જણાય છે.

કનિષ્કના નાણા સિક્કા[ફેરફાર કરો]

પ્રાચીન ગ્રીક દેવ સૂર્યના દેવત્વ સાથે કનિષ્ક 1નો સોનાનો સિક્કો. (c.120 AD).સિક્કાની મુખ્ય બાજુઃ ઊભેલા કનિષ્ક, ભારે કુષાણ કોટ અને લાંબા બૂટ પહેરીને, ખભાઓમાંથી જ્વાળાઓ છોડતાં, તેમના ડાબા હાથમાં ખભાઓમાંથી નીકળતી જ્વાળાઓ, ડાબા હાથમાં માનક પકડીને, અને યજ્ઞવેદી પર બલિ ચઢાવતા.ગ્રીક દંતકથા ΒΑΣΙΛΕΥΣ ΒΑΣΙΛΕΩΝ ΚΑΝΗϷΚΟΥ “[સિક્કો] કનિષ્કનો, રાજાઓના રાજા”.સિક્કાની પાછળની બાજુઃ જમણા હાથથી આશીર્વાદની ચેષ્ટા રચતા, ગ્રીક શૈલીમાં ઊભેલા સૂર્ય દેવગ્રીક લિપિમાં દંતકથાઃ ΗΛΙΟΣ સૂર્ય દેવ.જમણે કનિષ્ક આદ્યાક્ષરી મુદ્રા (તમઘા)


કનિષ્કના સિક્કા ભારતીય-આર્યન, ગ્રીસ, ઈરાની અને સુમેર-ઈલામાઈટ દેવત્વનું વર્ણન કરે છે, જે તેમની માન્યતાઓમાં ધાર્મિક સમન્વયતાનું પ્રદર્શન કરે છે. તેમના શાસનકાળમાં શરૂઆતથી કનિષ્ક સિક્કાઓ ગ્રીસ ભાષા તેમજ હસ્તલિપિમાં કોતરણી કામ ધરાવે છે, અને ગ્રીસ દિવત્વોને શબ્દ ચિત્રમાં રજૂ કરે છે. બાદમાં સિક્કાઓએ બેક્ટ્રિયન ભાષામાં બેક્ટ્રિયન મુદ્રાલેખ ધારણ કર્યા, ઈરાનની ભાષા (બેક્ટ્રિયન) સ્પષ્ટ રીતે કુષાણો દ્વારા બોલવામાં આવતી અને ત્યારબાદ ઈરાનની કોઈ એક અનુરૂપ ગ્રીસ દેવત્વો પરિવર્તિત કરવામાં આવ્યા. કુષાણના તમામ સિક્કાઓ – બેક્ટ્રિયન ભાષામાં મુદ્રાલેખ સાથેનો પણ એક – એ સુધારાયેલી ગ્રીક હસ્તલિપિમાં લખાયેલા હતા, જેમાં “કુશાન” (Kushan) અને “કનિષ્ક” (Kanishka)ના શબ્દોના રૂપમાં / / ( )નું પ્રતિનિધિત્વ કરતું વધારાનું એક પ્રતીકાત્મક ચિન્હ (Ϸ ) હતું.

તેમના સિક્કાઓ પર, રાજાને સામાન્ય રીતે એક લાંબા કોટ અને પગની ઘૂંટી સુધીની પટલૂનમાં અને તેમના ખભામાંથી નીકળતી આગની લપટોની સાથે દાઢીવાળા પુરૂષના રૂપમાં દર્શાવાયા છે. તેમણે મોટા ગોળ જૂતા પહેર્યા છે અને હાથમાં એક કટાર જેવી દેખાતી લાંબી તલવાર અને ભાલા સાથે સશસ્ત્ર છે. તે હંમેશા નાની યજ્ઞવેદી પર બલિ કરતા જોઈ શકાય છે. કનિષ્કની આદમકદની પ્રતિમામાં તેમણે નીચેના ભાગમાં આ પ્રકારના જ વસ્ત્રો ધારણ કર્યા છે, તેના કોટની નીચે ભરતકામ કરેલી કડક બાંયો છે અને તેના પાયજામા જરાં વળેલા છે અને તેના બુટમાં આર બેસાડેલી છે, તાલિબાનો દ્વારા તોડી પાડવામાં આવ્યું ત્યાર સુધી આ શિલ્પ કાબુલના મ્યુઝિયમમાં હતું.[૭]

પ્રાચીન ગ્રીક (હેલેનિસ્ટીક) કાળ[ફેરફાર કરો]

તેમના શાસનકાળની શરૂઆતના કેટલાક સિક્કાઓ ગ્રીસની ભાષા અને ગ્રીસ હસ્તલિપિમાં મુદ્રાલેખ ધરાવે છે : ΒΑΣΙΛΕΥΣ ΒΑΣΙΛΕΩΝ ΚΑΝΗϷ ΚΟΥ, બાસિલેઅસ બાસિલિઓન કનેષ્કોઉ “કનિષ્કનો [સિક્કો] રાજાઓનો રાજા.” પારંભના આ સિક્કાઓ ગ્રીસના દેવત્વોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે:

  • ΗΛΙΟΣ (એલિઓસ હેલિઓસ), ΗΦΑΗΣΤΟΣ (એફાએસ્ટોસ હેફાઈસ્ટોસ), ΣΑΛΗΝΗ (સાલેને સાલેને), ΑΝΗΜΟΣ (અનેમોસ અનેમોસ)

ઈરાની/ભારતીય તબક્કો[ફેરફાર કરો]

ઈરાનિયન દેવત્વ અદ્શો ( ગ્રીક શબ્દોમાં ΑΘϷΟ દંતકથા)નું પ્રતિનિધિત્વ કરતી કુષાણ રત્ન(Carnelian)ની મહોર, ડાબે ત્રિરત્ન ચિહ્ન, અને જમણે કનિષ્ક રાજવંશનું નિશાન.દેવત્વ પેંગડાઓનો ઉપયોગ કરે છે.

નીચે આપેલા સિક્કાઓ પર બેક્ટ્રિયન ભાષાની અવધિ જોવા મળે છે, જેમાં ગ્રીકને સ્થાને ઈરાની અને ભારતીય દેવત્વોને જોઈ શકાય છે.

  • ΑΡΔΟΧϷ Ο (અર્ડોક્સશો , અશિ વંગુહિ)
  • ΛΡΟΟΑΣΠΟ (લ્રુર્રોઆસ્પો , ડ્ર્વાસ્પા)
  • ΑΘϷ Ο (અડશો , અતર)
  • ΦΑΡΡΟ (ફાર્રો , મૂર્તિમંતરૂપ ખ્વારેન્હા)
  • ΜΑΟ (માઓ , માહ)
  • ΜΙΘΡΟ, ΜΙΙΡΟ, ΜΙΟΡΟ, ΜΙΥΡΟ (મિથ્રો , મિરો , મિઓરો , મિઉરો , મિથ્રાના ભિન્ન સ્વરૂપ)
  • ΜΟΖΔΟΟΑΝΟ (મોઝ્ડઆઉઆનો , “મઝ્દા વિજયાંકિત?")
  • ΝΑΝΑ, ΝΑΝΑΙΑ, ΝΑΝΑϷ ΑΟ (અખિલ એશિયાઈ નાના ના ભિન્ન સ્વરૂપ, સોગ્ડિઅન ન્નય , પારસી સંદર્ભમાં અરેડ્વિ સુરા અનાહિતા અર્થ થાય છે.
  • ΜΑΝΑΟΒΑΓΟ (માનાઓબાગો , વોહુ મનહ)
  • ΟΑΔΟ (ઓઆડો , વાતા)
  • ΟΡΑΛΑΓΝΟ (ઓર્લાગ્નો , વેરેથ્રગ્ન)

ફક્ત કેટલાક ભારતીય દેવત્વો નીચે પ્રમાણે ઉપયોગમાં લેવાયા:

  • ΒΟΔΔΟ (બોડ્ડો , બુદ્ધ),
  • Ϸ ΑΚΑΜΑΝΟ ΒΟΔΔΟ (શકામાનો બોદ્ધ , શક્યામુનિ બુદ્ધ)
  • ΜΕΤΡΑΓΟ ΒΟΔΔΟ (મેટ્રાગો બોડ્ડો , બોધિસત્વ મૈત્રેય)

વધુમાં ΟΗϷ Ο (ઓએશો )(oesho ) ને લાંબા સમય સુધી ભારતીય શિવનું પ્રતિનિધિત્વ માનવામા આવતા, હાલના સંશોધનો ઓએશોએ અવેસ્તન વાયુ શિવ સાથે સંકલિત હોવાનો નિર્દેશ કરે છે.[૮][૯]

કનિષ્ક અને બૌદ્ધ ધર્મ[ફેરફાર કરો]

બુદ્ધના પ્રતિનિધિત્વ સાથે કનિષ્ક પ્રથમનો સોનાનો સિક્કો (c.120 AD).સિક્કાની મુખ્ય બાજુએઃ ઊભેલા કનિષ્ક..,ભારે કુષાણ કોટ પહેરેલા અને લાંબા બૂટમાં, ખભાઓમાંથી નીકળતી જ્વાળાઓ, ડાબા હાથમાં માનક પકડીને, અને યજ્ઞવેદી પર બલિ ચઢાવતા. ગ્રીક લિપિમાં કુષાણ ભાષાની દંતકથા (કુષાણના Ϸ "શ" અક્ષરના ઉમેરા સાથે): ϷΑΟΝΑΝΟϷΑΟ ΚΑΝΗϷΚΙ ΚΟϷΑΝΟ (“શાઓનાનોશાઓ કનિશ્કિ કોશાનો”): “રાજાઓના રાજા, કનિષ્ક કુષાણ”.સિક્કાની પાછળની બાજુએ: ગ્રીક શૈલીમાં ઊભેલા બુદ્ધ, તેમના જમણા હાથથી “કોઈ ડર નહિ” ની ચેષ્ટા રચતા (અભય મુદ્રા ), અને તેમના ડાબા હાથમાં તેમના ઝભ્ભાની પાટલી પકડેલા.ગ્રીક લિપિમાં દંતકથા, ΒΟΔΔΟ “બોડ્ડો”, બુદ્ધ માટે. જમણે કનિષ્ક આદ્યાક્ષરી મુદ્રા (તમઘા)

બૌદ્ધ પરંપરામાં કનિષ્કની પ્રતિષ્ઠા મુખ્યત્વે, ઈસુના મૃત્યુના 78 વર્ષ બાદ(AD) કાશ્મીરમાં કનિષ્કે યોજેલી 4થી બૌદ્ધ સભા પર આધારિત છે. 32 શારીરિક સંકેતો પર આધારિત બૌદ્ધના ચિત્રો તેમના સમયમાં બનાવાયા હતા. તેમણે ઈસુના મૃત્યુના 78 વર્ષ બાદ (AD) પંચાંગ શરૂ કર્યુ હતુ, જે આજે ભારતીય રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકારાયું છે.

તેમણે ધ ગાંધાર સ્કૂલ ઓફ ગ્રીસો-બુદ્ધીસ્ટ અને મથુરા સ્કૂલ ઓફ હિન્દુ આર્ટ એમ બંનેને પ્રોત્સાહન પૂરું પાડ્યું (કુષાણ શાસનમાં પ્રવર્તતી અપરિહાર્ય ધાર્મિક સમન્વયતા). કનિષ્ક અંગતપણે બૌદ્ધ અને પર્શિયન દેવ મિથ્રા (સૂર્ય અને મિત્રતાના દેવ)ને સ્વીકારતા હોવાનું ભાસે છે.

પાકિસ્તાનના પેશાવરમાં સ્થિત કનિષ્ક સ્તૂપ તેમનો બૌદ્ધ સ્થાપત્યને સૌથી મોટો ફાળો હતો. પુરાતત્વવિદ્દોએ 1908-1909માં ફરી એ સ્તૂપનો પાયો શોધી કાઢ્યો, તેમણે જણાવ્યું કે સ્તૂપનો વ્યાસ 286 ફૂટનો હતો. ગ્ઝુઆન ઝાંગ જેવા ચાઈનીઝ જાત્રાળુઓના અહેવાલ દર્શાવે છે કે તેની ઉંચાઈ 600થી 700 (ચાઈનીઝ) ”ફૂટ” (= આશરે 180-210 મીટર અથવા 591-689 ફૂટ.) હતી અને તે રત્નથી ઢંકાયેલો હતો.[૧૦] ચોક્કસપણે આ વિશાળ બહુમાળી ઈમારત પ્રાચીન વિશ્વની અજાયબીઓમાં ક્રમ ધરાવે છે.

એમ કહેવાય છે કે કનિષ્ક વિશેષરૂપે બૌદ્ધ વિદ્વાન અશ્વઘોષાની નજીક હતા, જે તેમના ધાર્મિક સલાહકાર બન્યા.

બૌદ્ધ ચલણ પદ્ધતિ[ફેરફાર કરો]

કનિષ્કના બૌદ્ધ સિક્કાઓ સરખામણીએ અસામાન્ય છે (જો કે કનિષ્કના ઓળખી શકાયેલા સિક્કાઓમાંના એક ટકા મુજબ). કેટલાક સિક્કાઓ પર મુખ્ય બાજુએ કનિષ્ક અને ઊલટી બાજુએ ઊભેલા બુદ્ધ પ્રાચીન ગ્રીક શૈલીમાં દર્શાવાયેલા છે. કેટલાક પર શક્યમુનિ બુદ્ધ અને મૈત્રેય પણ દર્શાવાયેલા છે. કનિષ્કના તમામ સિક્કાઓની જેમ, કોતરણી કેટલેક અંશે ખરબચડી અને અનુપાત અમાપસર હોય છે; બુદ્ધની છબી ઘણીવાર થોડી ખરાબ થયેલી હોય છે, વધુ પડતા મોટા કાન અને કુષાણ રાજાની જેમ અલગ અલગ ફેલાયેલા પગ સાથે, પ્રાચીન ગ્રીક શૈલીઓનું બેડોળ અનુકરણ દર્શાવે છે.

કનિષ્કના બૌદ્ધ સિક્કાઓના ત્રણ પ્રકાર જાણી શકાયા છેઃ

ઊભેલા બુદ્ધ[ફેરફાર કરો]

પ્રાચીન ગ્રીક શૈલીમાં ઊભેલા બુદ્ધ, ગ્રીક લિપિમાં "બોડ્ડો" (Boddo) નો ઉલ્લેખ કરીને, તેમના હાથમાં તેમના સામાનનો ડાબો છેડો પકડીને, અભય મુદ્રાનો આકાર લે છે. બુદ્ધના ફક્ત છ કુષાણ સિક્કાઓ જાણી શકાયા છે (જેમાંનો છઠ્ઠો સિક્કો ઘરેણાંઓના એક પ્રાચીન ટુકડાંનો મધ્યભાગ છે, આ કનિષ્ક બુદ્ધ સિક્કો હ્રદય આકારના માણેક રત્નની વીંટીથી શણગારાયેલો છે). આ તમામ સિક્કાઓ કનિષ્ક પ્રથમ હેઠળ સોનામાં ઢાળવામાં આવેલા હતા, પરંતુ તે કનિષ્કના અન્ય સોનાના સિક્કાઓની સરખામણીએ ઘણા નાના છે (લગભગ ઓબોલ(obol)ના માપના) [obol એ drachmaનો છઠ્ઠો ભાગ છે અને drachmaએ ગ્રીસમાં ચલણ તરીકે euro વપરાવા લાગ્યા તે પહેલા વપરાતા ચાંદીના સિક્કાનું ચલણ છે]

કનિષ્કના સિક્કાઓ જેવી સમાન લાક્ષણિકતાઓ સાથે તાંબાના ઊભેલા બુદ્ધ.ગાંધાર,સામાન્ય રીતે 3જી-4થી સદીના.

બુદ્ધ મઠવાસી ઝભ્ભા, અંતરવસકા , ઉત્તરસંગા અને ઓવરકોટ સંઘટી પહેરીને રજૂ કરાયા છે.

કાન અત્યંત પહોળા અને લાંબા છે, સિક્કાના નાના માપ પ્રમાણે જરૂરી શક્યવત પ્રતિકાત્મક અતિશયોક્તિ ચિત્રાયેલી હોઈ શકે છે, પરંતુ બીજી રીતે બુદ્ધની 3જી-4થી સદીની કેટલીક ગાંધારન મૂર્તિઓમાં સામાન્યપણે દ્રશ્યમાન છે. તેમનો સમૃદ્ધ અંબોડો તેમના ઉષ્ણીષ (માથા પર ઉપસેલા વિદ્ધતાના ઢેકા)ને ઢાંકે છે, અનેક દાખલાઓમાં અત્યંત અલંકૃત અથવા ઘણીવાર ગોળાકાર રીતે, પછીની ગાંધારની બુદ્ધ પ્રતિમાઓમાં પણ દ્રશ્યમાન છે.

સામાન્ય રીતે, આ સિક્કાઓ પર બુદ્ધનું ચિત્રણ પહેલેથી જ ખૂબ પ્રતિકાત્મક છે, અને વધુ પ્રાકૃતિક અને પ્રાચીન ગ્રીક ચિત્રોમાં દર્શાવાયેલા પૂર્વકાલીન ગાંધાર શિલ્પો કરતાં ઘણું જૂદું છે. ઘણી કોતરણીઓમાં, મૂંછ સ્પષ્ટ છે. તેમના જમણા હાથની હથેળીમાં ચક્રનું નિશાન છે, અને કપાળ પર દિવ્ય વિશ્વને જોઈ શકતી ત્રીજી આંખ (ઉર્ના) છે. એક, બે અથવા ત્રણ રેખાઓનું બનેલું તેજોમંડળ તેમની ચોતરફ આવેલું છે.

“શક્યમુનિ બુદ્ધ”[ફેરફાર કરો]

કનિષ્કની ચલણ પદ્ધતિમાં (ϷΑΚΑΜΑΝΟ ΒΟΔΔΟ “શકમાનો બોડ્ડો”ની દંતકથા સાથે) “શક્યમુનિ બુદ્ધ”ની રજૂઆત.
કનિષ્કની ચલણ પદ્ધતિમાં (ΜΕΤΡΑΓΟ ΒΟΔΔΟ “મેત્રાગો બોડ્ડો”ની દંતકથા સાથે) “મૈત્રેય” ની રજૂઆત.

શક્યમુનિ બુદ્ધ (“શકમાનો બૌડો”ની દંતકથા સાથે, એટલે કે શકમુનિ બુદ્ધ, પ્રાચીન બુદ્ધનું અન્ય એક નામ સિદ્ધાર્થ ગૌતમ), આગળની તરફ ઊભેલા છે, ડાબો હાથ તેમની કેડ પર છે અને જમણા હાથથી અભય મુદ્રા રચે છે. આ તમામ સિક્કાઓ માત્ર તાંબાના છે, અને સામાન્ય રીતે જીર્ણ થયેલા છે.

બુદ્ધના નામ પર રહેલા સિક્કાઓની સરખામણીએ શક્યમુનિ બુદ્ધનો ઝભ્ભો ઘણો હલકો છે, તે સ્પષ્ટપણે શરીરની રૂપરેખા બતાવે છે, લગભગ પારદર્શક રીતે. આ કદાચ મઠવાસી વસ્ત્રના પ્રથમ બે પડ અંતરવસકા અને ઉત્તરસંગા છે. આ ઉપરાંત, તેમનો ઝભ્ભો (ઉપર દર્શાવાયા મુજબ ડાબા હાથમાં પકડવાને બદલે) ડાબા બાહુ પર વાળેલો છે, તો વળી માત્ર બિમારન પેટી (પૂર્વીય અફઘાનિસ્તાનના જલાલાબાદ પાસે આવેલા એક સ્થળનું નામ બિમારન છે, ત્યાંથી મળી આવેલી બુદ્ધના અવશેષો સાચવવાની નાનકડી સોનાની પેટી બિમારન પેટી તરીકે ઓળખાય છે) માં આ હાવભાવ જણાયા છે અને ઉત્તરીય જેવા ખેસનું સૂચક છે. તેમનો ભરાવદાર અંબોડો તેમના ઉષ્ણીષ (માથા પર ઉપસેલા વિદ્ધતાના ઢેકા)ને ઢાંકતો, અને સાદું અથવા બમણું પ્રભામંડળ, ક્યારેક તેજસ્વી, તેમના માથાની ચોતરફ આવેલું છે.

“મૈત્રેય બુદ્ધ”[ફેરફાર કરો]

બોધિસત્વ મૈત્રેય (“મૈત્રેય બૌડો”ની દંતકથા સાથે) સિંહાસન પર પલાંઠી વાળેલા છે, તેમણે પાણીનું પાત્ર પકડેલું છે, અને અભય મુદ્રા પણ રચે છે. આ સિક્કાઓ માત્ર તાંબાના હોવાનું જાણી શકાયું છે, અને ખરાબ રીતે જીર્ણ થયેલા છે. સૌથી સ્પષ્ટ સિક્કાઓ પર, મૈત્રેય ભારતીય રાજકુંવરનું બાજુબંધ પહેરેલા ભાસે છે, અને ઘણીવાર મૈત્રેયની મૂર્તિઓ પર આ લક્ષણ જોવાયું છે. સિંહાસન નાના થાંભલાઓથી શણગારાયેલું છે, એમ દર્શાવે છે કે સિક્કારૂપે મૈત્રેયની રજૂઆત સીધેસીધી રીતે અગાઉથી અસ્તિત્વ ધરાવતી એવા જાણીતા લક્ષણ ધરાવતી મૂર્તિની નકલ કરાયેલી છે. “બુદ્ધ” માટે મૈત્રેયની લાયકાત અચોક્કસ છે, કારણકે તેઓ બોધિસત્વને બદલે છે (તેઓ ભવિષ્યના બુદ્ધ છે). આ કુષાણ તરફથી બૌદ્ધ બ્રહ્માંડવિજ્ઞાનનું મર્યાદિત જ્ઞાન દર્શાવતું હોઈ શકે છે. કનિષ્કના સિક્કાઓ પર રજૂ કરાયેલા અન્ય દેવતાઓ કરતાં આ ત્રણ પ્રકારોનું ચિત્રણ ઘણું અલગ છે. કનિષ્કના તમામ દેવતાઓ બંને તરફ બતાવાયેલા છે, જ્યારે બુદ્ધ માત્ર આગળ બતાવાયેલા છે, જે દર્શાવે છે કે ઊભેલા બુદ્ધ અને બેઠેલા બુદ્ધની મૂર્તિઓની સમકાલીન આગળની રજૂઆત પરથી તેની નકલ કરાયેલી હતી.[૧૧] બુદ્ધ અને શક્યમુનિ એમ બંનેની રજૂઆતમાં બંને ખભા મઠવાસી ઝભ્ભાથી ઢંકાયેલા છે, જે દર્શાવે છે કે નમૂના સ્વરૂપે વપરાયેલી મૂર્તિઓ ધ ગાંધાર સ્કૂલ ઓફ આર્ટની હતી, નહિં કે મથુરાની.

કનિષ્ક કાસ્કેટ (શબપેટી)[ફેરફાર કરો]

બ્રહ્મા અને ઈન્દ્ર દ્વારા ઘેરાયેલા બુદ્ધ, અને નીચેના ભાગના મધ્યમાં ઊભેલા કનિષ્ક સાથેનું,127 સીઈ (CE)નું “કનિષ્ક કાસ્કેટ”,બ્રિટિશ સંગ્રહાલય.
શાહ-જી-કી-ધેરીમાં કનિષ્ક સ્તૂપના અવશેષો.

127 સીઈ (CE)માં કનિષ્કના શાસન કાળના પ્રથમ વર્ષના સમયગાળાના “કનિષ્ક કાસ્કેટ” અથવા “કનિષ્ક સમાધિ”, કનિષ્કના સ્તૂપની નીચેના ભોંયરાંમાંથી, 1908-1909માં પેશાવરના છેવાડાના વિસ્તાર શાહ-જી-ધેરીમાંથી પુરાતત્વીય ખોદકામ દરમિયાન મળી આવ્યા હતા.[૧૨][૧૩] હવે તે પેશાવર સંગ્રહાલયમાં છે, અને તેની નકલ બ્રિટિશ સંગ્રહાલયમાં છે. એમ કહેવાય છે કે તેમાં બુદ્ધના હાડકાંના ત્રણ ટુકડાંઓ છે, જે હવે બર્માના મંડલયમાં સચવાયેલા છે.

કાસ્કેટ ખરોશ્થીને સમર્પિત છે. શિલાલેખમાં સૂચવાયેલું:

“(*મહારા)જસા કનિષ્કસા કનિષ્ક-પુરે નગરે અયા ગધા-કરએ દેયા-ધર્મે સર્વા-સત્વના હિત-સુહર્થા ભવતુ મહાસેનાસા

સઘરકી દસા અગિસલા નવ-કર્મી અના*કનિષ્કસા વિહરે મહાસેનાસા સંઘરમે”

કનિષ્ક કાસ્કેટ પર, ઈરાનિયન સૂર્ય દેવ અને ચંદ્ર દેવથી ઘેરાયેલા, કનિષ્કના લક્ષણો.બ્રિટિશ સંગ્રહાલય.
બ્રિટિશરો દ્વારા 1910માં બર્માના મંડલય મોકલાયેલા, પાકિસ્તાનના પેશાવરના કનિષ્ક સ્તૂપના બુદ્ધ અવશેષો.ટેરેસા મેર્રિગન, 2005

આ શબ્દો તેના રચયિતા, અગેસિલાસ નામના ગ્રીક કલાકાર દ્વારા હસ્તાક્ષરિત છે, જેણે કનિષ્કના સ્તૂપ(કૈત્ય)ના કામની દેખરેખ રાખી હતી, જે એ વાતની પુષ્ટિ કરે છે કે એટલા પહેલાના સમયમાં ગ્રીકની બૌદ્ધ યથાર્થવાદમાં પ્રત્યક્ષ ભાગીદારી હતી: “સેવક અગિસલાઓસ, મહાસેનાના આશ્રમમાં કનિષ્કના વિહારમાં કામનો દેખરેખ રાખનાર હતો ” (“દસા અગિસલા નવ-કર્મી અના*કનિષ્કસા વિહરા મહાસેનાસા સંઘરમે ”)

કાસ્કેટના ઢાંકણાં પર એક કમળ આસન પર બુદ્ધ દર્શાવાયેલા છે, અને બ્રહ્મા અને ઈન્દ્ર દ્વારા તેમની પૂજા થઈ રહી છે. ઢાંકણાંની ધાર પર ઉડતાં હંસની ભાત કરાયેલી છે. કાસ્કેટની બહારની બાજુ કનિષ્ક સમ્રાટનું પ્રતિનિધિત્વ દર્શાવે છે, કદાચ પોતે કનિષ્ક, તેમની બંને તરફ ઈરાનિયન સૂર્ય અને ચંદ્ર દેવ સાથે. બાજુઓ પર બેઠેલા બુદ્ધના બે ચિત્રો આવેલા છે, જેની રાજવી વ્યક્તિઓ દ્વારા પૂજા થઈ રહી છે. મૂળ ગ્રીક શૈલીમાં દ્રશ્યની ફરતે દેવદૂતો દ્રારા ફૂલનો હાર ઝીલાયેલો છે.

કાસ્કેટ પર કનિષ્કનો અધિકાર તાજેતરમાં વિવાદિત છે, ખાસ કરીને શૈલીગત મુદ્દે (દાખલા તરીકે કનિષ્ક કરતાં વિપરિતરૂપે કાસ્કેટ પર દર્શાવાયેલા શાસકને ઊગેલી દાઢી નથી). તેને બદલે, કાસ્કેટ ઘણીવાર કનિષ્કના વારસદાર હુવિશ્કા અધિકૃત મનાય છે.

બૌદ્ધ પરંપરામાં કનિષ્ક[ફેરફાર કરો]

બૌદ્ધ પરંપરામાં, કનિષ્ક ઘણીવાર બુદ્ધ ધર્મમાં પરિવર્તિત થતાં પહેલા, શ્રી-ધર્મ-પિતક-નિદાન સૂત્ર મુજબ, હિંસક, શ્રદ્ધાવિહિન શાસક તરીકે વર્ણવાયેલા છે:

“આ સમયે ન્ગાન-સીનો રાજા (પહ્લાવા) ઘણો મૂર્ખ અને હિંસક સ્વાભવનો હતો....ત્યાં એક ભિક્ષુક (સાધુ) અર્હત હતો જેણે રાજા દ્વારા કરાતાં ખરાબ કામો જોઈને તેને પસ્તાવો કરાવવાની ઈચ્છા કરી. તેથી તેની અલૌકિક શક્તિ દ્વારા તેણે રાજાને નરકની પીડાઓ બતાવી. રાજા ડરી ગયો હતો અને તેને પસ્તાવો થયો. ” Śri-dharma-piṭaka-nidāna sūtra [૧૪]

વધુમાં, કનિષ્કનું આગમન કથિતરૂપે બુદ્ધ દ્વારા પહેલા જ કહી દેવાયેલું હતુ, સાથોસાથ તેના સ્તૂપનું બાંધકામ પણ:

“. . . બુદ્ધે, માટીનો સ્તૂપ બનાવનારા નાના છોકરાને ચીંધીને....[કહ્યું] તે સ્થળે Kaṇiṣka તેના નામનો સ્તૂપ ઊભો થશે.” વિનય સૂત્ર [૧૫]
બોધિસત્વ મૈત્રેય “મેત્રાગો બૌડો” સાથે કનિષ્કનો સિક્કો.

આ જ વાર્તા ડનહુઅંગમાંથી મળી આવેલા ખોતાનના વીંટામાં પુનરાવર્તિત કરાયેલી છે, જેમાં સૌથી પહેલા વર્ણવાયું હતું કે કઈ રીતે બુદ્ધના મૃત્યુના 400 વર્ષ બાદ કનિષ્ક આવી પહોંચશે. લેખમાં એ પણ વર્ણવાયેલું છે કે કઈ રીતે કનિષ્ક તેનો સ્તૂપ ઊભો કરવા આવશે:

“એક ઈચ્છા આ રીતે ઉદભવી [કનિષ્કને એક વિશાળ સ્તૂપ બનાવવાની]....એ સમયે ચાર વિશ્વ-કારભારીઓ રાજાનું મન જાણી ગયા. તેથી રાજાને માટે તેમણે નાના છોકરાઓનું સ્વરૂપ લીધું....[અને] માટીનું સ્તૂપ બનાવવાનું શરૂ કર્યુ....છોકરાઓએ કહ્યું [કનિષ્કને] ’અમે બનાવી રહ્યા છે Kaṇiṣka-stūpa.’....….એ સમયે છોકરાઓએ તેમનું સ્વરૂપ બદલ્યું….[અને] તેમને કહ્યું, ’મહાન રાજા, બુદ્ધની ભવિષ્યવાણી મુજબ તારા દ્વારા Saṅghārāma સંપૂર્ણ બંધાશે (?) વિશાળ સ્તૂપ સાથે અને અહીં સારા ગુણવાન લોકોના અવશેષો આવકારાવા જ જોઈએ...જે લવાશે."[૧૬]

ગ્ઝુઆંગઝંગ જેવા, ભારતમાં ચાઈનીઝ તીર્થયાત્રીઓ, જેમણે 630 સીઈ (CE)માં પ્રવાસ કર્યો તેમણે પણ વાર્તા આપી:

“કનિષ્ક તમામ જમ્બુદ્વીપાઓ (ભારતીય ઉપખંડ)માં સર્વોપરી બન્યા પરંતુ તેમને કર્મમાં વિશ્વાસ ન હતો, અને તેમણે બૌદ્ધ ધર્મ સાથે અપમાનભર્યું વર્તન કર્યું. જ્યારે તેઓ જંગલી દેશમાં શિકાર કરી રહ્યા ત્યારે તેમને સફેદ સસલું દેખાયું; રાજાએ પીછો કર્યો અને સસલું અચાનક અદ્રશ્ય થઈ ગયું [ભવિષ્યના સ્તૂપના સ્થળ પર]....[જ્યારે સ્તૂપનું બાંધકામ આયોજન મુજબ નહોતું થઈ રહ્યું] રાજાએ હવે ધીરજ ગુમાવી અને [કામ] પડતું મૂક્યું....[પરંતુ] રાજા ચેતી ગયા, કારણકે [તેમણે અનુભવ્યું] તેઓ સ્પષ્ટ રીતે અલૌકિક શક્તિઓથી દોરાઈને આવ્યા હતા, તેથી તેમણે તેમની ભૂલો કબૂલી અને શરણે થયા. આ બંને સ્તૂપ હજુ અસ્તિત્વમાં છે અને રોગોથી પીડાતા લોકોના ઉપચાર માટે આશ્રય બનાવાયેલા છે.”[૧૭]

બૌદ્ધ ધર્મનું ચીન સ્થાનાંતરણ[ફેરફાર કરો]

કદાચ તરીમ બસિન તટપ્રદેશમાં કનિષ્કના વિસ્તરણે ચીનમાં બૌદ્ધ ધર્મના સ્થાનાંતરણની શરૂઆત કરી. ગાંધાર પ્રદેશના બૌદ્ધ સાધુઓએ બીજી સદી (CE)ના મધ્ય ભાગમાંથી ઉત્તરીય એશિયાની દિશામાં બૌદ્ધ વિચારોનું સ્થાનાંતરણ અને બૌદ્ધ વિચારોનો વિકાસ કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો. કુષાણ સાધુ, લોકકસેમા (c. 178 સીઈ(CE)), મહાયન બૌદ્ધ ધર્મગ્રંથોનું ચાઈનીઝમાં ભાષાંતર કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા અને ચાઈનીઝ પાટનગર લોયંગમાં તેમણે ભાષાંતર કચેરી સ્થાપી. મધ્ય એશિયાઈ અને પૂર્વ એશિયાઈ બૌદ્ધ સાધુઓએ આવનારી સદીઓમાં મજબૂત વિનિમય જાળવ્યો હોવાનું જણાય છે.કદાચ કનિષ્કનો ઉત્તરાધિકારી હુવિશ્કા રહ્યો હતો. આ કેવી રીતે અને ક્યારે બન્યું તે હજુ અચોક્કસ છે. એ હકીકત કે ત્યારે કનિષ્ક નામના અન્ય કુષાણ રાજાઓ પણ હતા તે માત્ર વધુ એક જટીલ પરિબળ છે.

કલ્પનામાં[ફેરફાર કરો]

મંગા શ્રેણીમાં, બેર્સેર્ક , સમ્રાટ ગનિષ્ક ગ્રિફ્ફિથના દુશ્મન તરીકે કામ કરે છે, બેર્સેર્ક રાજા કનિષ્ક પર આધારિત હતો. મંગામાં, તે ચુસ્ત બૌદ્ધ પણ છે અને તેના સામ્રાજ્યને સંબંધિત મૂર્તિઓથી શણગારે છે અને ઉત્સાહથી તેનો પ્રચાર કરે છે. તેના અસલ જીવનના સમકક્ષની માફક, ગનિષ્ક પણ તેના મહેલને પ્રખ્યાત બૌદ્ધ મૂર્તિઓથી શણગારે છે, પરંતુ તેના સ્વભાવને અનુરૂપ બનાવવા રાક્ષસરૂપ કરીને.

“કનિષ્ક” આર્જેન્ટિનાના રોક બેન્ડ લોસ બ્રુજોસના સૌથી લોકપ્રિય ગીતોમાંનું એક ગીત પણ છે, કુષાણ રાજા અને તેની પત્નીનો ઉલ્લેખ કરતું આ ગીત, આલ્બમ ફિન દે સેમાના સલ્વાજેમાં રજૂ થયું હતું (Wild Weekend).

નોંધ[ફેરફાર કરો]

  1. ગોનીલ (2002), પેજ. 84-90.
  2. નિકોલસ સીમ્સ-વિલિયમ એન્ડ જોએ ક્રીબ્બ (1995/6): "એ ન્યૂ બેક્ટ્રિયન ઈન્સક્પીશ્ન ઓફ કનિષ્ક ધ ગ્રેટ." સિલ્ક રોડ આર્ટ એન્ડ આર્કેઓલોજી 4 (1996), પેજ. 75-142.
  3. નિકોલસ સિમ્સ-વિલિયમ (1998): "ફર્ધર નોટ્સ ઓન ધી બેક્ટ્રિયન ઈનસ્ક્રીપ્શન ઓ રાબતાક, વીથ એન એપેન્ડીક્સ ઓન ધી નેમ ઓફ કુજાલા કાડફીસેસ એન્ડ વિમા તકાતુ ઈન ચાઈનીસ." પ્રોસિડીંગ ઓફ ધી થર્ડ યુરોપિયન કોન્ફરેન્સ ઓફ ઈરાનિયન સ્ટડીઝ પાર્ટ 1: ઓલ્ડ એન્ડ મિડલ ઈરાનિયન સ્ટડીસ. એડિટેડ બાય નિકોલસ સિમ્સ-વિલિયમ્સ. વિસબાદેન. 1998, પેજ. 79 , 93
  4. ફોક, હેરી (2001): "ધી યુગા ઓફ શ્ફુજીદ્ધવાજા એન્ડ ધી એરા ઓફ ધી કુષાણ." સિલ્ક રોજ આર્ટ એન્ડ આર્કિયોલોજી સાત, પેજ. 121-136; ફોક, હેરી (2004): "ધી કનિષ્કા એરા ઈન ગુપ્તા રિકોર્ડસ." સિલ્ક રોડ આર્ટ એન્ડ આર્કિયોલોજી X (2004), પેજ. 167-176.
  5. ચવાન્નાસ, એડોયાર્ડ. તોરિષ જેનેરેક્સ ચીનોસ ડા લા ડાયનેસ્ટ ડેસ હાન ઓરિએન્ટેક્સ. પાન ટિચ’આઓ (32-102 પેજ. C.); – સોન ફિલ્સ પાન યંગ; – લેઆંગ કી’ઈન (112 પેજ. સી ચેપ્ટેરિયા LXXVII ડુ હેઉ હાન ચોઉ ." ટી’ઓઉન્ગ પાઓ 7, પેજ. 232 એન્ડ નોટ 3.
  6. હિલ, જ્હોન ઈ. 2003. "અન્નોટેડ ટ્રાન્સલેશન ઓફ ધી ચેપ્ટર ઓન ધી વેસ્ટર્ન રિજીયન અકોર્ડિંગ ટુ ધી હોઉ હાન્સુ ." 2જી ડ્રાફ્ટ એડિશન. (ઓન-લાઈન).
  7. ફ્રાન્સિસ વુડ, ધી સિલ્ક રોડ: ટુ થાઉઝન્ડ યર્સ ઈન ધી હાર્ટ ઓફ એશિયા 2002, ઈલ્યુસ પેજ 39.
  8. Sims-Williams, Nicolas. "Bactrian Language". Encyclopaedia Iranica. 3. London: Routledge & Kegan Paul.
  9. એચ. હમ્બક, 1975, પેજ.402-408. કે.ટાન્ડેબે, 1997, પેજ.277, એમ.કાર્ટેર, 1995, પેજ.152. જી. ક્રાઈબ્બ, 1997, પેજ .40. રેફરેન્સીસ સિટ્ડ ઈન "દે લ 'ઈન્ડુસ અ લ'ઓક્ષુસ".
  10. ડોબ્બીન્સ, કે. વોલ્ટન. (1971). ધી સ્ટુપા એન્ડ વિહાર ઓફ કનિષ્ક વન . ધી એશિયાટીક સોસિયટી ઓફ બેન્ગાલ મોનોગ્રાફ સિરીઝ, વોલ્યુમ. XVIII. કલકત્તા.
  11. ધી ક્રોસરોડ ઓઉ એશિયા , પેજ201
  12. એચ. હાર્ગ્રેવ્સ, એચ. (1910-11): "એક્સિવેશન એટ શાહ-જી-કી ધેરી"; આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા, 1910-11 , પેજ. 25-32.
  13. ડી. બી. સ્પોનેર (1908-9): "એક્સાવેશન્સ એટ શાહ-જી-કી ધેરી."; આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા, 1908-9 , પેજ. 38-59.
  14. કુમાર, બલદેવ. 1973. ધી અર્લી Kuṣāṇas . પેજ 95 ન્યુ ડેલ્હી, સ્ટેર્લીંગ પબ્લીશર્સ.
  15. કુમાર, બલદેવ. 1973. ધી અર્લી Kuṣāṇas . પેજ 91 ન્યુ ડેલ્હી, સ્ટેર્લીંગ પબ્લીશર્સ.
  16. કુમાર, બલદેવ, 1973. ઘી અર્લી Kuṣāṇas . પેજ 89 ન્યુ ડેલ્હી, સ્ટેર્લીંગ પબ્લીશર્સ.
  17. ગ્ઝુઆન્ગ, કોટેડ ઈન: કુમાર, બલદેવ. 1973. ધી અર્લી Kuṣāṇas . પૃષ્ઠ 112. ન્યૂ ડેલ્હી, સ્ટેર્લીંગ પબ્લીશર્સ.

સંદર્ભો[ફેરફાર કરો]

  • Kulke, Hermann; Rothermund, Dietmar (1998). A history of India. London; New York: Routledge. ISBN 0-415-15482-0. CS1 maint: discouraged parameter (link)
  • ફોઉચર, એમ. એ. 1901. "નોટ્સ સુર લા જીઓગ્રાફિન એન્સિન ડુ ગાંધારા (કમેન્ટાયર અ અન ચેપ્ટરા દે હ્યુએન-ત્સાંગ)." બીઈએફઈ O નં. 4, ઓક્ટો. 1901, પેજ.322–369.
  • ગોનિલ, ઘેરાર્ડો (2002). ધી "આર્યન" ભાષા. જેએસએઆઈ 26 (2002), પેજ. 84–90.
  • Bopearachchi, Osmund (2003). De l'Indus à l'Oxus, Archéologie de l'Asie Centrale (Frenchમાં). Lattes: Association imago-musée de Lattes. ISBN 2-9516679-2-2. CS1 maint: discouraged parameter (link) CS1 maint: unrecognized language (link)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

પુરોગામી
વિમા કેડફિસેસ

કુષાણ શાસક

અનુગામી
હ્યુવિસ્કા