કરમશી જેઠાભાઈ સોમૈયા
દેખાવ
કરમશી જેઠાભાઈ સોમૈયા | |
|---|---|
સોમૈયા વિદ્યાવિહારમાં કરમશી જેઠાભાઈ સોમૈયાનું પૂતળું | |
| અંગત વિગતો | |
| જન્મ | ૧૬ મે ૧૯૦૨ માલુંજર, અહમદનગર જિલ્લો, મહારાષ્ટ્ર, ભારત. |
| મૃત્યુ | ૯ મે ૧૯૯૯ (ઉંમર 96) |
| રાષ્ટ્રીયતા | ભારતીય |
| જીવનસાથી | સાકરબેન કરમશી સોમૈયા |
| સંતાનો | શાંતિલાલ કરમશી સોમૈયા |
| માતૃ શિક્ષણસંસ્થા | ન્યૂ હાઇ સ્કૂલ, મુંબઈ (હવે ભદ્ર ન્યૂ હાઇ સ્કૂલ) |
| ક્ષેત્ર | સાકરના ઉદ્યોગપતિ |
કરમશી જેઠાભાઈ સોમૈયા (હિંદી: करमशी जेठाभाई सोमैया, અંગ્રેજી: Karamshi Jethabhai Somaiya) એ ભારતીય શિક્ષણકાર હતા, કે જેમણે ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરી હતી. એમના નામ પરથી મુંબઈ ખાતે સોમૈયા વિદ્યાવિહાર નામનું શિક્ષણ-સંકુલ તેમ જ અન્ય શિક્ષણ સંસ્થાઓ છે. આ ઉપરાંત તેઓ ઉદ્યોગપતિ હતા, કે જેમણે સોમૈયા જૂથની ખાંડ, ઓદ્યોગિક આલ્કોહોલ, ઓર્ગેનિક રસાયણો, મીઠું, છાપકામ અને પ્રકાશન, ખેતીવિષયક, ફાર્મસી જેવાં ઉત્પાદનો સાથે સંકળાયેલ કંપનીઓની સ્થાપના કરી હતી.[૧] એમણે સમાજ-સેવા ક્ષેત્રમાં શિક્ષણક્ષેત્રે કરેલા યોગદાન બદલ ઈ. સ. ૨૦૦૦ના વર્ષમાં પદ્મભૂષણ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.[૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Padmabhusan Karamshi Jethabhai Somaiya Jivangatha (PDF) (મરાઠીમાં). મૂળ (pdf) માંથી 2019-07-13 પર સંગ્રહિત. મેળવેલ ૨૪ જૂન ૨૦૧૮.
{{cite book}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "Padma Vibhushan, Padma Bhushan, Padma Shri awardees" (અંગ્રેજીમાં). ધ હિન્દુ. ૨૭ જાન્યુઆરી ૨૦૦૯. મૂળ માંથી 2010-04-14 પર સંગ્રહિત. મેળવેલ ૮ ડિસેમ્બર ૨૦૧૩.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ)