જાંબુઘોડા રજવાડું

વિકિપીડિયામાંથી
જાંબુઘોડા સ્ટેટ
જાંબુઘોડા રજવાડું
રજવાડું of બ્રિટિશ ભારત
૧૪મી સદી પૂર્વે–૧૯૪૮
Flag of જાંબુઘોડા
Flag
Coat of arms of જાંબુઘોડા
Coat of arms
વિસ્તાર 
• ૧૯૦૧
370 km2 (140 sq mi)
વસ્તી 
• ૧૯૦૧
11385
ઇતિહાસ 
• સ્થાપના
૧૪મી સદી પૂર્વે
• ભારતની સ્વતંત્રતા
૧૯૪૮
પછી
ભારત
Public Domain આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. Missing or empty |title= (મદદ)CS1 maint: ref=harv (link)

જાંબુઘોડા રજવાડું એ બ્રિટિશ રાજ સમયનું ભારતનું એક બિન-સલામી રજવાડું હતું, જે જૂના સમયકાળમાં નારુકોટ તેમ જ ટોકલપુર તરીકે પણ ઓળખાતું હતું. તે બોમ્બે પ્રેસિડેન્સીની બરોડા એજન્સી હેઠળ હતું, ત્યારબાદ સંકલિત બરોડા અને ગુજરાત સ્ટેટ્સ એજન્સીમાં આ રજવાડાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેના છેલ્લા શાસક દ્વારા ૧૯૪૮ના દસમી જૂનના દિવસે ભારત સરકાર સાથે જોડાવા માટે સંમતિ આપવામાં આવી હતી[૧].

જાંબુઘોડા રાજ્ય ૩૭૦ ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલ હતું અને ૧૯૩૩ની વસ્તીગણતરી મુજબ તેમાં ૧૧,૩૮૫ની વસ્તી હતી. તેની ઉત્તર દિશામાં બારીયા રાજ્ય, દક્ષિણ દિશામાં બરોડા રાજ્ય અને પૂર્વ દિશામાં છોટાઉદેપુર રાજ્ય આવેલ હતાં. તેની મુખ્ય વસ્તી તરીકે નાયકડા અને કોળી લોકો હતા. આ રજવાડું આદિવાસી પ્રભુત્વ વિસ્તારમાં આવેલ હતું. તેનું પાટનગર હાલના જાંબુઘોડા ખાતે હતું, જે હાલ ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવે છે.

શાસકો (ઠાકોર સાહેબો)[ફેરફાર કરો]

  • .... - ૧૮૨૦ અમરસિંહજી
  • ૧૮૨૦ - ૧૮૭૦ જગતસિંહજી
  • ૧૮૭૦ - ૧૯૧૧ દિપસિંહજી જગતસિંહજી (જ. ૧૮૪૧ - મૃ. ૧૯૧૧)
  • ૧૯૧૧ - ૨૭ સપ્ટે ૧૯૧૭ ગંભીરસિંહજી (મૃ. ૧૯૧૭)
  • ૨૭ સપ્ટે ૧૯૧૭ - ૧૫ ઓગ ૧૯૪૭ રણજિતસિંહજી ગંભીરસિંહજી (જ. ૧૮૯૨ - મૃ. ૧૯૬૨)

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Coordinates: 22°22′00″N 73°43′00″E / 22.3667°N 73.7167°E / 22.3667; 73.7167