ગોવર્ધનરામ: ચિંતક અને સર્જક

વિકિપીડિયામાંથી
ગોવર્ધનરામ: ચિંતક અને સર્જક
લેખકવિષ્ણુપ્રસાદ ત્રિવેદી
દેશભારત
ભાષાગુજરાતી
વિષયગોવર્ધનરામ ત્રિપાઠી
પ્રકારવિવેચન
પ્રકાશકએન. એમ. ત્રીપાઠી પ્રા. લિ., મુંબઈ
પ્રકાશન તારીખ
૧૯૬૨
OCLC24511423

ગોવર્ધનરામ: ચિંતક ને સર્જક ભારતીય લેખક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી દ્વારા લખાયેલું પુસ્તક છે. તે ગુજરાતી લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી વિશેનું ૧૯૬૨માં લખાયેલું ગુજરાતી ભાષાનું વિવેચનાત્મક લખાણ છે. તેને ગોવર્ધનરામ પરનું મહત્વનું કાર્ય માનવામાં આવે છે.

પ્રકાશન ઇતિહાસ[ફેરફાર કરો]

એન. એમ. ત્રીપાઠી પ્રા. લિ. નામના પ્રકાશન ગૃહ દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં પ્રાયોજીત એક વ્યાખ્યાન માળાના ઉદ્ઘઘાટન પ્રવચનમાં ત્રિવેદીએ ગોવર્ધનરામ ત્રિપાઠી પર ૧૬ ઓગસ્ટથી ૨૦ ઑગસ્ટ ૧૯૬૦ દરમ્યાન પાંચ વ્યાખ્યાનો આપ્યા હતા. આ વ્યાખ્યાનો ત્યાર પછી ગોવર્ધનરામ: ચિંતક અને સર્જક શિર્ષક હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યા.[૧]

વાંચન સમાવિષ્ટો[ફેરફાર કરો]

પ્રથમ વ્યાખ્યાનમાં ગોવર્ધનરામના જીવન દર્શનનો પરિચય થાય છે. બીજા પ્રકરણમાં સાક્ષરજીવન નો અભ્યાસ વિસેહ્ વિવેચન કરે છે, આ વિભાગ ગોવર્ધનરામના વિદ્વાન અને સાહિત્યિક જીવનની વિભાવનાને પ્રતિબિંબિત કરે છે. ત્રીજું વ્યાખ્યાન ગોવર્ધનરામની કવિતાનું મૂલ્યાંકન કરે છે અને ચોથું વ્યાખ્યાન ગોવર્ધનરામની સર્વશ્રેષ્ઠ કૃતિ, સરસ્વતીચંદ્ર નામની નવલકથાનું મૂલ્યાંકન કરે છે. નવલકથાની ચર્ચા કરતી વખતે ત્રિવેદી, ગોવર્ધનરામ દ્વારા સ્વીકારવામાં આવેલી તકનીકો અને ગદ્ય શૈલીની ચર્ચા કરે છે.[૧]

ત્રિવેદી તર્ક કરવાનો પ્રયાસ કરે છે કે ગોવર્ધનરામ એક મોટા "સર્જક" સર્જનાત્મક કલાકાર; એક ચિંતક તરીકે, પ્રતિબિંબિત વિચારક છે.[૨]

પ્રતિભાવ[ફેરફાર કરો]

વિવેચક મનસુખલાલ ઝવેરીએ આ પ્રવચનોને ગોવર્ધનરામ પરના સાહિત્યમાં "મહત્વપૂર્ણ ફાળો" ગણાવ્યો.[૨] સમીક્ષક આર.એમ.પટેલે લખ્યું; "કદાચ તે અત્યાર સુધી કરવામાં આવેલ ગોવર્ધનરામનું શ્રેષ્ઠ અભ્યાસ અને મૂલ્યાંકન છે".[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Patel, R. M. (March 1963). Sandesara, B. J. (સંપાદક). "Reviews". Journal of Oriental Institute. Baroda: Oriental Institute. XII (3): 325–327. OCLC 1774243.
  2. ૨.૦ ૨.૧ ઝવેરી, મનસુખલાલ (1978). History of Gujarati Literature. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 180. OCLC 462837743.