જેસલ જાડેજા
જેસલ જાડેજા | |
|---|---|
જેસલ જાડેજા એ કચ્છના સંતકવિ હતા. તેમનો જન્મ ૧૪મી સદીની આસપાસ[૧] કચ્છનાં દેદા વંશનાં રાજપૂત રાવજી જાડેજા[૨]ના પુત્ર ચાંદોજી જાડેજાને ત્યાં થયો હતો. જેસલનું પૂર્વજીવન રાજ્ય સામે બહારવટે ચડેલા લૂંટારા તરીકે સર્વત્ર આલેખાયું છે. તેને 'કચ્છજી ધરતી જો કાળો નાગ' (કચ્છની ધરતીનો કાળો નાગ) તરીકે પ્રખ્યાત હતો. પોતાની ભાભીનું મહેણુ ભાંગવા, સૌરાષ્ટ્રનાં રાજવી સાંસતિયા કાઠીને ત્યાં તેની ઘોડી અને તલવાર ચોરવા જતાં પાટપૂજન વિધી સમયે અચાનક સાંસતિયાની પત્નિ તોરલને જોઈ. ક્રુર અને બહારવટીયા જેસલનાં જીવનનો ઉદ્ધાર કરવાનાં આશયથી સાંસતિયાએ પોતાની ઘોડી, તલવાર સાથે તોરલ પણ જેસલને સોંપી દીધી હતી. ત્યાર બાદ અનેક કસોટીઓની વચ્ચે તોરલે તેનો બચાવ કર્યો અને ધીરેધીરે જેસલનું હૃદય પરિવર્તન થતાં મહામાર્ગમાં દીક્ષિત થયા હતાં. તેઓએ ઘણાબધા પ્રચલિત ભજનોની રચના કરી હતી. જેમાં પોતાનાં પાપોનું પ્રાયશ્ચિત અને હૃદયવ્યથાનું નિરૂપણ છે.
ગુજરાત રાજ્યનાં કચ્છનાં અંજાર શહેરમાં તેમણે જીવતા સમાધી લીધી હતી, જે આજે પણ પ્રખ્યાત સ્થળ છે. તેઓ આજે જેસલપીર તરીકે પુજાય છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "અને તે લૂંટારાએ કહ્યું કે, મને તારી રૂપવાન પત્ની અને પાણીદાર ઘોડી આપ". દિવ્ય ભાસ્કર. ૨૨ જાન્યુઆરી ૨૦૧૩. મેળવેલ ૧૯ જુલાઇ ૨૦૧૭.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. pp. ૨૧૦–૨૧૧.
| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |