પાઇકા વિદ્રોહ

વિકિપીડિયામાંથી
પાઇકા વિદ્રોહ

ભારતીય ટપાલ ટિકિટ પર પાઇકા વિદ્રોહ (૨૦૧૮)
તિથિ મે ૧૮૧૭ – ડિસેમ્બર ૧૮૧૮
સ્થાન વર્તમાન ઑડિશા રાજ્ય અને આસપાસના વિસ્તારો
પરિણામ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો વિજય
  • પાઇકા શાસનનો ઔપચારિક અંત.
  • પાઇકા ઇસ્ટ ઇન્ડિયા કંપનીના આધિપત્યને આધિન.
  • ગજપતિ અને ગઢજાત રાજાઓને ઇસ્ટ ઇન્ડિયા કંપનીના આધિપત્ય હેઠળ જાળવી રાખવામાં આવ્યા.
  • ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ઓડિશા પર નિયંત્રણ સ્થાપિત કરવામાં આવ્યું.
યોદ્ધા
ભોઈ વંશ બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપની
  • બંગાળ પ્રાંત
સેનાનાયક
બક્ષી જગબંધુ થોમસ હિસલોપ
શક્તિ/ક્ષમતા
૧૦,૦૦૦થી વધુ ૧૦,૦૦૦થી વધુ
ભુવનેશ્વરમાં પાઇકા વિદ્રોહના નેતા (બક્ષી જગબંધુ)ની પ્રતિમા.

પાઇકા વિદ્રોહ, જેને પાઇકા બળવો પણ કહેવામાં આવે છે. તે ૧૮૧૭માં ભારતમાં (ઈસ્ટ ઈન્ડીયા) કંપનીના શાસન સામે પ્રારંભિક સશસ્ત્ર બળવો હતો. પાઇકાઓએ તેમના નેતા બક્ષી જગબંધુના નેતૃત્વ હેઠળ બળવો પોકાર્યો હતો અને ભગવાન જગન્નાથને ઓડિયા એકતાના પ્રતીક તરીકે રજૂ કર્યા હતા, આ બળવો કંપનીના દળો દ્વારા દાબી દેવામાં આવે તે પહેલાં ઓડિશાના મોટા ભાગના વિસ્તારોમાં ઝડપથી ફેલાયો હતો.[૧]

પાઇકા (સમુદાય)[ફેરફાર કરો]

ડાબેથી જમણે : ક્રુતિબાસ પટસાણી, માધવચંદ્ર રાઉત્રે, બક્ષી જગબંધુ, જયી રાજગુરુ અને પિંડીકી બહુબલેન્દ્ર.

પાઇકાઓ ઓડિશાના ગજપતિ શાસકોના ખેડૂત મિલિશિયા[upper-alpha ૧] હતા, જેઓ શાંતિના સમયમાં ખેતી કરવા ઉપરાંત જરૂરના સમયે રાજાઓને લશ્કરી સેવાઓ આપતા હતા.[૨] પાઇકાઓને તેમના વ્યવસાય અને તેઓ દ્વારા ચલાવવામાં આવતા શસ્ત્રો દ્વારા વિશિષ્ટ ત્રણ રેન્કમાં ગોઠવવામાં આવ્યા હતા. પહરીઓ, ઢાલ અને ખાંડાની તલવારો ધરાવતા હતા. બાનુઆ, જેમણે દૂરના અભિયાનોનું નેતૃત્વ કર્યું હતું અને મેચલોક[upper-alpha ૨]નો ઉપયોગ કર્યો હતો અને ઢેંકિયાઓ - ધનુર્ધારીઓ હતા જેમણે ઓડિશા સૈન્યમાં વિવિધ ફરજો બજાવી હતી.[૩] ૧૮૦૩માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ઓડિશા પર વિજય મેળવ્યો અને ખુર્દાના રાજાને પદભ્રષ્ટ કર્યા બાદ પાઇકાઓની સત્તા અને પ્રતિષ્ઠામાં ઘટાડો થવા લાગ્યો. પાઇકાઓ પ્રત્યે કંપનીનું વલણ વોલ્ટર ઇવર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું હતું, જેણે બળવાના કારણોની તપાસ કરી હતી અને જણાવ્યું હતું કે "હવે ખુર્દા ખાતે પાઇકાઓની સહાયની જરૂર નથી. તેમને પ્રેસિડેન્સી આર્મીમાં રાખવા જોખમી છે. આમ, તેમને સામાન્ય રૈયત તરીકે ગણવા જોઈએ અને તેમની પાસેથી જમીન મહેસૂલ અને અન્ય કર વસૂલવા જોઈએ. તેઓને તેમની ભૂતપૂર્વ જાગીર જમીનોથી વંચિત રાખવા જ જોઇએ. ટુંકાગાળામાં જ પાઇકાઓનું નામ ભુલાઇ ગયું છે. પરંતુ હજી પણ હવે જ્યાં પાઇકાઓ રહે છે ત્યાં તેઓએ તેમનો અગાઉનો આક્રમક સ્વભાવ જાળવી રાખ્યો છે. તેમના ઝેરી દાંત તોડવા માટે, વસાહતી પોલીસ દળે પાઇકાઓને ઘણા લાંબા સમય સુધી તેમના નિયંત્રણ હેઠળ રાખવા માટે ખૂબ જ સજાગ રહેવું આવશ્યક છે, પાઇકા સમુદાય સંપૂર્ણપણે બરબાદ થઈ જાય ત્યાં સુધી કંપનીનું શાસન સરળતાથી ચાલી શકવાનું નથી."[૪][૫]

બળવાના કારણો[ફેરફાર કરો]

પાઇકા બળવાની ઉત્પત્તિ કેટલાક સામાજિક, આર્થિક અને રાજકીય કારણોમાં રહેલી છે. ઓડિશામાં વેપાર માટે ચાર બંદરો હતા, જેના નેટવર્કમાં લાખો વેપારીઓ સંકળાયેલા હતા. જો કે, ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ, તેમના પોતાના ઇજારાઓને બચાવવા માટે, આ બંદરોને વેપાર માટે બંધ કરી દીધાં હતાં, જેના કારણે સ્થાનિક વસ્તીનો મોટો ભાગ એકબીજાથી પૃથક થઈ ગયો હતો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટકર્તાઓએ ખુર્દા પર વિજય મેળવ્યા બાદ તેમને આપવામાં આવેલી વારસાગત ભાડા-મુક્ત જમીનો પર કબજો જમાવ્યો હતો અને સ્થાનિક વહીવટકર્તાઓ કે જેઓ શિક્ષિત અને ધનવાન હતા તેમને પાઇકાઓની વિરુદ્ધ કરી દેવામાં આવ્યા હતા. પાઇકાઓને કંપની પ્રશાસન અને તેના સેવકો દ્વારા બળજબરીથી વસૂલી પણ કરવામાં આવી હતી. કંપનીની ખંડણીખોર જમીન મહેસૂલ નીતિની ખેડૂતો અને જમીનદારો પર એકસરખી અસર થઈ. સામાન્ય લોકો માટે ખૂબ જ ચિંતાનું કારણ એ હતું કે કંપની પ્રશાસન દ્વારા તેના પર લાદવામાં આવેલા કરને કારણે મીઠાના ભાવમાં વધારો થયો હતો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ તેના વિજય પહેલાં ઓડિશામાં અસ્તિત્વ ધરાવતી કોરી ચલણની પદ્ધતિને પણ નાબૂદ કરી હતી અને હવે તમામ કર ચાંદી સ્વરૂપે ચૂકવવામાં આવે તે જરૂરી હતું. આને કારણે લોકોમાં ઘણી મુશ્કેલીઓ અને અસંતોષ પેદા થયો. ૧૮૦૪માં ખુર્દાના રાજાએ પાઇકાઓ સાથે જોડાણ કરીને કંપની સામે બળવો કરવાની યોજના બનાવી હતી, પરંતુ ટૂંક સમયમાં જ આ કાવતરું શોધી કાઢવામાં આવ્યું હતું અને રાજાનો પ્રદેશ જપ્ત કરવામાં આવ્યો હતો.[૬][૭]

નેતાઓ અને સહભાગીઓ[ફેરફાર કરો]

પાઇકા બળવાનું નેતૃત્વ ખુર્દાના રાજાના સૈન્યના ભૂતપૂર્વ બક્ષી અથવા સેનાપતિ બક્ષી જગબંધુએ કર્યું હતું. જગબંધુની પારિવારિક જાગીર કિલા રોરાંગને ૧૮૧૪માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ હસ્તગત કરી લીધી હતી, જેના કારણે તેઓ દરિદ્રતામાં સપડાઈ ગયા હતા. માર્ચ ૧૮૧૭માં જ્યારે બળવો ફાટી નીકળ્યો ત્યારે પાઇકાઓ તેમની આગેવાની હેઠળ એકઠા થયા હતા. ખુર્દાના છેલ્લા રાજા મુકુંદ દેવ પાઇકા બળવાખોરોના અન્ય એક નેતા હતા. બળવાને ઉડિયા સમાજમાં વ્યાપક ટેકો મળ્યો હતો, જેમાં સામંતશાહી વડાઓ, પાઇકર જમીનદારો અને ઓડિશાના સામાન્ય લોકોએ તેમાં ભાગ લીધો હતો. કરીપુર, મૃચપુર, ગોલરા, બલરામપુર, બડનેકેરા અને રૂપાસાના જમીનદારોએ પાઇકાઓને ટેકો આપ્યો હતો. બળવાની શરૂઆત બનાપુર અને ખુર્દાથી થઈ હતી, પરંતુ તે ઝડપથી ઓડિશાના અન્ય ભાગો જેમ કે પુરી, પિપિલી અને કટકમાં અને કનિકા, કુજંગ અને પટ્ટામુંદઈ સહિતના કેટલાક અંતરિયાળ ગામોમાં પણ ફેલાયો હતો. કનિકા, કુજંગ, નયાગઢ અને ઘુમુસુરના રાજાઓએ જગબંધુને મદદ કરી હતી અને જદુપુરનો દલાબેહેરા મીરહૈદર અલ્લી એક મહત્ત્વનો મુસ્લિમ બળવાખોર હતો.[૮]

વિદ્રોહની દિશા[ફેરફાર કરો]

ઓડિશામાં કંપનીની નીતિઓ અંગે અસંતોષ ભભૂકી રહ્યો હતો. જ્યારે માર્ચ ૧૮૧૭માં, કંધાસનો ૪૦૦-મજબૂત પક્ષ ઘુમસુર રાજ્યમાંથી ખુર્દામાં ઘૂસી ગયા હતા અને કંપનીના શાસન સામે પોતાનો બળવો જાહેર કર્યો હતો. જગબંધુના વડપણ હેઠળ પાઇકાઓ તેમની સાથે જોડાયા હતા, લૂંટફાટ કરી હતી અને બાનપુર ખાતેની પોલીસ સ્ટેશન અને પોસ્ટ ઓફિસને આગ ચાંપી દીધી હતી. ત્યારબાદ બળવાખોરોએ ખુર્દા તરફ જ કૂચ કરી હતી, જેને કંપનીએ ત્યજી દીધી હતી અને ત્યાંના વહીવટી ઇમારતો અને તિજોરીને ખાલી કરી દીધી હતી. બળવાખોરોના અન્ય એક જૂથે લેમ્બાઈ પરગણા પર કબજો કરી લીધો હતો, જ્યાં તેમણે કંપનીના ભારતીય અધિકારીઓની હત્યા કરી હતી.[૪][૯]

કટકના મેજિસ્ટ્રેટ ઇ. ઇમ્પીની આગેવાની હેઠળની કંપની સરકારે બળવાને ડામવા માટે લેફ્ટનન્ટ પ્રાઇડોરને એપ્રિલની શરૂઆતમાં ખુર્દા અને લેફ્ટનન્ટ ફારિસને પીપળી મોકલ્યા હતા, જેને પાઇકાઓ તરફથી સતત હુમલાઓનો સામનો કરવો પડ્યો, જેના કારણે તેમને ભારે નુકસાન સહન કરવું પડ્યું અને કટક તરફ પીછેહઠ કરવાની ફરજ પડી. ફારિસ પોતે પાઇકાઓ દ્વારા માર્યો ગયો. જોકે, કેપ્ટન વેલિંગ્ટનના નેતૃત્વ હેઠળના અન્ય એક દળને પુરી ખાતે મોકલવામાં આવ્યું હતું જેને થોડા વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ૯ એપ્રિલના રોજ ખુર્દામાં ૫૫૦ માણસોની ટુકડી મોકલવામાં આવી હતી. ત્રણ દિવસ પછી તેઓ ખુર્દાને જીતવામાં સફળ રહ્યા હતા અને ખુર્દા પ્રદેશમાં માર્શલ લો જાહેર કર્યો હતો.[૪][૯]

ઇસ્ટ ઇન્ડિયા કંપની ખુર્દા પર અંકુશ મેળવવામાં સફળ રહી હતી પરંતુ પુરી બક્ષી જગબંધુની આગેવાની હેઠળના બળવાખોરોના હાથમાં આવી ગઇ હતી અને કંપનીના દળોને ૧૮ એપ્રિલ સુધીમાં કટક તરફ પીછેહઠ કરવાની ફરજ પડી હતી. કટક દક્ષિણ ઓડિશાના બળવાખોરોના કબજા હેઠળના હિસ્સાઓથી વિખૂટુ પડી ગયું હતું, અને તેથી કંપની પ્રશાસનને ખુર્દા મોકલવામાં આવેલા દળના ભાવિ વિશે જાણકારી ન હતી.ખુર્દામાં દળની સફળતાએ કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન લે ફીવરને બળવાખોરોને પુરીમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી. આ પક્ષે પુરી તરફ કૂચ કરતી વખતે પાઇકોના હજારો મજબૂત પરંતુ અપૂરતા સાધનોથી સજ્જ દળને પરાજય આપ્યો હતો, અને તેઓએ પુરી પર ફરીથી પોતાની પકડ જમાવી લીધી હતી અને રાજા શહેરમાંથી ભાગી જાય તે પહેલાં જ તેને પકડી લીધો હતો.[૪][૯]

આ બળવો સમગ્ર ઓડિશામાં ઝડપથી ફેલાયો હતો, અને કંપનીના દળો અને પાઇકા દળો વચ્ચે અનેક મૂઠભેડો થઈ હતી, જેમાં કટકનો પણ સમાવેશ થાય છે, જ્યાં બાદમાં પાઇકાઓનો ઝડપથી પરાજય થયો હતો. મે ૧૮૧૭ સુધીમાં, ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ સમગ્ર પ્રાંત પર પોતાની સત્તા પુનઃસ્થાપિત કરવામાં સફળતા મેળવી હતી, પરંતુ આખરે શાંતિ આ પ્રદેશમાં પાછી ફરે તે પહેલાંનો આ એક નોંધપાત્ર સમયગાળો સાબિત થયો હતો.[૪][૯]

બળવાની અસરો[ફેરફાર કરો]

મે ૧૮૧૭માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પકડાયેલા બળવાખોરોને સજા કરવા માટે ખુર્દામાં ન્યાયાધીશોને તૈનાત કર્યા હતા. જે સજા સંભળાવવામાં આવી હતી તેમાં ફાંસી, દંડનીય પરિવહન અને કારાવાસનો સમાવેશ થતો હતો. ૧૮૧૮ અને ૧૮૨૬ની વચ્ચે કંપનીના દળોએ ખુર્દાના જંગલોમાં અનેક કામગીરી હાથ ધરી હતી, જેથી નાસી છૂટવામાં સફળ રહેલા બળવાખોરોને પકડી શકાય કે તેમને મારી શકાય. બળવાખોરોના બાકીના જૂથના નેતા જગબંધુએ ૧૮૨૫માં ઇસ્ટ ઇન્ડિયા કંપની સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું અને ૧૮૨૯માં જ્યારે તેઓ મૃત્યુ પામ્યા ત્યાં સુધી કટકમાં તેમના કેદી તરીકે રહ્યા હતા. [10] પુરી કબજે કર્યા બાદ, જગબંધુએ રાજા મુકુંદ દેવને ખુર્દાના રાજા તરીકે પુનઃસ્થાપિત કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમને કંપનીએ ૧૮૦૪માં પદભ્રષ્ટ કર્યા હતા અને પુરીથી દેશનિકાલ કર્યા હતા. જોકે રાજાએ આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો અને કંપની પાસેથી મદદ માંગી હતી, પરંતુ કંપનીના દળોએ આ શહેર પર પુનઃ કબજો જમાવ્યો ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને કટકમાં કેદ કરવામાં આવ્યા હતા. રાજા નવેમ્બર, ૧૮૧૭માં કંપનીના એક કેદી તરીકે મૃત્યુ પામ્યા હતા. [સંદર્ભ આપો]

ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બળવાના કારણોની તપાસ માટે એક કમિશનની પણ નિમણૂંક કરી હતી. કંપનીએ કટકના નવનિયુક્ત કમિશનર રોબર્ટ કેર હેઠળ તેમના વહીવટને નવેસરથી ઘડવાની શરૂઆત કરી, જેથી આ પ્રકારનો બળવો પુનરાવર્તિત ન થાય તેની ખાતરી કરી શકાય. આ પ્રયાસો પૂરો રસ લઈને કરવામાં આવ્યા ન હતા, કારણ કે કંપની પ્રસાશન ઓડિશાને મોટે ભાગે તેમના મદ્રાસ અને બંગાળ પ્રેસિડેન્સી વચ્ચે એક અનુકૂળ જમીન-આધારિત કડી તરીકે જોતા હતા.[૧૦] ૧૮૨૭માં તપંગામાં કંપનીના શાસન સામે ઝુંબેશ અને ૧૮૩૫ના બનાપુર બળવામાં સંડોવણીમાં ઓડિશાનો પ્રતિકાર ચાલુ રહ્યો હતો.[૧૧] ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન સામેના અન્ય મોટા બળવાઓ પછી દોરા બિસોઇ અને ચક્ર બિસોઇની આગેવાની હેઠળ અલગ અલગ કાંધ બળવો, કોલ બળવો, વીર સુરેન્દ્ર સાઇ અને ગોંડ સરદારોની આગેવાની હેઠળ સંબલપુર બળવો, ધરણીધર નાઇકના નેતૃત્વ હેઠળ ભુયાન બળવો વગેરે હેઠળ બે અલગ અલગ કાંધા બળવો થયો હતો. ઓડિશામાં કંપનીની મહેસૂલી નીતિઓ, જે સ્થાનિક લોકો માટે અસંતોષનું એક મોટું કારણ હતી, તે યથાવત્ રહી હતી. ઓક્ટોબર ૨૦૧૭માં, ઓડિશા સરકારે ૧૮૫૭ના ભારતીય બળવાનું સ્થાન લઈને પાઇકા વિદ્રોહને પ્રથમ ભારતીય સ્વતંત્રતા સંગ્રામ તરીકે માન્યતા આપવા માટે કેન્દ્ર સરકારને ઔપચારિક દરખાસ્ત કરી હતી.[૧૨] ૨૦૨૧ના સંસદના શિયાળુ સત્રમાં કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડીએ રાજ્યસભામાં બીજેડીના સાંસદ પ્રશાંત નંદાના પ્રશ્નના લેખિત જવાબ દ્વારા કહ્યું હતું કે, પાઇકા વિદ્રોહને આઝાદીનો પ્રથમ સંગ્રામ ન કહી શકાય. જો કે મંત્રીએ જાહેર કર્યું કે હવે તેને એનસીઇઆરટીના આઠમા ધોરણના ઇતિહાસના પાઠયપુસ્તકના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે, કારણ કે તે ભારતમાં અંગ્રેજો સામેના પ્રથમ લોકપ્રિય બળવાઓમાંનો એક હતો, અને ૧૮૧૭ થી ૧૮૨૫ સુધી લાંબા સમય સુધી ચાલ્યો હતો.[૫]

વિદ્રોહ સ્મારક[ફેરફાર કરો]

પાઇકા વિદ્રોહ સ્મારકનું નિર્માણ કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા બરુનેઈ હિલ્સ નજીક દસ એકર જમીનમાં કરવામાં આવશે. તેનો શિલાન્યાસ ૭ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યો હતો.[૫]

નોંધ[ફેરફાર કરો]

  1. મિલિશિયા એ બિન-વ્યાવસાયિક અને/અથવા અંશકાલીન (પાર્ટ-ટાઇમ) સૈનિકોનું સૈન્ય અથવા લડાઇ સંગઠન છે, જેમાં દેશના અથવા રાજ્યના નાગરિકો, જરૂરિયાતના સમયે લશ્કરી સેવા આપી શકે છે.
  2. માચિસલોક અથવા ફાયરલોક એ ઐતિહાસિક પ્રકારનું હથિયાર છે જેમાં જ્વલનશીલ દોરી અથવા સૂતરના સળગતા ટુકડા દ્વારા ગનપાવડરને સ્પર્શ કરવામાં આવે છે, જેને બંદૂકધારી આંગળી વડે લીવર ખેંચીને અથવા ટ્રિગર ખેંચીને સક્રિય કરે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Kalia, Ravi (1994). Bhubaneswar: From a Temple Town to a Capital City. Southern Illinois University Press. પૃષ્ઠ 31. ISBN 9780809318766.
  2. "Paika Rebellion of Odisha". pib.gov.in. મેળવેલ 2022-02-13.
  3. Mohanty, N.R. (August 2008). "The Oriya Paika Rebellion of 1817" (PDF). Orissa Review: 1–3. મેળવેલ 13 February 2013. CS1 maint: discouraged parameter (link)
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ Paikaray, Braja (February–March 2008). "Khurda Paik Rebellion - The First Independence War of India" (PDF). Orissa Review: 45–50. મેળવેલ 13 February 2013. CS1 maint: discouraged parameter (link)
  5. ૫.૦ ૫.૧ ૫.૨ "Explained: Why Centre has refused to accept Paika revolution as first war of independence". The Indian Express (અંગ્રેજીમાં). 2021-12-03. મેળવેલ 2021-12-03.
  6. Mahmud, Sayed Jafar (1994). Pillars of Modern India 1757-1947. New Delhi: Ashish Publishing House. પૃષ્ઠ 10. ISBN 9788170245865.
  7. The Hindu Net Desk (2017-04-16). "Paika rebellion of 1817". The Hindu (અંગ્રેજીમાં). ISSN 0971-751X. મેળવેલ 2022-02-13.
  8. "Paika revolt of 1817". મૂળ માંથી 8 માર્ચ 2013 પર સંગ્રહિત. મેળવેલ 13 February 2013. CS1 maint: discouraged parameter (link)
  9. ૯.૦ ૯.૧ ૯.૨ ૯.૩ "Paik Rebellion". મૂળ માંથી 12 માર્ચ 2012 પર સંગ્રહિત. મેળવેલ 13 ફેબ્રુઆરી 2013. CS1 maint: discouraged parameter (link)
  10. Orissa General Knowledge. New Delhi: Bright Publications. પૃષ્ઠ 29. ISBN 9788171995745.
  11. Paikaray, Braja (January 2005). "Sahid Krutibas Patasani: The Crusader of Banapur Rebellion of 1836" (PDF). Orissa Review: 21, 22. મેળવેલ 13 February 2013. CS1 maint: discouraged parameter (link)
  12. Pattanaik, Nihar Ranjan (1997). Economic History of Orissa. New Delhi: Indus Publishers. પૃષ્ઠ 315. ISBN 9788173870750.