કેસર મકવાણા
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
કેસર મકવાણા ગુજરાતી ભાષા સાહિત્યના સંશોધક, વિવેચક, સંપાદક અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિનિયન વિદ્યાશાખામાં ગુજરાતી ભાષાના PhD ના માર્ગદર્શક છે. તેઓ સાવરકુંડલાની કાણકિયા કોલેજમાં ગુજરાતી ભાષાના અધ્યાપક પણ છે.[૧]
જીવન
[ફેરફાર કરો]કેસર મકવાણાનો જન્મ ૧૦ સપ્ટેમ્બર ૧૯૬૬ના રોજ કોડીનાર તાલુકાના મિતિયાજ ગામે માતા જેઠીબહેન અને પિતા મસરીભાઈને ત્યાં જન્મ થયો હતો. (તેમની કાયદાકીય જન્મ તારીખ ૧ જૂન ૧૯૬૫ નોંધાયેલ છે.) તેઓનું પ્રાથમિક શિક્ષણ પોતાના વતનમાં જ થયેલું અને તેઓ ગુજરાતી ભાષામાં અનુસ્નાતક (વિ. વિ. નગર) સુધીનો અભ્યાસ કરીને સાથે વિનોદ જોશીના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. થયા.
સર્જન અને કારકિર્દી
[ફેરફાર કરો]કેસર મકવાણા સંશોધક,વીવિવેચક અને સંપાદક છે. કેસર મકવાણા સારા વક્તા પણ છે. તેમણે "અસ્મિતા પર્વ", "મનોજ પર્વ", પરિષદનાં જ્ઞાનસત્રો અને વિવિધ પરિસંવાદોમાં અભ્યાસપૂર્ણ વક્તવ્યો આપ્યાં છે.
પ્રકાશિત પુસ્તકો :
- ગ્રામજીવનની સાઠોત્તરી ગુજરાતી નવલકથા (સંશોધનાત્મક વિવેચન) (પ્રથમ આવૃત્તિ - ૨૦૦૨ બીજી આવૃત્તિ - ૨૦૨૦)
- પરિમિત - (વિવેચન લેખો) - પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ (૨૦૦૯)
- નાનાભાઈ હ. જેબલિયા : વ્યક્તિ અને વાઙમય - સંપાદન, ઝેન ઓપ્સ, અમદાવાદ (૨૦૧૨, ૨૦૨૫)
- અમે પાદરમાં ઝાટકે ખરેલા (નાનાભાઈ હ. જેબલિયાની બલિદાન કથાઓ) સંપાદન - ગુર્જર પ્રકાશન, અમદાવાદ (૨૦૧૪, ૨૦૨૫)
- પરિસર (વિવેચન લેખોનો સંગ્રહ) પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ (૨૦૧૫)
- દલિતાયન (દલિત સાહિત્ય વિવેચન સંગ્રહ) પ્રકાશક- ગુજરાત દલિત સાહિત્ય અકાદમી, અમદાવાદ. (૨૦૧૫)
- સમાંતર - વિવેચન ગ્રંથ, ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી, (૨૦૨૨)
- કાવ્યોપનિષદ ( મંગળ રાઠોડનાં ચૂંટેલાં કાવ્યો) પાર્શ્વ પબ્લિકેશન અમદાવાદ ( ૨૦૨૨)
- કાવ્યમર્મ ( ગુજરાતી કાવ્યોનો આસ્વાદ) સંસ્કૃતિ પ્રકાશન, અમદાવાદ (૨૦૨૩)
- સુન્દરમ્ (સમગ્રમાંથી સઘન વિવેચન શ્રેણી) સંપાદન, એકત્રફાઉન્ડેશન (ડિજિટલ) ૨૦૨૫
- ભરત વિંઝુડાની ગઝલસંપદા - સંપાદન, એકત્ર ફાઉન્ડેશન, (ડિજિટલ) ૨૦૨૫
સંદર્ભ
[ફેરફાર કરો]
- ↑ રાધેશ્યામ શર્મા (૧૭ જાન્યુઆરી ૨૦૧૬). ""સાક્ષરજન તો... "". જનસત્તા (અમદાવાદ આવૃત્તિ).
{{cite news}}: Check date values in:|date=(મદદ)