લખાણ પર જાઓ

કેસર મકવાણા

વિકિપીડિયામાંથી

કેસર મકવાણા ગુજરાતી ભાષા સાહિત્યના સંશોધક, વિવેચક, સંપાદક અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિનિયન વિદ્યાશાખામાં ગુજરાતી ભાષાના PhD ના માર્ગદર્શક છે. તેઓ સાવરકુંડલાની કાણકિયા કોલેજમાં ગુજરાતી ભાષાના અધ્યાપક પણ છે.[]

કેસર મકવાણાનો જન્મ ૧૦ સપ્ટેમ્બર ૧૯૬૬ના રોજ કોડીનાર તાલુકાના મિતિયાજ ગામે માતા જેઠીબહેન અને પિતા મસરીભાઈને ત્યાં જન્મ થયો હતો. (તેમની કાયદાકીય જન્મ તારીખ ૧ જૂન ૧૯૬૫ નોંધાયેલ છે.) તેઓનું પ્રાથમિક શિક્ષણ પોતાના વતનમાં જ થયેલું અને તેઓ ગુજરાતી ભાષામાં અનુસ્નાતક (વિ. વિ. નગર) સુધીનો અભ્યાસ કરીને સાથે વિનોદ જોશીના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. થયા.

સર્જન અને કારકિર્દી

[ફેરફાર કરો]

કેસર મકવાણા સંશોધક,વીવિવેચક અને સંપાદક છે. કેસર મકવાણા સારા વક્તા પણ છે. તેમણે "અસ્મિતા પર્વ", "મનોજ પર્વ", પરિષદનાં જ્ઞાનસત્રો અને વિવિધ પરિસંવાદોમાં અભ્યાસપૂર્ણ વક્તવ્યો આપ્યાં છે.

પ્રકાશિત પુસ્તકો :

  • ગ્રામજીવનની સાઠોત્તરી ગુજરાતી નવલકથા (સંશોધનાત્મક વિવેચન) (પ્રથમ આવૃત્તિ - ૨૦૦૨ બીજી આવૃત્તિ - ૨૦૨૦)
  • પરિમિત - (વિવેચન લેખો) - પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ (૨૦૦૯)
  • નાનાભાઈ હ. જેબલિયા : વ્યક્તિ અને વાઙમય - સંપાદન, ઝેન ઓપ્સ, અમદાવાદ (૨૦૧૨, ૨૦૨૫)
  • અમે પાદરમાં ઝાટકે ખરેલા (નાનાભાઈ હ. જેબલિયાની બલિદાન કથાઓ) સંપાદન - ગુર્જર પ્રકાશન, અમદાવાદ (૨૦૧૪, ૨૦૨૫)
  • પરિસર (વિવેચન લેખોનો સંગ્રહ) ‍ પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ (૨૦૧૫‌)
  • દલિતાયન (દલિત સાહિત્ય વિવેચન સંગ્રહ) પ્રકાશક- ગુજરાત દલિત સાહિત્ય અકાદમી, અમદાવાદ. (૨૦૧૫)
  • સમાંતર - વિવેચન ગ્રંથ, ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી, (૨૦૨૨)
  • કાવ્યોપનિષદ ( મંગળ રાઠોડનાં ચૂંટેલાં કાવ્યો) પાર્શ્વ પબ્લિકેશન અમદાવાદ ( ૨૦૨૨)
  • કાવ્યમર્મ ( ગુજરાતી કાવ્યોનો આસ્વાદ) સંસ્કૃતિ પ્રકાશન, અમદાવાદ (૨૦૨૩)
  • સુન્દરમ્ (સમગ્રમાંથી સઘન વિવેચન શ્રેણી) સંપાદન, એકત્રફાઉન્ડેશન (ડિજિટલ) ૨૦૨૫
  • ભરત વિંઝુડાની ગઝલસંપદા - સંપાદન, એકત્ર ફાઉન્ડેશન, (ડિજિટલ) ૨૦૨૫

સંદર્ભ

[ફેરફાર કરો]

  1. રાધેશ્યામ શર્મા (૧૭ જાન્યુઆરી ૨૦૧૬). ""સાક્ષરજન તો... "". જનસત્તા (અમદાવાદ આવૃત્તિ). {{cite news}}: Check date values in: |date= (મદદ)