ખોડીયાર જળાશય યોજના
દેખાવ
| ખોડીયાર બંધ | |
|---|---|
| દેશ | ભારત |
| સ્થળ | અમરેલી જિલ્લો, ગુજરાત |
| અક્ષાંશ-રેખાંશ | 21°33′00″N 71°03′00″E / 21.55000°N 71.05000°E |
| હેતુ | સિંચાઇ |
| સ્થિતિ | સક્રિય |
| ઉદ્ઘાટન તારીખ | ૧૯૬૭ |
| બંધ અને સ્પિલવે | |
| બંધનો પ્રકાર | માટીયાર અને ચણતર |
| નદી | શેત્રુંજી નદી |
| ઊંચાઇ (પાયો) | 36.27 m (119.0 ft) |
| લંબાઈ | 497 m (1,631 ft) |
| સ્પિલવે પ્રકાર | ઓગી, દરવાજા-સંચાલિત |
| સ્પિલવે ક્ષમતા | 2,409 m3/s (85,100 cu ft/s) |
| સરોવર | |
| કુલ ક્ષમતા | 3,222,000 m3 (2,612 acre⋅ft) |
| સક્રિય ક્ષમતા | 3,222,000 m3 (2,612 acre⋅ft) |
| સ્ત્રાવ વિસ્તાર | 383 km2 (148 sq mi) |
| સપાટી વિસ્તાર | 6.16 km2 (2.38 sq mi) |
ખોડીયાર જળાશય યોજના અથવા ખોડીયાર બંધ એ એક પાળવાળો બંધ છે જે માટીયાર અને ચણતર પ્રકારનો છે. આ બંધ ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગળધરા ગામની નજીક શેત્રુંજી નદી, કે જે ગીરના જંગલમાં આવેલી ચાંચાંઇ ટેકરીમાંથી નીકળે છે, તેના પર આવેલો છે. આ બંધનો પ્રાથમિક હેતુ ૧૧,૬૦૭ હેક્ટર (૨૮,૬૮૧ એકર) જમીનમાં ૯ કિ.મી. લાંબી નહેરો વડે સિંચાઇ કરવાનો છે. આ બંધનું બાંધકામ ૧૯૬૭ના વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું[૧]. આ જળાશય થકી ધારી તાલુકાનાં ૨૦ જેટલાં ગામોમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "ખોડીયાર જળાશય યોજના". Narmada, Water Resources, Water Supply and Kalpsar Department. મેળવેલ ૮ જાન્યુઆરી ૨૦૧૮.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ)