ગોપાચલ પર્વત
| ગોપાચલ પર્વત | |
|---|---|
ગોપાચલ પર્વત પર ખંડિત જૈન પ્રતિમાઓ | |
| ધર્મ | |
| જોડાણ | જૈન |
| જિલ્લો | ગ્વાલિયર |
| દેવી-દેવતા | પાર્શ્ચનાથ અને ૨૪ તીર્થંકરો |
| સ્થાન | |
| સ્થાન | ગ્વાલિયર |
| રાજ્ય | મધ્ય પ્રદેશ |
| દેશ | ભારત |
| અક્ષાંશ-રેખાંશ | 26°13′17″N 78°10′41″E / 26.221521°N 78.178024°E |
| સ્થાપત્ય | |
| સ્થાપત્ય પ્રકાર | પાષાણકલા |
| સ્થાપના તારીખ | આશરે વિ.સં. ૧૩૯૮ થી ૧૫૩૬ |
ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યમાં ગ્વાલિયર ખાતે આવેલ ગ્વાલિયર કિલ્લા પરિસરમાં ગોપાચલ પર્વત પ્રાચીન કલાત્મક જૈન મૂર્તિ સમૂહ માટેનું અદ્વિતિય સ્થાન છે. અહીં હજારો વિશાળ દિગમ્બર જૈન મૂર્તિઓ સંવત ૧૩૯૮ થી સંવત ૧૫૩૬ના સમયગાળામાં પર્વતને કોરીને બનાવવામાં આવેલ છે. આ વિશાળ મૂર્તિઓનું નિર્માણ તોમરવંશી રાજા વીરમદેવ, ડુંગરસિંહ અને કીર્તિસિંહના સમયકાળ દરમ્યાન કરવામાં આવ્યું હતું.[૧] અપભ્રંશના મહાકવિ પંડિત રઇઘુના સાનિધ્યમાં તેની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
ઈતિહાસ
[ફેરફાર કરો]સમયકાળના પરિવર્તન સાથે જ્યારે મુઘલ સમ્રાટ બાબરે ગોપાચલ પર અધિકાર કર્યો, પછી તે આ વિશાળ મૂર્તિઓ જોઈ ક્રોધિત થઈ ઈસ. ૧૫૫૭ના વર્ષમાં તેનો નાશ કરવા માટે આદેશ આપી દીધો, પરંતુ જેવો તેણે ભગવાન પાર્શ્ચનાથજીની વિશાળ પદ્માસન મૂર્તિ પર વાર કર્યો તો દિવ્ય દેવપુણીત ચમત્કાર થયો અને વિધ્વંશકો દૂર ભાગી ગયા હતા અને આ વિશાળ મૂર્તિ નાશ થવામાંથી બચી ગઈ.[૨] આજે પણ તે વિશ્વની સૌથી વિશાળ ૪૨ ફૂટ ઊંચી પદ્માસન પારસનાથની પ્રતિમા સંપૂર્ણ છે અને જૈન સમાજમાં પરમ શ્રદ્ધાનું કેન્દ્ર છે.[૩]
ભગવાન પાર્શ્ચનાથની દેશનાસ્થળી, ભગવાન સુપ્રતિષ્ઠિત કેવલીની નિર્વાણસ્થળી સાથે ૨૬ જિનાલય અને ત્રિકાલ ચોવિસી પર્વત પર અને બે જિનાલય તળેટીમાં આવેલ છે, આવા ગોપાચલ પર્વતના દર્શન અદ્વિતિય છે.
આ મૂર્તિઓ સમગ્ર વિશ્વમાં અનોખી છે, પણ હજુ સુધી આ આ ધરોહર પર ન તો જૈન સમાજનું ખાસ ધ્યાન પડ્યું છે અને ન તો સરકાર દ્વારા તેનું મૂલ્ય આંકવામાં આવેલ છે.
છબીઓ
[ફેરફાર કરો]- ગોપાચલ પર્વત પર વિશાળ જૈન મૂર્તિઓ
- ગોપાચલ પર્વત પરની જૈન મૂર્તિઓ
- વિશાળ જૈન મૂર્તિઓ
- ગોપાચલ પર્વત પરની વિશાળ જૈન મૂર્તિઓ. ડાબી બાજુ પદ્મ મુદ્રામાં ખંડિત મૂર્તિ
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "On a spiritual quest". Deccan Herald. ૨૯ માર્ચ ૨૦૧૫. મૂળ માંથી 2016-11-07 પર સંગ્રહિત. મેળવેલ 2017-07-27.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ "पार्श्वनाथ के आगे तलवार उठाते ही बाबर के हाथों की ताकत हो गई गायब". દૈનિક ભાસ્કર (હિન્દીમાં). ૧૯ એપ્રિલ ૨૦૧૬. મેળવેલ ૨૭ જુલાઇ ૨૦૧૭.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ "Welcome to official website of District Administration Gwalior (M.P.) India". gwalior.nic.in. મૂળ માંથી 2016-12-07 પર સંગ્રહિત. મેળવેલ ૩૧ ઓક્ટોબર ૨૦૧૭.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ગ્વાલિયર ગૌરવ - ગોપાચલ[હંમેશ માટે મૃત કડી]
- તીર્થંકર પાર્શ્ચનાથની દેશનાસ્થળી સંગ્રહિત ૨૦૧૧-૦૧-૧૯ ના રોજ વેબેક મશિન