ખોડીયાર જળાશય યોજના

વિકિપીડિયામાંથી
ખોડીયાર બંધ
ખોડીયાર જળાશય યોજના is located in ગુજરાત
ખોડીયાર જળાશય યોજના
ખોડીયાર બંધનું ગુજરાતમાં સ્થાન
દેશભારત
સ્થળઅમરેલી જિલ્લો, ગુજરાત
અક્ષાંશ-રેખાંશ21°33′00″N 71°03′00″E / 21.55000°N 71.05000°E / 21.55000; 71.05000
હેતુસિંચાઇ
સ્થિતિસક્રિય
ઉદ્ઘાટન તારીખ૧૯૬૭
બંધ અને સ્પિલવે
બંધનો પ્રકારમાટીયાર અને ચણતર
નદીશેત્રુંજી નદી
ઊંચાઇ (પાયો)36.27 m (119.0 ft)
લંબાઈ497 m (1,631 ft)
સ્પિલવે પ્રકારઓગી, દરવાજા-સંચાલિત
સ્પિલવે ક્ષમતા2,409 m3/s (85,100 cu ft/s)
સરોવર
કુલ ક્ષમતા3,222,000 m3 (2,612 acre⋅ft)
સક્રિય ક્ષમતા3,222,000 m3 (2,612 acre⋅ft)
સ્ત્રાવ વિસ્તાર383 km2 (148 sq mi)
સપાટી વિસ્તાર6.16 km2 (2.38 sq mi)

ખોડીયાર જળાશય યોજના અથવા ખોડીયાર બંધ એ એક પાળવાળો બંધ છે જે માટીયાર અને ચણતર પ્રકારનો છે. આ બંધ ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગળધરા ગામની નજીક શેત્રુંજી નદી, કે જે ગીરના જંગલમાં આવેલી ચાંચાંઇ ટેકરીમાંથી નીકળે છે, તેના પર આવેલો છે. આ બંધનો પ્રાથમિક હેતુ ૧૧,૬૦૭ હેક્ટર (૨૮,૬૮૧ એકર) જમીનમાં ૯ કિ.મી. લાંબી નહેરો વડે સિંચાઇ કરવાનો છે. આ બંધનું બાંધકામ ૧૯૬૭ના વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું[૧]. આ જળાશય થકી ધારી તાલુકાનાં ૨૦ જેટલાં ગામોમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ખોડીયાર જળાશય યોજના". Narmada, Water Resources, Water Supply and Kalpsar Department. મેળવેલ ૮ જાન્યુઆરી ૨૦૧૮.