પુનિત મહારાજ
પુનિત મહારાજ | |
---|---|
જન્મની વિગત | ૧૯૦૮ ![]() |
મૃત્યુની વિગત | ૨૭ જુલાઇ ૧૯૬૨ ![]() |
વ્યવસાય | Religious writer ![]() |
પુનિત મહારાજ કે સંત પુનિત (૧૯૦૮-૧૯૬૨) ગુજરાતના સંત અને ભજનિક હતા.[૧]
જીવન[ફેરફાર કરો]
તેમનો જન્મ ઇ. સ. ૧૯૦૮માં ધંધુકા ખાતે થયો હતો અને તેમના બાળપણનું નામ બાલકૃષ્ણ હતું. નાનપણથી તેઓ માટલાની બે ઠીકરીઓ વગાડીને કીર્તન કરતાં. રામનામનું રસાયણ ભવ રોગને હરે છે. તેવા વાકયે ક્ષય રોગથી નિરાશ બાલકૃષ્ણનાં જીવનમાં પરિવર્તન આણ્યું. રાધેશ્યામ મહારાજે તેમને પુનિત મહારાજ નામ આપ્યું.[૨] ભજનનો વેપાર કર્યા વિના, વિના ખર્ચે ભજન શરૂ કર્યા. ભાખરીદાન અને નેત્રયજ્ઞ અભિયાનના પ્રણેતાએ ૨૭ જુલાઈ, ૧૯૬૨ના રોજ વિદાય લીધી હતી.[૨] તેમણે શરૂ કરેલું જનકલ્યાણ માસિક આજે પણ લોકપ્રિય છે.
ભજનો[ફેરફાર કરો]
પુનિત મહારાજ કે જે સંત પુનિત તરિકે પણ ઓળખાયા તેમણે કૃષ્ણભક્તિનાં અનેક ભજનો રચ્યાં છે અને આ ભજનો ગુજરાતીઓની લોકજીભે હરરોજ ગવાય છે. ખાસ કરીને તે ડાકોરના રણછોડરાયજીના પરમ ભક્ત હતાં અને તેથી કરી તેમણે રણછોડજીનાં અનેક ભજનો રચ્યાં છે. રણછોડજીની તીથીઓ, સાત વાર, રણછોડજીની આરતિ, વિગેરે ઉપરાંત 'ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહી...' તેમનું ખુબજ લોકપ્રિય ભજન છે.
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ "સેવા-સ્મરણના સદગુણી પુનિત મહારાજ - Special Articles". ૧૨ મે ૨૦૦૯. Retrieved ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૬. Check date values in:
|accessdate=, |date=
(મદદ) - ↑ ૨.૦ ૨.૧ "સંત પુનિત મહારાજની આજે નિર્વાણતિથિ". ૨૭ જુલાઇ ૨૦૧૬. Retrieved ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૬. Check date values in:
|accessdate=, |date=
(મદદ)
![]() | આ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |