બાપ્તિસ્મા (બૅપ્ટિઝમ)

વિકિપીડિયામાંથી
માસાસિઓ દ્વારા નિઓફાઈટિસના બાપ્તિસ્મા, ૧૫મી સદી, બ્રાન્કાસી ચૅપલ, ફ્લોરેન્સ.[૧]

ખ્રિસ્તી ધર્મમાં, બાપ્તિસ્મા (બૅપ્ટિઝમ) (ગ્રીક શબ્દ βαπτίζω બૅપ્ટિઝો : "પાણીમાં ડુબાડવું", "સ્નાનવિધિ કરાવવો", એટલે કે, ધાર્મિક સ્નાન-પ્રક્ષાલન પરથી આવેલો શબ્દ છે)[૨] એ પાણીના ઉપયોગથી કરવામાં આવતી ધાર્મિક વિધિ છે, જેના થકી વ્યક્તિને દેવળના સભ્ય તરીકે સ્વીકૃતિ આપવામાં આવે છે.[૩] નવા કરાર મુજબ ખુદ ઈસુને પણ બાપ્તિસ્મા આપવામાં આવ્યા હતા.[૪]

સૌથી પૂર્વકાલીન ખ્રિસ્તીઓમાં જોવા મળતા બાપ્તિસ્માના સામાન્ય વિધિમાં, ઉમેદવારને સંપૂર્ણપણે અથવા અંશતઃ પાણીમાં ડુબાડવામાં આવતો હતો.[૫][૬][૭][૮][૯] બાપ્તિસ્મા આપવા માટે ઊંડી નદીનો ઉપયોગ કરતા બાપ્તિસ્ત (બાપ્તિસ્મા-દાતા) યોહાન આખા શરીરને પાણીમાં પલાળવાનું સૂચવે છે,[૧૦] 3જી સદી પછીના ખ્રિસ્તી બાપ્તિસ્માના ચિત્રો અને પુરાતત્ત્વીય પુરાવાઓ ઉમેદવાર વ્યક્તિ પાણીમાં ઊભી હોય અને તેના શરીરના ઉપલા ભાગ પર પાણી રેડવામાં આવતું હોય તેવો સામાન્ય વિધિ સૂચવે છે.[૧૧][૧૨][૧૩][૧૪] હવે બાપ્તિસ્મા આપવાની અન્ય સામાન્ય પદ્ધતિઓમાં કપાળ પર ત્રણ વખત પાણી રેડવાનો સમાવેશ થાય છે.

સોળમી સદીમાં હુલ્ડ્રીચ ઝ્વિંગલિએ જ્યાં સુધી તેની અનિવાર્યતાને નકારી નહીં, ત્યાં સુધી મુક્તિ માટે અમુક અર્થમાં બાપ્તિસ્માને અનિવાર્ય લેખવામાં આવતું હતું.[૧૫] બહુ આરંભથી ચર્ચ ઇતિહાસમાં બલિદાન/શહાદતને "રક્ત દ્વારા બાપ્તિસ્મા" પામવા તરીકે ઓળખવામાં આવે છે, જેથી જળથી બાપ્તિસ્મા ન પામ્યા હોય તેવા શહીદી વહોરનારાઓ બચાવી શકાય. પાછળથી, કૅથોલિક ચર્ચે ઇચ્છા-બાપ્તિસ્માને સ્વીકાર્યો, જેના અનુસાર જે લોકો બાપ્તિસ્મા માટેની તૈયારી કરતા હોય પણ જેઓ ખરેખર એ ધાર્મિક સંસ્કાર મેળવતાં પહેલાં મૃત્યુ પામે તેમને બચી ગયેલા માનવામાં આવે છે.[૧૬]

કેટલાક ખ્રિસ્તીઓ, ખાસ કરીને ક્વેકરો અને મુક્તિફોજ, બાપ્તિસ્માને અનિવાર્ય લેખતાં નથી, અને ન તો તેઓ એ ધાર્મિક વિધિનું પાલન કરે છે. જે લોકો આ વિધિનું પાલન કરે છે, તેમાં પણ પદ્ધતિ અને બાપ્તિસ્મા આપવાના રૂપમાં તેમ જ આ ધાર્મિક વિધિની અગત્યતા અંગેની સમજણમાં તફાવતો જોવા મળે છે. મોટા ભાગના ખ્રિસ્તીઓ "પિતા, અને પુત્ર, અને પવિત્ર આત્માના નામે" (મહાન આયોગ (Great Commission) અનુસાર) બાપ્તિસ્મા ગ્રહણ કરે છે, પણ કેટલાક માત્ર ઈસુના નામે જ બાપ્તિસ્મા ગ્રહણ કરે છે. મોટા ભાગના ખ્રિસ્તીઓ શિશુઓને બાપ્તિસ્મા આપે છે;[૧૭] બીજા અનેક એવું માને છે કે માત્ર આસ્થાવાનને અપાયેલ બાપ્તિસ્મા જ સાચા બાપ્તિસ્મા ગણાય. કેટલાક બાપ્તિસ્મા લેનાર વ્યક્તિને પૂરેપૂરી અથવા કમસે કમ અંશતઃ પાણીમાં ડુબાડવા પર ભાર મૂકે છે, જ્યારે બીજા કેટલાક બાપ્તિસ્મા લેનારી વ્યક્તિના માથા પરથી પાણી વહેતું હોય ત્યાં સુધી, પાણી દ્વારા કોઈ પણ રૂપે થતા સ્નાનને પૂરતું માને છે.

વ્યક્તિને દીક્ષા આપવામાં આવે, તેનું શુદ્ધિકરણ કરવામાં આવે, અથવા તેનું નામકરણ કરવામાં આવે તેવા કોઈ પણ ધાર્મિક વિધિ, કસોટી, અથવા અનુભવ માટે પણ "બાપ્તિસ્મા" શબ્દ વાપરવામાં આવે છે.[૧૮] દીક્ષાકરણની અન્ય ધાર્મિક વિધિઓ માટે નીચે જોશો.

નવા કરારમાં આ શબ્દનો અર્થ[ફેરફાર કરો]

સાન કૅલિસ્ટોની કૅટકૂમ્સઃ ત્રીજી-સદીના રંગચિત્રમાં બાપ્તિસ્મા

બાપ્તિસ્મા માટે સંપૂર્ણ નિમજ્જન (પાણીમાં ડુબાડવું) આવશ્યક છે કે કેમ તે અંગે ખ્રિસ્તીઓની ભિન્ન ભિન્ન પરંપરાઓ વચ્ચે મતભેદ છે, એટલે આ ચર્ચા સંદર્ભે મૂળ ગ્રીક શબ્દનો ચોક્કસ અર્થ અગત્યનો બન્યો છે.

લિડેલ અને સ્કૉટનો ગ્રીક-અંગ્રેજી શબ્દકોશ, જેના પરથી અંગ્રેજી શબ્દ "બૅપ્ટિઝમ" (ગુજરાતી "બાપ્તિસ્મા") આવ્યો છે તે ("બૅપ્ટિઝો(baptizô)" તરીકે લિપ્યંતરિત) βαπτίζω શબ્દનો, પ્રાથમિક અર્થ "ડૂબકી, પૂરેપૂરું ડુબાડવું" એવો આપે છે, પણ Luke 11:38ને ઉદાહરણરૂપે ટાંકીને, સૂચવે છે કે, તેનો બીજો અર્થ "ધાર્મિક સ્નાનવિધિ કરાવવી" એમ થાય છે.[૨]

βαπτίζω ક્રિયાપદનો સામાન્ય અર્થ[ફેરફાર કરો]

ભલે ગ્રીક શબ્દ βαπτίζω નો અર્થ સંપૂર્ણપણે માત્ર ડૂબકી, પૂરેપૂરા ડુબાડવું અથવા પખાળવું (કમસે કમ અંશતઃ) એમ થતો નથી, પણ શબ્દકોશના સ્રોતો નોંધે છે કે સેપ્ચ્યુઅગિંટ(જૂના કરારની પ્રાચીન ગ્રીક આવૃત્તિ)[૧૯][૨૦][૨૧] અને નવા કરાર એમ બંનેમાં આ શબ્દનો સામાન્ય અર્થ આમ જ થાય છે.[૨૨] નવા કરારમાં, "બોળવું" અથવા "રંગ આપવો"ના અર્થમાં, સંબંધિત શબ્દ βάπτω નો પણ ઉપયોગ થયો છે,[૨૩][૨૪][૨૫][૨૬] બોળવું એ પૂરેપૂરું ન પણ હોઈ શકે, જેમ કે બ્રેડના કોળિયાને વાઈન(દારૂ)માં ડુબાડવો(Ruth 2:14).[૨૭]

પૂર્વકાલીન ખ્રિસ્તી કલામાં બાપ્તિસ્માની રજૂઆત

ઉપરના અર્થ કરતાં જુદાં વિચલનો[ફેરફાર કરો]

નવા કરારના બે ફકરાઓમાં એવું સૂચન છે કે βαπτίζω શબ્દ, જ્યારે કોઈ વ્યક્તિ માટે વાપરવામાં આવે છે, ત્યારે હંમેશાં તેનો અર્થ આખા શરીરને બોળવું તેમ થતો નથી. પહેલો ફકરો લૂક 11:38[૨૮]નો છે, જેમાં ઈસુ જે વ્યક્તિને ત્યાં જમ્યા હતા, તે પાંખડી વ્યક્તિ કેવી રીતે, "ઈસુએ રાતનું વાળુ લેતાં પહેલાં પ્રક્ષાલન (ἐβαπτίσθη , βαπτίζω નો ગ્રીક ભૂતકાળ કર્મણિ પ્રયોગ - અક્ષરશઃ, "બાપ્તિસ્મા પામવું") કર્યું નહીં તે જોઈને કેટલી આશ્ચર્ય પામી હતી" તે કહે છે. લિડેલ અને સ્કૉટ આ ફકરામાં βαπτίζω ના ઉપયોગને સ્નાન કરવા ના અર્થમાં વપરાયો હોવાના ઉદાહરણ તરીકે ટાંકે છે. આ કૃત્ય ન કરવામાં ઈસુ અને તેમના શિષ્યોમાં સમાનતા છેઃ "તે પછી ઈસુ પાસે લહિયાઓ અને ફરોશીઓ(પાંખડીઓ) આવ્યા, જે યરૂશાલેમના હતાં, તેમનું કહેવું હતું કે, શા માટે તેમના શિષ્યો વડીલોની પ્રથાનું ઉલ્લંઘન કરે છે? કારણ કે તેઓ તેમનું ભોજન લેવા બેસે તે પહેલાં તેઓ નથી ધોતાં (νίπτω ) તેમના હાથ."[Mt 15:1-2] નવા કરારનો બીજો એક ફકરો ધ્યાન દોરે છેઃ "ફરોશીઓ(પાંખડીઓ)...વડીલોની પરંપરાને અનુસરીને, તેમના હાથ બરાબર સારી રીતે ન ધોવે (νίπτω , ધોવાની ક્રિયા દર્શાવતો સામાન્ય શબ્દ) ત્યાં સુધી ખાતા નથી; અને જ્યારે તેઓ બજારમાંથી પાછા ફરે, ત્યારે પોતાની જાતને બરાબર ધોયા (અક્ષરશઃ, "પોતાને બાપ્તિસ્મા આપીને"—βαπτίσωνται , βαπτίζω નો કર્મણિ અથવા મધ્યમ પ્રયોગ) વિના તેઓ ખાવા બેસતા નથી".[Mk 7:3–4]

વિવિધ ધાર્મિક સંપ્રદાયોના વિદ્વાનો[૨૯][૩૦][૩૧]નો દાવો છે કે આ બે ફકરાઓ દર્શાવે છે કે આમંત્રિત મહેમાનો, અથવા બજારમાંથી પાછા ફરતા લોકો પાસેથી, પાણીમાં માથાબોળ નહાવાની ("પોતાને બાપ્તિસ્મા આપવાની") અપેક્ષા રાખવી જોઈએ નહીં, પણ જે રીતે વર્તમાન યહૂદી પ્રથામાં સ્વીકારવામાં આવ્યું છે તેમ, તેઓ માત્ર પાણીમાં પોતાના હાથ ડુબાડીને અથવા તેના પર પાણી રેડીને આંશિક રીતે પલાળે તેટલી જ અપેક્ષા તેમની પાસેથી રાખવી ઘટે.[૩૨]

ઝોધિએટ્સ તથા બાલ્ઝ અને શ્ચનેઈડરના કોશરચના સંબંધી કાર્ય પણ કહે છે કે આ બે કિસ્સાઓમાંથી બીજા કિસ્સામાં, Mark 7:4, βαπτίζω શબ્દનો અર્થ એમ જ થાય છે કે, બજારથી પાછા આવીને, પાંખડીઓ માત્ર પોતાના હાથને એકત્રિત પાણીમાં બોળે છે, અને તેથી તેઓ પોતાના આખા શરીરને બોળતા નથી એમ સ્પષ્ટ થાય છે.[૩૩] તેમની સમજણ અનુસાર βαπτίζωનો અર્થ, હાથમાં પકડેલો બ્રેડનો ટુકડો આંશિક રીતે દારૂમાં બોળવો અથવા રેડાયેલા રક્તમાં આંગળી નાખવા માટે વપરાતા શબ્દ, βάπτω જેવો જ, ડુબાડવું અથવા પલાળવું,[૩૪][૩૫][૩૬] એમ થાય છે.[૩૭]

વ્યુત્પન્ન નામો[ફેરફાર કરો]

નવા કરારમાં βαπτίζωમાંથી બે નામો વ્યુત્પન્ન કરાયેલાં જોવા મળે છેઃ βαπτισμός અને βάπτισμα. Mark 7:4માં જળ-વિધિથી થાળીઓના શુદ્ધિકરણ, ધોવા, સ્વચ્છ કરવાના હેતુનો સંદર્ભ આપવા માટે;[૩૮][૩૯] એ જ સ્તોત્રમાં અને Hebrews 9:10માં લેવીય વાસણો અથવા શરીરને ધોવા અંગેનો સંદર્ભ આપવા માટે;[૪૦] અને Hebrews 6:2માં કદાચ બાપ્તિસ્મા માટે પણ Βαπτισμός શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અલબત્ત એ શક્ય છે કે અહીં એ જડ વસ્તુઓને ધોવાની ક્રિયાનો ઉલ્લેખ કરવા માટે વાપરવામાં આવ્યો હોય.[૩૯] Colossians 2:12માં, ઊતરતી કક્ષાની હસ્તપ્રતો βάπτισμα ધરાવે છે, પણ શ્રેષ્ઠ તો βαπτισμός ધરાવે છે, અને નવા કરારની આધુનિક આલોચનાત્મક આવૃત્તિઓમાં આ જ અર્થઘટન આપવામાં આવ્યું છે.[૪૧] નવા કરારના માત્ર આ એક જ પ્રકરણમાં, સામાન્ય ધોવાની ક્રિયાને બદલે, ખ્રિસ્તી બાપ્તિસ્મા માટે βαπτισμόςનો સ્પષ્ટપણે ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ Hebrews 6:2 પણ કદાચ બાપ્તિસ્માનો ઉલ્લેખ કરે છે.[૩૯] જ્યારે માત્ર સાધનોની સફાઈ માટે વાપરવામાં આવે ત્યારે, βαπτισμόςને ῥαντισμός (છંટકાવ) સમાન ગણવામાં આવે છે, આવો પ્રયોગ માત્ર Hebrews 12:24 અને 1Peter 1:2માં જ જોવા મળ્યો છે, જે એક એવો શબ્દ છે જે બાઈબલના જૂના કરારના પાદરી દ્વારા પ્રતીકાત્મક સફાઈ સૂચવવા માટે વાપરવામાં આવ્યો હતો.[૪૨]

Βάπτισμα, માત્ર ખ્રિસ્તી લખાણોમાં જ જોવા મળે છે,[૪૨] તેની βαπτισμός સાથે ભેળસેળ ન જ કરવી જોઈએ.[૩૮] નવા કરારમાં, તે ઓછામાં ઓછો 21 વખત વપરાયો છેઃ

  • બાપ્તિસ્ત યોહાન દ્વારા કરવામાં આવતા ધાર્મિક વિધિના સંદર્ભમાં 13 વખત;[૪૩]
  • ચોક્કસ ખ્રિસ્તી વિધિના સંદર્ભમાં 3 વખત[૪૪] (જો કેટલીક Colossians 2:12માંની ઊતરતી કક્ષાની હસ્તપ્રતોમાંના ઉપયોગને ગણવામાં આવે તો 4 વખત);
  • 5 વખત રૂપકની રીતે.[૪૫]

ઇતિહાસ[ફેરફાર કરો]

પ્રેરિતોના અધિનિયમો (એક્ટ્સ ઓફ ધ એપોસ્ટ્લ્સ)(Acts of the Apostles) અને પૌલિન ઈપિસ્ટલ્સમાંના અનેક ઉલ્લેખો દર્શાવે છે તેમ, શરૂઆતથી જ બાપ્તિસ્મા એ ખ્રિસ્તી ધર્મના હિસ્સારૂપ રહ્યું છે. ખ્રિસ્તીઓ માને છે કે ઈસુએ બાપ્તિસ્માનો સંસ્કાર સંસ્થાપિત કર્યો હતો. ઈસુના ઇરાદાઓ કેટલા સુસ્પષ્ટ હતા અને તેમણે કોઈ નિરંતર, આયોજનબદ્ધ ચર્ચની કલ્પના કરી હશે કે કેમ તે બાબત વિદ્વાનોના વિવાદનો વિષય છે.[૧૫]

યહૂદી કર્મકાંડોમાં તેની પશ્ચાદ્ભૂમિકા[ફેરફાર કરો]

યહૂદી કર્મકાંડોને વર્ણવવા માટે "બાપ્તિસ્મા" શબ્દપ્રયોગ કરવામાં આવતો નથી, છતાં યહૂદી કાયદાઓ અને પરંપરાઓમાં જોવા મળતી શુદ્ધિકરણ વિધિઓ (અથવા મિકવાહ(mikvah) - ધાર્મિક નિમજ્જન) બાપ્તિસ્મા સાથે કંઈક સામ્યતા તો ધરાવે છે, અને બંને સંકળાયેલા પણ છે.[૪૬] યહૂદી બાઈબલ અને અન્ય યહૂદી લખાણોમાં, અમુક ચોક્કસ સંજોગોમાં "સંસ્કાર શુદ્ધતા"ની સ્થિતિની પુનઃસ્થાપના કરવા, ધાર્મિક શુદ્ધિકરણ વિધિ માટે પાણીમાં નિમજ્જનનો આરંભ કરવામાં આવ્યો હતો. ઉદાહરણ તરીકે, શબના સંપર્કમાં આવવાથી (મૂસાના કાયદા પ્રમાણે) ધાર્મિક રીતે ભ્રષ્ટ બનેલા યહૂદીઓને પવિત્ર મંદિરમાં સહભાગી થવા માટેની રજા આપવામાં આવે તે પહેલાં તેમણે મિકવાહ કરવું આવશ્યક રહેતું. ધર્માંતર કરીને યહૂદી ધર્મ અંગીકાર કરનારા માટે, તેમના ધર્માન્તરના ભાગ રૂપે નિમજ્જન આવશ્યક હોય છે. મિકવાહમાં નિમજ્જન એ શુદ્ધતા, પુનઃસ્થાપના, અને યોગ્યતાના સંદર્ભમાં સ્થિતિમાં બદલાવનું પ્રતિનિધિત્વ કરે છે જેના પછી વ્યક્તિ સમુદાયના ધાર્મિક જીવનમાં સંપૂર્ણ રીતે સહભાગી થઈ શકે છે, શુદ્ધ થયેલી વ્યક્તિ સંપત્તિ અથવા તેના માલિકો Num. 19 અને બૅબીલોનિયન તાલ્મૂડ (Babylonian Talmud), ટ્રાક્ટાટે(Tractate) ચાગિગાહ(Chagigah) પર અસ્વચ્છતાનું આરોપણ નહીં કરે એ બાબતને તે સુનિશ્ચિત કરે છે , પૃ. 12). મિકવાહ દ્વારા આ સ્થિતિ પરિવર્તન વારંવાર પામી શકાય છે, જ્યારે ખ્રિસ્તી બાપ્તિસ્મા, એ ખ્રિસ્તીઓના એકંદર દૃષ્ટિકોણ પ્રમાણે, સુન્નતની જેમ, અનન્ય અને અ-પુનરાવર્તનીય છે.[૪૭] (જો કે, Acts 19:1-5માં દર્શાવ્યા મુજબ, જો આસ્થાવાન, ખ્રિસ્તી ધર્મનું કોઈ નવું જ્ઞાન પામે, તો સેવન્થ-ડે એડવેન્ટિસ્ટો, બાપ્તિસ્માને પુનરાવર્તનીય જુએ છે. જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તને અનુસરવામાંથી ચળી ગઈ હોય, ત્યારે બાપ્તિસ્મા થકી નવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા માટે પણ તેમ કરવું શક્ય છે.)[૪૮]

બાપ્તિસ્ત યોહાને પોતે ઉપાડેલા મસીહાના અભિયાનમાં બાપ્તિસ્મા-નિમજ્જનને મધ્યસ્થ સંસ્કાર તરીકે અપનાવ્યું હતું.[૪૯]

ઈસુના બાપ્તિસ્મા[ફેરફાર કરો]

ખ્રિસ્તનો બાપ્તિસ્મા, 1450 (નેશનલ ગેલરિ, લંડન).

યર્દન નદીના કિનારે બાપ્તિસ્ત યોહાન એ પહેલી-સદીના મિશન ઉપદેશક હતા.[૫૦] ખ્રિસ્તી ધર્મશાસ્ત્ર અનુસાર, ખ્રિસ્તના આગમનની પહેલવહેલી ઉદ્ઘોષણા કરવા માટે પ્રભુએ તેમની પસંદગી કરી હતી. તેમણે યહૂદીઓને પશ્ચાતાપ માટે યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યા હતા.[૫૧]

પોતાની મંડળી(મિનિસ્ટ્રી)ની શરૂઆત વખતે, બાપ્તિસ્ત યોહાને ઈસુને બાપ્તિસ્મા આપ્યા હતા. ઈસુના શરૂઆતના અનેક શિષ્યોએ, તેમની જેમ, યર્દનમાં બાપ્તિસ્ત યોહાન પાસેથી બાપ્તિસ્મા લીધા હતા.[૫૨]

જાડી ગણતરી પ્રમાણે વિદ્વાનો એ બાબતે સહમત થાય છે કે ઈસુના બાપ્તિસ્મા એ ઐતિહાસિક ઈસુખ્રિસ્તના જીવનની ઘટનાઓમાંથી એક સૌથી વિશ્વાસપાત્ર, અથવા ઐતિહાસિક હોવાની શક્યતા ધરાવતી ઘટના છે. ઈસુ અને તેમના સૌથી પૂર્વકાલીન શિષ્યોએ યોહાનના બાપ્તિસ્માની વૈધતાને સ્વીકારી હતી, પછી ભલે ઈસુએ જાતે બાપ્તિસ્મામાંથી પશ્ચાતાપના વિચારને અળગો કર્યો હતો અને કર્મકાંડોની જંજાળ સાથે પવિત્ર સદાચારનો પ્રચાર-પ્રસાર કર્યો હતો.[૫૩] પૂર્વકાલીન ખ્રિસ્તી ધર્મ પશ્ચાતાપના બાપ્તિસ્માને પાળતો હતો, જે પાપની સજામાંથી માફી બક્ષતો હતો. ઈસુના બાપ્તિસ્મામાં ખ્રિસ્તી બાપ્તિસ્માનું ઉદ્ગમ સમાયેલું છે, પ્રત્યક્ષ અને ઐતિહાસિક, બંને અર્થમાં.[૫૪]

આ ઘટનાના કારણે બાપ્તિસ્ત યોહાન પ્રત્યેની ઈસુની સંભવિત શરણાગતિનો મુદ્દો ઊઠ્યો જે ઈસુ ખ્રિસ્તના પાપરહિત સ્વભાવ અંગેની ખ્રિસ્તી માન્યતા કરતાં વિરોધાભાસી લાગતો હતો. યોહાનના બાપ્તિસ્મા પાપની માફી બક્ષતા નહોતા. તે માત્ર પશ્ચાતાપ માટે અને ખ્રિસ્ત માટે રસ્તો (પાપની માફી તો માત્ર ઈસુના બાપ્તિસ્માથી જ મળે જે પુનરુત્થાન પછી ઈસુ ખ્રિસ્તે જાતે આપવા શરૂ કર્યા હતા) તૈયાર કરવા માટે હતા. સુવાર્તાઓ (ગોસ્પલ) સહિતનાં, સૌથી પૂર્વકાલીન ખ્રિસ્તી લખાણોમાં આ ધર્મશાસ્ત્ર સંબંધી મુશ્કેલીને ઉકેલવાના પ્રયાસો દેખીતી રીતે જોવા મળે છે. માર્કને મન, યોહાન દ્વારા ઈસુને અપાયેલા બાપ્તિસ્મા એ થિયોફોની (theophany) રચવા માટે, ઈશ્વરના પુત્ર તરીકેની ઈસુની દૈવી ઓળખનું પ્રગટીકરણ કરવા માટેની ઘટના હતી.[Mk 1:7-11] ઈસુ પોતાના કરતાં દેખીતી રીતે ચઢિયાતા હતા, તેમ કહીને યોહાને તેમને બાપ્તિસ્મા આપવામાં વિરોધ દર્શાવ્યો હતો, અને ઈસુએ જ્યારે તેમની વાત નામંજૂર કરી ત્યારે જ તેઓ તેમ કરવા સહમત થયા હતા એમ મેથ્યુ દર્શાવે છે[Mt 3:14-15] અને માર્કે આપેલા પાપોમાંથી ક્ષમા માટેના બાપ્તિસ્માના સંદર્ભનો સમાવેશ કરતા નથી. લૂક બંને જ્યારે હજી કૂખમાં હતા ત્યારે યોહાને ઈસુ તરફ દર્શાવેલા આજ્ઞાકારીપણા પર ભાર મૂકે છે[Lk 1:32-45] અને ઈસુના બાપ્તિસ્મામાં યોહાનની ભૂમિકાને અવગણે છે. [3:18-21]યોહાનની સુવાર્તા (ગોસ્પલ ઓફ જ્હોન) આખા કિસ્સાને અવગણે છે.[૫૫]

ઈસુના બાપ્તિસ્મા અંગેના પૂર્વકાલીન ખુલાસાઓમાંથી જે લોકપ્રિય રહ્યા છે તેમાં બાપ્તિસ્માના પાણીને શુદ્ધ કરવા માટે ઈસુને બાપ્તિસ્મા આપવામાં આવ્યા હતા તેવો ઈગ્નાટિયસ ઓફ એન્ટીઓચ(Ignatius of Antioch)નો દાવો અને દરેક માટેના આદર્શ ઉદાહરણ તરીકેની ઈસુને બાપ્તિસ્મા આપવામાં આવ્યા હતા તેવા જસ્ટિન માર્ટિરના સ્પષ્ટીકરણનો સમાવેશ થાય છે.[૫૫]

ઈસુ દ્વારા બાપ્તિસ્મા[ફેરફાર કરો]

યોહાનની સુવાર્તા (ગોસ્પલ ઓફ જ્હોન)[Jn 3:22-30] [4:1-4] લખે છે કે ઈસુએ બહુ શરૂઆતના તબક્કામાં બાપ્તિસ્માના મિશનની આગેવાની લીધી હતી, જેનાથી ટોળાઓ આકર્ષિત થયાં હતાં. અનેક વિદ્વાનોના મતે, John 4:2, એ પાછળથી કરાયેલો સંપાદકીય ઉમેરો છે,[૫૬] ઈસુએ પોતે બાપ્તિસ્મા આપ્યા હતા તેનો તે ઇનકાર કરે છે અને લખે છે કે તેમણે માત્ર પોતાના શિષ્યો થકી તેમ કર્યું હતું.

કેટલાક જાણીતા વિદ્વાનો એ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે ઈસુ બાપ્તિસ્મા આપતા નહોતા. જેર્ડ થેઈસન (Gerd Theissen) અને એનટ્ટે મેર્ઝ (Annette Merz)નો દાવો છે કે ઈસુ બાપ્તિસ્મા આપતા નહોતા, ન તો તેમણે બાપ્તિસ્મા સાથે જોડાયેલા પશ્ચાતાપના વિચારને અળગો કર્યો હતો, યોહાનના બાપ્તિસ્માને ઓળખ આપી હતી અને ન તો બાપ્તિસ્મા સાથે સદાચારના નીતિ-નિયમો આગળ કર્યા હતા.[૫૩] વિશ્વ ધર્મોનો ઓક્સફર્ડ શબ્દકોશ પણ લખે છે કે ઈસુ તેમની મંડળીના ભાગ રૂપે બાપ્તિસ્મા આપતા નહોતા.[૧૪]ઢાંચો:Pn

એક ઐતિહાસિક વ્યક્તિ તરીકે ઈસુના વર્ણનમાંથી ઈ. પી. સાન્ડેર્સ ઈસુના બાપ્તિસ્મા મિશનના યોહાનના વૃત્તાન્તને બાકાત રાખે છે.[૫૭]

યોહાનમાં ઈસુની બાપ્તિસ્મા મિનિસ્ટ્રીના વર્ણનમાં કેટલીક આંતરિક મુશ્કેલી હોવાની બાબતને રોબર્ટ ડબ્લ્યુ. ફુન્ક ધ્યાનમાં લે છેઃ ઉદાહરણ તરીકે, તે ઈસુના જૂડીયા આવવા અંગે લખે છે, જ્યારે ઈસુ તો ત્યારે યરૂશાલેમમાં જ હતા અને તેથી જૂડીયામાં હતા.[૫૮] John 3:22 ખરેખર ઈસુ અને તેમના શિષ્યોની, "εἰς τὴν Ἰουδαίαν" (જૂડીયામાં) નહીં, પણ "εἰς τὴν Ἰουδαίαν γῆν" (જૂડીયાના ગ્રામવિસ્તારોમાં) આવવાની વાત કહે છે,[૫૯] જે કેટલાકના અર્થઘટન પ્રમાણે યરૂશાલેમ સાથે વિરોધાભાસમાં છે, જ્યાં નિકોડીમસ સાથેના મેળાપનું દૃશ્ય તેની બરાબર પહેલાં લખવામાં આવ્યું છે.[૬૦] જિજસ સેમિનાર અનુસાર, બાપ્તિસ્માના મિશનને આગેવાની આપવા માટે ઈસુના "જૂડીયા આવવાના" (તેમના અર્થઘટન મુજબ "εἰς τὴν Ἰουδαίαν γῆν") અંગેનો ફકરો સંભવતઃ કોઈ ઐતિહાસિક માહિતી ધરાવતો નથી ("બ્લેક" રેટિંગ).[૫૮]

બીજી તરફ, કેમ્બ્રિજ ચૅમ્પિયન ટુ જિજસ[૬૧] એક જુદો દૃષ્ટિકોણ લે છે. આ સ્રોત અનુસાર, બાપ્તિસ્ત યોહાનના પશ્ચાતાપ, ક્ષમાશીલતા અને બાપ્તિસ્માના સંદેશને ઈસુએ સ્વીકાર્યો હતો અને પોતાનો બનાવ્યો હતો;[૬૨] જ્યારે યોહાનને કેદમાં પૂરવામાં આવ્યા, ત્યારે યોહાનનું કામ સંભાળી લઈને, તરતમાં જ આવનારા પ્રભુના રાજ્યને સ્વીકારવાના પ્રથમ પગલા તરીકે તેમણે પશ્ચાતાપ માટે અને બાપ્તિસ્મા માટે હાકલ કરી;[૬૩] અને તેમના સંદેશમાં બાપ્તિસ્માને અપાયેલા મધ્યવર્તી સ્થાનને યોહાનમાં ઈસુના બાપ્તિસ્મા અંગેનો ફકરો પુષ્ટિ આપે છે.[૬૪] યોહાનને ફાંસી અપાયા બાદ, ઈસુએ બાપ્તિસ્મા આપવાનું બંધ કરી દીધું, ભલે એ ક્યારેક પ્રસંગોપાત્ત આ પ્રથા તરફ પાછા ફર્યા પણ હોઈ શકે; આમ, યોહાનના અવસાન પહેલાં ઈસુની મંડળીમાં બાપ્તિસ્માએ અગત્યનો હિસ્સો હતું અને તેમના પુનરુત્થાન પછી તેમના શિષ્યોમાં પણ તે અગત્યનું રહ્યું હતું, પણ એ સિવાય વચ્ચેના ગાળામાં તેનું ખાસ પ્રાધાન્ય નહોતું.[૬૫]

નવા કરારના વિદ્વાન, યોહાનિયન લખાણોના તજજ્ઞ, રૅયમન્ડ ઈ. બ્રાઉન એ બાબતને ધ્યાનમાં લે છે કે ઈસુ ફક્ત તેમના શિષ્યો થકી જ બાપ્તિસ્મા આપતા હતા એવી John 4:2ની કૌંસમાં દર્શાવાયેલી સંપાદકીય ટિપ્પણીનો હેતુ આગળના સ્તોત્રમાં બે વખત પુનરાવર્તિત થતા વિધાન, કે ઈસુ બાપ્તિસ્મા આપતા હતા, અંગે સ્પષ્ટતા આપવાનો અથવા તેને સુધારવાનો હશે, અને આવો ઉમેરો કરવાનું કારણ એમ હોઈ શકે કે લેખકના મતે શિષ્યો જે બાપ્તિસ્મા વિધિ કરાવતા હતા તે બાપ્તિસ્તના કામને ચાલુ રાખવા માટે હોઈ શકે, પણ પવિત્ર આત્માના નામે અપાતા બાપ્તિસ્મા નહોતા.[૬૬]

યોહાનમાં આ ફકરાના ઐતિહાસિક મૂલ્યને અન્ય નવા કરારના વિદ્વાનો પણ સ્વીકારે છે. જોએલ બી. ગ્રીન, સ્કૉટ મૅકનાઈટ, આઈ. હોવર્ડ માર્શલે આ દૃષ્ટિકોણ અભિવ્યક્ત કર્યો છે.[૬૭] અન્ય એક લખે છે કે "અમુક ગાળામાં ઈસુ અને તેના શિષ્યો બાપ્તિસ્માની મિનિસ્ટ્રીનું સંચાલન કરતા હતા એવા અહેવાલને નકારવાનું કોઈ પ્રબળ (a priori) કારણ નથી", અને તેઓ આ અહેવાલને યોહાનના વૃત્તાન્ત[3:22-26]માંની બાબતોમાંની એક એવી બાબત તરીકે ગણાવે છે "જે ઐતિહાસિક હોવાની શક્યતાઓ ધરાવે છે અને તેને પૂરતું મહત્ત્વ અપાવું જ જોઈએ."[૬૮]

ડેનિયલ એસ. દાપાહ, પોતાના પુસ્તકમાં બાપ્તિસ્ત યોહાન અને નાઝારેથના ઈસુ વચ્ચેના સંબંધ અંગે કહે છે કે યોહાનનું વૃત્તાન્ત "કદાચ ઐતિહાસિક પરંપરાનો નાનકડો હિસ્સો માત્ર હોઈ શકે", અને ટિપ્પણી કરે છે કે સુવાર્તા પુસ્તકો(સિનોપ્ટિક ગોસ્પલ્સ)ના મૌનનો અર્થ એમ નથી થતો કે યોહાને આ માહિતી ઉપજાવી કાઢી છે, અને વધુમાં માર્કનું વૃત્તાન્ત પણ એમ સૂચવે છે કે ઈસુએ, ગાલિલી સ્થળાંતરિત થતાં પહેલાં, યોહાન સાથે કામ કર્યું હતું.[૬૯] ફ્રેડરિક જે. સ્વિઈકોવસ્કી(Frederick J. Cwiekowski) સહમતિ નોંધાવે છે કે યોહાનમાંનું વૃત્તાન્ત "એવી છાપ આપે છે" કે ઈસુ બાપ્તિસ્મા આપતા હતા.[૭૦]

બાઈબલનું જોસેફ સ્મિથનું ભાષાંતર કહે છે કે "ભલે તેમણે (ખ્રિસ્તે) જાતે તેમના શિષ્યોએ આપ્યા હતા એટલા બધા ને બાપ્તિસ્મા નહોતા આપ્યા; 'કારણ કે તેમણે એક ઉદાહરણ રૂપે તેમને આપ્યું હતું, એક પછી બીજાને આગળ કરતાં રહીને.'"[૭૧]

યોહાનની સુવાર્તા (ગોસ્પલ ઓફ જ્હોન), John 3:32માં, નોંધે છે, કે, ભલે ઈસુ ઘણા લોકોને પોતાના બાપ્તિસ્મા તરફ આકર્ષી શક્યા, પણ તેઓ હજી પણ તેમની જુબાનીને સ્વીકારતા નહોતા,[૭૨] અને જોસેફસનાં વૃત્તાન્તોના આધારે, જિજસ સેમિનાર એ નિષ્કર્ષ પર આવે છે કે, ઈસુ કરતાં બાપ્તિસ્ત યોહાનનો લોકોના મન પર વધુ વ્યાપક પ્રભાવ હતો એવી શક્યતા છે.[૫૧]

નવો કરાર[ફેરફાર કરો]

નવા કરારમાં પૂર્વકાલીન ખ્રિસ્તીઓમાં જોવા મળતી મહત્ત્વની પ્રથા તરીકે બાપ્તિસ્માના કેટલાક સંદર્ભો સમાવિષ્ટ છે અને, તેમાં ઈસુ દ્વારા તેની સ્થાપના અંગેના કોઈ વાસ્તવિક વૃત્તાન્તો આપવામાં આવ્યા નથી, પણ તેમાં તેમને તેમના પુનરુત્થાન પછી, વિધિ કરવા માટે તેમના શિષ્યોને, સૂચનાઓ આપતાં ચિત્રિત કરવામાં આવ્યા છે (જુઓ મહાન આયોગ (ગ્રેટ કમિશન)).[૭૩] તે પ્રેરિત(ધર્મપ્રચારક) પૉલ દ્વારા આપવામાં આવેલાં અર્થઘટનો અને પીટરના પ્રથમ સંદેશપત્રમાં બાપ્તિસ્માના મહત્ત્વને રજૂ કરે છે.

પૉલના સંદેશપત્રો[ફેરફાર કરો]

પ્રેરિત (ધર્મપ્રચારક) પૉલે 50ના દાયકામાં કેટલાક પ્રભાવશાળી પત્રો લખ્યા હતા, જેને પાછળથી ખ્રિસ્તી ધર્મશાસ્ત્રમાં પ્રમાણભૂત તરીકે સ્વીકારવામાં આવ્યા હતા. પૉલના મતે, બાપ્તિસ્મા આસ્થાવાનના ખ્રિસ્ત સાથેના જોડાણને, ખ્રિસ્તના મૃત્યુને, અને તેમના પુનરુત્થાનને અસર કરે છે અને તેમને રજૂ કરે છે; વ્યક્તિના પાપને દૂર કરે છે; વ્યક્તિને ખ્રિસ્તના શરીરમાં એક કરે છે, અને વ્યક્તિને "આત્માને ગ્રહણ કરતી" બનાવે છે. [1 Co 12:13][૧૫] પૉલનાં લખાણોના આધારે, બાપ્તિસ્માને રહસ્ય ધર્મોના સંદર્ભે અર્થઘટિત કરવામાં આવ્યો હતો.[૭૪]

માર્કની સુવાર્તા (માર્કનું ગોસ્પલ)[ફેરફાર કરો]

{{બાઈબલસંદર્ભ2|માર્ક|1
1-11

આ સુવાર્તાને, સામાન્ય રીતે પ્રથમ અને મેથ્યુ અને લૂક માટે તેણે આધાર તરીકેનું કામ આપ્યું હતું તેમ માનવામાં આવે છે. તેની શરૂઆત પાપોની ક્ષમાયાચના માટે બાપ્તિસ્માના પશ્ચાતાપનો ઉપદેશ આપનારા યોહાન દ્વારા ઈસુને આપવામાં આવતા બાપ્તિસ્માથી થાય છે. યોહાન ઈસુ વિશે કહે છે કે તે પાણીથી નહીં પરંતુ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા આપશે. ઈસુના બાપ્તિસ્મા વખતે, તેમને ઈસુને પોતાનો પુત્ર જાહેર કરતી પ્રભુવાણી સંભળાય છે, અને તેઓ ઈસુ પર કબૂતરની જેમ આત્મા ઊતરી આવતો જુએ છે. ઈસુની મિનિસ્ટ્રી દરમ્યાન, જ્યારે જેમ્સ અને જ્હોન ઈસુને આવનારા ઈશ્વરના સામ્રાજ્યમાં માનદ્દ બેઠકો માટે પૂછે છે, ત્યારે ઈસુ પોતાની નિયતિને બાપ્તિસ્મા અને એક કપ સાથે સરખાવે છે, એ જ બાપ્તિસ્મા અને કપ (એટલે કે, શહાદત/બલિદાન) યોહાન અને જેમ્સ માટે પણ લખાયા છે.[૭૫]

{{બાઈબલસંદર્ભ2|માર્ક|16
19-20

બીજી સદીની શરૂઆતમાં માર્કની પરંપરાગત પૂર્ણાહુતિને સંપાદિત કરવામાં આવી હતી એવું ધારવામાં આવે છે, અને એ સદીના મધ્ય ભાગમાં તેને શરૂઆતમાં સુવાર્તા સાથે જોડવામાં આવી હતી.[૭૬] એ કહે છે કે જેઓ વિશ્વાસ રાખે છે અને જેમણે બાપ્તિસ્મા લીધા છે તેમને બચાવી લેવાશે.[Mk 16:9-20]

મેથ્યૂની સુવાર્તા (મેથ્યૂનું ગોસ્પલ)[ફેરફાર કરો]

{{બાઈબલસંદર્ભ2|મેથ્યૂ|3
12-14
Matthew 28:18-20

મેથ્યૂ ઈસુના બાપ્તિસ્માનું સંક્ષિપ્ત વિવરણ આપે છે.[Mt 3:12-14]

મેથ્યૂની સુવાર્તામાં મહાન આયોગ(ગ્રેટ કમિશન)નું સૌથી પ્રસિદ્ધ વૃત્તાન્ત પણ સામેલ છે.[28:18-20] અહીં, સજીવન થયેલા ઈસુ, પ્રેરિતો(ધર્મપ્રચારકો) સામે આવે છે અને અનુયાયી બનાવવા, બાપ્તિસ્મા આપવા, અને ઉપદેશ આપવા માટે તેમની નિમણૂક કરે છે.[૭૭] આ નિમણૂક શિશુ ખ્રિસ્તી ચળવળ દ્વારા અપનાવવામાં આવેલા કાર્યક્રમને પ્રતિબિંબિત કરે છે.[૭૭]

અધિનિયમો[ફેરફાર કરો]

c. 85–90માં લિખિત, એક્ટ્સ ઓફ ધ એપોસ્ટ્લ્સ(પ્રેરિતોના અધિનિયમો),[૭૮] લખે છે કે યરૂશાલેમમાં પેન્ટિકૉસ્ટના એક દિવસમાં આશરે 3,000 લોકોએ બાપ્તિસ્મા ગ્રહણ કર્યા હતા.[2:41] તે આગળ સામારિયામાં પુરુષો અને સ્ત્રીઓના બાપ્તિસ્માને સાંકળે છે,[8:12-13] ઈથિઓપિયન નંપુસકોના,[8:36-40] સૉલ ઓફ ટાર્સસના,[9:18] [22:16]કોર્નેલિયસના ઘરના બધા માણસોના,[10:47-48] લીડિયાના ઘરના બધા માણસોના,[16:15] ફિલિપ્પી જેલરના ઘરના બધા માણસોના,[16:33] ઘણા કરિન્થિનિયનોના[18:8] અને પૉલે અંગત રીતે જે અમુક કરિન્થિઓને બાપ્તિસ્મા આપ્યા તેને સાંકળે છે.{{|1Cor|1:14-16||1 Co 1:14-16|date=May 2010}}

અધિનિયમોમાં, શ્રદ્ધા અને પશ્ચાતાપને બાપ્તિસ્મા માટેની પૂર્વ આવશ્યકતાઓ ગણાવવામાં આવી છે.[૧૫] અધિનિયમો બાપ્તિસ્મા સાથે આત્મા મેળવવાને જોડે છે, પણ ચોક્કસ જોડાણ હંમેશાં એકસમાન હોતું નથી.[૧૫]

અધિનિયમોમાં, યોહાનના બાપ્તિસ્મામાંથી પસાર થયેલી અને પરિણામે જેમણે હજી પવિત્ર આત્માને મેળવવો બાકી છે તેવી બાર વ્યક્તિઓની વાત પણ કરવામાં આવી છે, તેમને પૉલ દ્વારા પુનઃ બાપ્તિસ્મા માટે મોકલવામાં આવી હતી, જ્યાં તેમને પવિત્ર આત્માની પ્રાપ્તિ થાય છે.[19:1-7]

Acts 2:38, Acts 10:48 અને Acts 19:5 "ઈસુના નામે" અથવા "પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે" બાપ્તિસ્માની વાત કરે છે, પણ આ જ સૂત્ર એ વખતે વાપરવામાં આવ્યું હતું કે કેમ તેને પ્રશ્ન કરવામાં આવે છે.[૧૫]

પ્રેરિતો(ધર્મપ્રચારકો)નો સમયગાળો[ફેરફાર કરો]

પ્રેરિતો(ધર્મપ્રચારકો)નો યુગ એ ઈસુના જીવનથી માંડીને છેલ્લા પ્રેરિત(ધર્મપ્રચારક)ના મૃત્યુ સુધીનો c. 100 (જુઓ બિલવ્ડ ડિસાઈપલ (પ્રિય શિષ્ય)) સમયગાળો છે. નવા કરારનો મોટો ભાગ આ સમયગાળા દરમ્યાન લખાયો હતો, અને બાપ્તિસ્માના પ્રાથમિક સંસ્કારો અને યૂકરિસ્ટ(પ્રભુભોજન)ની સ્થાપના કરવામાં આવી હતી. પ્રોટેસ્ટન્ટોને મન પ્રેરિતો(ધર્મપ્રચારકો)ના યુગના ચર્ચનું મૂલ્ય સવિશેષ છે કારણ કે તે ઈસુના સાચા સંદેશની સાખ પૂરે છે, જે તેમના મતે ગ્રેટ એપોસ્ટાસી (Great Apostasy) દરમ્યાન ધીમે ધીમે ભ્રષ્ટ થઈ ગયો હતો.

યોહાનના ભૂતપૂર્વ અનુયાયીઓના પ્રભાવના કારણે, ઉપવાસની સાથે સાથે બાપ્તિસ્માની પ્રથા પણ ખ્રિસ્તી પ્રથામાં પ્રવેશી હશે.[૫૧]

16 ટૂંકાં પ્રકરણોનું અનામી પુસ્તક, ધ ડિડાચે અથવા ટિચિંગ્સ ઓફ ધ ટ્વેલ્વ એપોસ્ટ્લ્સ(બાર પ્રેરિતોના ઉપદેશો) , કદાચ બાઈબલ સિવાય, બાપ્તિસ્માની વિધિ દર્શાવતી, જાણવામાં આવી હોય તેવી સૌથી પૂર્વકાલીન લેખિત સૂચનાઓ છે. તેની પ્રથમ આવૃત્તિ c. 60–80 ADમાં લખાઈ હતી.[૭૯] બીજી આવૃત્તિ, કેટલાક ઉમેરા અને વધારાઓ સાથે, c. 100–150 ADમાં લખાઈ હતી.[૭૯] 19મી સદીમાં, આ પુસ્તક ફરીથી મળ્યું હતું, એને તે પ્રેરિતો(ધર્મપ્રચારકો)ના યુગમાંના ખ્રિસ્તી ધર્મને એક અનન્ય પરિપ્રેક્ષ્યમાં રજૂ કરતું હતું. વિશેષ કરીને, તેમાં ખ્રિસ્તી ધર્મના બે પાયાના સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું હતું: પવિત્ર પ્રભુભોજન (યૂકરિસ્ટ) અને બાપ્તિસ્મા. બાપ્તિસ્મા માટે બને ત્યાં સુધી "જીવંત જળ"(એટલે કે, અહીં વહેતા પાણીને જીવનના પ્રતીક તરીકે જોવામાં આવ્યું છે)માં નિમજ્જન આપવાની પસંદગી તેમાં સૂચવવામાં આવી છે[૮૦] અથવા, જો તે ઉપલબ્ધ ન હોય, તો પછી સ્થિર પાણીમાં, બને ત્યાં સુધી તેના કુદરતી તાપમાને જ નિમજ્જન આપવાનું સૂચવાયું છે, પણ તેમાં એ પણ ધ્યાનમાં લેવામાં આવ્યું છે કે, જ્યારે નિમજ્જન માટે પૂરતું પાણી ન હોય, ત્યારે માત્ર માથા પર પાણી રેડવું પણ પૂરતું છે.[૮૧][૮૨][૮૩][૮૪][૮૫]

મેથ્યુના (c. 80–85[૭૮]) ગ્રેટ કમિશનમાં, ખ્રિસ્તીઓને પિતાના નામે, અને પુત્રના નામે, અને પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા આપવામાં આવે છે.[૭૭] કમસે કમ 1લી સદીના અંત ભાગથી લઈને પિતાના નામે, અને પુત્રના નામે, અને પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા અપાતો આવ્યો હતો.[૧૫] અધિનિયમોમાં (c. 90),[૭૮] ખ્રિસ્તીઓને "ઈસુના નામે"[Ac 19:5] બાપ્તિસ્મા આપવામાં આવતો હોવાનું લખ્યું છે, અલબત્ત તેનો અર્થ બોલવામાં આવતું સૂત્ર થતું હતું કે કેમ તે પ્રશ્ન કરવામાં આવ્યો છે.[૧૫]

શિશુને બાપ્તિસ્મા આપવા બાબતે નવા કરારમાં કોઈ જ હકારાત્મક પુરાવો નથી તે બાબતે એકંદરે સહમતિ છે,[૮૬][૮૭] અને ડિડાચે દ્વારા બાપ્તિસ્મા લેનાર ઉમેદવારો માટેની જે પૂર્વ આવશ્યકતાઓ મૂકવામાં આવી છે તેને લાક્ષણિક ઢબે શિશુ બાપ્તિસ્મા રોકવા માટેનાં પગલાં તરીકે સમજવામાં આવે છે.[૮૮][૮૯][૯૦]

પૂર્વકાલીન ખ્રિસ્તી ધર્મ[ફેરફાર કરો]

બાપ્તિસ્મા અંગેની શરૂઆતની ખ્રિસ્તી માન્યતાઓ (પ્રેરિતો/ધર્મપ્રચારકોના યુગ પછી પાળવામાં આવતો ખ્રિસ્તી ધર્મ) પરિવર્તનશીલ હતી.[૧૪] પૂર્વકાલીન બાપ્તિસ્માના સૌથી સામાન્ય રૂપમાં, ઉમેદવારને પાણીમાં ઊભો રાખવામાં આવતો અને તેના શરીરના ઉપલા ભાગ પર પાણી રેડવામાં આવતું હતું.[૧૪] માંદા કે મરણશીલને અપાતા બાપ્તિસ્મામાં સામાન્ય રીતે આંશિક નિમજ્જન સિવાયનો વિકલ્પ ઉપયોગમાં લેવાતો અને તે છતાં તેને સ્વીકૃત ગણવામાં આવતો હતો.[૯૧] 3જી અને 4થી સદીમાં બાપ્તિસ્માનું ધર્મશાસ્ત્ર ચોક્સાઈવાળું બન્યું.[૧૪]

પહેલાં બાપ્તિસ્મા પછી આદેશો આપવામાં આવતા હતા, પણ પછી ખાસ કરીને ચોથી સદીમાં સનાતન ખ્રિસ્તી માન્યતાથી ઊલટો મત(હેરિસિ)નો ઉદય થતો ગયો તેમ,આસ્થાવાનોને બાપ્તિસ્મા આપતાં પહેલાં ચોક્કસ આદેશો આપવાનું ચલણ વધતું ગયું હતું.[૯૨] ત્યાં સુધીમાં, બાપ્તિસ્મા પાછો ઠેલવાનું વલણ સામાન્ય બની ગયું હતું, અને આસ્થાવાનોનો એક મોટો હિસ્સો માત્ર કૅટિક્યૂમૅન(catechumen)(મરતો ન હોય ત્યાં સુધી કૉન્સ્ટન્ટાઈન(Constantine)ને બાપ્તિસ્મા આપવામાં નહોતા આવતા) હતો; પણ ત્યારબાદ જે વિધિ ખરેખર વયસ્કો માટે હતો તેમાં ફેરફાર સાથે, ધર્માન્તર કરનાર વયસ્કના બાપ્તિસ્મા કરતાં ખ્રિસ્તીઓના બાળકોને બાપ્તિસ્મા આપવાનું વધુ સામાન્ય બનતું ગયું, અને કૅટિક્યૂમૅનોની સંખ્યામાં ઘટાડો થતો ગયો.[૯૨]

પાપોની માફી માટે બાપ્તિસ્મા છે એવું માનવામાં આવતું હતું, એટલે બાપ્તિસ્મા લીધા પછીનાં પાપો વિશેનો પ્રશ્ન ઊભો થયો. કેટલાકે, મૃત્યુના ભય હેઠળના સ્વધર્મ ત્યાગ માટે સુદ્ધાં અને અન્ય ગંભીર પાપ માટે વ્યક્તિને હંમેશાં માટે ચર્ચથી વિખૂટી પાડી દેવાનો આગ્રહ રાખ્યો. સંત સાયપ્રિનનાં લખાણોમાં સૂચવવામાં આવ્યું છે તેમ, અન્યોએ "ચૂક કરનાર વ્યક્તિ"ને આસાનીથી ધર્મમાં પાછા લેવાનો પક્ષ લીધો. આ અંગેનો પ્રચલિત નિયમ એ હતો કે પ્રાયશ્ચિત માટેના સમયગાળામાંથી પસાર થયા બાદ જ, અને તેમાં તેમનો સહૃદયી પસ્તાવો નિદર્શિત થતો હોય તો જ પછી તેમને ધર્મમાં પાછા ફરવા દેવાતા હતા.

જેને સામાન્ય રીતે હવે નાઈસીની સિદ્ધાન્ત-સાર કહેવામાં આવે છે, જે 325ની નાઈસિયાની પ્રથમ સભા દ્વારા અપનાવાયેલા લખાણ કરતાં લાંબો, અને 381માં કોન્સ્ટાન્ટિનોપલની પ્રથમ સભા દ્વારા એ રૂપમાં તેને અપનાવવામાં આવ્યો હોવાથી, નાઈસનો-કોન્સ્ટાન્ટિનોપોલિટન સિદ્ધાન્ત-સાર તરીકે પણ જાણીતો બનેલો સિદ્ધાન્ત-સાર, કદાચ ત્યારે કોન્સ્ટાન્ટિનોપલમાં, 381 સભાના સ્થળે, ઉપયોગમાં લેવાતો બાપ્તિસ્માને લગતો સિદ્ધાન્ત-સાર હશે.[૯૩]

પ્રારંભિક મધ્ય યુગ[ફેરફાર કરો]

મૃત્યુશૈયા સુધી બાપ્તિસ્માને પાછો ઠેલવાના પહેલાંના પ્રચલિત ચલણના સ્થાને, મૂળ પાપના ધર્મશાસ્ત્રના વિકાસની સાથે સાથે, શિશુ બાપ્તિસ્મા સામાન્ય બનતા ગયા.[૧૪] પેલૅજિયસથી વિરુદ્ધ, ઑગસ્ટાઈને એ વાત પર ભાર મૂક્યો કે સદ્ગુણી વ્યક્તિઓ અને બાળકોની મુક્તિ માટે પણ બાપ્તિસ્મા અનિવાર્ય છે.

ટ્રોયસ કૅથેડ્રલ(મુખ્ય દેવળ)માં એક શિલ્પ સમૂહમાં પ્રદર્શિત હિપ્પોના ઑગસ્ટાઈનનો બાપ્તિસ્મા (1549)

મધ્ય યુગ[ફેરફાર કરો]

બારમી સદીમાં "સંસ્કાર" શબ્દનો અર્થ સંકુચિત થતો ગયો અને માત્ર સાત વિધિઓ સુધી મર્યાદિત રહી ગયો, જેમાંનો એક વિધિ બાપ્તિસ્મા હતો, જ્યારે અન્ય પ્રતીકાત્મક વિધિઓ "સંસ્કાર વિધિઓ" તરીકે ઓળખાવા માંડ્યા હતા.[૯૪]

બારમી અને ચૌદમી સદી વચ્ચેના ગાળામાં, પશ્ચિમ યુરોપમાં બાપ્તિસ્મા આપવાના વિધિની સામાન્ય પદ્ધતિ જલાભિષેક પૂરતી રહી ગઈ, અલબત્ત કેટલાંક સ્થળોએ છેક સોળમી સદી સુધી પણ નિમજ્જન જ ચાલુ રહ્યું.[૯૧] સમગ્ર મધ્ય યુગ દરમ્યાન, બાપ્તિસ્મા માટે આવશ્યક પ્રકારની સવલતમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા હતા, 13મી સદીમાં પિસા ખાતેની બૅપ્ટિસ્ટરીના, એક સાથે થોડાક વયસ્કો નિમજ્જન માટે સાથે ઊભા રહી શકે તેટલા મોટા બાપ્તિસ્મા માટેના કુંડથી માંડીને, 6ઠ્ઠી સદીની બૅપ્ટીસ્ટરીના જૂના કોલોન કૅથેડ્રલમાં અડધો મીટર ઊંડાં બૅસિન સુધીના ફેરફારો.[૯૫]

પૂર્વ અને પશ્ચિમ બંને આ વિધિ કરાવવા માટે પાણીથી પ્રક્ષાલનને અને બાપ્તિસ્માના ત્રયી(ટ્રિનિટેરિયન) સૂત્રને આવશ્યક ગણે છે. ધર્મ સંબંધી વિદ્વતા ત્યારે પ્રચલિત એરિસ્ટોટેલિયન ફિલસૂફીમાંથી શબ્દોનો ઉપયોગ કરીને, આ બંને તત્ત્વોનો સંસ્કારના દ્રવ્ય અને સ્વરૂપ તરીકે ઉલ્લેખ કરે છે. કૅથોલિક ચર્ચનું કૅટિકિઝમ, ધાર્મિક શિક્ષા માટે પ્રશ્નોત્તરીનું પુસ્તક, આ બંને તત્ત્વોની આવશ્યકતા અંગેનું શિક્ષણ આપતી વખતે, કોઈ પણ સંસ્કાર વિધિઓની વાતમાં ક્યાંય આ ફિલસૂફીના શબ્દપ્રયોગોનો ઉપયોગ કરતું નથી.[૯૬]

સુધારણા[ફેરફાર કરો]

ઢાંચો:Lutheranism

16મી સદીમાં, માર્ટિન લૂથરે બાપ્તિસ્માને એક સંસ્કાર ગણ્યો હતો. લૂથરનોના મતે, બાપ્તિસ્મા એ "ઈશ્વર કૃપાનું માધ્યમ" હતું, જેના થકી પ્રભુ "પુનરુજ્જીવનના પ્રક્ષાલન"[Titus 3:5] તરીકે "તારનારી આસ્થા" સર્જે છે અને તેને દૃઢ બનાવે છે, જેમાં શિશુઓ અને વયસ્કો ફરીથી જન્મ પામે છે.[Jn 3:3-7] કારણ કે આસ્થાનું સર્જન એ સંપૂર્ણપણે ઈશ્વરના હાથમાં છે, એટલે બાપ્તિસ્મા લેનારી વ્યક્તિનાં કૃત્યો પર તે આધાર રાખતી નથી, પછી એ શિશુ હોય કે વયસ્ક. ભલે બાપ્તિસ્મા લેનાર શિશુ એ આસ્થાને સ્પષ્ટપણે વ્યક્ત ન કરી શકે, પણ લૂથરનો માને છે કે તે હંમેશાં હાજર હોય છે.[૯૭] કારણ કે એ માત્ર આસ્થા જ છે કે જે દૈવી ભેટો મેળવે છે, લૂથરનો કબૂલે છે કે બાપ્તિસ્મા "પાપોની માફી આપે છે, મૃત્યુ અને શેતાનથી છુટકારો આપે છે, અને ઈશ્વરના શબ્દો અને વચનો જાહેર કરે છે તે મુજબ, જેઓ આ માનતા હોય તે તમામને શાશ્વત મુક્તિ આપે છે."[૯૮] પોતાના લાર્જ (વિશાળ) કૅટિકિઝમમાં, લૂથર શિશુ બાપ્તિસ્મા અંગેના વિશેષ વિભાગમાં દલીલ કરે છે કે શિશુ બાપ્તિસ્મા ઈશ્વરને પસંદ છે કારણ કે આ રીતે બાપ્તિસ્મા લેનારી વ્યક્તિઓ પુનર્જન્મ પામી હોય છે અને પવિત્ર આત્મા દ્વારા શુદ્ધિકરણ પામી હોય છે.[૯૯]

સ્વિસ સુધારક હુલ્ડ્રીચ ઝ્વિંગલિ બાપ્તિસ્માને ધાર્મિક સંસ્કારનું સ્થાન આપવાનો ઇનકાર કરીને લૂથરનોથી જુદા પડે છે. ઝ્વિંગલિ બાપ્તિસ્મા અને પ્રભુ ભોજનને ધાર્મિક સંસ્કારો તરીકે માને છે, પણ તે દીક્ષા સમારંભના અર્થમાં.[૧૫] આ સંસ્કારો પ્રતીકાત્મક હોવા બાબતેની તેમની સમજણ તેમને લૂથરથી જુદા પાડે છે.

યર્દન (જોર્ડન) નદીમાં ડૂબકી બાપ્તિસ્મા માટે રાહ જોતાં લોકો

ઍનાબાપ્ટિસ્ટો(જેનો અર્થ થાય છે "પુનઃબાપ્તિસ્મા-દાતા")એ લૂથરનો તેમ જ કૅથોલિકો દ્વારા જળવાતી પ્રથાને એવી સમૂળગી રીતે નકારી કાઢી કે તેમણે તેમના સમુદાય સિવાય બહાર આપવામાં આવેલા બાપ્તિસ્માની વૈધતાને સ્વીકારવાનો જ ઇનકાર કર્યો. તેમણે ધર્માન્તર કરનારાઓને એ ભૂમિકાએ "પુનઃબાપ્તિસ્મા આપ્યા" કે વ્યક્તિની ઇચ્છા વિના તેને બાપ્તિસ્મા આપી ન શકાય, અને એક શિશુ, કે જે બાપ્તિસ્માની વિધિમાં શું થાય છે તે સમજી શકતું નથી અને જેને ખ્રિસ્તી ધર્મની વિભાવનાઓ અંગે કોઈ પ્રકારનું જ્ઞાન નથી, તેના બાપ્તિસ્મા ખરેખર થયા જ નથી હોતા. શિશુઓના બાપ્તિસ્માને તેઓ બાઈબલ-બહારનું જુએ છે, જે હજી પોતાની આસ્થાને કબૂલી શકે તેમ નથી અને જેણે, હજી સુધી કોઈ પાપ કર્યાં નથી, તેમને મુક્તિની એવી સમાન જરૂરિયાત પણ હોતી નથી. એટલે જેમને શિશુઅવસ્થામાં બાપ્તિસ્મા આપવામાં આવ્યા હતા, તેમને બાપ્તિસ્મા આપવાને ઍનાબાપ્ટિસ્ટો અને અન્ય બાપ્ટિસ્ત સમુદાયો પુનઃ બાપ્તિસ્મા આપતા હોવાનું ગણતા નથી, કારણ કે, તેમની દૃષ્ટિએ, શિશુ બાપ્તિસ્મા એ કોઈપણ અસર વિનાનું છે. અમિષ, પુનરુદ્ધાર ચર્ચો (ખ્રિસ્તનાં ચર્ચો/ખ્રિસ્તી ચર્ચ), હટેરાઈટ, બાપ્ટિસ્ત, મેનોનાઈટ અને અન્ય સમુદાયો આ પ્રથામાંથી પેદા થયા છે. પેન્ટિકૉસ્ટલ, કરિશ્માપૂર્ણ અને મોટા ભાગનાં બિન-સાંપ્રદાયિક ચર્ચો પણ આ દૃષ્ટિકોણમાં માને છે.[૧૦૦]

પદ્ધતિ અને શૈલી[ફેરફાર કરો]

જલધારા દ્વારા એક બાળકના બાપ્તિસ્મા

ખ્રિસ્તી બાપ્તિસ્મા નીચે જણાવેલાં ત્રણ સ્વરૂપોમાંથી એક અનુસાર, કૃત્યને કાં તો એક વખત અથવા ત્રણ વખત કરીને કરવામાં આવે છેઃ[૧૦૧][૧૦૨]

અભિસિંચન[ફેરફાર કરો]

અભિસિંચન એ માથા પર પાણીનો છંટકાવ કરવો તે છે.

અભિષેક/જલધારા[ફેરફાર કરો]

અભિષેક એ માથા પર પાણી રેડવું તે છે.

નિમજ્જન[ફેરફાર કરો]

નિમજ્જન માટેનો અંગ્રેજી શબ્દ "ઈમર્સન" તાજેતરની લૅટિનના immersionem (ઈમર્સનેમ) પરથી આવ્યો છે, જે ક્રિયાપદ immergere (in - "માં" + mergere "ડૂબકી") પરથી બન્યો છે. બાપ્તિસ્માને લાગેવળગે છે ત્યાં સુધી, કેટલાક લોકો કોઈ પણ પ્રકારના ડૂબવાનો ઉલ્લેખ કરવા માટે તેનો ઉપયોગ કરે છે, પછી તેમાં શરીર પૂરેપૂરું પાણીની અંદર હોય કે માત્ર અંશતઃ જ પાણીમાં ડૂબેલું હોય; આમ નિમજ્જન થકી તેઓ સંપૂર્ણ અથવા અંશતઃ નિમજ્જનની વાત કરતા હોય છે. અન્યો, ઍનાબાપ્તિસ્તની પ્રથાના લોકો, કોઈને સંપૂર્ણપણે પાણીની સપાટી નીચે ડુબાડવાના (ડૂબકી) અર્થમાં જ "નિમજ્જન" શબ્દનો ઉપયોગ કરે છે.[૧૦૩][૧૦૪]. બાપ્તિસ્માના એક પ્રકાર, કે જેમાં પાણીમાં ઊભેલી વ્યક્તિને પાણીની સપાટીની નીચે ડુબાડ્યા વિના, તેના પર પાણી રેડવામાં આવે છે, તેના માટે પણ "નિમજ્જન" શબ્દ વાપરવામાં આવે છે.[૧૦૫][૧૦૬] "નિમજ્જન" શબ્દના આ ત્રણ અર્થો અંગે વધુ વિગતે જાણવા માટે, જુઓ નિમજ્જન બાપ્તિસ્મા.

જ્યારે "ડૂબકી"ના વિરોધી તરીકે "નિમજ્જન"નો ઉપયોગ કરવામાં આવે છે,[૧૦૭] ત્યારે તે બાપ્તિસ્માના એ રૂપને સૂચવે છે જેમાં ઉમેદવારને પાણીમાં ઊભો રાખવામાં અથવા ઘૂંટણિયે બેઠેલો રાખવામાં આવે છે અને તેના શરીરના ઉપરના ભાગ પર પાણી રેડવામાં આવે છે. ઓછામાં આછું બીજી સદીના સમયથી પશ્ચિમમાં અને પૂર્વમાં આ અર્થમાં નિમજ્જન નિયોજિત કરવામાં આવે છે અને પૂર્વકાલીન ખ્રિસ્તી કલામાં જે રૂપમાં સામાન્ય રીતે બાપ્તિસ્માને ચિત્રિત કરવામાં આવ્યું છે તે આ છે. પશ્ચિમમાં, 8મી સદીની આસપાસ જલધારા બાપ્તિસ્માએ, બાપ્તિસ્માની આ પદ્ધતિનું સ્થાન લેવાની શરૂઆત કરી હતી, પણ પૂર્વીય ખ્રિસ્તી ધર્મમાં હજી પણ તેનો પ્રયોગ ચાલુ છે.[૧૦૫][૧૦૬][૧૦૮]

પાણીમાં ડુબાડવું[ફેરફાર કરો]

પૂર્વીય રૂઢિવાદી ચર્ચ(ઈસ્ટર્ન ઓર્થોડોક્સ ચર્ચ)માં ડૂબકી થકી બાપ્તિસ્મા (સોફિયા કૅથેડ્રલ, 2005)

પાણીમાં ડુબાડવા માટેનો અંગ્રેજી શબ્દ સ્બમર્શન તાજેતરની લૅટિનમાંથી (સબ(sub)- "નીચે, તળે" + મેર્જરે(mergere ) "બોળવું, ડૂબકી")[૧૦૯] આવ્યો છે અને ક્યારેક તેને "સંપૂર્ણ નિમજ્જન" કહેવામાં આવે છે. બાપ્તિસ્માના આ રૂપમાં ઉમેદવારના શરીરને પાણીથી સંપૂર્ણ રીતે આવરી લેવામાં આવે છે. રૂઢિવાદી (ઓર્થોડોક્સ) ચર્ચ અને કેટલાક અન્ય પૂર્વીય (ઈસ્ટર્ન) ચર્ચોમાં તેમ જ ઍમ્બ્રોઝયન(Ambrosian) વિધિમાં પણ પાણીમાં ડુબાડવામાં આવે છે (અલબત્ત, ડુબાડવા કરતાં અલગ રૂપ તરીકે, નિમજ્જન પણ હવે સામાન્ય છે). શિશુઓના બાપ્તિસ્માના રોમન વિધિમાં આપવામાં આવેલી પદ્ધતિઓમાંથી તે એક છે. પ્રાચીન ચિત્રાત્મક રજૂઆતો અને પૂર્વકાલીન બાપ્તિસ્માના પાણીનાં પાત્રોના કદના બચેલાં પુરાવાઓ પરથી, એ ધારણાને પડકારવામાં આવી હતી કે પૂર્વકાલીન ખ્રિસ્તીઓમાં જોવા મળતી સામાન્ય પ્રથાઓ વિશે વાત કરતી વખતે ઇતિહાસકારોએ વાપરેલો શબ્દપ્રયોગ "નિમજ્જન",[૮૩][૮૪] પાણીમાં ડુબાડવાનો ઉલ્લેખ કરતો હતો.[૧૧૦] હજી પણ વારંવાર તેને નિમજ્જન સાથે ગૂંચવી દેવામાં આવે છે.

નિમજ્જન દ્વારા ઇવાન્જેલિકલ ક્રિશ્ચિયન બાપ્તિસ્મા

બાપ્તિસ્ત માને છે "ખ્રિસ્તી બાપ્તિસ્મા એ આસ્થાવાનનું જળમાં નિમજ્જન છે. ...તે એક આજ્ઞાંકિત કૃત્ય છે જે ક્રૂસારોપિત, દફનાવેલ, અને પાછા ઊઠેલા તારણહારમાં, પાપ માટે આસ્થાવાનના મૃત્યુમાં, જૂના જીવનના દફનમાં અને ઈસુ ખ્રિસ્તમાં નવા જીવનની કેડી પર ચાલવા માટેના પુનરુત્થાનમાં આસ્થાવાનના વિશ્વાસનું પ્રતીક છે" (પદલોપને સંદર્ભિત અવતરણ અનુસાર જ રાખવામાં આવ્યો છે).[૧૧૧] પૂર્ણ નિમજ્જન દ્વારા બાપ્તિસ્મામાં વિશ્વાસ રાખનારા મોટા ભાગના અન્ય ખ્રિસ્તીઓની જેમ, બાપ્તિસ્તો બાઈબલના પરિચ્છેદો[૧૧૨] વાંચીને સૂચિત કરે છે કે આ પ્રથા હેતુપૂર્વક દફન અને પુનરુત્થાનને પ્રતીકાત્મક રીતે વ્યક્ત કરે છે. વિશેષ કરીને જ્યારે નિમજ્જન વિધિને પ્રેક્ષકો સમક્ષ કરવામાં આવે છે, ત્યારે સંપૂર્ણ નિમજ્જન વિધિ દફનને (જ્યારે બાપ્તિસ્મા પામતી વ્યક્તિ પાણીની સપાટીની નીચે ડૂબકી મારે છે, જેમ કે દફન પામી હોય), અને પુનરુત્થાનને (જ્યારે વ્યક્તિ પાણીની બહાર નીકળે છે, જાણે કે કબરમાંથી પાછી બેઠી થતી હોય) ચિત્રિત કરે છે- પાપ કેન્દ્રિત જીવનની પુરાણી ઢબનું "મૃત્યુ" અને "દફન", અને એક ખ્રિસ્તી તરીકે પ્રભુ કેન્દ્રિત નવું જીવન શરૂ કરવા પ્રતિનું "પુનરુત્થાન". આવા ખ્રિસ્તીઓ લાક્ષણિક ઢબે માને છે કે જળ બાપ્તિસ્મા એક ખ્રિસ્તીના આધ્યાત્મિક રીતે "પુનર્જન્મ"નું પ્રતીક છે (પણ તે તેને પેદા કરતો નથી), એવા સૂચિતાર્થ સાથે John 3:3-5 પણ આ દૃષ્ટિકોણને ટેકો આપે છે.[૧૧૩]

ચિત્ર:Submersion baptism, Pichilemu, Chile.jpg
ચિલેના પિચિલેમુના લાસ ટેર્રાઝાસ સમુદ્રકિનારે, કમ્યુનિટી ઓફ ક્રાઈસ્ટ(ખ્રિસ્તના સમુદાય)માં ડૂબકી બાપ્તિસ્મા.

ક્રિશ્ચિયન ચર્ચ (ખ્રિસ્તના શિષ્યો) પણ પાણીમાં ડુબાડીને બાપ્તિસ્મા આપે છે,[૧૧૪] અલબત્ત આ ધાર્મિક સિદ્ધાંત, જેઓ અલગ ખ્રિસ્તી બાપ્તિસ્મા પ્રથાથી બાપ્તિસ્મા પામ્યા હોય તેમને ફરીથી બાપ્તિસ્મા આપવાનું સૂચવતો નથી.[૧૧૫] જેમનાં મૂળિયાં પુનઃસ્થાપન ચળવળમાં પણ છે તે, ખ્રિસ્તનાં ચર્ચો(ચર્ચિસ ઓફ ક્રાઈસ્ટ)માં, બાપ્તિસ્મા માત્ર શારીરિક નિમજ્જન સાથે જ આપવામાં આવે છે.[૧૧૬]:p.107[૧૧૭]:p.124 નવા કરારમાં વપરાયેલા શબ્દ બાપ્તિઝો(baptizo) ના અર્થની તેમની સમજણ પર આ આધારિત છે, એવી માન્યતા કે તે ઈસુના મૃત્યુ, દફન અને પુનરુત્થાનને બહુ બહુ નજીકથી મળતું આવે છે, અને ઐતિહાસિક રીતે પહેલી સદીમાં વપરાતી પદ્ધતિ નિમજ્જન હતી, તથા જ્યારે નિમજ્જન શક્ય નહોતું ત્યારે પાછળથી ગૌણ પદ્ધતિઓ તરીકે જલધારા અને છંટકાવનો ઉદય થયો હતો.[૧૧૮][૧૧૯]:p.139-140

સેવન્થ-ડે એડવેન્ટિસ્ટોનું માનવું છે કે "બાપ્તિસ્મા સ્વનું મૃત્યુનું અને ઈસુમાં જીવતા પાછા ફરવાનું પ્રતીક છે." તેઓ સંપૂર્ણ નિમજ્જન દ્વારા બાપ્તિસ્મા પાળે છે.[૧૨૦]

બાપ્તિસ્મા અંગેની અર્વાચીન સંતો(લેટર-ડે સેઈન્ટ્સ)ની માન્યતાઓ છે કે "જેમ ઈસુ ખ્રિસ્ત બાપ્તિસ્મા પામ્યા હતા તેમ, તમને થોડા સમય માટે પાણીમાં નિમજ્જિત કરવામાં આવે છે. નિમજ્જન દ્વારા બાપ્તિસ્મા એ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ, દફન, અને પુનરુત્થાનનું પવિત્ર પ્રતીક છે, અને તે તમારી જૂની જિંદગીના અંતને અને ઈસુ ખ્રિસ્તના શિષ્ય તરીકેના નવા જીવનની શરૂઆતને રજૂ કરે છે."[૧૨૧] કમ્યુનિટી ઓફ ક્રિસ્ટ (ખ્રિસ્તનો સમુદાય) તેમના બાપ્તિસ્મા માટે પાણીમાં ડુબાડવાનો પણ પ્રયોગ કરે છે.

યહોવાના સાક્ષીઓ શીખવે છે "જ્યારે એક વ્યક્તિ બાપ્તિસ્મા પામતી હોય, ત્યારે તેના આખા શરીરને ક્ષણેકવાર માટે પાણીની નીચે મૂકવું જોઈએ."[૧૨૨]

વસ્ત્ર[ફેરફાર કરો]

બાપ્તિસ્માના મોટા ભાગનાં પૂર્વકાલીન ચિત્રણોમાં દર્શાવ્યા મુજબ (તેમાંનાં કેટલાંક આ લેખમાં દર્શાવવામાં આવ્યાં છે), અને પૂર્વકાલીન ચર્ચના પાદરીઓ અને અન્ય ખ્રિસ્તી લેખકોના વર્ણન અનુસાર, મધ્ય યુગ સુધી, મોટા ભાગના બાપ્તિસ્મામાં ઉમેદવારને સંપૂર્ણપણે નગ્નાવસ્થામાં રાખવામાં આવતો હતો. આ વર્ણનોમાંથી યરૂશાલેમના સિરીલનું વિશિષ્ઠ હતું, જેણે 4થી સદીમાં (આશરે 350 ઈ.સ.માં) "ઓન ધ મિસ્ટ્રીઝ ઓફ બાપ્તિસ્મા (બાપ્તિસ્માની જટિલ વિધિઓ અંગે)" લખ્યું હતુઃ

Do you not know, that so many of us as were baptized into Jesus Christ, were baptized into His death? etc.…for you are not under the Law, but under grace.

1. Therefore, I shall necessarily lay before you the sequel of yesterday's Lecture, that you may learn of what those things, which were done by you in the inner chamber, were symbolic.

2. As soon, then, as you entered, you put off your tunic; and this was an image of putting off the old man with his deeds.[Col 3:9] Having stripped yourselves, you were naked; in this also imitating Christ, who was stripped naked on the Cross, and by His nakedness put off from Himself the principalities and powers, and openly triumphed over them on the tree. For since the adverse powers made their lair in your members, you may no longer wear that old garment; I do not at all mean this visible one, but the old man, which waxes corrupt in the lusts of deceit.[Eph 4:22] May the soul which has once put him off, never again put him on, but say with the Spouse of Christ in the Song of Songs, I have put off my garment, how shall I put it on?[Song of Sol 5:3] O wondrous thing! You were naked in the sight of all, and were not ashamed; for truly ye bore the likeness of the first-formed Adam, who was naked in the garden, and was not ashamed.

3. Then, when you were stripped, you were anointed with exorcised oil, from the very hairs of your head to your feet, and were made partakers of the good olive-tree, Jesus Christ.

4. After these things, you were led to the holy pool of Divine Baptism, as Christ was carried from the Cross to the Sepulchre which is before our eyes. And each of you was asked, whether he believed in the name of the Father, and of the Son, and of the Holy Ghost, and you made that saving confession, and descended three times into the water, and ascended again; here also hinting by a symbol at the three days burial of Christ.… And at the self-same moment you were both dying and being born;[૧૨૩]

આ પ્રતીકવાદ ત્રણ-સ્તરીય છેઃ

1. બાપ્તિસ્માને પુનર્જન્મના રૂપ તરીકે વિચારવામાં આવ્યું છે- "જળ અને આત્મા દ્વારા"[Jn 3:5]- બાપ્તિસ્માની નગ્નતા (દ્વિતીય જન્મ) વ્યક્તિના મૂળ જન્મની સ્થિતિ સાથે સરખાપણું દર્શાવે છે. ઉદાહરણ તરીકે, સંત જ્હોન ક્રીસોસ્તોમ બાપ્તિસ્માને " λοχείαν", એટલે કે, જન્મ આપવો, અને "સર્જનની નવી રીત... પાણીમાંથી અને આત્મામાંથી" ("ટુ યોહાન (યોહાનને)" વક્તવ્ય 25,2) કહે છે, અને પછી સમજાવે છેઃ

"For nothing perceivable was handed over to us by Jesus; but with perceivable things, all of them however conceivable. This is also the way with the baptism; the gift of the water is done with a perceivable thing, but the things being conducted, i.e., the rebirth and renovation, are conceivable. For, if you were without a body, He would hand over these bodiless gifts as naked [gifts] to you. But because the soul is closely linked to the body, He hands over the perceivable ones to you with conceivable things " (Chrysostom to Matthew., speech 82, 4, c. 390 A.D.)

2. વસ્ત્રો દૂર કરવા તે "જૂના માણસને તેનાં કર્મો સાથે છોડી દેવાની તસવીર" રજૂ કરે છે (સિરીલ પ્રમાણે, ઉપર), એટલે બાપ્તિસ્મા પહેલાં શરીર પરનાં આવરણો ઉતારવાની ક્રિયા પાપમય સ્વના સાજશણગારને દૂર કરવાનું વ્યક્ત કરે છે, જેથી ઈસુ દ્વારા આપવામાં આવનાર "નવા માણસ"ને, ધારણ કરી શકાય.

3. સંત સીરિલ ફરીથી ઉપરની વાતને ભારપૂર્વક કહે છે તેમ, જેમ બાઈબલ અને પુરાણોમાં આદમ અને ઈવ નગ્ન હતાં, ઈડન ગાર્ડનમાં નર્દોષ અને નિર્લજ્જિત હતાં, તેમ બાપ્તિસ્મા દરમ્યાનની નગ્નતાને એ નિર્દોષતા અને મૂળ પાપરહિતતાની અવસ્થાને ફરીથી લાવવાના વિધિ તરીકે જોવાતી હતી. અન્ય સમાનતાઓ પણ શોધી શકાય છે, જેમ કે ખ્રિસ્તને સૂળીએ ચઢાવવામાં આવ્યા તે દરમ્યાનની તેમની સ્થિતિ, અને બાપ્તિસ્મા માટેની પૂર્વતૈયારીમાં પશ્ચાતાપદ્ગ્ધ પાપીના "જૂના માણસ"ના ક્રૂસારોપણ વચ્ચેની સમાનતા.

બાપ્તિસ્મા પામતા ઉમેદવારને કાં તો તેમનાં અંતઃવસ્ત્રો પહેરી રાખવાની (બાપ્તિસ્માનાં અનેક રેનિસન્સ રંગચિત્રોમાં બતાવાયું છે તેમ, જેમ કે દા વિન્ચી, ટિનટોરેટ્ટો, વાન સ્કોરેલ, મૅસાસિઓ, દ વિટ અને અન્યોએ રચેલાં ચિત્રો) અને/અથવા આજે જેમ લગભગ વિશ્વભરમાં સ્વીકૃત છે તેમ, બાપ્તિસ્મા માટેનો ઝભ્ભો પહેરવાની રજા આપવાની પ્રથા શરૂ થવા પાછળ સંભવતઃ બદલાતી રૂઢિઓ અને લજ્જા અંગની ચિંતાઓ કારણભૂત હશે. આ ઝભ્ભો મોટા ભાગે પવિત્રતાના પ્રતીકરૂપે, શ્વેત હોય છે. આજે કેટલાંક જૂથો ટ્રાઉસર અને ટી-શર્ટ જેવાં, કોઈ પણ અનુકૂળ વસ્ત્રો પહેરવાની રજા આપે છે- પોશાકની પસંદગીની વ્યવહારુ વિચારણાઓમાં વસ્ત્રો કેટલી આસાનીથી સુકાશે (ડેનિમને પ્રોત્સાહન આપવામાં આવતું નથી), અને ભીનાં થતાં તે પારદર્શક બનશે કે કેમ તેનો સમાવેશ થાય છે.

અર્થ અને અસરો[ફેરફાર કરો]

એક ખ્રિસ્તી માટે બાપ્તિસ્માની અસરો અંગેના દૃષ્ટિકોણોમાં મતભેદો છે. કેટલાંક ખ્રિસ્તી જૂથો બાપ્તિસ્માને મુક્તિ પામવા માટેની અનિવાર્યતા તરીકે અને એક સંસ્કાર તરીકે ગણાવે છે, અને "બાપ્તિસ્માથી પુનર્જીવન"ની વાત કરે છે. કૅથોલિક અને પૂર્વીય રૂઢિવાદી (ઈસ્ટર્ન ઓર્થોડોક્સ) પરંપરાઓ, અને પ્રોટેસ્ટન્ટ રિફોર્મેશન દરમ્યાન શરૂઆતમાં રચાયેલાં ચર્ચો જેવા કે લૂથરન અને ઍંગ્લિકન આ દૃષ્ટિકોણમાં પોતાની સહમતિ નોંધાવે છે. ઉદાહરણ તરીકે, માર્ટિન લૂથરે કહ્યું હતુઃ

To put it most simply, the power, effect, benefit, fruit, and purpose of Baptism is to save. No one is baptized in order to become a prince, but as the words say, to "be saved". To be saved, we know, is nothing else than to be delivered from sin, death, and the devil and to enter into the kingdom of Christ and live with him forever.

ચર્ચિસ ઓફ ક્રાઈસ્ટ અને ચર્ચ ઓફ જિજસ ક્રાઈસ્ટ ઓફ લેટર-ડે સેઈન્ટ્સ પણ બાપ્તિસ્માને મુક્તિ માટે આવશ્યક ગણવાના દૃષ્ટિકોણને સમર્થન આપે છે.

રોમન કૅથોલિકો માટે, જળ દ્વારા બાપ્તિસ્મા એ પ્રભુનાં સંતાનો તરીકેના જીવનની દીક્ષા આપવાનો સંસ્કાર-વિધિ છે (કૅટિકિઝમ ઓફ ધ કૅથોલિક ચર્ચ , 1212-13). તે વ્યક્તિને ખ્રિસ્ત તરફ વાળે છે (સીસીસી(CCC) 1272), અને ચર્ચની ઍપોસ્ટોલિક અને મિશનરી પ્રવૃત્તિમાં ભાગીદાર બનવા માટે ખ્રિસ્તીને ફરજ પાડે છે (સીસીસી(CCC) 1270). કૅથોલિક પરંપરા પ્રમાણે કુલ ત્રણ પ્રકારના બાપ્તિસ્મા છે જે વ્યક્તિને બચાવી શકે છેઃ સંસ્કાર-વિધિના બાપ્તિસ્મા (જળ દ્વારા), ઇચ્છાના બાપ્તિસ્મા (ઈસુ ખ્રિસ્ત દ્વારા સ્થાપિત ચર્ચના હિસ્સારૂપ બનવાની અંતર્નિહિત અથવા સ્પષ્ટ ઇચ્છા), અને રક્તના બાપ્તિસ્મા (બલિદાન).

તેનાથી વિપરીત, મોટા ભાગના સુધરેલા પુનર્જાગૃત (કૅલવિનિસ્ટ), ઇવેન્જેલિકલ, અને કટ્ટરવાદી પ્રોટેસ્ટન્ટ જૂથો બાપ્તિસ્માને ખ્રિસ્ત તરીકે ઈસુની ઓળખ છતી કરતાં અને તેના આજ્ઞાધારકપણાને સ્વીકારતાં પગલા તરીકે જુએ છે. તેઓ કહે છે કે બાપ્તિસ્મા કોઈ ધાર્મિક સંસ્કારની (બચાવવાની) શક્તિ ધરાવતા નથી, અને માત્ર પ્રભુની અદૃશ્ય અને આંતરિક સંચાલનની શક્તિને, જે પોતે વિધિથી સંપૂર્ણપણે અલગ છે તેને, બાહ્ય રીતે જાહેર કરે છે.

ચર્ચિસ ઓફ ક્રાઈસ્ટ અવિરતપણે શીખવે છે કે બાપ્તિસ્મામાં એક આસ્થાવાન તેના જીવનને પ્રભુ પ્રતિના વિશ્વાસમાં અને આજ્ઞાંકિતતામાં સમર્પિત કરે છે, અને પ્રભુ "ખ્રિસ્તના રક્તની પવિત્રતાથી, વ્યક્તિને પાપમાંથી સ્વચ્છ કરે છે અને ખરેખર વ્યક્તિની અવસ્થાને બદલીને તેને એક અજાણી વ્યક્તિમાંથી પ્રભુના સામ્રાજ્યની નાગરિક બનાવે છે. બાપ્તિસ્મા એ માણસનું કામ નથી; એ એક એવી જગ્યા છે જ્યાં જે પ્રભુ જ કરી શકે એવું કામ પ્રભુ કરે છે."[૧૨૪]:p.66 આમ, તેઓ બાપ્તિસ્માને એક પ્રશંસાપાત્ર કાર્ય તરીકે જોવા કરતાં તેને વિશ્વાસનું એક અપ્રત્યક્ષ કાર્ય માને છે; તે "માણસ પાસે પ્રભુને ધરવા માટે કશું જ નથી તેની કબૂલાત છે."[૧૨૫]:p.112

મોટા ભાગની ખ્રિસ્તી પરંપરાઓમાં બાપ્તિસ્મા[ફેરફાર કરો]

સેન્ટ. રાફેલના કૅથેડ્રલ, ડુબુક્વે, લોવા ખાતેની બૅપ્ટિસ્ટરી.વયસ્કોને નિમજ્જન બાપ્તિસ્મા આપી શકાય તે માટે એક નાનો કુંડ પૂરો પાડવા માટે, 2005માં ખાસ કરીને આ પાત્રને વિસ્તારવામાં આવ્યું હતું.આઠ-બાજુઓવાળા પાત્રનું સ્થાપત્ય એ ખ્રિસ્તના પુનરુત્થાનના દિવસનું- "આઠમા દિવસ"નું પ્રતીક છે.

કૅથોલિક, પૂર્વીય રૂઢિવાદી (ઈસ્ટર્ન ઓર્થોડોક્સ), લૂથરન, ઍંગ્લિકન, અને મેથોડિસ્ટ પરંપરાઓમાંનો બાપ્તિસ્મા વિધિ માત્ર પ્રતીકાત્મક દફન અને પુનરુત્થાન તરીકે જ નહીં, પણ એક ખરેખરા અલૌકિક રૂપાંતરણ તરીકે બાપ્તિસ્માનો સ્પષ્ટ સંદર્ભ આપે છે, એવું રૂપાંતરણ કે જે નોઆહના અનુભવ અને મૂસા દ્વારા વિભાજિત લાલ સમુદ્રમાંથી ઈઝરાયેલી માર્ગ સમાન છે. આમ, શબ્દશઃ રીતે અને પ્રતીકાત્મક રીતે બાપ્તિસ્મા માત્ર પ્રક્ષાલન નથી, પણ મરવું તથા ખ્રિસ્ત સાથે પાછા બેઠા થવું પણ છે. કૅથોલિકો માને છે કે મૂળ પાપના દોષના પ્રક્ષાલન માટે બાપ્તિસ્મા અનિવાર્ય છે, અને એ જ કારણે તેમાં શિશુ બાપ્તિસ્માની પ્રથા પ્રચલિત છે. બાળકો માટે ચર્ચના સંપૂર્ણ સભ્યપદના સમર્થન રૂપે અર્થઘટન પામેલાં, Matthew 19:14 જેવાં લખાણોના આધારે, પૂર્વીય ચર્ચો (ઈસ્ટર્ન ઓર્થોડોક્સ ચર્ચ અને ઓરિયન્ટલ ઓર્થોડક્સી) પણ શિશુઓને બાપ્તિસ્મા આપે છે. આ પરંપરાઓમાં, બાપ્તિસ્મા પછી તરત જ, ઉંમરને ધ્યાનમાં લીધા વિના, આવતી દિવ્ય ઉપાસના વખતે ક્રિસ્મેશન(Chrismation) અને પ્રભુભોજન કરવામાં આવે છે. તે જ પ્રમાણે રૂઢિવાદી (ઓર્થોડોક્સ) માને છે કે બાપ્તિસ્મા, તેઓ જેને વડીલો તરફથી વારસામાં મળેલું આદમનું પાપ કહે છે, તેને દૂર કરે છે.[૧૨૬] ઍંગ્લિકન માને છે કે બાપ્તિસ્મા ચર્ચમાં પ્રવેશ પણ આપે છે, અને તેથી તેઓ સંપૂર્ણ સદસ્યો તરીકેના તમામ અધિકારો અને જવાબદારીઓ નિભાવી શકે છે, જેમાં પવિત્ર પ્રભુભોજન મેળવવાનો વિશેષ લાભ પણ સમાવિષ્ટ છે. તે પશ્ચિમમાં જેને મૂળ પાપ અને પૂર્વમાં જેને પૈતૃક પાપ કહેવામાં આવે છે, તેના દોષનું શુદ્ધિકરણ પણ કરે છે એ વાતે મોટા ભાગના ઍંગ્લિકન સહમત છે.

મૃત્ય અને ખ્રિસ્તમાં પુનર્જન્મ, અને પાપના ધોવાણ માટે એમ બંનેના પ્રતીક તરીકે, પૂર્વીય રૂઢિવાદી ખ્રિસ્તીઓ સામાન્ય રીતે ત્રિ-સ્તરીય સંપૂર્ણ નિમજ્જન પર ભાર મૂકે છે. લૅટિન ધાર્મિક વિધિમાં માનનારા કૅથોલિકોમાં સામાન્ય રીતે જલધારા (જલ રેડવું) દ્વારા બાપ્તિસ્મા કરવામાં આવે છે; પૂર્વીય કૅથોલિકોમાં સામાન્ય રીતે ડૂબકી દ્વારા, અથવા કમસે કમ અંશતઃ નિમજ્જન દ્વારા બાપ્તિસ્મા કરવામાં આવે છે. જો કે, લૅટિન કૅથોલિક ચર્ચમાં પાણીમાં ડુબાડવાની પદ્ધતિની લોકપ્રિયતા વધી રહી છે. ચર્ચનાં નવા આશ્રયસ્થાનોમાં, નિમજ્જન દ્વારા બાપ્તિસ્માને સંમતિ અભિવ્યક્ત કરવા માટે જ કદાચ બાપ્તિસ્માનાં જળનાં પાત્રો બનાવી શકાય.[સંદર્ભ આપો] ઍંગ્લિકનો પાણીમાં ડુબાડીને, નિમજ્જન, જલધારા અથવા છંટકાવ દ્વારા બાપ્તિસ્મા પામે છે.

જેના પુરાવા આશરે વર્ષ 200 સુધી તપાસી શકાય છે એવી એક પરંપરા પ્રમાણે,[૧૨૭] બાપ્તિસ્મા વખતે પુરસ્કર્તા અથવા ધર્મપિતા કે માતા હાજર રહે છે અને બાપ્તિસ્મા લેનારના ખ્રિસ્તી શિક્ષણ અને જીવન જાળવી રાખવાની પ્રતિજ્ઞા લે છે.

બાપ્તિસ્તોની દલીલ છે કે ગ્રીક શબ્દ βαπτίζωનો મૂળ અર્થ "નિમજ્જન આપવું" થાય છે. તેઓ બાપ્તિસ્મા સંબંધી બાઈબલના કેટલાક પરિચ્છેદોનું અર્થઘટન એ રીતે કરે છે જેમાં શરીરને પાણીમાં ડુબાડવું આવશ્યક હોય. તેઓ એવું પણ કહે છે કે માત્ર ડૂબકી જ પ્રતીકાત્મક રીતે "દફન થવાના" અને ખ્રિસ્ત સાથે "પાછા બેઠા થવાના" મહત્ત્વને પ્રતિબિંબિત કરે છે.[Rom 6:3-4] બાપ્તિસ્ત ચર્ચો ત્રયી(ટ્રિનિટી)ના નામે- પિતા, પુત્ર, અને પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા આપે છે. જો કે, મુક્તિ માટે બાપ્તિસ્માની આવશ્યકતા હોય છે તેવું તેઓ માનતા નથી; તેના બદલે તેઓ તેને ખ્રિસ્તી આજ્ઞાપાલનના પગલા તરીકે જુએ છે.

વનનેસ પેન્ટેકોસ્ટલ્સ જેવાં કેટલાંક "સંપૂર્ણ ગોસ્પલ" કરિશ્માપૂર્ણ ચર્ચો, તેમના આધાર તરીકે ઈસુના નામમાં બાપ્તિસ્માના પીટરના ઉપદેશને ટાંકીને, માત્ર ઈસુ ખ્રિસ્તના નામ પર બાપ્તિસ્મા આપે છે.[Ac 2:38] બીજી સદીમાં ત્રયી સિદ્ધાંત (ટ્રિનિટી ડૉક્ટરાઈન) વિકાસ પામ્યો નહોતો ત્યાં સુધી પૂર્વકાલીન ચર્ચો હંમેશાં પ્રભુ ઈસુના નામમાં જ બાપ્તિસ્મા આપવામાં આવતું હતું તેવું જણાવતા કેટલાક ઐતિહાસિક સ્રોતો તરફ પણ તેઓ ધ્યાન ખેંચે છે.[૧૨૮][૧૨૯]

વિશ્વવ્યાપી નિવેદનો[ફેરફાર કરો]

1982માં, વર્લ્ડ કાઉન્સિલ ઓફ ચર્ચિસે વિશ્વવ્યાપી પત્ર બાપ્તિસ્મા, યૂકરિસ્ટ એન્ડ મિનિસ્ટ્રી પ્રકાશિત કર્યું. આ દસ્તાવેજની પ્રસ્તાવનામાં લખ્યું છેઃ

Those who know how widely the churches have differed in doctrine and practice on baptism, Eucharist and ministry, will appreciate the importance of the large measure of agreement registered here. Virtually all the confessional traditions are included in the Commission's membership. That theologians of such widely different traditions should be able to speak so harmoniously about baptism, Eucharist and ministry is unprecedented in the modern ecumenical movement. Particularly noteworthy is the fact that the Commission also includes among its full members theologians of the Catholic and other churches which do not belong to the World Council of Churches itself."[૧૩૦]

1997નો એક દસ્તાવેજ, બિકમિંગ અ ક્રિશ્ચિયનઃ ધ ઈક્યુમેનિકલ ઈમ્પ્લિકેશન્સ ઓફ અવર કોમન બાપ્તિસ્મા (ખ્રિસ્તી બનવું: આપણા પ્રચલિત બાપ્તિસ્માના વિશ્વવ્યાપી સૂચિતાર્થો), વર્લ્ડ કાઉન્સિલ ઓફ ચર્ચિસના છત્ર હેઠળ ભેગા થયેલા નિષ્ણાતોના મંડળના દૃષ્ટિકોણો રજૂ કરે છે. તે લખે છેઃ

…according to Acts 2:38, baptisms follow from Peter's preaching baptism in the name of Jesus and lead those baptized to the receiving of Christ's Spirit, the Holy Ghost, and life in the community: "They devoted themselves to the apostles' teaching and fellowship, to the breaking of bread and the prayers"[2:42] as well as to the distribution of goods to those in need.[2:45]

જેમણે સાંભળ્યું હતું, જેઓ બાપ્તિસ્મા પામ્યા હતા અને સામુદાયિક જીવનમાં પ્રવેશ્યા હતા, તેમને પહેલેથી જ છેલ્લા દિવસો માટેના પ્રભુનાં વચનોના સાક્ષી અને સહભાગી બનાવવામાં આવ્યા હતાઃ ઈસુના નામમાં પાપોની ક્ષમા અને તમામ માનવદેહ પર પવિત્ર આત્માને ઉતારવા.[Ac 2:38] તે જ રીતે, જે કદાચ એક બાપ્તિસ્મા સંબંધી શૈલી હોઈ શકે, 1 પીટર ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની ઉદ્ઘોષણા અને નવા જીવન[1 Pe 1:3-21] વિશેનું શિક્ષણ શુદ્ધિકરણ અને નવા જન્મ તરફ દોરે છે તેવી જુબાની આપે છે.[1:22-23] છેવટે, આના પછી પ્રભુનું ભોજન લેવામાં-પીવામાં આવે છે,[2:2-3] સામુદાયિક જીવનમાં સહભાગી બનીને- રાજવી પુરોહિતપણું, નવું મંદિર, પ્રભુના લોકો[2:4-10]- અને વધુ નૈતિક રચના થાય છે.[2:11ff] 1 પીટરની શરૂઆતમાં લેખક આ બાપ્તિસ્માને ખ્રિસ્તની આજ્ઞાધીનતા અને આત્મા દ્વારા શુદ્ધિકરણના સંદર્ભમાં ગોઠવે છે.[1:2] એટલે ખ્રિસ્તમાં બાપ્તિસ્માને આત્મામાં બાપ્તિસ્મા તરીકે જોવામાં આવે છે.cf. [1 Co 12:13] ચોથી સુવાર્તા(ગોસ્પલ)માં, ઈસુનો નિકોડીમસ સાથેનો વાર્તાલાપ સૂચવે છે કે જળ અને આત્મા દ્વારા જન્મ એ જ્યાં પ્રભુનું શાસન હોય તે જગ્યાએ પ્રવેશવાનું કૃપાળુ માધ્યમ બને છે. [Jn 3:5][૧૩૧]

કેટલાંક ચર્ચો દ્વારા વૈધતાની વિચારણા[ફેરફાર કરો]

બૅપ્ટિઝમ ઓફ સેક્રેડ મિસ્ટ્રીની શરૂઆતમાં ચર્ચનાં પગથિયાંઓ પર શિશુનું અને તેનાં ધર્મ-માતાપિતાઓનું અભિવાદન કરતા રશિયન ઓર્થોડોક્સ(રૂઢિવાદી) પાદરી.

કારણ કે કૅથોલિક, રૂઢિવાદી (ઓર્થોડોક્સ), ઍંગ્લિકન, મૅથોડિસ્ટ અને લૂથરન ચર્ચો શીખવે છે કે બાપ્તિસ્મા એવો સંસ્કાર છે કે જે ખરેખર આધ્યાત્મિક અને મુક્તિદાયી અસરો ધરાવે છે, એટલે તેની વૈધતા માટે, એટલે કે, તે અસરો ખરેખર પામી શકાય તે માટે, કેટલાક મુખ્ય માનદંડોનું સંકલન થવું જોઈએ. જો આ મુખ્ય માનદંડો અનુસરવામાં આવ્યા હોય, તો બાપ્તિસ્મા અંગેના કેટલાક નિયમોનું ઉલ્લંઘન થતું હોય, જેમ કે સંસ્કાર માટેના અધિકૃત વિધિમાં જોવા મળતા ફેરફારો, ત્યારે એ બાપ્તિસ્મા અવૈધ (ચર્ચના કાયદાઓથી વિરુદ્ધ) છતાં વૈધ ગણાય છે.

વૈધતા માટેના માનદંડોમાંથી એક તે સાચા રૂપમાં શબ્દોનો ઉપયોગ કરવો તે છે. રોમન કૅથોલિક ચર્ચ શીખવે છે કે ક્રિયાપદ "બાપ્તિસ્મા આપવા (બાપ્તાઈઝ)"નો ઉપયોગ કરવો અનિવાર્ય છે.[૯૧] લૅટિન વિધિમાં માનનારા કૅથોલિકો, ઍંગ્લિકનો અને મૅથોડિસ્ટો "હું તમને બાપ્તિસ્મા આપું છું..." રૂપનો ઉપયોગ કરે છે. પૂર્વીય રૂઢિવાદીઓ (ઈસ્ટર્ન ઓર્થોડોક્સ) અને કેટલાક પૂર્વીય કૅથોલિકો "ખ્રિસ્તનો આ સેવક બાપ્તિસ્મા પામ્યો છે..." અથવા "આ વ્યક્તિ મારા હાથે બાપ્તિસ્મા પામી છે..." જેવા રૂપને વાપરે છે. આ ચર્ચો સામાન્ય રીતે એકબીજાના બાપ્તિસ્માનાં રૂપોને વૈધ તરીકે સ્વીકારે છે.

ત્રયી સૂત્ર (ટ્રિનિટી ફોર્મ્યુલા) "પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામમાં"-ના ઉપયોગને પણ અનિવાર્ય ગણવામાં આવે છે; આમ આ ચર્ચો વનનેસ પેન્ટેકોસ્ટલ્સ જેવા બિન-ટ્રિનિટૅરિયન ચર્ચોના બાપ્તિસ્માને વૈધ બાપ્તિસ્મા તરીકે સ્વીકારતા નથી.

બીજી અનિવાર્ય શરત તે પાણીનો ઉપયોગ કરવો તે છે. જે બાપ્તિસ્મામાં કોઈ બીજા પ્રવાહીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તે બાપ્તિસ્માને વૈધ ગણવામાં આવતા નથી.

બીજી અનિવાર્યતા તે પુરોહિત બાપ્તિસ્મા વિધિ કરવાનો ઇરાદો રાખતો હોય તે છે. આ આવશ્યકતા માત્ર "ચર્ચ જે કરે છે તે કરવાના" ઇરાદા પર જ ભાર મૂકે છે, તે ખ્રિસ્તી આસ્થા ધરાવતો હોય તે જરૂરી નથી, કારણ કે વ્યક્તિ બાપ્તિસ્મા આપતો નથી, પણ એ સંસ્કારના માધ્યમથી પવિત્ર આત્મા કામ કરે છે, જે છેવટે સંસ્કારની અસરોને પેદા કરે છે. બાપ્તિસ્માની વૈધતા માટે શંકા ધરવા માટે આમ બાપ્તિસ્મા આપનારની આસ્થા અંગેની શંકા તદ્દન બિનપાયેદાર છે.

કેટલીક પરિસ્થિતિઓ સ્પષ્ટપણે પ્રમાણભૂતતાને અસર કરતી નથી- ઉદાહરણ તરીકે, બાપ્તિસ્મા માટે પાણીમાં ડુબાડવાનો, નિમજ્જન, જલધારા કે છંટકાવનો ઉપયોગ. જો કે, જો પાણીનો છંટકાવ કરવામાં આવે તો, પાણી કદાચ બાપ્તિસ્મા ઝંખતી વ્યક્તિની ત્વચાને ન પણ સ્પર્શે તેવું જોખમ રહે છે. જો ઉમેદવારની ત્વચા પરથી પાણી ન વહે, તો પ્રક્ષાલન થતું નથી અને તેથી બાપ્તિસ્મા થતા નથી.

તબીબી કે અન્ય કોઈ યોગ્ય કારણસર, જો માથા પર પાણી રેડી શકાય તેમ ન હોય, તો તે શરીરના અન્ય પ્રમુખ હિસ્સા પર, જેમ કે છાતી પર રેડી શકાય. આવા કિસ્સામાં બાપ્તિસ્માની વૈધતા અનિશ્ચિત છે અને પાછળથી તેઓ પરંપરાગત રીતે બાપ્તિસ્મા ન મેળવે ત્યાં સુધી, તે વ્યક્તિને શરતી ધોરણે બાપ્તિસ્મા પામેલ ગણવામાં આવશે.

અનેક સમુદાયો માટે, ત્રણની જગ્યાએ એક જ ડૂબકી મારવામાં આવી હોય અથવા જલધારા રેડવામાં આવી હોય તો તેનાથી બાપ્તિસ્માની વૈધતાને અસર પહોંચતી નથી, પણ ઓર્થોડોક્સી(Orthodoxy)માં આ બાબત વિવાદાસ્પદ છે.

કૅથોલિક ચર્ચ અનુસાર, બાપ્તિસ્મા, બાપ્તિસ્મા પામનારના આત્મા પર એક કાયમી "છાપ" આપે છે અને તેથી જેને એકવાર બાપ્તિસ્મા આપવામાં આવ્યું હોય તે વ્યક્તિને પ્રમાણભૂત રીતે ફરીથી બાપ્તિસ્મા આપી શકાતું નથી. આ શિક્ષા પુનઃબાપ્તિસ્માની પ્રથા ધરાવનાર ડૉનેટિસ્ટ કરતાં વિરુદ્ધ હતી. બાપ્તિસ્મામાં મળતી કૃપા એક્સ ઓપેરે ઓપરેટો(ex opere operato) રૂપમાં સંચાલિત થતી હોવાનું માનવામાં આવે છે અને તેથી બાપ્તિસ્માને પાંખડીઓમાં અથવા ફાટફૂટ પાડનારાઓનાં જૂથોમાં પણ આપવામાં આવે તો પણ તેને વૈધ માનવામાં આવે છે.[૧૪]

અન્ય ખ્રિસ્તી-સંપ્રદાયોના બાપ્તિસ્માને માન્યતા આપવા અંગે[ફેરફાર કરો]

કૅથોલિક, લૂથરન, ઍંગ્લિકન, પ્રિસ્બિટેરિયન અને મૅથોડિસ્ટ ચર્ચો આ સમુદાયમાંના અન્ય સંપ્રદાયો દ્વારા આપવામાં આવેલા બાપ્તિસ્માને વૈધ ગણે છે, અલબત્ત તે ત્રયી(ટ્રિનિટી) સૂત્રના ઉપયોગ સહિતની અમુક શરતોને આધીન હોય છે. માત્ર એક જ વખત બાપ્તિસ્મા આપવો શક્ય છે, એટલે અન્ય સંપ્રદાયોમાંથી વિધિસર બાપ્તિસ્મા પામેલા લોકોને તેઓ ધર્મપરિવર્તન અથવા સ્થળાંતર કરે તે પછી ફરીથી બાપ્તિસ્મા આપવામાં આવતા નથી. આવા લોકોને તેઓ વિશ્વાસની દીક્ષા ધારણ કરે તે પછી, અને જો તેઓએ હજી પુષ્ટિકરણ અથવા ક્રિસ્મૅશન(chrismation)નો વૈધ કહેવાય એવો સંસ્કાર ન મેળવ્યો હોય તો, પુષ્ટિકરણ પામ્યા પછી સ્વીકારી લેવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં મૂળ બાપ્તિસ્મા ખરેખર પ્રમાણભૂત હતા કે નહીં તે નક્કી કરવું મુશ્કેલ હોઈ શકે છે; જો શંકા હોય તો, "જો તમે હજી બાપ્તિસ્મા ન પામ્યા હો તો, હું તમને બાપ્તિસ્મા આપું છું..." એવી લીટી સૂત્રમાં ઉમેરીને, તેમને શરતી બાપ્તિસ્મા આપવામાં આવે છે.[૧૩૨]

હજી તાજેતરના જ ભૂતકાળમાં, રોમન કૅથોલિક ચર્ચમાં, પ્રોટેસ્ટન્ટિઝમમાંથી ધર્માન્તર કરીને આવતી લગભગ પ્રત્યેક વ્યક્તિને શરતી બાપ્તિસ્મા આપવાની પ્રથા પ્રચલિત રૂપે જોવા મળતી હતી, કારણ કે કોઈ પણ નક્કર કિસ્સામાં વૈધતાને મૂલવવી મુશ્કેલ માનવામાં આવતી હતી. મુખ્ય પ્રોટેસ્ટન્ટ ચર્ચોના કિસ્સામાં, તેમણે કઈ પદ્ધતિથી બાપ્તિસ્મા આપ્યા હતા તેની ખાતરી આપતા કરારોના કારણે આ પ્રથાનો અંત આવ્યો, જે ક્યારેક પ્રોટેસ્ટન્ટ પરંપરાનાં અન્ય જૂથોમાં ચાલુ રહે છે. ચર્ચિસ ઓફ ઈસ્ટર્ન ક્રિશ્ચિયાનિટી(પૂર્વીય ખ્રિસ્તી ચર્ચો)માં આપવામાં આવેલા બાપ્તિસ્માની વૈધતાને કૅથોલિક ચર્ચે હંમેશાં માન્ય ગણી છે, પણ ચર્ચ ઓફ જિજસ ક્રાઈસ્ટ ઓફ લેટર-ડે સેઈન્ટ્સ(અર્વાચીન સંતોનું ઈસુ ખ્રિસ્તનું દેવળ)માં અપાયેલા બાપ્તિસ્માની વૈધતાને તેણે સ્પષ્ટપણે નકારી છે.[૧૩૩]

પૂર્વીય રૂઢિવાદી (ઈસ્ટર્ન ઓર્થોડોક્સ) ચર્ચમાં અન્ય સંપ્રદાયોમાંથી આવતી ધર્માન્તરિત વ્યક્તિઓ માટે કોઈ એક સમાન પ્રથા નથી. જો કે, રૂઢિવાદી ખ્રિસ્તી (ઓર્થોડોક્સ ક્રિશ્ચિયન) ચર્ચમાં પવિત્ર ત્રયી(હૉલિ ટ્રિનિટી)ના નામમાં આપવામાં આવેલા બાપ્તિસ્માને સામાન્ય રીતે સ્વીકારવામાં આવે છે. જો ધર્માન્તર કરનારી વ્યક્તિએ બાપ્તિસ્માનો સંસ્કાર (મિસ્ટેરિયન) ન મેળવ્યો હોય, તો તેઓ ઓર્થોડોક્સ ચર્ચ સાથે પ્રભુભોજન લે તે પહેલાં તેમને પવિત્ર ત્રયીના નામમાં બાપ્તિસ્મા આપવામાં આવે તે જરૂરી લેખવામાં આવે છે. જો તેમણે કોઈ અન્ય ખ્રિસ્તી કબૂલાત (ઓર્થોડોક્સ ક્રિશ્ચિયાનિટી સિવાયની) અનુસાર બાપ્તિસ્મા મેળવ્યા હોય, તો જ્યાં સુધી તેના બાપ્તિસ્મા પવિત્ર ત્રયી (પિતા, પુત્ર અને પવિત્ર આત્મા)ના નામમાં થયા હોય ત્યાં સુધી તેના પાછલા બાપ્તિસ્માને ક્રિસ્મૅશન(chrismation) દ્વારા ભૂતકાલીન સ્થિતિથી કૃપાથી ભરેલા ગણવામાં આવે છે, અથવા ભાગ્યે જ કેટલાક સંજોગોમાં, માત્ર વિશ્વાસની કબૂલાત દ્વારા સ્વીકારી લેવામાં આવે છે. ચોક્કસ પદ્ધતિ સ્થાનિક નિયમો પર આધારિત રહે છે અને અમુક અંશે વાદવિવાદનો વિષય રહે છે.[સંદર્ભ આપો]

ઈસ્ટર્ન ઓર્થોડોક્સ કમ્યુનિયન(પૂર્વીય રૂઢિવાદી પ્રભુભોજન)માં આપવામાં આવેલા બાપ્તિસ્માની વૈધતાને ઓરિયન્ટલ ઓર્થોડોક્સ (પૂર્વના રૂઢિચુસ્ત) ચર્ચો માન્ય રાખે છે. કેટલાક કૅથોલિક ચર્ચો દ્વારા આપવામાં આવેલા બાપ્તિસ્માને પણ સ્વીકારે છે. પણ એવા કોઈ પણ બાપ્તિસ્મા જેમાં ત્રયીના સૂત્રનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોય તેને અવૈધ ગણવામાં આવે છે.[સંદર્ભ આપો]

કૅથોલિક ચર્ચો, તમામ ઓર્થોડોક્સ ચર્ચો, ઍંગ્લિકન અને લૂથરન ચર્ચોની દૃષ્ટિએ, અર્વાચીન સંતોના ઈસુ ખ્રિસ્તના ચર્ચ (ચર્ચ ઓફ જિજસ ક્રાઈસ્ટ ઓફ લેટર-ડે સેઈન્ટ્સ) દ્વારા અપાયેલા બાપ્તિસ્મા અવૈધ છે.[૧૩૪] આ અંગેની સત્તાવાર ઘોષણા સાથે એક લેખ પ્રકાશિત થયો હતો, જેમાં એ મૂલવણી માટેનાં કારણો આપવામાં આવ્યાં હતાં, તેનો સાર રજૂ કરતા શબ્દો આ પ્રમાણે છેઃ "કૅથોલિક ચર્ચના બાપ્તિસ્મા અને અર્વાચીન સંતોના ઈસુ ખ્રિસ્તના ચર્ચ(ચર્ચ ઓફ જિજસ ક્રાઈસ્ટ ઓફ લેટર-ડે સેઈન્ટ્સ)ના બાપ્તિસ્મા અનિવાર્ય બાબતોમાં જુદા પડે છે, બંને બાબતોમાં, પિતા, પુત્ર અને પવિત્ર આત્મા, કે જેના નામમાં બાપ્તિસ્મા આપવામાં આવે છે તેમનામાંના વિશ્વાસ બાબતે, અને ખ્રિસ્ત, કે જેમણે તેની સ્થાપના કરી હતી તેમની સાથેના સંબંધની બાબતે."[૧૩૫]

અર્વાચીન સંતોના ઈસુ ખ્રિસ્તના ચર્ચ (ચર્ચ ઓફ જિજસ ક્રાઈસ્ટ ઓફ લેટર-ડે સેઈન્ટ્સ) એ બાબત પર ભાર મૂકે છે કે યોગ્ય અધિકાર ધરાવનાર દ્વારા જ બાપ્તિસ્મા અપાવા જોઈએ; પરિણામે, આ ચર્ચ અન્ય કોઈ પણ ચર્ચ દ્વારા અપાયેલા બાપ્તિસ્માને વૈધ ગણતું નથી.[૧૩૬]

યહોવાના સાક્ષીઓ 1914[૧૩૭] પછી આપવામાં આવેલા કોઈ પણ બાપ્તિસ્માને વૈધ ગણતા નથી,[૧૩૮] કારણ કે તેમનું માનવું છે કે હવે તેઓ જ એક માત્ર ખ્રિસ્તના સાચા ચર્ચ છે,[૧૩૯] અને બાકીનો "ખ્રિસ્તીસમૂહ" એક ખોટો ધર્મ માત્ર છે.[૧૪૦]

બાપ્તિસ્મા કોણે આપવા ઘટે[ફેરફાર કરો]

ઈરાકમાં યુ.એસ. નૌકાસૈન્યના પાદરી દ્વારા અપાતો બાપ્તિસ્મા

બાપ્તિસ્મા કોણ આપી શકે એ બાબતે ખ્રિસ્તી ચર્ચોમાં વિવાદ ચાલે છે. નવા કરારમાં આપેલાં ઉદાહરણોમાં માત્ર પ્રેરિતો(અપૉસ્ટલ્સ) અને ત્રીજી કક્ષાના ધર્માધિકારી(ડીકન)ને જ બાપ્તિસ્મા આપતા દર્શાવવામાં આવ્યા છે. પ્રાચીન ખ્રિસ્તી ચર્ચોના મતે આ બાબત સૂચવે છે કે મરણોન્મુખ (in extremis) પરિસ્થિતિઓ સિવાય, એટલે કે જ્યારે કોઈકને મૃત્યુના તત્કાળ જોખમ વખતે બાપ્તિસ્મા આપવાનો હોય તે સિવાય ખ્રિસ્તી ધર્મોપદેશકો, પાદરીઓ દ્વારા જ બાપ્તિસ્મા વિધિ થવી જોઈએ. પૂર્વીય રૂઢિવાદી (ઈસ્ટર્ન ઓર્થોડોક્સ) ચર્ચની દૃષ્ટિએ, જ્યાં સુધી બાપ્તિસ્મા આપનાર વ્યક્તિ ચર્ચની સદસ્ય હોય ત્યાં સુધી, પછી કોઈ પણ બાપ્તિસ્મા આપી શકે છે, અથવા, કૅથોલિક ચર્ચની દૃષ્ટિએ, એ વ્યક્તિ ભલે પોતે બાપ્તિસ્મા પામેલી ન હોય, પણ સંસ્કાર વિધિ કરાવતી વખતે જો તે ચર્ચ જે કરે છે તેવો જ ઇરાદો રાખતી હોય તો એ બાપ્તિસ્મા આપી શકે છે. અનેક પ્રોટેસ્ટન્ટ ચર્ચો પણ બાઈબલનાં ઉદાહરણોમાં કોઈ નિશ્ચિત બંધી જોતા નથી અને કોઈ પણ આસ્થાવાનને અન્યને બાપ્તિસ્મા આપવાની રજા આપે છે.

કૅથોલિક ચર્ચમાં, બાપ્તિસ્મા આપનાર સાધારણ ધર્મોપદેશક ખ્રિસ્તી પાદરી/ધર્મોપદેશકો(બિશપ, પ્રિસ્ટ અથવા ડીકન)ના મંડળનો સદસ્ય હોય છે,[૧૪૧] પણ સામાન્ય સંજોગોમાં માત્ર વ્યક્તિના પરગણાના પાદરી (Parish Priest), અથવા તેમના ઉપરી, કે તેમના પરગણાના પાદરીએ જે કોઈકને અધિકાર આપ્યો હોય, તેઓ જ વિધિસર બાપ્તિસ્મા આપી શકે છે[૧૪૨]. જો સાધારણ ધર્મોપદેશક ગેરહાજર હોય અથવા કોઈક અડચણમાં હોય, તો કૅટિકિસ્ટ અથવા સ્થાનિક સાધારણ ધર્મોપદેશક દ્વારા આ કાર્ય માટે નીમવામાં આવેલી કોઈ બીજી વ્યક્તિ, નિયમાનુસાર બાપ્તિસ્મા આપી શકે છે; ખરેખર તો, અનિવાર્ય કિસ્સામાં, એવી કોઈ પણ વ્યક્તિ જે આમ કરવા માટે આવશ્યક ઈરાદો ધરાવતી હોય તે બાપ્તિસ્મા આપી શકે છે[૧૪૧]. અહીં "અનિવાર્ય કિસ્સા"નો અર્થ માંદગી અથવા કોઈક બાહ્ય ભયના કારણે તરતમાં આવનારા મૃત્યુનું જોખમ થાય છે. તે જ મુજબ, અહીં "આવશ્યક ઈરાદા"નો અલ્પતમ અર્થ, બાપ્તિસ્માના વિધિ થકી "ચર્ચ જે કરે છે તે કરવાનો" ઈરાદો એમ થાય છે.

ઈસ્ટર્ન કૅથોલિક ચર્ચોમાં, ડીકનને સાધારણ ધર્મોપદેશક માનવામાં આવતા નથી. કૅથોલિક વિધિની જેમ, તેમાં પણ બાપ્તિસ્માના સંસ્કાર આપવાને, પરગણાના પાદરી માટે, અનામત રાખવામાં આવ્યું છે. પરંતુ, "અનિવાર્ય સંજોગોમાં, ડીકન, અથવા તેમની ગેરહાજરીમાં કે જો તે કોઈક અડચણમાં હોય તો, અન્ય કોઈક અભિષિક્ત પવિત્ર જીવનની સંસ્થાના સદસ્ય એવા પાદરી, અથવા કોઈ પણ આસ્થાવાન ખ્રિસ્તી બાપ્તિસ્મા આપી શકે છે; જો બાપ્તિસ્મા કેવી રીતે આપવા તે જાણનાર અન્ય કોઈ વ્યક્તિ ઉપલબ્ધ ન હોય તો, માતા કે પિતા સુદ્ધાં બાપ્તિસ્મા આપી શકે છે."[૧૪૩]

પૂર્વીય રૂઢિવાદી (ઈસ્ટર્ન ઓર્થોડોક્સ) ચર્ચ, ઓરિયન્ટલ ઓર્થોડોક્સી અને ઍસિરિયન ચર્ચ ઓફ ધ ઈસ્ટના નિયમો ઈસ્ટર્ન કૅથોલિક ચર્ચો જેવા જ છે. અનિવાર્ય સંજોગોમાં પણ, તેમને બાપ્તિસ્મા આપવા માટે, તેમના પોતાના સંપ્રદાયની કોઈક વ્યક્તિની આવશ્યકતા રહે છે; આ નિયમો પાછળની ભૂમિકા એ છે કે વ્યક્તિ એ જ આપી શકે જે તેની પાસે હોય, આ કિસ્સામાં તે ચર્ચની સદસ્યતા છે.[૧૪૪] લૅટિન રાઇટ કૅથોલિક ચર્ચ આ શરતનો આગ્રહ રાખતું નથી, તેના મતે સંસ્કારની અસર, જેમ કે ચર્ચની સદસ્ય બનવું, તે જે વ્યક્તિ બાપ્તિસ્મા આપે છે તેના દ્વારા ઊભી થતી નથી, પરંતુ પવિત્ર આત્મા દ્વારા ઊભી થાય છે. ઓર્થોડોક્સ માટે, મરણોન્મુખ કિસ્સામાં ડીકન અથવા કોઈ પણ સાધારણ વ્યક્તિ બાપ્તિસ્મા આપી શકે છે, પણ જો આ રીતે બાપ્તિસ્મા પામેલી વ્યક્તિ જીવી જાય, તો પાદરીએ બાપ્તિસ્મા વિધિની અન્ય પ્રાર્થનાઓ કરાવવી જોઈએ, અને ક્રિઝમૅશન(Chrismation)નો રહસ્યનો વિધિ કરવો જોઈએ.

ઍંગ્લિકનિઝમ અને લૂથરનોના નિયમો લૅટિન રાઇટ કૅથોલિક ચર્ચ જેવા જ છે. મૅથોડિસ્ટોમાં અને અન્ય ઘણા પ્રોટેસ્ટન્ટ પંથોમાં, પણ, ધર્મના મંત્રી દ્વારા બાપ્તિસ્મા કરનાર સાધારણ ધર્મોપદેશકની યથાવિધિ સ્થાપના અથવા નિયુક્તિ કરવામાં આવે છે.

ખાસ કરીને બિન-સાંપ્રદાયિક એવી પ્રોટેસ્ટન્ટ ઈવેન્જિલિકલ ચર્ચોની નવીનતમ ચળવળોએ, બાપ્તિસ્મામાં વ્યક્તિનો વિશ્વાસ જગાડવામાં સૌથી વધુ સૌથી વધુ નિમિત્ત રહી હોય તેવી વ્યક્તિઓને બાપ્તિસ્માનો સંસ્કાર કરાવવાની રજા આપવી શરૂ કરી છે.

ચર્ચ ઓફ જિજસ ક્રાઈસ્ટ ઓફ લેટર-ડે સેઈન્ટ્સમાં, માત્ર મેલચાઈઝેડેક પ્રીસ્ટહુડમાં પાદરીનું પૌરોહિત્ય પદ અથવા તેથી ઊંચા પદ પર આરૂઢ આરોનિક પ્રીસ્ટહુડ ધરાવનાર તરીકે નિયુક્તિ પામેલ માણસ જ બાપ્તિસ્મા આપી શકે છે.[૧૪૫]

યહોવાના સાક્ષીઓના બાપ્તિસ્મા, ચુસ્ત અનુયાયી "સમર્પિત પુરુષ" દ્વારા આપવામાં આવે છે.[૧૪૬][૧૪૭] માત્ર કોઈ અસાધારણ સંજોગોમાં જ "સમર્પિત" બાપ્તિસ્મા આપનારને બાપ્તિસ્મારહિત કરવામાં આવી શકે (જુઓ યહોવાના સાક્ષીઓ વિભાગ).

અન્ય પરંપરાઓ[ફેરફાર કરો]

ઍનાબાપ્તિસ્ત[ફેરફાર કરો]

ઢાંચો:Original research

20મી સદીના વળાંકે ઉત્તર કૅરોલિનામાં નદીમાં લેવાતા બાપ્તિસ્મા.આજે ઘણા આફ્રિકન-અમેરિકન ખ્રિસ્તી સમૂહોમાં સંપૂર્ણ-નિમજ્જન (ડૂબકી) બાપ્તિસ્મા એ એક સામાન્ય પ્રથા રૂપે ચાલુ રહ્યા છે.

ઍનાબાપ્તિસ્તો ("પુનઃ બાપ્તિસ્મા દાતા") અને બાપ્તિસ્તો વયસ્કના બાપ્તિસ્માને, અથવા "આસ્થાવાનના બાપ્તિસ્મા"ને પ્રોત્સાહન આપે છે. તેમાં વ્યક્તિએ ઈસુ ખ્રિસ્તને તારણહાર તરીકે સ્વીકારી લીધા હોય તેને માન્યતા આપતા પગલા તરીકે બાપ્તિસ્માને જોવામાં આવે છે.

જે લોકોને પોતાને શિશુ વયે બાપ્તિસ્મા આપવામાં આવ્યા હોવાથી, છંટકાવ, અથવા અન્ય કોઈ પંથના પ્રકારે બાપ્તિસ્મા આપયા હોવાથી, તેમને યોગ્ય રીતે બાપ્તિસ્મા નથી આપવામાં આવ્યા તેવું લાગતું હોય, તેમને તેઓ પુનઃબાપ્તિસ્મા આપતા હોવાથી પ્રારંભના ઍનાબાપ્તિસ્તોને એ નામ આપવામાં આવ્યું હતું.

ઍનાબાપ્તિસ્તો મકાનની અંદરના ભાગમાં બાપ્તિસ્મા માટેના પાત્રમાં, તરણકુંડમાં, અથવા તો બાથટબમાં, અથવા ખાડી કે નદીના પ્રવાહ જેવાં કુદરતી સ્થળોએ બાપ્તિસ્મા આપે છે. બાપ્તિસ્મા ઈસુના મૃત્યુ, દફન અને પુનરુત્થાનનું સ્મરણ આપે છે.[Rom 6] એક કર્મકાંડ તરીકે બાપ્તિસ્મા કશું જ સંપન્ન કરતો નથી, પણ બાહ્ય રૂપે તે વ્યક્તિનાં પાપો પહેલેથી જ ખ્રિસ્તના ક્રૂસે ધોઈ નાખ્યા છે એમ દર્શાવતો એક વ્યક્તિગત સંકેત અથવા પુરાવો છે.[૧૪૮] તેને એક પ્રતિબદ્ધતાત્મક પગલા તરીકે જોવામાં આવે છે, જે ખ્રિસ્તના નવા કરારમાં પ્રવેશ સૂચવે છે.[૧૪૮][૧૪૯]

બાપ્તિસ્ત દૃષ્ટિકોણો[ફેરફાર કરો]

મોટા ભાગના બાપ્તિસ્તો માટે, ખ્રિસ્તી બાપ્તિસ્મા એ પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે આસ્થાવાનનું જળમાં નિમજ્જન છે.[Mt 28:19] તે એક આજ્ઞાપાલનનું પગલું છે જે ક્રૂસારોપિત, દફન થયેલા, અને પાછા ઊઠેલા તારણહારમાં આસ્થાવાનના વિશ્વાસનું, તથા આસ્થાવાનના પાપનું મૃત્યુ, તેના પુરાણા જીવનનું દફન, અને ઈસુ ખ્રિસ્તમાં તેના નવીન જીવનના આરંભનું, પુનરુત્થાનનું પ્રતીક છે. મૃત્યુ પામેલાઓના અંતિમ પુનરુત્થાનમાં આસ્થાવાનના વિશ્વાસનો તે પુરાવો છે.[૧૫૦]

મોટા ભાગના બાપ્તિસ્ત માને છે કે બાપ્તિસ્મા પોતે મુક્તિ અથવા રૂપાંતરણ અભિવ્યક્ત કરતું નથી, ઊલટાનું તે તો નવા આસ્થાવાન સાથે આધ્યાત્મિક અર્થમાં જે ઘટી ચૂક્યું છે તેનું પ્રતીક માત્ર છે. તે ખરેખર "તારનાર કૃપા" વરસાવનાર અથવા મુક્તિદાતા ન ગણાતા હોવાથી, બાપ્તિસ્તો તેને એક "સંસ્કાર" ગણવાને બદલે "આજ્ઞા" ગણે છે. જેનું પાલન ઈસુ પોતાના શિષ્યો પાસેથી ઇચ્છતા હતા તે ચર્ચની એક "આજ્ઞા"- બાઈબલમાંની શિક્ષા હોવાને કારણે,[૧૦૦] ચર્ચના સભ્યપદના અને પ્રભુ સાથેના છેલ્લા ભોજન (પ્રભુભોજન માટેનો બાપ્તિસ્તોનો પસંદીદા શબ્દપ્રયોગ) મેળવવાના અધિકારો માટે તે પૂર્વ-આવશ્યકતા ગણાય છે.[૧૫૦]

વ્યક્તિની ખ્રિસ્ત અંગેની માન્યતાથી બાપ્તિસ્માને અલગ કરી શકાય તેમ નથી, કારણ કે ખ્રિસ્ત પોતે બાપ્તિસ્મા પામ્યા હતા અને પાપમાંથી છોડાવનારું તેમનું કાર્ય નિમજ્જન દ્વારા બાપ્તિસ્મામાં, તમામ આસ્થાવાનો જેને માણે છે તેવા ખ્રિસ્ત સાથેના એક નવા સંબંધ તરીકે ચિત્રિત થયેલું છે.[૧૦૦]

બાપ્તિસ્તો એવું પણ માને છે કે ઈસુ ખ્રિસ્તમાં પોતાનો વિશ્વાસ જાહેર કરવા માટે બાપ્તિસ્મા એક અગત્યનો રસ્તો છે. લાક્ષણિક રીતે, વયસ્કો, યુવાનો, અથવા મોટાં બાળકો જે ખ્રિસ્ત પ્રત્યેની વિશ્વાસની પ્રતિબદ્ધતાને સમજે છે અને પ્રભુના સાદને પ્રતિભાવ આપવા ઇચ્છે છે તે તમામ બાપ્તિસ્મા માટેના સ્વીકાર્ય ઉમેદવારો છે.[૧૦૦]

શિશુ બાપ્તિસ્મા માટેના તેમના અસ્વીકાર અંગે, વયસ્કોના અથવા આસ્થાવાનોના ચર્ચમાં બાળકો માટે કોઈ જગ્યા નથી, એમ કહીને બાપ્તિસ્તોની ટીકા કરવામાં આવે છે. નાનાં બાળકો અને શિશુઓને બાપ્તિસ્મા આપવાને બદલે, બાપ્તિસ્તો બાળકોને જાહેર ચર્ચ સેવામાં સમર્પિત કરે છે, જ્યાં માતાપિતાઓ અને ચર્ચના સદસ્યોને બાળકો સમક્ષ ઉદાહરણીય જીવન જીવવા માટે, અને તેમને પ્રભુના માર્ગો શીખવવા માટે કહેવામાં આવે છે. આ સેવામાં જળ બાપ્તિસ્માને સ્થાન નથી.[૧૦૦] તેમની ટીકાના પ્રતિભાવ આપતા બાપ્તિસ્તો કહે છે કે પ્રભુનો પ્રેમ સૌ માટે છે, અને સ્પષ્ટપણે બાળકો માટે તો ખરો જ; બાપ્તિસ્મા પોતે કોઈ સંસ્કાર નથી, અને તેથી ટીકાકારો માને છે તેમ બાળકો જેનાથી વંચિત રહી ગયા હોય તેવી કોઈ મુક્તિ તે બક્ષતો નથી; અને બાપ્તિસ્મા વિશ્વાસની કબૂલાતનું માત્ર એક બાહ્ય પ્રતીક છે, એટલે એ કબૂલાત કરવાનો સુમાહિતીગાર નિર્ણય લેવા પૂરતી વ્યક્તિ પરિપક્વ ન થાય ત્યાં સુધી તેને કરવા અર્થવિહીન છે.[૧૦૦]

ચર્ચિસ ઓફ ક્રાઈસ્ટ (ખ્રિસ્તનાં ચર્ચો)[ફેરફાર કરો]

ચર્ચિસ ઓફ ક્રાઈસ્ટ(ખ્રિસ્તનાં ચર્ચો)માં માત્ર શારીરિક પૂર્ણ નિમજ્જન દ્વારા જ બાપ્તિસ્મા આપવામાં આવે છે,[૧૧૬]:p.107[૧૧૭]:p.124 તેના આધારમાં કોઈને(Koine) ગ્રીક ક્રિયાપદ બાપ્તિઝો (baptizo) છે જેનો અર્થ ડૂબકી, નિમજ્જન, પાણીમાં ડુબાડવું અથવા બોળવું થાય છે તેમ સમજવામાં આવે છે.[૧૧૮][૧૧૯]:p.139[૧૫૧]:p.313-314[૧૫૨]:p.22[૧૫૩]:p.45-46 બાપ્તિસ્માની અન્ય પ્રચલિત પ્રથાઓ કરતાં ડૂબકી ઈસુના મૃત્યુ, દફન અને પુનરુત્થાનને વધુ નજીકથી મળતી આવે છે તેમ જોવામાં આવે છે.[૧૧૮][૧૧૯]:p.140[૧૫૧]:p.314-316 ચર્ચિસ ઓફ ક્રાઈસ્ટની દલીલ છે કે ઐતિહાસિક રીતે પહેલી સદીમાં નિમજ્જનની પ્રથા પ્રચલિત હતી, અને પાછળથી જ્યારે નિમજ્જન શક્ય નહોતું ત્યારે જલધારા અને છંટકાવ જેવી ગૌણ પ્રથાઓ ઉદ્ભવી હતી અને પ્રચલિત બની હતી.[૧૧૯]:p.140 વખત જતાં, આ ઊતરતી કોટિની પ્રથાઓએ નિમજ્જનનું સ્થાન લઈ લીધું.[૧૧૯]:p.140 માનસિક રીતે માન્યતા ધરવા અને પસ્તાવો કરવા સક્ષમ હોય તેવા લોકોને જ બાપ્તિસ્મા આપવામાં આવે છે (એટલે કે, શિશુ બાપ્તિસ્મા આપવામાં આવતા નથી કારણ કે નવા કરારમાં તેના માટે કોઈ દાખલો કે પૂર્વાધાર નથી).[૧૧૭]:p.124[૧૧૮][૧૫૧]:p.318-319[૧૫૪]:p.195

ધર્માન્તર માટેના આવશ્યક ભાગ રૂપે નિમજ્જન થકી બાપ્તિસ્માની સમજણ સાથે, પુનઃસ્થાપના અભિયાન(Restoration Movement)ની વિવિધ શાખાઓમાં ચર્ચિસ ઓફ ક્રાઈસ્ટ બાપ્તિસ્મા અંગે ઐતિહાસિક રીતે સૌથી સંકુચિત સ્થાન ધરાવતા હતા.[૧૨૪]:p.61 બાપ્તિસ્માની વૈધતા માટે કઈ હદ સુધી બાપ્તિસ્માની ભૂમિકા અંગેની સાચી સમજણ અનિવાર્ય છે તે અંગેના મતભેદ સૌથી નોંધપાત્ર હતા. [૧૨૪]:p.61 ડૅવિડ લિપ્સકોમ્બે ભારપૂર્વક કહ્યું હતું કે જો ઈશ્વરની આજ્ઞા ઉઠાવવાની ઇચ્છાથી આસ્થાવાને બાપ્તિસ્મા લીધા હોય, તો એ બાપ્તિસ્મા વૈધ ગણાય, પછી ભલે મુક્તિમાં બાપ્તિસ્મા જે ભાગ ભજવે છે તેની પૂરેપૂરી સમજણ વ્યક્તિ ન પણ ધરાવતી હોય.[૧૨૪]:p.61 ઓસ્ટિન મૅકગૅરી દલીલ કરે છે કે વૈધ ગણવા માટે, ધર્માન્તર કરનારી વ્યક્તિએ એ સમજવું પણ જરૂરી છે કે બાપ્તિસ્મા પાપોની ક્ષમા માટે છે.[૧૨૪]:p.62 20મી સદીની શરૂઆતમાં મૅકગૅરીનો દૃષ્ટિકોણ પ્રચલિત બન્યો, પણ લિપ્સકોમ્બ જે અભિગમની હિમાયત કરતા હતા તે ક્યારેય સંપૂર્ણપણે અદૃશ્ય થયો નહીં.[૧૨૪]:p.62 તાજેતરમાં જ, ઈન્ટરનેશનલ ચર્ચિસ ઓફ ક્રાઈસ્ટ(ખ્રિસ્તનાં આંતરરાષ્ટ્રીય ચર્ચો)ના ઉદય સાથે (જે તેમના અભિયાનમાં જોડાનાર કોઈ પણ વ્યક્તિને પુનઃબાપ્તિસ્મા આપવાનો આગ્રહ રાખે છે) કેટલાક આ બાબતનું પુનઃપરીક્ષણ કરવા પ્રેરાયા છે.[૧૨૪]:p.66

ચર્ચિસ ઓફ ક્રાઈસ્ટ અવિરતપણે શીખવે છે કે બાપ્તિસ્મામાં એક આસ્થાવાન તેના જીવનને પ્રભુ પ્રતિના વિશ્વાસમાં અને આજ્ઞાંકિતતામાં સમર્પિત કરે છે, અને પ્રભુ "ખ્રિસ્તના રક્તની પવિત્રતાથી, વ્યક્તિને પાપમાંથી સ્વચ્છ કરે છે અને ખરેખર વ્યક્તિની અવસ્થાને બદલીને તેને એક અજાણી વ્યક્તિમાંથી પ્રભુના સામ્રાજ્યની નાગરિક બનાવે છે. બાપ્તિસ્મા એ માણસનું કામ નથી; એ એક એવી જગ્યા છે જ્યાં જે પ્રભુ જ કરી શકે એવું કામ પ્રભુ કરે છે." [૧૨૪]:p.66 આમ, તેઓ બાપ્તિસ્માને એક સરાહનીય કાર્ય તરીકે જોવા કરતાં તેને વિશ્વાસનું શાંત કાર્ય માને છે; તે "માણસ પાસે પ્રભુને ધરવા માટે કશું જ નથી તેની કબૂલાત છે."[૧૨૫]:p.112 ભલે ચર્ચિસ ઓફ ક્રાઈસ્ટ બાપ્તિસ્માનું એક "સંસ્કાર" તરીકે વિવરણ ન કરતા હોય, પણ તેના માટેના તેમના દૃષ્ટિકોણ પરથી તેને યોગ્ય રીતે "સંસ્કારત્મક" કહી શકાય તેમ છે.[૧૨૪]:p.66[૧૫૨]:p.186 તેઓ એ રીતે જુએ છે કે બાપ્તિસ્માની શક્તિ, પાણી અથવા તે ક્રિયામાંથી આવતી હોવાને બદલે, પ્રભુ પાસેથી આવે છે, જેમણે બાપ્તિસ્માને એક વાહન તરીકે પસંદ કર્યું છે,[૧૫૨]:p.186 અને તેઓ બાપ્તિસ્માને ધર્માન્તરણના માત્ર પ્રતીક તરીકે જ નહીં, પણ એ પ્રક્રિયાના અભિન્ન અંગ તરીકે સમજે છે.[૧૫૨]:p.184 તાજેતરનો પ્રવાહ બાપ્તિસ્માના રૂપાંતરાત્મક પાસા પર ભાર મૂકે છેઃ તેને ભૂતકાળમાં જે કશુંક ઘટી ચૂક્યું છે તેની નિશાની અથવા માત્ર એક કાયદાકીય જરૂરિયાત તરીકે વર્ણવવાને બદલે, તેને "એવી ઘટના તરીકે જોવામાં આવે છે જે આસ્થાવાનને 'ખ્રિસ્તમાં' મૂકે છે જ્યાં પછી ઈશ્વર, ચાલુ રૂપાંતરણના કાર્યને આગળ વધારે છે."[૧૨૪]:p.66 એક લઘુમતી એવી પણ છે જે સાંપ્રદાયિક વલણ ટાળવા માટે બાપ્તિસ્માના મહત્ત્વને ઓછું આંકે છે, પણ બૃહ્ત પ્રવાહ તો "બાપ્તિસ્મા અંગેના બાઈબલના ઉપદેશોની વિપુલતાનું પુનઃપરીક્ષણ કરવાનો અને ખ્રિસ્તી ધર્મમાં તેનું મધ્યસ્થ અને મહત્ત્વના સ્થાને પુનઃસ્થાપન" કરવાનો છે.[૧૨૪]:p.66

બાપ્તિસ્મા મુક્તિ મેળવવા માટે આવશ્યક છે એવી માન્યતા હોવાને કારણે, ચર્ચિસ ઓફ ક્રાઈસ્ટ બાપ્તિસ્માથી પુનર્જીવનની માન્યતાને પુષ્ટિ આપે છે, એમ કેટલાક બાપ્તિસ્તોનું કહેવું હતું.[૧૫૫] જો કે, ચર્ચિસ ઓફ ક્રાઈસ્ટના સદસ્યોએ આને રદિયો આપતા દલીલ કરી હતી કે, કારણ કે વિશ્વાસ અને પસ્તાવો આવશ્યક છે, અને પ્રભુની કૃપાથી ખ્રિસ્તના રક્ત દ્વારા પાપો ધોવાનું આવશ્યક છે, તેથી બાપ્તિસ્મા મૂળભૂત રીતે મુક્તિદાતા કર્મકાંડ નથી.[૧૧૯]:p.133[૧૫૫][૧૫૬]:p.630,631 ઊલટાનું, તેમનું વલણ બાઈબલના એ પરિચ્છેદ તરફ ધ્યાન દોરવાનું છે જેમાં પીટર, બાપ્તિસ્માને નોઆહના પૂરની ઉપમા આપે છે, પૂર્વગૃહીત સિદ્ધાંત રૂપે કહે છે, "એ જ રીતે હવે બાપ્તિસ્મા આપણને બચાવશે" પણ કૌંસમાં સ્પષ્ટતા કરે છે કે બાપ્તિસ્મા એ "દેહના ગંદવાડને બાજુ પર મૂકી દેવાની બાબત નથી પણ તે પ્રભુ પ્રત્યેના સારા અંતઃકરણનો પ્રતિભાવ છે" (1 પીટર 3:21).[૧૫૭] ચર્ચિસ ઓફ ક્રાઈસ્ટમાંથી એક લેખકે વિશ્વાસ અને બાપ્તિસ્મા વચ્ચેના સંબંધને આ રીતે વર્ણવ્યો હતો, "વ્યક્તિ શા માટે પ્રભુનું સંતાન છે તેનું કારણ તે વિશ્વાસ છે; બાપ્તિસ્માસમય છે જેમાં વ્યક્તિ ખ્રિસ્તમાં ભળે છે અને તેથી પ્રભુનું સંતાન બને છે" (ત્રાંસા અક્ષરો સ્રોત મુજબ છે).[૧૫૪]:p.170 બાપ્તિસ્માને, મુક્તિ મેળવી આપતા "કાર્ય" કરતાં,[૧૫૪]:p.170 વિશ્વાસ અને પસ્તાવાની કબૂલાતસભર અભિવ્યક્તિ તરીકે સમજવામાં આવે છે.[૧૫૪]:p.179-182

સુધરેલ અને કરાર (Covenant) ધર્મશાસ્ત્રનો દૃષ્ટિકોણ[ફેરફાર કરો]

બાળબાપ્તિસ્ત કરાર ધર્મશાસ્ત્રીઓ નવા કરાર સહિતના, બાઈબલના તમામ કરારોની વ્યવસ્થાને કૌટુંબિક, સંસ્થાગત સમાવેશ અથવા "પેઢી દર પેઢી ઉત્તરાધિકાર"ના સિદ્ધાંત રૂપે જુએ છે. પ્રભુ અને માણસ વચ્ચે થયેલા બાઈબલના કરારોમાં એવાં ચિહ્નો અને છાપો સમાવિષ્ટ છે જે કરારો પાછળ રહેલાં તથ્યોને દૃશ્યમાન રીતે રજૂ કરતાં હોય. પ્રભુના કરાર વળતરના આ દૃશ્યમાન ચિહ્નો અને પ્રતીકોને વિશિષ્ટ રૂપે વ્યક્તિત્વવાદી રીતે નહીં પણ, સંગઠિત રીતે (ઉદાહરણ તરીકે, ઘરોને) પ્રદાન કરવામાં આવે છે.

રિફોર્મ્ડ (સુધરેલ) ચર્ચો બાપ્તિસ્માને નવા કરારમાં પ્રવેશના દૃશ્યમાન સંકેત તરીકે માને છે અને તેથી વિશ્વાસની જાહેર કબૂલાત કરતા નવા આસ્થાવાનોને તે વ્યક્તિગત રીતે આપવામાં આવે છે. બાળબાપ્તિસ્તો (પીડિયોબાપ્તિસ્તો) તેથી પણ આગળ જઈને એમ માને છે કે આનો વિસ્તાર સામુદાયિક રીતે આસ્થાવાનનાં ગૃહો સુધી થાય છે જેમાં લાક્ષણિક રીતે બાળકોનો સમાવેશ થશે, અથવા વ્યક્તિગત ધોરણે આસ્થાવાન માતાપિતાના બાળકો કે શિશુઓ સુધી તેનો વિસ્તાર થાય છે (જુઓ શિશુ બાપ્તિસ્મા). આમ, આ દૃષ્ટિકોણથી, બાપ્તિસ્માને અબ્રાહમના સુન્નતના ધાર્મિક વિધિના કાર્યની અવેજી તરીકે અને તેના સંસ્કારાત્મક સમકક્ષ તરીકે જોવામાં આવ્યો છે અને બાકીની બાબતો ઉપરાંત, તે પાપમાંથી આંતરિક શુદ્ધતાનું પણ પ્રતીક બને છે.

કૅથોલિક[ફેરફાર કરો]

કૅથોલિક બોધોમાં, બાપ્તિસ્માને સામાન્ય રીતે મુક્તિ માટે આવશ્યક માનવામાં આવે છે.[૧૫૮] આ બોધના મૂળિયાં છેક પહેલી સદીના ખ્રિસ્તીઓના બોધ અને પ્રથાઓ સુધી પહોંચે છે, અને જ્યાં સુધી બાપ્તિસ્માને માત્ર ખ્રિસ્તી સમુદાયમાં પ્રવેશની મંજૂરી આપતા ચિહ્ન તરીકે જ જોતા હલ્ડ્રીચ ઝ્વિંગલિએ બાપ્તિસ્માની અનિવાર્યતાનો ઇનકાર નહોતો કર્યો ત્યાં સુધી, મુક્તિ અને બાપ્તિસ્મા વચ્ચેનું જોડાણ, એકંદરે, મુખ્ય તકરારનો મુદ્દો નહોતું.[૧૫] કૅથોલિક ચર્ચના કૅટિકિઝમ(ધર્મ સંબંધી પ્રશ્નોત્તરીનું પુસ્તક)માં લખ્યું છે કે "મુક્તિ માટે બાપ્તિસ્મા એ લોકો માટે અનિવાર્ય છે, જે લોકો માટે સુવાર્તાઓ જાહેર કરવામાં આવી હતી અને જે લોકો આ સંસ્કાર માગી શકે તેવી શક્યતા ધરાવતા હતા."[૧૬] તદાનુસાર, જે વ્યક્તિ જાણીકરીને, સ્વેચ્છાએ અને કશા જ પશ્ચાતાપ વિના બાપ્તિસ્માને નકારે છે તેની મુક્તિ માટે કોઈ આશા નથી. યોહાન અનુસાર આ બોધ સુવાર્તામાંના ઈસુના શબ્દો પર આધારિત છેઃ "સાચેસાચ, ખરે જ, હું તમને કહું છું કે, જ્યાં સુધી વ્યક્તિ જળ અને આત્મામાંથી જન્મ નથી પામતી, ત્યાં સુધી તે પ્રભુના રાજ્યમાં પ્રવેશી શકતી નથી."[Jn 3:5]

કૅથોલિકો પિતાના, પુત્રના, અને પવિત્ર આત્મા[૧૫૯]ના નામમાં (એકવચન)- ત્રણ ઈશ્વરો નહીં, પણ ત્રણ વ્યક્તિઓમાં જીવતા એક ઈશ્વરના નામમાં- પાણીમાં ડૂબકી, નિમજ્જન અથવા જલધારા દ્વારા બાપ્તિસ્મા પામે છે. એક જ દૈવી તત્ત્વ ધરાવતા હોવા છતાં, પિતા, પુત્ર અને પવિત્ર આત્મા અલગ અલગ છે, એક જ ઈશ્વરનાં ત્રણ "મહોરાં" માત્ર અથવા અવતાર નથી. એક ઈશ્વરના આ ત્રણ "વ્યક્તિઓ" સાથેના સંબંધ પર ચર્ચનો અને ખ્રિસ્તી વ્યક્તિનો વિશ્વાસ આધારિત છે. વયસ્કોના ખ્રિસ્તી દીક્ષા વિધિ થકી વયસ્કો પણ બાપ્તિસ્મા મેળવી શકે છે.

એવો દાવો કરવામાં આવે છે કે પોપ સ્ટીફન પ્રથમ, સંત અમ્બ્રોસે અને પોપ નિકોલસ પ્રથમે ઘોષિત કર્યું હતું કે માત્ર "ઈસુ"ના નામમાં તેમ જ "પિતા, પુત્ર અને પવિત્ર આત્મા"ના નામમાં અપાતા બાપ્તિસ્મા વૈધ હતા. તેમના શબ્દોના સાચા અર્થઘટન અંગે મતમતાંતર છે.[૯૧] વર્તમાન સ્વીકૃત ખ્રિસ્તી ધર્મશાસ્ત્રના કાયદામાં વૈધતા માટે ત્રયી સૂત્ર અને પાણી આવશ્યકતા રહે છે.[૧૫૮]

ચર્ચ, જળ બાપ્તિસ્માના બે સમકક્ષોને માન્યતા આપે છેઃ "રક્ત થકી બાપ્તિસ્મા" અને "ઇચ્છા થકી બાપ્તિસ્મા". જે લોકો બાપ્તિસ્મા પામ્યા વિના તેમના વિશ્વાસ માટે શહીદી વહોરે છે તે રક્ત થકી બાપ્તિસ્મા પામ્યા કહેવાય છે, જ્યારે ઇચ્છા થકી બાપ્તિસ્મા સામાન્ય રીતે એ ધર્મશિક્ષણ લેતાં લોકો(કૅટિક્યુમૅન)ને લાગુ પડે છે જેઓ બાપ્તિસ્મા પામી શકે તે પહેલાં મૃત્યુ પામે છે. કૅથોલિક ચર્ચનું કૅટિકિઝમ(ધર્મ સંબંધી પ્રશ્નોત્તરીનું પુસ્તક) આ બે રૂપને વર્ણવે છેઃ

ચર્ચની હંમેશાં એવી દૃઢ પ્રતીતિ રહી છે કે જે લોકો પોતાના વિશ્વાસને કાજે બાપ્તિસ્મા પામ્યા વિના મૃત્યુ વહોરે છે તેઓ ખ્રિસ્ત માટે અને ખ્રિસ્ત સાથે તેમના મૃત્યુ વડે બાપ્તિસ્મા પામે છે. આ પ્રકારનો રક્ત થકી બાપ્તિસ્મા , ઇચ્છા થકી બાપ્તિસ્માની જેમ, સંસ્કારવિધિ વિના પણ બાપ્તિસ્માનાં ફળો આપે છે. (1258)

ધર્મનું શિક્ષણ લેનારા જે લોકો (catechumens) તેમના બાપ્તિસ્મા પામતાં પહેલાં મૃત્યુ પામે છે, તેમની તે મેળવવાની સુસ્પષ્ટ ઇચ્છા, અને તેની સાથે પોતાનાં પાપો માટેનો પશ્ચાતાપ, અને પરોપકાર, તેમના માટે એવી મુક્તિની ખાતરી આપે છે જે તેઓ આ સંસ્કારવિધિ દ્વારા ન પામી શક્યા હોત. (1259)

કૅથોલિક ચર્ચ માને છે કે જે બિન-ખ્રિસ્તીઓ નિષ્ઠાવાન હૃદયથી પ્રભુને ઇચ્છે છે અને, અને તેની કૃપા અનુસાર ચાલે છે, પોતાના અંતરાત્માની પ્રેરણાના માધ્યમથી ઈશ્વરની ઇચ્છાને જાણે છે અને તેને કરવાનો પ્રયાસ કરે છે તેમને પણ જળ-બાપ્તિસ્મા વિના બચાવી શકાશે કારણ કે તેઓ તેને અંતર્નિહિતપણે ઇચ્છતાં હોય છે તેમ કહેવાય છે.[૧૬૦] બાપ્તિસ્મા ન પામ્યા હોય તેવા શિશુઓના કિસ્સામાં, ચર્ચ તેમની નિયતિ માટે અનિશ્ચિત છે; "ચર્ચ તેમને માત્ર પ્રભુની દયાના ભરોસે છોડી શકે તેમ છે." (કૅટિકિઝમ, 1261).

યહોવાના સાક્ષીઓ[ફેરફાર કરો]

યહોવાના સાક્ષીઓ માને છે કે જ્યારે વ્યક્તિ બાપ્તિસ્માના મહત્ત્વને સમજી શકે તેટલી મોટી થાય ત્યારે જ, સંપૂર્ણ નિમજ્જન (પાણીમાં ડુબાડીને) દ્વારા જ બાપ્તિસ્મા અપાવા જોઈએ. તેમનું માનવું છે કે જળ બાપ્તિસ્મા એ વ્યક્તિએ ઈસુ ખ્રિસ્ત થકી પ્રભુની ઇચ્છાનું પાલન કરવા બિનશરતી સમર્પણ કર્યું હોવાનું બાહ્ય પ્રતીક છે. તેઓ બાપ્તિસ્માને મંત્રી તરીકે અપાતી પાદરીની દીક્ષા વિધિ માને છે.[૧૬૧]

બાપ્તિસ્મા ઝંખતા ભાવિ ઉમેદવારોએ આયોજિત બાપ્તિસ્મા કાર્યક્રમ પહેલાં સારી એવી અગાઉથી તેમની બાપ્તિસ્મા લેવાની ઇચ્છા પ્રદર્શિત કરવી આવશ્યક છે, જેથી ધર્મસભાના વડીલો તેમની યોગ્યતાને આંકી શકે.[૧૬૨] જો ઉમેદવારો આ ધર્મના સદસ્યો પાસેથી શું અપેક્ષિત છે તે અંગે સમજણ ધરાવતા તથા પંથ પ્રતિ સહૃદય સમર્પણ નિદર્શિત કરતા જણાય તો વડીલો બાપ્તિસ્મા માટે તે ઉમેદવારોને માન્યતા આપે છે.[૧૬૩]

યહોવાના સાક્ષીઓમાં મોટા ભાગના બાપ્તિસ્મા, વડીલો અને મંત્રીઓના સેવકો દ્વારા નિયોજિત સભાઓ અને સંમેલનોમાં આપવામાં આવે છે[૧૬૪][૧૬૫][૧૬૬] અને ભાગ્યે જ ક્યારેક તે સ્થાનિક રાજભવનોમાં કરવામાં આવે છે.[૧૪૬] બાપ્તિસ્મા પહેલાં, બાપ્તિસ્મા-પૂર્વેના વાર્તાલાપના અંતે, ઉમેદવારે બે પ્રશ્નોના જવાબનો દૃઢપણે એકરાર કરવો રહે છેઃ[૧૬૭]

  1. On the basis of the sacrifice of Jesus Christ, have you repented of your sins and dedicated yourself to Jehovah to do his will?
  2. Do you understand that your dedication and baptism identify you as one of Jehovah's Witnesses in association with God's spirit-directed organization?

માત્ર બાપ્તિસ્મા પામેલા પુરુષો જ નવા સદસ્યોને બાપ્તિસ્મા આપી શકે છે. બાપ્તિસ્મા-દાતા અને ઉમેદવાર તરણપોશાક અથવા બાપ્તિસ્મા માટે અન્ય કોઈ અનૌપચારિક પોશાક પહેરે છે, પણ તેમને અણછાજતા અથવા અંગપ્રદર્શક વસ્ત્રો ટાળવાની સૂચના આપવામાં આવી હોય છે.[૧૬૮][૧૬૯][૧૭૦] સામાન્ય રીતે,એક જ બાપ્તિસ્મા-દાતા દ્વારા ઉમેદવારોને વ્યક્તિગત ધોરણે નિમજ્જન આપવામાં આવે છે,[૧૭૧] સિવાય કે ઉમેદવાર શારીરિક અક્ષમતા જેવા કોઈ વિશેષ સંજોગો ધરાવતા હોય.[૧૭૨] લાંબી મુદ્દત માટેની એકલતાના સંજોગોમાં, યોગ્યતાપ્રાપ્ત ઉમેદવારના સમર્પણ અને બાપ્તિસ્મા પામવાના વ્યક્ત ઇરાદાને ધ્યાનમાં લઈને તેને યહોવાના સાક્ષીઓના સભ્ય તરીકે સ્વીકારવામાં આવી શકે છે, પછી ભલે નિમજ્જનની ક્રિયા વિલંબિત થાય.[૧૭૩] કેટલાક વિરલ કિસ્સાઓમાં, બાપ્તિસ્મા ન પામ્યા હોય પણ આવો ઇરાદો વ્યક્ત કર્યો હતો તેવા પુરુષોએ એકબીજાને અરસપરસ બાપ્તિસ્મા આપ્યા હતા, જેમાં બંને બાપ્તિસ્માને વૈધ તરીકે સ્વીકારવામાં આવ્યા હતા.[૧૭૪] 1930ના અને 1940ના દાયકામાં મહિલા સાક્ષીઓ દ્વારા બાપ્તિસ્મા પામેલી વ્યક્તિઓને, જેમ કે કૉન્સેન્ટ્રેશન કૅમ્પોમાં, પાછળથી પુનઃબાપ્તિસ્મા આપવામાં આવ્યો હતો પણ તેમાં તેમના બાપ્તિસ્માની પહેલાંની તારીખોને સ્વીકારવામાં આવી હતી.[૧૪૬]

મૉર્મનવાદ[ફેરફાર કરો]

મોર્મન બાપ્તિસ્મા, આશરે 1850નો દાયકો

મૉર્મનવાદમાં, બાપ્તિસ્માનો મુખ્ય હેતુ સહભાગીનાં પાપો માટે માફી બક્ષવાનો છે. તેના પછી પુષ્ટિકરણ કરવામાં આવે છે, જે વ્યક્તિને ચર્ચનું સભ્યપદ આપે છે અને પવિત્ર આત્મા સાથે બાપ્તિસ્મા રચે છે. બાપ્તિસ્મા પૂર્ણ નિમજ્જન દ્વારા, અને ચોક્કસ નિર્ધારિત ધાર્મિક વિધિ મુજબ જ થવા જોઈએ એમ અર્વાચીન સંતો (લેટર-ડે સેઈન્ટ્સ) માને છેઃ જો સહભાગીનો કોઈ હિસ્સો સંપૂર્ણ રીતે નિમજ્જિત ન થયો હોય, અથવા ધાર્મિક વિધિનું પઠન અક્ષરશઃ ન કરવામાં આવ્યું હોય, તો આ ધાર્મિક વિધિવિધાનને ફરીથી કરવા જોઈએ.[૧૭૫] તે લાક્ષણિક ઢબે બાપ્તિસ્મા કુંડમાં જ કરવામાં આવે છે. ઉપરાંતમાં, જો બાપ્તિસ્મા અર્વાચીન સંત પ્રિસ્ટ (પાદરી) અથવા વડીલ દ્વારા ન આપવામાં હોય તો અર્વાચીન સંતો તેને વૈધ ગણતા નથી.[૧૭૬] પ્રેરિતો(સંદેશાવાહક) સંબંધી ઉત્તરાધિકારના સ્વરૂપે અધિકારને નીચેની તરફ સોંપવામાં આવે છે. આ સંપ્રદાયમાં ધર્માન્તરણ કરીને આવતી તમામ વ્યક્તિઓને બાપ્તિસ્મા અથવા પુનઃબાપ્તિસ્મા આપવો આવશ્યક છે. બાપ્તિસ્માને બંનેના, ઈસુના મૃત્યુ, દફન અને પુનરુત્થાનના પ્રતીક તરીકે અને બાપ્તિસ્મા પામતી વ્યક્તિના તેના "કુદરતી" સ્વને કાઢી નાખવાના અને ઈસુના અનુયાયી તરીકેની નવી ઓળખને ગ્રહણ કરવાના પ્રતીક તરીકે જોવામાં આવે છે.

અર્વાચીન સંતોના ધર્મશાસ્ત્ર પ્રમાણે, વિશ્વાસ અને પસ્તાવો એ બાપ્તિસ્મા માટેની પૂર્વ-આવશ્યકતાઓ છે. આ કર્મકાંડ સહભાગીના મૂળ પાપને શુદ્ધ કરતો નથી, કારણ કે અર્વાચીન સંતો મૂળ પાપના સિદ્ધાંતમાં માનતા નથી. મૉર્મનવાદ શિશુ બાપ્તિસ્માનો અસ્વીકાર કરે છે[૧૭૭] અને બાપ્તિસ્મા "ઉત્તરદાયિત્વની વય" પછી જ થવો જોઈએ, જે અર્વાચીન સંતના પવિત્ર ધર્મગ્રંથમાં આઠ વર્ષની નિશ્ચિત કરવામાં આવી છે.[૧૭૮]

અર્વાચીન સંતોનું ધર્મશાસ્ત્ર મૃતકોના બાપ્તિસ્માને પણ સંમતિ આપે છે જેમાં તેમના સ્થાને જીવિત વ્યક્તિઓ દ્વારા મૃત પૂર્વજોને બાપ્તિસ્મા આપવામાં આવે છે, અને એમ માનવામાં આવે છે કે તેમની પ્રથા પૉલે 1 Corinthians 15:29માં જે લખ્યું છે તે જ છે. આ સામાન્ય રીતે અર્વાચીન સંતનાં દેવળોમાં કરવામાં આવે છે.[૧૭૯]

જળ બાપ્તિસ્માનો વિરોધ[ફેરફાર કરો]

ક્વેકરો[ફેરફાર કરો]

ક્વેકરો (રિલિજીયસ સોસાયટી ઓફ ફ્રેન્ડ્ઝના સદસ્યો) તેમના ધાર્મિક જીવનમાંથી બાહ્ય સંસ્કારોનાં તમામ સ્વરૂપોનો અસ્વીકાર કરીને, બાળકો અથવા વયસ્કો, એમ બંનેમાંથી એક પણના, પાણી દ્વારા થતા બાપ્તિસ્મામાં માનતા નથી. રોબર્ટ બાર્ક્લેની અપોલોજી ફોર ધ ટ્રૂ ક્રિશ્ચિયન ડિવિનિટી (ક્વેકર ધર્મશાસ્ત્રની 17મી સદીની ઐતિહાસિક સ્પષ્ટતા), જળ સાથે બાપ્તિસ્મા સામેના ક્વેકરોના વિરોધને આ રીતે સમજાવે છેઃ

"I indeed baptize you with water unto repentance; but he that cometh after me is mightier than I, whose shoes I am not worthy to bear; he shall baptize you with the Holy Ghost and with fire".

[Mt 3:11] Here John mentions two manners of baptizings and two different baptisms, the one with water, and the other with the Spirit, the one whereof he was the minister of, the other whereof Christ was the minister of: and such as were baptized with the first were not therefore baptized with the second: "I indeed baptize you, but he shall baptize you." Though in the present time they were baptized with the baptism of water, yet they were not as yet, but were to be, baptized with the baptism of Christ.
— Robert Barclay, 1678

[૧૮૦]

બાર્ક્લેની દલીલ હતી કે જળ બાપ્તિસ્મા એવું કંઈક છે જે ખ્રિસ્તના સમય સુધી થતું હતું, પણ હવે, લોકો અંદરથી ખ્રિસ્તના આત્મા દ્વારા બાપ્તિસ્મા પામે છે, અને તેથી જળ બાપ્તિસ્માના બાહ્ય સંસ્કારની કોઈ જરૂરિયાત નથી, જે ક્વેકરોની દલીલ પ્રમાણે અર્થવિહીન છે.

મુક્તિફોજ[ફેરફાર કરો]

મુક્તિફોજ જળ બાપ્તિસ્માની, અથવા અન્ય કોઈ પણ બાહ્ય સંસ્કારોની પ્રથા પાળતી નથી. મુક્તિફોજના સંસ્થાપક, વિલિયમ બૂથ અને કૅથેરાઈન બૂથ, માનતાં હતાં કે કેટલાય ખ્રિસ્તીઓ પ્રભુની કૃપા પર આધાર રાખવા કરતાં વધુ આધ્યાત્મિક કૃપાનાં બાહ્ય ચિહ્નો પર આધાર રાખવા માંડ્યા હતા, જ્યારે ખરેખર તેમની માન્યતા અનુસાર જે અગત્યનું હતું તે તો ખુદ આધ્યાત્મિક કૃપા હતી. અલબત્ત, ભલે મુક્તિફોજ બાપ્તિસ્માની પ્રથા પાળતી નથી, પણ તે અન્ય ખ્રિસ્તી સંપ્રદાયોમાંના બાપ્તિસ્માની વિરોધી નથી.[૧૮૧]

અતિવહેંચણીવાદ (Hyperdispensationalism)[ફેરફાર કરો]

એવા કેટલાક ખ્રિસ્તીઓ છે જેઓ એટલી હદે અતિવહેંચણીવાદ(dispensationalism)ને માને છે કે તેઓ માત્ર પૉલના ધર્મપત્રને આજના ચર્ચ માટે ઉપયુક્ત તરીકે સ્વીકારે છે.ઢાંચો:POV-statement પરિણામે, તેઓ બાપ્તિસ્મા અથવા પ્રભુનું છેલ્લું ભોજનને સ્વીકારતા નથી, કારણ કે પ્રિઝન ઈપિસ્ટલ્સ(Prison Epistles)માં તે જોવા મળતાં નથી. તેઓ એવું પણ શીખવે છે કે પીટરનો સુવાર્તા સંદેશો પૉલના સંદેશા જેવો જ નહોતો.[૧૮૨] અતિવહેંચણીવાદીઓ દૃઢતાપૂર્વક માને છેઃ

  • મહાન આયોગ(ગ્રેટ કમિશન)[Matthew 28:18-20] અને તેના બાપ્તિસ્મા પૂર્વકાલીન યહૂદી આસ્થાવાનો માટે હતા, અધિનિયમોના ગાળામાંના અથવા તે પછીના યહૂદીતર આસ્થાવાનો માટે નહીં.
  • Acts 2:36-38નો બાપ્તિસ્મા એ મસીહાના મૃત્યુમાં ભાગીદારી નોંધાવ્યા માટે પસ્તાવો કરવા પીટરે ઈઝરાયેલને કરેલું આહ્વાન હતું; પાપ માટેના પ્રાયશ્ચિતની ગોસ્પલની જાહેરાત તરીકે નહીં, જે પૉલ દ્વારા પાછળથી રહસ્યોદ્ઘાટિત સિદ્ધાંત છે.

આ દૃષ્ટિકોણ અનુસાર, બુક ઓફ એક્ટ્સમાં શરૂઆતમાં મળતા જળ બાપ્તિસ્માનું સ્થાન, હવે યોહાન બાપ્તિસ્તે ભાખેલા બાપ્તિસ્મા[1 Cor 12:13]એ લઈ લીધું છે.[૧૮૩] આજ માટે જે બાપ્તિસ્મા પર ભાર મૂકવામાં આવ્યો છે, તે "પવિત્ર આત્માનો બાપ્તિસ્મા" છે. [Ac 11:15-16] જો કે, નંપુસક[Ac 8:36] અને કોર્નીલિયસ[10:47-48]ના ઘરના માણસોના બાપ્તિસ્મા સ્પષ્ટપણે પાણીમાં થયા હતા એવા ઉપલબ્ધ લખાણો અને હકીકતો અનુસાર, આ, "આત્મા" બાપ્તિસ્મા, અસંભવિત છે. આગળના પુરાવા મનુષ્ય દ્વારા કરાયેલા મહાન આયોગ (ગ્રેટ કમિશન) તરફ ધ્યાન દોરે છે, જે આ વિશ્વના અંત સુધી ટકવાનું છે.[Mt 28:19-20] તેથી, સંદર્ભ અનુસાર, ઈફેસિયનો(Ephesians) જે બાપ્તિસ્મામાંથી પસાર થયા તે જળ દ્વારા હતો.[૧૮૪] એ જ રીતે, બુક ઓફ એક્ટ્સમાં ચુનંદી વ્યક્તિઓને પવિત્ર આત્માનો બાપ્તિસ્મા અપાયાની નોંધણી માત્ર બે વખત છે.[Ac 2:1-4] [10:44-46] અંતે, એવી દલીલ કરવામાં આવે છે કે પવિત્ર આત્મા અને અગ્નિ સાથે બાપ્તિસ્મા આપવાની શક્તિ માત્ર ઈસુ પાસે જ છે, જે કોઈ પણ નશ્વર તે ક્યારેય કરી શકે તે બાબતનો છેદ ઉડાડી દે છે.[Mt 3:11] [Lk 3:16]

યોહાને પ્રત્યુત્તર આપતાં બધાને કહ્યું, "હું તો ખરું જોતાં, તમને જળથી બાપ્તિસ્મા આપું છું; પણ મારાથી વધુ શક્તિશાળી એવો એક આવી રહ્યો છે, જેના જૂતાંની વાધરી ખોલવા પૂરતો પણ હું લાયક નથી. તે તમને પવિત્ર આત્મા અને અગ્નિથી બાપ્તિસ્મા આપશે"[Lk 3:16].

અગ્નિ દ્વારા વિશ્વના વિનાશનો સંદર્ભ આપીને, જૂથમાંના ઘણા એવી પણ દલીલ કરે છે કે યોહાનના વચન અનુસારના અગ્નિ થકી બાપ્તિસ્મા હજી બાકી છે.[૧૮૫]

યોહાન, તેમણે કહ્યું તે પ્રમાણે "જળ સાથે બાપ્તિસ્મા આપતા હતા", તે પ્રમાણે પ્રારંભના, યહૂદી ખ્રિસ્તી ચર્ચને ઈસુના શિષ્યોએ બાપ્તિસ્મા આપ્યા હતા. ઈસુએ ક્યારેય જાતે પાણી દ્વારા બાપ્તિસ્મા આપ્યા નહોતા, પણ તેમણે તેમના શિષ્યો થકી તેમ કર્યું હતું.[Jn 4:1-2] ઈસુના પ્રથમ પ્રેરિત(ધર્મપ્રચારક), પૉલ, કરતાં તેમના યહૂદીતર ખ્રિસ્તીઓ પાસે મોકલવામાં આવેલા પ્રેરિત(ધર્મપ્રચારક)ને બાપ્તિસ્મા આપવા કરતાં ઉપદેશ આપવા માટે મોકલવામાં આવ્યો હતો[1 Co 1:17] પણ તે ક્યારેક ક્યારેક, તેમની રીત મુજબ જ, બાપ્તિસ્મા આપતો હતો, દાખલા તરીકે કોરિન્થ[1:14-16]માં અને ફિલિપ્પી[Ac 16:13]માં.cf.[Mt 28:19] તેણે બાપ્તિસ્મામાં ડૂબકીના આધ્યાત્મિક મહત્ત્વ વિશે અને એમ કરીને કેવી રીતે વ્યક્તિ ખ્રિસ્તના મૃત્યુ માટે પ્રાયશ્ચિત કરી શકે છે તે પણ શીખવ્યું હતું.[Rom 6:4]

અન્ય અતિવહેંચણીવાદીઓ માને છે કે બાપ્તિસ્માની આવશ્યકતા, ખ્રિસ્તના સ્વર્ગારોહણ અને અધિનિયમો-મધ્યેના, વચ્ચેના માત્ર એક ટૂંકા ગાળા માટે જ હતી. મહાન આયોગ(ગ્રેટ કમિશન) [Mt 28:18-20] અને તેના બાપ્તિસ્મા પૂર્વકાલીન યહૂદી આસ્થાવાનો પ્રતિ નિદેશિત હતા, અધિનિયમોના ગાળામાંના અથવા તે પછીના યહૂદીતર આસ્થાવાનો પ્રતિ નહીં. વિશ્વાસ રાખતો કોઈ પણ યહૂદી જ્યાં સુધી તે બાપ્તિસ્મા નહીં પામતો ત્યાં સુધી મુક્તિ[Mk 16:16] [1 Pe 3:21] અથવા પવિત્ર આત્મા[Ac 2:38] પ્રાપ્ત કરી શકતો નહોતો. પૉલના આહ્વાન સાથે આ ગાળાનો અંત આવ્યો.[9:17-18] જ્યારે યહૂદીતર ખ્રિસ્તીઓએ બાપ્તિસ્મા પહેલાં પવિત્ર આત્માને મેળવ્યો ત્યારની પીટરની પ્રતિક્રિયા[10:44-48] નોંધ લેવા પાત્ર છે.

તુલનાત્મક સારાંશ[ફેરફાર કરો]

ખ્રિસ્તી પ્રભાવ હેઠળના ધાર્મિક સંપ્રદાયોના બાપ્તિસ્માનો તુલનાત્મક સારાંશ.[૧૮૬][૧૮૭][૧૮૮] (આ વિભાગ ધાર્મિક સંપ્રદાયોની સંપૂર્ણ યાદી આપતો નથી, અને તેથી, તે માત્ર "આસ્થાવાનના બાપ્તિસ્મા"ની પ્રથા પાળનારાં ચર્ચોનો નાનકડો અંશ જ રજૂ કરે છે.)

સંપ્રદાય બાપ્તિસ્મા વિશેની માન્યતાઓ બાપ્તિસ્માનો પ્રકાર શિશુ બાપ્તિસ્મા અપાય છે? બાપ્તિસ્મા પુનર્જીવન/આધ્યાત્મિક જીવન આપે છે માનદંડ
ઍંગ્લિકન કમ્યૂનિઅન "બાપ્તિસ્મા દીક્ષાનું પ્રતીક છે એટલું જ નહીં, પણ જેના વડે ખ્રિસ્તી પુરુષોને જેઓ ખ્રિસ્તી નથી તેમનાથી જુદા ઓળખવામાં આવે છે તે વૈશિષ્ઠ્યનું સૂચક છે, આ ઉપરાંત તે પુનર્જીવન અથવા નવા-જન્મનું પણ ચિહ્ન છે, જેના થકી, એક માધ્યમ થકી, જેઓએ સાચી રીતે બાપ્તિસ્મા મેળવ્યા હોય તેઓને ચર્ચમાં સ્થાન મળે છે; પાપની ક્ષમાનું અને પવિત્ર આત્મા દ્વારા ઈશ્વરના પુત્રો તરીકે આપણને અપનાવવાનાં વચનો પર જોઈ શકાય તેવા હસ્તાક્ષર અને મહોર મારવામાં આવે છે; વિશ્વાસ પુષ્ટિ પામે છે અને પ્રભુની પ્રાર્થનાના ગુણ થકી કૃપામાં વધારો થાય છે."[૧૮૭] પાણીમાં ડુબાડવું, નિમજ્જન, જલધારા, અથવા છંટકાવ દ્વારા. હા (મોટા ભાગના પેટા-સંપ્રદાયોમાં) હા (મોટા ભાગના પેટા-સંપ્રદાયોમાં) ત્રયી (Trinity)
ઍપોસ્ટૉલિક બ્રેધરિન તે આધ્યાત્મિક પુનર્જન્મને વ્યક્ત કરતું હોવાથી મુક્તિ માટે આવશ્યક. માત્ર પાણીમાં ડુબાડવા (સંપૂર્ણ નિમજ્જન) થકી જ. તે પવિત્ર આત્મામાંથી નીકળતા "દ્વિતીય" બાપ્તિસ્માની આવશ્યકતા પર પણ ભાર મૂકે છે.[૧૮૯] હા હા ઈસુ[૧૯૦]
બાપ્તિસ્તો એક ઈશ્વરી ધાર્મિક વિધિ, પ્રતીકાત્મક કર્મકાંડ, પોતાનો વિશ્વાસ જાહેરમાં ઘોષિત કરવા માટેની એક પદ્ધતિ, અને અગાઉથી બચાવી લેવામાં આવ્યા હોવાનો એક સંકેત, પરંતુ મુક્તિ માટે અનિવાર્ય નહીં. માત્ર ડૂબકી (સંપૂર્ણ નિમજ્જન) થકી. ના ના ત્રયી (Trinity)
ક્રિસ્ટાડેલ્ફિયન્સ (Christadelphians) એક આસ્થાવાનની મુક્તિ માટે બાપ્તિસ્મા અનિવાર્ય છે.[૧૯૧] બાપ્તિસ્મા પામતાં પહેલાં વ્યક્તિ સુવાર્તાના સાચા સંદેશમાં માનતી હોય તો જ તે અસરકારક રહે છે[૧૯૨] બાપ્તિસ્મા એ આસ્થાવાનમાંના આંતરિક બદલાવનું બાહ્ય પ્રતીક છેઃ તે જૂની, પાપમય જીવનશૈલીના મૃત્યુનું, અને એક ખ્રિસ્તી તરીકે નવા જીવનના આરંભનું સૂચક છે, ટૂંકમાં તેના આસ્થાવાનના પસ્તાવા તરીકે ગણાવી શકાય—તેથી તે પસ્તાવો કરનારાને, ક્ષમા આપનારા પ્રભુ પાસેથી ક્ષમા યાચવા તરફ દોરી જાય છે.[૧૯૩] અલબત્ત, કોઈ પણ વ્યક્તિને માત્ર એક જ વખત બાપ્તિસ્મા આપવામાં આવે છે, પણ એક આસ્થાવાને સમગ્ર જીવન દરમ્યાન તેમના બાપ્તિસ્માના સિદ્ધાંતોને જીવવા જોઈએ (એટલે કે, પાપનું મૃત્યુ, અને ઈસુને અનુસરતાં નવું જીવન).[૧૯૪] માત્ર ડૂબકી (સંપૂર્ણ નિમજ્જન) થકી.[૧૯૫] ના[૧૯૫] હા પિતા, પુત્ર, અને પવિત્ર આત્મા (અલબત્ત, ક્રિસ્ટાડેલ્ફિયન્સ નેસિયન ત્રયી(Nicean trinity)માં માનતા નથી.)
ખ્રિસ્તના શિષ્યો (Disciples of Christ) બાપ્તિસ્મા એ પ્રભુની કૃપા વ્યક્તિ પર ઊતરી છે તેનો જાહેર સંકેત છે. ડૂબકીની ક્રિયામાં, વ્યક્તિ પ્રતીકાત્મક રીતે ખ્રિસ્ત સાથે મૃત્યુ અનુભવે છે, અને પછી તેની સાથે પાછી બેઠી થાય છે.[૧૯૬] સામાન્ય રીતે ડૂબકી (સંપૂર્ણ નિમજ્જન) થકી ના ના ત્રયી (Trinity)
ચર્ચિસ ઓફ ક્રાઈસ્ટ (ખ્રિસ્તના ચર્ચો) પુનઃસ્થાપન ચળવળ(Restoration Movement)ની વિવિધ શાખાઓમાંથી ચર્ચિસ ઓફ ક્રાઈસ્ટ બાપ્તિસ્મા અંગે ઐતિહાસિક રીતે સૌથી સંકુચિત સ્થાન ધરાવે છે, તે નિમજ્જન થકી બાપ્તિસ્માને ધર્માન્તરણનો અનિવાર્ય હિસ્સો ગણે છે.[૧૨૪]:p.61 માત્ર નિમજ્જન થકી [૧૧૬]:p.107[૧૧૭]:p.124[૧૧૮] ના[૧૧૭]:p.124[૧૧૮][૧૫૧]:p.318-319[૧૫૪]:p.195 બાપ્તિસ્મા મુક્તિ મેળવવા માટે આવશ્યક છે એવી માન્યતા હોવાને કારણે, ચર્ચિસ ઓફ ક્રાઈસ્ટ બાપ્તિસ્માથી પુનર્જીવનની માન્યતાને પુષ્ટિ આપે છે, એમ કેટલાક બાપ્તિસ્તોનું કહેવું હતું.[૧૫૫] જો કે, ચર્ચિસ ઓફ ક્રાઈસ્ટના સદસ્યોએ આને રદિયો આપતા દલીલ કરી હતી કે, કારણ કે વિશ્વાસ અને પસ્તાવો આવશ્યક છે, અને પ્રભુની કૃપાથી ખ્રિસ્તના રક્ત દ્વારા પાપો ધોવાનું આવશ્યક છે, તેથી બાપ્તિસ્મા મૂળભૂત રીતે મુક્તિદાતા કર્મકાંડ નથી.[૧૧૯]:p.133[૧૫૫][૧૫૬]:p.630,631 બાપ્તિસ્માને, મુક્તિ મેળવી આપતા "કાર્ય" કરતાં,[૧૫૪]:p.170 વિશ્વાસ અને પસ્તાવાની કબૂલાતસભર અભિવ્યક્તિ તરીકે સમજવામાં આવે છે.[૧૫૪]:p.179-182 ત્રયી (Trinity)
ચર્ચ ઓફ જિજસ ક્રાઈસ્ટ ઓફ લેટર-ડે સેઈન્ટ્સ સ્વર્ગના આકાશી રાજ્યમાં પ્રવેશવામાં માટેનો એક અનિવાર્ય ધાર્મિક વિધિ અને હાથ પસવારીને પવિત્ર આત્માની ભેટ મેળવવા માટેની તૈયારી. યોગ્ય પુરોહિત સત્તાધિકારી પદની વ્યક્તિ દ્વારા નિમજ્જન થકી.[૧૯૭] ના (ઓછામાં ઓછા 8 વર્ષના) હા પિતા, અને પુત્ર, અને પવિત્ર આત્મા (એલડીએસ (LDS) ચર્ચ નાઈસિયન ત્રયી(trinity)માં માનતા નથી, પણ તેના બદલે ગોડહેડ(Godhead)માં માને છે.)[૧૯૮]

ઈસ્ટર્ન ઓર્થોડોક્સ ચર્ચ / ઓરિયન્ટલ ઓર્થોડોક્સ ચર્ચ / ઈસ્ટર્ન કૅથોલિક

જૂનો માણસ મરે છે "નવો માણસ" જન્મે છે જે પૂર્વજોના પાપના લાંછનમાંથી મુક્ત હોય છે. તેને એક નવું નામ આપવામાં આવે છે. તેના અગાઉનાં તમામ વચનો અને પાપ આ સાથે રદબાતલ થાય છે.[સંદર્ભ આપો] 3-સ્તરીય ડૂબકી અથવા નિમજ્જન (તે સિવાયની પદ્ધતિઓ માત્ર કટોકટી વખતે, અને જો શક્ય હોય તો પાછળથી તેને પ્રીસ્ટ દ્વારા સુધારવી ઘટે.)[સંદર્ભ આપો] હા. તેના પછી તરત જ ક્રિસ્મૅશન (એટલે કે, પુષ્ટિકરણ) અને પવિત્ર પ્રભુભોજન.[સંદર્ભ આપો] હા ત્રયી (Trinity)
યહોવાના સાક્ષીઓ બાપ્તિસ્મા સંબંધી સમગ્ર વ્યવસ્થાના ભાગ રૂપે મુક્તિ માટે બાપ્તિસ્મા આવશ્યક છેઃ ઈસુના આદેશના પાલનની અભિવ્યક્તિ તરીકે (મેથ્યૂ 28:19-20), ઈસુ ખ્રિસ્તના બલિદાનમાં તારક વિશ્વાસ ધરાવતા હોવાના જાહેર પ્રતીક તરીકે (રોમન્સ 10:10), અને મૃત કાર્યો માટેના પસ્તાવાનું અને પોતાના જીવનનું યહોવાને સમર્પણ કરવાનું પ્રતીક. (1 પીટર 2:21) જો કે, બાપ્તિસ્મા મુક્તિની બાયંધરી આપતો નથી.[૧૯૯] માત્ર ડૂબકી (સંપૂર્ણ નિમજ્જન) થકી; વિશિષ્ટ ઉમેદવારોને જિલ્લા અને સર્કિટ સંમેલનોમાં બાપ્તિસ્મા આપવામાં આવે છે.[૨૦૦] ના ના ઈસુ
સંપ્રદાય (ચાલુ) બાપ્તિસ્મા વિશેની માન્યતાઓ બાપ્તિસ્માનો પ્રકાર શિશુ બાપ્તિસ્મા અપાય છે? બાપ્તિસ્મા પુનર્જીવન/આધ્યાત્મિક જીવન આપે છે માનદંડ
લૂથરનો બાપ્તિસ્મા એ એક ચમત્કારિક સંસ્કાર છે જેના થકી પ્રભુ વ્યક્તિના હૃદયમાં વિશ્વાસની ભેટને સર્જે છે અને/અથવા તેને દૃઢ કરે છે. અલબત્ત આ કેવી રીતે થાય છે અથવા એ કેવી રીતે સંભવ બને છે તે સમજતા હોવાનો અમે દાવો કરતા નથી, અમે માનીએ છીએ (બાઈબલ બાપ્તિસ્મા અંગે જે કહે છે તેના કારણે) કે જ્યારે એક શિશુને બાપ્તિસ્મા આપવામાં આવે છે, ત્યારે પ્રભુ એ શિશુના હૃદયમાં વિશ્વાસનું સર્જન કરે છે."[૨૦૧] છંટકાવ અથવા જલધારા દ્વારા.[૨૦૨][૨૦૩] હા[૨૦૪][૨૦૫] હા[૨૦૫] ત્રયી (Trinity)
મૅથોડિસ્ટ (અર્મેનિયન, વેસ્લીયન) ખ્રિસ્તના પવિત્ર ચર્ચમાં પ્રવેશનો સંસ્કારવિધિ જેના થકી પ્રભુના મુક્તિ અંગેના સર્વશક્તિમાન કાર્યોમાં વ્યક્તિને સામેલ બનાવાય છે અને પાણી તેમ જ આત્મા દ્વારા તેને નવો જન્મ આપવામાં આવે છે. બાપ્તિસ્મા પાપને ધોઈ નાખે છે અને વ્યક્તિને ખ્રિસ્તના સદ્ગુણો બક્ષે છે. છંટકાવ, જલધારા, અથવા નિમજ્જન.[૨૦૬] હા[૨૦૭] હા, અલબત્ત તે પ્રાયશ્ચિત અને ખ્રિસ્તને એક તારણહાર તરીકે વ્યક્તિના અંગત સ્વીકાર પર નિર્ભર છે.[૨૦૮][૨૦૯] ત્રયી (Trinity)
ટ્રિનિટેરિયન પેન્ટાકૉસ્ટલ્સ અને વિવિધ "પવિત્રતા" જૂથો, ક્રિશ્ચિયન મિશનરી એલાયન્સ, પ્રભુસભાઓ (એસેમ્બલીઝ ઓફ ગોડ) જળ બાપ્તિસ્મા એ એક સંસ્કાર છે, અંગત રીતે ખ્રિસ્તને તારણહાર તરીકે સ્વીકારની સાક્ષી પૂરતો એક પ્રતીકાત્મક કર્મકાંડ છે.[સંદર્ભ આપો] ડૂબકી (સંપૂર્ણ નિમજ્જન) થકી. વધુમાં, પવિત્ર આત્માની વિશેષ દેણગી દ્વારા થતા "દ્વિતીય" બાપ્તિસ્માની આવશ્યકતા પર ભાર મૂકે છે.[૨૧૦] ના બદલાતું રહે છે ત્રયી (Trinity)
વનનેસ પેન્ટાકૉસ્ટલ્સ બાપ્તિસ્મા પામવા એ ઈસુ અને પ્રેરિતો/સંદેશવાહકોએ સ્થાપેલો અને તેમના દ્વારા નિર્દેશિત એક ધાર્મિક વિધિ છે.[૨૧૧] ડૂબકી થકી. પવિત્ર આત્માના બાપ્તિસ્માની આવશ્યકતા પર પણ ભાર મૂકે છે (અધિનિયમો 2:38;8:14-17,35-38).[૨૧૨] ના હા ઈસુ
પ્રિસ્બિટેરિયન અને મોટા ભાગના રિફોર્મ્ડ ચર્ચો (સુધરેલાં ચર્ચો) એક સંસ્કાર, પ્રતીકાત્મક કર્મકાંડ, અને વયસ્ક આસ્થાવાનના વર્તમાન વિશ્વાસની ખાતરીની છાપ. એ આંતરિક કૃપાની બાહ્ય નિશાની છે.[સંદર્ભ આપો] છંટકાવ, જલધારા, નિમજ્જન અથવા ડૂબકી દ્વારા[સંદર્ભ આપો] હા, નવા કરારમાં સભ્યપદ સૂચવવા.[સંદર્ભ આપો] ના ત્રયી (Trinity)
ક્વેકરો (રિલિજિયસ સોસાયટી ઓફ ફ્રેન્ડ્સ) માત્ર એક બાહ્ય પ્રતીક, જેનું હવે પાલન કરવામાં આવતું નથી.[સંદર્ભ આપો] જળ દ્વારા બાપ્તિસ્મામાં માનતા નથી, પરંતુ પવિત્ર આત્મા દ્વારા અનુયાયીના જીવનમાં દોરાતા આંતરિક શુદ્ધિકરણમાં, મનુષ્યના આત્માના અવિરત શુદ્ધિકરણમાં માને છે.[સંદર્ભ આપો]
પુનરુત્થાનવાદ મુક્તિ માટેનું એક આવશ્યક પગલું. પવિત્ર આત્માને મેળવવાની અપેક્ષા સાથે, ડૂબકી (સંપૂર્ણ નિમજ્જન) દ્વારા. ના હા ત્રયી (Trinity)
રોમન કૅથોલિક ચર્ચ "જે લોકો માટે સુવાર્તા કહેવામાં આવી હતી અને જેઓ આ સંસ્કાર માગવાની શક્યતાઓ ધરાવતા હતા તેમની મુક્તિ માટે આવશ્યક"[૧૬] સામાન્ય રીતે પશ્ચિમમાં જળ રેડીને, પૂર્વમાં ડૂબકી અથવા નિમજ્જન થકી; જો ત્યારે માથા પરથી જળ વહે તો જ છંટકાવને માન્યતા.[૨૧૩][૨૧૪] હા હા ત્રયી (Trinity)
સેવન્થ-ડે એડવન્ટિસ મુક્તિ માટેની પૂર્વ-આવશ્યકતા તરીકે નહીં, પરંતુ ચર્ચમાં પ્રવેશ માટેની પૂર્વ-આવશ્યકતા તરીકે નોંધવામાં આવ્યા છે. તે પાપમાં મૃત્યુ અને ઈસુ ખ્રિસ્તમાં નવા જન્મનું પ્રતીક છે.[૨૧૫]""તે પ્રભુના પરિવારમાં જોડાયા હોવાની ખાતરી આપે છે અને સદ્ભાવપૂર્ણ જીવન જીવવા માટે દૃઢ કરે છે."[૨૧૫] ડૂબકી (સંપૂર્ણ નિમજ્જન) થકી.[૨૧૬] ના ના ત્રયી (Trinity)
યુનાઈટેડ ચર્ચ ઓફ ક્રાઈસ્ટ (ઈવેન્જેલિકલ અને સુધરેલાં ચર્ચો અને કૉંગ્રિગેશનલ ક્રિશ્ચિયન ચર્ચિસ) બેમાંનો એક સંસ્કાર. બાપ્તિસ્મા એ પ્રભુની આંતરિક કૃપાની બાહ્ય નિશાની છે. સ્થાનિક મંડળમાં સભ્યપદ માટે તે આવશ્યક હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. જો કે, શિશુઓ અને વયસ્કો બંને માટે તે એક સામાન્ય પ્રથા છે.[સંદર્ભ આપો] છંટકાવ, જલધારા અથવા ડૂબકી દ્વારા.[સંદર્ભ આપો] હા, નવા કરારમાં સભ્યપદ સૂચવવા.[સંદર્ભ આપો] ના ત્રયી (Trinity)
ઍનાબાપ્તિસ્ત ઍનાબાપ્તિસ્ત (ઍનાબાપ્તિસ્તનો અર્થ ફરીથી બાપ્તિસ્મા આપવા તેમ થાય છે) ચર્ચોમાંનાં મોટા ભાગનાં બાપ્તિસ્માને ખ્રિસ્તી ધર્મ માટે આવશ્યક ગણે છે, પણ મુક્તિ માટે નહીં. તેને પ્રભુભોજન, પગ ધોવા, પવિત્ર ચુંબન, ખ્રિસ્તી મહિલાનું માથાને ઢાંકવું, તેલ નાખવું, અને લગ્ન જેવા આદેશો સાથે બાઈબલના એક આદેશ તરીકે માનવામાં આવે છે. ઍનાબાપ્તિસ્તો ઐતિહાસિક રીતે શિશુ બાપ્તિસ્માની પ્રથા વિરુદ્ધ ઊભા રહ્યા હતા. જ્યારે ચર્ચ અને રાજ્ય/શાસન બંને એક જ હતા અને જ્યારે અધિકૃત રીતે મંજૂરી પામેલા (સુધરેલા અથવા કૅથોલિક) ચર્ચમાં બાપ્તિસ્મા થકી જ લોકોને નાગરિક બનાવવામાં આવતા હતા તે સમયે ઍનાબાપ્તિસ્તો શિશુ બાપ્તિસ્મા વિરુદ્ધ દૃઢતાથી ઊભા રહ્યા હતા. બાપ્તિસ્માની પહેલાં અને પછી માન્યતા અને પસ્તાવો રહે છે એવું માનવામાં આવે છે.[સંદર્ભ આપો] જલધારા, નિમજ્જન અથવા ડૂબકી દ્વારા.[સંદર્ભ આપો] ના ના ત્રયી (Trinity)

અન્ય દીક્ષા વિધિઓ[ફેરફાર કરો]

પ્રાચીન મિસ્રની સંસ્કૃતિ, હિબ્રૂ/યહૂદી સંસ્કૃતિ, બેબિલોન સંસ્કૃતિ, મય સંસ્કૃતિ અને નોર્સ સંસ્કૃતિઓ સહિતની અનેક સંસ્કૃતિઓ, પાણીના ઉપયોગ સાથે અથવા તેના વિના, દીક્ષા વિધિઓની પ્રથા ધરાવે છે અથવા ધરાવતી હતી. મિયામાઈરી(Miyamairi)ની આધુનિક જાપાની વિધિ એવી એક પ્રથા છે જેમાં પાણીનો ઉપયોગ કરવામાં આવતો નથી. કેટલાકમાં, આવા પુરાવા એક આધુનિક પ્રથા હોવાને બદલે, પુરાતત્ત્વીય અને વિવરણાત્મક પ્રકારના હોઈ શકે.

રહસ્ય ધર્મની દીક્ષા વિધિ[ફેરફાર કરો]

બીજી સદીના રોમન લેખક, એપ્યુલેઈયસે(Apuleius), આઈસિસ(Isis)નાં રહસ્યોમાં દીક્ષાને આ રીતે વર્ણવી હતીઃ

Then, when the priest said the moment had come, he led me to the nearest baths, escorted by the faithful in a body, and there, after I had bathed in the usual way, having invoked the blessing of the gods he ceremoniously aspersed and purified me.[૨૧૭]

એપ્યુલેઈયસની વાર્તામાંનું એક પાત્ર, લુસિયસ, જે ગધેડામાં રૂપાંતરિત થઈ ગયું હતું અને જેને આઈસિસ દ્વારા દીક્ષા વિધિથી પાછું મનુષ્ય રૂપમાં લાવવામાં આવ્યું હતું, નોંધપાત્ર સમયગાળા સુધી તેની વફાદારી અને વિશ્વાસપાત્રતાના નિદર્શનને ધ્યાનમાં લીધા બાદ, દૈવીની વિધિની ક્રમિક શ્રેણીઓ અનુસાર તે ધીમે ધીમે પાછો મનુષ્ય સ્વરૂપમાં આવ્યો હતો, જે ખ્રિસ્તી ધર્મમાં ધર્મ-શિક્ષણ(કૅટિક્યુમૅનિકલ)ની પ્રથાઓને મળતી આવે છે.[૨૧૮]

મૅન્ડેઈયન(Mandaean) બાપ્તિસ્મા[ફેરફાર કરો]

મૅન્ડેઈયનો બાપ્તિસ્ત યોહાન માટે પૂજ્યભાવ ધરાવે છે અને દીક્ષાની નહીં, પણ શુદ્ધિકરણની વિધિ તરીકે વારંવાર બાપ્તિસ્મા લે છે.

શીખ બાપ્તિસ્મા વિધિ[ફેરફાર કરો]

પાણીથી પ્રક્ષાલન નહીં, પણ પાણી પીવાનો સમાવેશ થાય છે, એવી શીખ બાપ્તિસ્મા વિધિ, છેક 1699થી ચાલી આવે છે, જ્યારે આ ધર્મના દસમા આગેવાન (ગુરુ ગોવિંદ સિંઘે) 5 અનુયાયીઓને દીક્ષા આપી અને પછી પોતે પણ પોતાના અનુયાયીઓ પાસેથી દીક્ષા મેળવી. શીખ બાપ્તિસ્મા વિધિને અમૃત સંચાર અથવા ખાંડે દી પાહુલ પણ કહેવામાં આવે છે. દીક્ષા પામેલા શીખને અમૃતધારી કહેવામાં આવે છે, જેનો અર્થ શબ્દશઃ "અમૃત લેનાર" અથવા જેણે "અમૃત લીધું છે" તે વ્યક્તિ એમ થાય છે.

ગુરુ ગોવિંદ સિંઘના વખતમાં જ્યારે 1699માં બૈસાખીના દિવસે શ્રી આનંદપુર સાહિબ ખાતે ખાલસાનું ઉદ્ધાટન થયું ત્યારે ખાંડે દી પાહુલ ની શરૂઆત થઈ હતી. ગુરુ ગોવિંદ સિંઘે ત્યાં એકઠા થયેલા શીખોને પૂછ્યું હતું કે ઈશ્વર માટે પ્રાણ આપવા કોણ તૈયાર છે. શરૂઆતમાં, લોકો ખચકાયા, અને પછી એક માણસ આગળ આવ્યો, અને તેને તંબુમાં લઈ જવાયો. થોડા વખત પછી, ગુરુ ગોવિંદ સિંઘ તંબુમાંથી બહાર આવ્યા, તેમની તલવાર પરથી લોહી નીતરતું હતું. તેમણે ફરીથી એ જ પ્રશ્ન પૂછ્યો. બીજા ચાર સ્વયંસેવકો તંબુમાં ગયા તે પછી, તેઓ એ ચારે સાથે ફરીથી બહાર આવ્યા, હવે તેઓ તમામ તેમના જેવા પહેરવેશમાં હતા. આ પાંચ માણસો પંજ પ્યારે અથવા "પ્રિય પાંચ" તરીકે ઓળખાવા માંડ્યા. આ પાંચે જણે અમૃત લઈને ખાલસામાં દીક્ષા પામ્યા હતા. આ પાંચ હતા ભાઈ દયા સિંહ, ભાઈ મુખામ સિંહ, ભાઈ સાહિબ સિંહ, ભાઈ ધરમ સિંહ અને ભાઈ હિમ્મત સિંહ. શીખ પુરુષોના નામની પાછળ "સિંઘ " લગાડવામાં આવે છે, જેનો અર્થ "સિંહ(વનરાજ)" થાય છે, અને મહિલાઓના નામની પાછળ "કૌર " લગાડવામાં આવે છે, જેનો અર્થ થાય છે "રાજકુમારી".

લોખંડના કટોરામાં સ્વચ્છ પાણી ભરીને, તેમણે તેને બે-ધારી તલવાર (જેને ખાંડા કહેવામાં આવે છે) વડે હલાવ્યા કર્યું, અને તેમ કરતાં પાંચ પવિત્ર પાઠ અથવા બાનીઓ– જાપજી, જાપ સાહિબ, સવૈયે, ચોપાઈ અને આનંદ સાહિબ-નું પઠન કરતાં રહ્યા. ગુરુપત્ની, માતા જિતોએ (જે માતા સાહિબ કૌર તરીકે પણ જાણીતાં હતાં) એ પાત્રમાં સાકરના ટુકડા નાખ્યા, આમ લોઢાના રસાયણ સાથે મીઠાસ ભળી ગઈ. જ્યારે આ પવિત્ર જળને પવિત્ર શ્લોકોના પઠન સાથે હલાવવામાં આવી રહ્યું હતું ત્યારે આ પાંચે શીખ પાત્રની આસપાસ ભક્તિભાવપૂર્વક જમીન પર બેસી ગયા.

પાંચ બાનીઓનું પઠન પૂરું થયું તે સાથે, ખાંડે દી પાહુલ અથવા અમૃત , અમરત્વનો રસ, વહેંચાવા માટે તૈયાર હતો. ગુરુ ગોવિંદ સિંઘે પાંચે શીખોને દરેકને પાંચ અંજલિઓ પીવા માટે આપી.

ઈસ્લામમાં પ્રક્ષાલનની ધાર્મિક વિધિ[ફેરફાર કરો]

ગુસલ(Ghusl) એ સંપૂર્ણ સ્નાન (ધાર્મિક સ્નાન) છે જે ઈસ્લામમાં વિવિધ ધાર્મિક વિધિઓ અને બંદગીઓ માટે આવશ્યક ગણાય છે. કોઈ પણ વયસ્ક મુસ્લિમ માટે જાતીય સંભોગ, કોઈ પણ લૈંગિક સ્ખલન (ઉ.દા. વીર્યનું),[૨૧૯][૨૨૦] માસિક સ્રાવની સમાપ્તિ,[૨૨૧][૨૨૨] પ્રસૂતિ, અને કુદરતી કારણોસર મૃત્યુ પછી ધાર્મિક સ્નાન ફરજિયાત છે.[૨૨૩]

શુક્રવાર[૨૨૪][૨૨૫]ની અને ઈદ[૨૨૬]ની નમાજ પહેલાં, એહરામ(ehram) માં પ્રવેશતાં પહેલાં, હજ પર જતાં પહેલાં,[૨૨૭] બેશુદ્ધ અવસ્થા પછી[૨૨૭], અને ધર્માન્તર કર્યા બાદ ઈસ્લામને વિધિવત રીતે અંગીકાર કરતાં પહેલાં પણ પૂર્ણ ધાર્મિક સ્નાન લેવાની ઈસ્લામ ભલામણ (મુસ્તાહબ ) કરે છે. શિયા મુસ્લિમો પણ નમાજ-એ-ત્વાબાહ પહેલાં ધાર્મિક સ્નાન કરે છે.

આ સિવાય, દૈનિક નમાજ (વુદુ) પહેલાં પ્રક્ષાલન આવશ્યક છે. મુસ્લિમો માને છે કે ઈશ્વર પાસે પોતાનાં પાપોની માફી માગ્યા પહેલાં કોઈએ પણ પ્રાર્થનામાં પ્રભુ પાસે જવું જોઈએ નહીં. નિયમ મુજબ દિવસમાં પાંચ વખત નમાજ પઢવામાં આવે છે. પ્રક્ષાલન કરતી વખતે, વ્યક્તિ ઈશ્વર પાસે આખા દિવસમાં, પોતાના હાથે જાણતા કે અજાણતા થયેલાં પાપો માટે ક્ષમા પ્રાર્થે છે. પોતાના જીવનનું ધ્યેય ઈશ્વરને ખુશ કરવાનું છે, અને તેની માફી અને કૃપા મેળવવા માટે પ્રાર્થના કરવાનું છે એ યાદ કરાવવાની આ એક મુસ્લિમ પદ્ધતિ છે.[સંદર્ભ આપો]

કુરાનની આયાતમાં ખ્રિસ્તી બાપ્તિસ્માને પડકારવામાં આવ્યા છેઃ "અમારો ધર્મ એ અલ્લાહના બાપ્તિસ્મા છે; અને અલ્લાહ કરતાં વધુ સારી રીતે બીજું કોણ બાપ્તિસ્મા આપી શકે? અને એ તે છે જેની અમે બંદગી કરીએ છીએ." તેનો અર્થ એમ છે કે ઈસ્લામમાં એકેશ્વરવાદમાંની માન્યતા જ આ ધર્મ અંગીકાર કરવા માટે પૂરતી છે અને તેને બાપ્તિસ્માની ધાર્મિક વિધિની આવશ્યકતા નથી.[૨૨૮]

નોસ્ટિક(Gnostic) કૅથોલિસિઝમ અને થેલેમા(Thelema)[ફેરફાર કરો]

ઈકિલસિયા નોસ્ટિક કૅથોલિકા, અથવા નોસ્ટિક કૅથોલિક ચર્ચ (ઓર્ડો ટેમ્પ્લી ઓરિયન્ટિસની ધર્મસંબંધી શાખા), ઓછામાં ઓછી 11 વર્ષની કોઈ પણ વ્યક્તિને બાપ્તિસ્મા વિધિ કરાવે છે.[૨૨૯] આ વિધિ નોસ્ટિક ધર્મસભા સમક્ષ કરવામાં આવે છે અને તે થેલિમિક સમુદાયમાં પ્રતીકાત્મક જન્મને રજૂ કરે છે.[૨૩૦]

બિન-ધાર્મિક દીક્ષાઓ[ફેરફાર કરો]

ભલે પાણીનો ઉપયોગ મોટા ભાગે ગેરહાજર જોવા મળે, પણ બાપ્તિસ્મા શબ્દપ્રયોગ વિવિધ દીક્ષાઓ માટે પણ વાપરવામાં આવે છે, ધાર્મિક વિધિથી માંડીને જીવનની ધર્મનિરપેક્ષ બાબતો સુધી.

  • ઉદાહરણ તરીકે, બેલ્જિયમમાં, ડચમાં સ્ચાચટેનદૂપ (schachtendoop - 'બાપ્તિસ્મા પ્રતિજ્ઞા') અથવા ફ્રેન્ચમાં બૅપ્ટેમી (Baptême) શબ્દ યુનિવર્સિટીની પ્રતિજ્ઞા માટે વપરાય છે. તે વિદ્યાર્થી મંડળો(સામાન્ય રીતે મિશ્ર-જાતીય)માં પ્રવેશ માટેનો પરંપરાગત રસ્તો છે અને ઉચ્ચતર શિક્ષણ માટેની સંસ્થાઓએ પણ તેને સ્વીકાર્ય રાખ્યો છે, એટલું જ નહીં, ક્યારેક તેનું નિયમન પણ કર્યું છે, ઉ.દા., યુનિવર્સિટે કૅથોલિક દ લોઉવેઈન(Université catholique de Louvain) અને યુનિવર્સિટે લિબ્રે દ બ્રિક્સેલાસ(Université Libre de Bruxelles) જેવી બૅલ્જિયન યુનિવર્સિટીઓએ.[સંદર્ભ આપો]
  • બ્રાઝિલિયન માર્શલ આર્ટ કૅપોઈરામાં, બૅપ્ટિઝાડો (batizado - અક્ષરશઃ "બાપ્તિસ્મા") તરીકે જાણીતો, એક વાર્ષિક પ્રોત્સાહક સમારોહ આયોજાય છે. તેમના પ્રથમ બૅપ્ટિઝાડોમાં ભાગ લેનારા વ્યવસાયીઓ માટે, એ વખતે, તેઓને કૅપોઈરિસ્તાસના સમુદાયમાં સ્વીકારવામાં આવ્યા છે તેના પ્રતીક રૂપે, પરંપરાગત રીતે તેમનાં કૅપોઈરા નામો આપવામાં આવે છે. આ નામ મોટા ભાગે વરિષ્ઠ/અનુભવી પ્રશિક્ષક દ્વારા અથવા અન્ય વરિષ્ઠ વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવે છે, અને નામની વરણી ખૂબ વ્યક્તિગત રીતે એટલે કે તેઓ કેવી રીતે કોઈક મુદ્રામાં ભાગ લે છે, તેઓ કેવા દેખાય છે, અથવા તેમના વ્યક્તિત્વની કોઈ વિશિષ્ટ લાક્ષણિકતા પરથી કરવામાં આવે છે. કૅપોઈરા વર્તુળમાં તેમના આ નામને મોટા ભાગે તેમના ઉપનામ તરીકે વાપરવામાં આવે છે, આ એક પરંપરા છે જે છેક જ્યારે બ્રાઝિલમાં કૅપોઈરા ગેરકાનૂની ગણાતું હતું ત્યારના વખતથી ચાલી આવે છે.[સંદર્ભ આપો]

વસ્તુઓનો બાપ્તિસ્મા[ફેરફાર કરો]

યુએસએસ(USS) ડેવીનું નામકરણ
યુએસએસ(USS) ડેવીનું નામકરણ

ઉપયોગ માટે અમુક વસ્તુઓના ઉદ્ઘાટનને માટે ઘણી વાર "બાપ્તિસ્મા" અથવા "નામકરણ" એવો શબ્દપ્રયોગ કરવામાં આવે છે.

  • કમસે કમ ફ્રાન્સમાં, અગિયારમી સદીથી, (ખાસ કરીને ચર્ચના, સંગીતની) ઘંટડીઓના આશીર્વાદ માટે બૅપ્ટિસમ ઓફ બેલ્સ નામ આપવામાં આવ્યું છે. બિશપ આ ઘંટડીઓની અંદર પવિત્ર તેલ અને બહાર અશક્તના તેલથી ઘસે તે પહેલાં તેને પવિત્ર જળથી ધોવે છે તે પરથી આ નામ ઉદ્ભવ્યું છે; ત્યારબાદ તેની નીચે ધુમાડો કાઢતી ધૂપદાની મૂકવામાં આવે છે અને બિશપ પ્રાર્થના કરે છે કે ચર્ચની આ સંસ્કારવિધિ, ઘંટડીઓના રણકાર પર, રાક્ષસોને ભગાડી મૂકશે, તોફાનોથી રક્ષા કરશે, અને વિશ્વાસુને પ્રાર્થના માટે બોલાવશે.
  • વહાણોના બાપ્તિસ્મા : કમસે કમ ખ્રિસ્તીઓના ધર્મયુદ્ધના વખતથી, ધાર્મિક વિધિઓમાં વહાણોને આશીર્વાદ આપવાની વિધિ સામેલ છે. પ્રીસ્ટ (પાદરી) પ્રભુને આ પાત્રને આશીર્વાદ આપવા માટે અને તેની પર સફર કરનારાનું સંરક્ષણ કરવા માટે વિનંતી કરે છે. સામાન્ય રીતે વહાણ પર પવિત્ર જળનો છંટકાવ કરવામાં આવે છે.[૯૧]

આ પણ જોશો[ફેરફાર કરો]

સંબંધિત લેખો અને વિષયો[ફેરફાર કરો]

  • ઍનાબાપ્તિસ્ત
  • અગ્નિ દ્વારા બાપ્તિસ્મા
  • ઇચ્છાના બળે બાપ્તિસ્મા (ઇચ્છા થકી બાપ્તિસ્મા)
  • ઈસુના બાપ્તિસ્મા
  • બાપ્તિસ્માનાં વસ્ત્રો
  • બૅપ્ટિસ્ટરી
  • આસ્થાવાનના બાપ્તિસ્મા
  • કૅટિક્યુમેન
  • ક્રિસ્મેશન
  • ક્રિસ્ટીફિડેલ્સ(Christifideles)
  • શરતી બાપ્તિસ્મા
  • કૉન્સોલામેન્ટુમ(Consolamentum)
  • શિષ્ય (ખ્રિસ્તી ધર્મ)
  • દૈવી વંશાનુક્રમ
  • કટોકટીના બાપ્તિસ્મા
  • શિશુ બાપ્તિસ્મા
  • ઈસુ-નામ સિદ્ધાંત
  • પ્રિવેનીઅન્ટ ગ્રેસ (Prevenient Grace)
  • સંસ્કાર
  • થિયોફોની

લોકો અને ધાર્મિક વિધિની વસ્તુઓ[ફેરફાર કરો]

  • બાપ્તિસ્મા પાત્ર / બાપ્તિસ્મા કુંડ
  • બૅપ્ટેસ્ટરી
  • પવિત્ર તેલ
  • ધર્મપિતા કે માતા
  • પવિત્ર જળ
  • ઈસ્ટર્ન ક્રિશ્ચિયાનિટી(પૂર્વીય ખ્રિસ્તી ધર્મ)માં પવિત્ર જળ
  • યોહાન બાપ્તિસ્ત
  • મિકવાહ (Mikvah)

પાદનોંધો[ફેરફાર કરો]

  1. એ નોંધશો કે નીચે જે અર્થમાં નિમજ્જન થકી બાપ્તિસ્માને સમજાવવામાં આવ્યા છે તેની આ તસવીર છે, જે પાણીની નીચે ડૂબકી થકી આપવામાં આવતા બાપ્તિસ્માથી અલગ છે. પૂર્વમાં શિશુઓ સિવાય બાકીના તમામ માટે બાપ્તિસ્માની આ શૈલી ચાલુ રહી, પણ પશ્ચિમમાં ૧૫મી સદી સુધીમાં તે લગભગ સંપૂર્ણ રીતે ઉપયોગમાંથી બાકાત થઈ ગઈ હતી, અને સંત પીટર દ્વારા બાપ્તિસ્માના આ ચિત્રણ માટે કલાકારે કદાચ જૂની ઢબનું રૂપ પસંદ કર્યું છે.
  2. ૨.૦ ૨.૧ Liddell, Henry George (1940). "βαπτίζω". A Greek-English Lexicon. Medford, Massachusetts: Tufts University. ISBN 0-19-864226-1. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); CS1 maint: discouraged parameter (link)
  3. "બાપ્તિસ્મા થકી અમે પાપમાંથી મુક્ત થઈએ છીએ અને પ્રભુના દીકરાઓ તરીકે પુનર્જન્મ પામીએ છીએ; અમે ઇસુ ખ્રિસ્તના સદસ્યો બનીએ છીએ, ચર્ચમાં સમાવેશ પામીએ છીએ અને અમને તેના મિશનમાં ભાગીદાર બનાવવામાં આવે છે" (કૅટિકિઝમ ઓફ ધ કૅથોલિક ચર્ચ, 1213;] "પવિત્ર બાપ્તિસ્મા એ સંસ્કાર છે જેના વડે પ્રભુ અમને પોતાનાં સંતાનો તરીકે દત્તક લે છે અને અમને ખ્રિસ્તના શરીરના, દેવળના સદસ્યો, અને પ્રભુના રાજ્યના વારસદારો બનાવે છે" (બુક ઓફ કોમન પ્રેયર, 1979. એપિસ્કોપલ); "બાપ્તિસ્મા એ દીક્ષાનો અને ખ્રિસ્તના શરીરમાં એક થવાનો સંસ્કાર છે" (એન યુનાઈટેડ મૅથોડિસ્ટ અંડરસ્ટેન્ડિંગ ઓફ બાપ્તિસ્મા); સંગ્રહિત ૨૦૧૬-૦૩-૧૩ ના રોજ વેબેક મશિન "પ્રભુના પરિવારની સદસ્યતા પામવાની દીક્ષા વિધિ તરીકે, બાપ્તિસ્મા લેનાર ઉમેદવારોને, તેમના પાપ માફ થઈ ચૂક્યા અને ધોવાઈ ગયા હોવાથી, પ્રતીકાત્મક રીતે શુદ્ધ કરવામાં અથવા સ્નાન કરાવવામાં આવે છે" (વિલિયમ એચ. બ્રૅકની, બિલિવર્સ બાપ્તિસ્મા) સંગ્રહિત ૨૦૧૦-૦૧-૦૭ ના રોજ વેબેક મશિન.
  4. Matthew 3:16, Mark 1:9-10, Luke 3:21
  5. Schaff, Philip (2009). "Baptism". History of the Christian Church, Volume I: Apostolic Christianity. A.D. 1-100. The usual form of baptism was immersion…. But sprinkling, also, or copious pouring rather, was practised at an early day with sick and dying persons, and in all such cases where total or partial immersion was impracticable
  6. Fanning, W. (1907). "Baptism". Catholic Encyclopedia. New York City: Robert Appleton Company. The most ancient form usually employed was unquestionably immersion
  7. "Roman Catholicism: Baptism". Encyclopædia Britannica. 2009. Two points of controversy still exist in modern times. One is baptism by pouring or sprinkling water on the head rather than by immersion of the entire body, even though immersion was probably the biblical and early Christian rite
  8. Collins, Adela Yarbro (1995). "The Origin of Christian Baptism". માં Maxwell E. Johnson (સંપાદક). Living Water, Sealing Spirit: Readings on Christian Initiation. Collegeville Township, Stearns County, Minnesota: Liturgical Press. પૃષ્ઠ 35–57. ISBN 0-8146-6140-8. OCLC 31610445. The baptism of John did have certain similarities to the ritual washings at Qumran: both involved withdrawal to the desert to await the lord; both were linked to an ascetic lifestyle; both included total immersion in water; and both had an eschatological context Cite uses deprecated parameter |chapterurl= (મદદ)
  9. Dau, W. H. T. (1979). "Baptism". માં Geoffrey W. Bromiley (સંપાદક). International Standard Bible Encyclopedia: A-D. Grand Rapids, Michigan: William B. Eerdmans Publishing Company. પૃષ્ઠ 416. ISBN 0-8028-3781-6. OCLC 50333603. It is to be noted that for pouring another word ‘’(ekcheo)’’ is used, clearly showing that baptizo does not mean pour. …There is thus no doubt that early in the 2nd century some Christians felt baptism was so important that, 'when the real baptism (immersion) could not be performed because of lack of water, a token pouring might be used in its place Cite uses deprecated parameter |chapterurl= (મદદ)
  10. France, R. T. (2007). The Gospel of Matthew. Grand Rapids, Michigan: William B. Eerdmans Publishing Company. પૃષ્ઠ 109. ISBN 0-8028-2501-X. OCLC 122701585. The fact that he chose a permanent and deep river suggests that more than a token quantity of water was needed, and both the preposition 'in' (the Jordan) and the basic meaning of the verb 'baptize' probably indicate immersion. In v. 16 Matthew will speak of Jesus 'coming up out of the water.' The traditional depiction in Christian art of John the Baptist pouring water over Jesus' head may therefore be based on later Christian practice CS1 maint: discouraged parameter (link)
  11. Warfield, Benjamin Breckinridge. "The Archæology of the Mode of Baptism". મૂળ માંથી સપ્ટેમ્બર 12, 2009 પર સંગ્રહિત. મેળવેલ એપ્રિલ 4, 2011. We may then probably assume that normal patristic baptism was by a trine immersion upon a standing catechumen, and that this immersion was completed either by lowering the candidate's head beneath the water, or (possibly more commonly) by raising the water over his head and pouring it upon it
  12. જ્યારે કેટલાંક સ્થળોએ અને અમુક સંજોગોમાં પૂર્ણ નિમજ્જન પાળવામાં આવતું હતું તેવી ઘણી સંભાવનાઓ છે, છતાં તમામ પુરાવાઓ (અને તેથી પણ વધુ છે) મોટા ભાગના કિસ્સાઓમાં માત્ર અંશતઃ નિમજ્જન, અથવા જલધારા (ખાસ કરીને જ્યારે બાપ્તિસ્મા લેનાર વ્યક્તિ બાપ્તિસ્મા કુંડમાં ઊભી હોય ત્યારે તેનું માથું બોળવું અથવા માથા પર પાણી રેડવું) થકી બાપ્તિસ્મા તરફ ધ્યાન દોરે છે. અહીં સંત યોહાન ક્રીસોસ્ટોમના શબ્દોની નોંધ લઈ શકાયઃ "જ્યારે આપણે આપણું માથું પાણીમાં ડુબાડીએ છીએ ત્યારે તે કબરની અંદર જવા જેવું હોય છે... પછી જ્યારે આપણે આપણું માથું પાછું કાઢીએ છીએ ત્યારે નવો માણસ બહાર આવે છે" (ઓન યોહાન 25.2, પીજી (PG) 59:151). ટૂંકમાં, પૂર્વકાલીન ખ્રિસ્તીઓ બાપ્તિસ્મા સાથે સંકળાયેલી પ્રતીકાત્મક અભિવ્યક્તિ પ્રત્યે અત્યંત જાગૃત હતા (cf. બૅપ્ટિસ્ટ્રી ઈમારતનો અત્યંવિધિ જેવો આકાર; પાત્રમાં ઊતરવાના અને તેમાંથી પાછા બહાર આવવાના, લાક્ષણિક ઢબે ત્રણ તબક્કાઓ; પુનર્જીવન અંગેની મીમાંસા, વગેરે), છતાં તેઓ પૂર્ણ નિમજ્જનનો જ આગ્રહ રાખતાં હોવાનાં ખૂબ ઓછાં ચિહ્નો બતાવે છે. (સેન્ટ વલ્દિમિર્સ થિયોલોજિકલ ક્વાર્ટરલી માં ફાધર યોહાન ઍરિકસન, 41, 77 (1997), ધ બ્યઝાન્ટાઈન ફોરમમાં ટાંકવામાં આવ્યા હતા)
  13. McGuckin, John Anthony (2004). "Baptism". The Westminster handbook to patristic theology. Louisville, Kentucky: Westminster John Knox Press. પૃષ્ઠ 41–44. ISBN 0-664-22396-6. OCLC 52858567. Eastern tradition strongly defended the practice of three-fold immersion under the waters, but Latin practice increasingly came to use a sprinkling of water on the head (also mentioned in Didache 7 if there was not sufficient water for immersion.) Cite uses deprecated parameter |chapterurl= (મદદ); CS1 maint: discouraged parameter (link)
  14. ૧૪.૦ ૧૪.૧ ૧૪.૨ ૧૪.૩ ૧૪.૪ ૧૪.૫ ૧૪.૬ Bowker, John (1999). The Oxford Dictionary of World Religions. Oxford: Oxford University Press. ISBN 0-19-866242-4. OCLC 60181672. CS1 maint: discouraged parameter (link)ઢાંચો:Pn
  15. ૧૫.૦૦ ૧૫.૦૧ ૧૫.૦૨ ૧૫.૦૩ ૧૫.૦૪ ૧૫.૦૫ ૧૫.૦૬ ૧૫.૦૭ ૧૫.૦૮ ૧૫.૦૯ Cross, Frank Leslie (2005). "Baptism". The Oxford Dictionary of the Christian Church. Oxford: Oxford University Press. પૃષ્ઠ 151–154. ISBN 0-19-280290-9. OCLC 58998735. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); CS1 maint: discouraged parameter (link)
  16. ૧૬.૦ ૧૬.૧ ૧૬.૨ "The Necessity of Baptism". Catechism of the Catholic Church. Vatican Publishing House. 1993. મેળવેલ ફેબ્રુઆરી 24, 2009.
  17. ઉદાહરણ તરીકે, કૅથોલિક ચર્ચઃ 1,100,000,000; ઈસ્ટર્ન ઓર્થોડોક્સ ચર્ચઃ 225,000,000; ઍંગ્લિકન કોમ્યુનિયનના 77,000,000માંથી મોટા ભાગના સદસ્યો; લૂથરનો અને અન્યો (કમ સે કમ 1 મિલિયન સમર્થકો ધરાવનાર વિશ્વના ધાર્મિક સમુદાયો; સંગ્રહિત ૨૦૧૩-૧૦-૦૫ ના રોજ archive.today ખ્રિસ્તી ધર્મના મુખ્ય સાંપ્રદાયિક પરિવારો). સંગ્રહિત ૨૦૧૫-૦૩-૧૫ ના રોજ વેબેક મશિન આ પણ જોશો છ ખંડીય વિસ્તારો મુજબ તમામ ધર્મોના વિશ્વવ્યાપક સમર્થકો, 1995-મધ્ય(Worldwide Adherents of All Religions by Six Continental Areas, Mid-1995) સંગ્રહિત ૨૦૧૭-૧૧-૧૨ ના રોજ વેબેક મશિન
  18. Joseph P. Pickett, સંપાદક (2000). "baptism". The American Heritage Dictionary of the English Language (Fourth આવૃત્તિ). Boston: Houghton Mifflin. ISBN 0-395-82517-2. મૂળ માંથી ડિસેમ્બર 7, 2008 પર સંગ્રહિત. મેળવેલ ફેબ્રુઆરી 24, 2009.
  19. 'સપ્ટે.માં: 2 કિ.ગ્રા. 5:13, 14 અમારી પાસે, સ્નાન અને બાપ્તિઝોમાઈ માટે, લોઉઓ (loúō) (3068) છે. જ્યાં કપડાંને બોળીને ધોવા માટે, પ્લુનો (plúnō) (4150), અને નહાવા માટે લોઉઓ (loúō) (3068) વપરાતા હતા, તે Lev. 11:25, 28, 40 પણ જોશો. Num. 19:18, 19 માં, ડુબાડવા માટે, બાફો (báphō), અને ડુબાડીને ધોવા માટે, પ્લુનો(plúnō)નો, ઉપયોગ થાય છે', ઝોધિએટ્સ, એસ. (2000, c1992, c1993). ધ કમ્પ્લિટ વર્ડ સ્ટડી ડિક્શનરીઃ ન્યૂ ટેસ્ટામેન્ટ (The Complete Word Study Dictionary : New Testament) (ઈલેક્ટ્રોનિક આવૃત્તિ) (જી(G)908). ચટ્ટાનૂગા, ટીએન(TN): એએમજી (AMG) પબ્લિશર્સ.
  20. 'LXX βάπτεινમાં (βαπτίζειν માત્ર 4 Βασ. 5:14 ખાતે જ ઘટે છે) טָבַל, "ડુબાડવું"ના ચિત્રણ તરીકે, રુ(Ru). 2:14 ખાતે, જોસ ખાતે નદીમાં પગ રાખીને, વાઈનમાં કોળિયો ડુબાડવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યો છે. એલવી. (Lv.) 4:6, 17 પર 3:15, તોરાહના બલિદાનોમાં રક્તમાં આંગળીનો, વગેરે, એલવી. (Lv.) 11:32 (בא hiph) પર, અશુદ્ધ વાસળોને શુદ્ધિકરણના કાયદાઓમાં પાણીમાં બોળવામાં આવે છે, થિયોલોજિકલ ડિક્શનરી ઓફ ધ ન્યૂ ટેસ્ટામેન્ટ. (Theological dictionary of the New Testament.) 1964-1976 આસપાસ. ગેર્હાર્ડ ફ્રાઈડરિચ દ્વારા સંપાદિત ખંડ 5-9. ખંડ 10, રોનાલ્ડ પિટકિન દ્વારા સંકલિત. (જી. કિટ્ટેલ, જી. ડબ્લ્યુ. બ્રોમિલે અને જી. ફ્રાઈડરિચ, સંપાદકો) (ઈલેક્ટ્રોનિક આવૃત્તિ) (1:535). ગ્રાન્ડ રેપિડ્સ, એમઆઈ (MI): એર્ડમેન્સ.
  21. ઈએક્સ (Ex) 12,22; એલવી(Lv) 4,6.17; 9,9; 11,32 સ્થ(sth)માં સ્થ(sth) [τι εἴς τι] ડુબાડવું એલવી (Lv) 9,9; id. [τι ἔν τινι] ડીટી (Dt) 33,24; id. [τι ἀπό τινος] ઈએક્સ (Ex) 12,22; સ્થ(sth)માં સ્બ(sb)ને [τινα ἔν τινι] ડુબાડવું અથવા બોળવું જેબી(Jb) 9,31', લસ્ટ, જે., આઈનિકેલ, ઈ., અને હૌસ્પી, કે. (2003). અ ગ્રીક-ઈંગ્લિશ લેક્સિકોન ઓફ ધ સેપ્ચ્યુઅગિન્ટઃ સુધારેલી આવૃત્તિ. ડેઉત્શ બાઈબલ્ગેસેલશાફ્ટ (Deutsche Bibelgesellschaft): સ્ટુટ્ટગાર્ટ.
  22. 'માર્ક 7:3માં, "તેમના હાથ ધોયા" એ શબ્દસમૂહ નિપ્ટો (níptō) (3538)નું ભાષાંતર છે, શરીરના હિસ્સાને જેમ કે હાથોને ધોવા. માર્ક 7:4માં ધોવાનું ક્રિયાપદ "સિવાય કે તેઓ ધોતા હોય" તે બાપ્તિઝોમાઈ, નિમજ્જન કરવું હોય. આ સૂચવે છે કે હાથ ધોવાની ક્રિયા એકત્રિત પાણીમાં બોળીને કરવામાં આવતી હતી. જુઓ લૂક 11:38, જે બાપ્ટિઝોમાઈનો ઉપયોગ કરીને, જમતાં પહેલાં હાથ ધોવાનો, હાથને બાપ્તિસ્મા આપવાનો ઉલ્લેખ કરે છે.', ઝોધિએટ્સ, એસ. (2000, c1992, c1993). ધ કમ્પ્લિટ વર્ડ સ્ટડી ડિક્શનરીઃ ન્યૂ ટેસ્ટામેન્ટ (ઈલેક્ટ્રોનિક આવૃત્તિ) (જી907). ચાટ્ટાનૂગા, ટીએન(TN): એએમજી(AMG) પબ્લિશર્સ.
  23. 'એલકે(Lk) 16:24માં, એનટી(NT) βάπτωનો ઉપયોગ માત્ર તેના શાબ્દિક અર્થમાં કરે છે; જેએન(Jn) 13:26 "માં ડુબાડવા" માટે, અને રેવ.(Rev.) 19:13 "રંગવા" માટે કરે છે.', થિયોલોજિકલ ડિક્શનરી ઓફ ધ ન્યૂ ટેસ્ટામેન્ટ. 1964-આશરે 1976. ગેરહાર્ડ ફ્રાઈડરિચ દ્વારા સંપાદિત, ખંડ 5-9. રોનાલ્ડ પિટકિન દ્વારા સંકલિત ખંડ 10. (સંપાદકો જી. કિટ્ટેલ, જી. ડબ્લ્યુ. બ્રોમિલી અને જી. ફ્રાઈડરિચ.) (ઈલેક્ટ્રોનિક આવૃત્તિ) (1:530). ગ્રાન્ડ રેપિડ્સ, એમઆઈ(MI): ઈઅર્ડમેન્સ.
  24. 'જે(J) 13:26'માં કશાકને કોઈ પ્રવાહીમાં ડુબાડવું, ડુબાડવું, બોળવું, ઝોધિએટ્સ, એસ. (2000, c1992, c1993). ધ કમ્પ્લિટ વર્ડ સ્ટડી ડિક્શનરીઃ ન્યૂ ટેસ્ટામેન્ટ (ઈલેક્ટ્રોનિક આવૃત્તિ) (જી907). ચાટ્ટાનૂગા, ટીએન(TN): એએમજી(AMG) પબ્લિશર્સ.
  25. 'βάπτω fut. βάψω; 1aor. ἔβαψα; pf. pass. ptc. βεβαμμένος; (1) માં અથવા નીચે ડુબાડવું, કોઈ પ્રવાહીમાં બોળવું (એલયુ(LU) 16.24); (2) રંગવાના કપડા તરીકે રંગદ્રવ્યમાં બોળવું, રંગ કરવો (આરવી(RV) 19.13)', ફ્રાઈબર્ગ, ટી., ફ્રાઈબર્ગ, બી., અને મિલર, એન. એફ. (2000). ખંડ 4: એનાલિટિકલ લેક્સિકોન ઓફ ધ ગ્રીક ન્યૂ ટેસ્ટામેન્ટ. બાકેર્સ ગ્રીક ન્યૂ ટેસ્ટામેન્ટ લાયબ્રેરી (87). ગ્રાન્ડ રેપિડ્સ, મિચ.: બાકેર બુક્સ.
  26. '970 βάπτω (બાપ્તો): vb.; ≡ DBLHebr 3188; Str 911; TDNT 1.529—LN 47.11 માં ડુબાડવું (એલકે(Lk) 16:24; જેએન(Jn) 13:26(2×); રેવ(Rev) 19:13+)', સ્વાનસન, જે. (1997). ડિક્શનરી ઓફ બિબ્લિકલ લેંગ્વેજિસ વિથ સિમૅન્ટિક ડોમેન્સઃ ગ્રીક (નવો કરાર) (ઈલેક્ટ્રોનિક આવૃત્તિ) (ડીબીએલજી (DBLG) 970). ઓક હાર્બરઃ લોગોસ રિસર્ચ સિસ્ટ્મ્સ, આઈએનસી(Inc).
  27. થિયોલોજિકલ ડિક્શનરી ઓફ ધ ન્યૂ ટેસ્ટામેન્ટ. 1964-આશરે 1976. ગેરહાર્ડ ફ્રાઈડરિચ દ્વારા સંપાદિત, ખંડ 5-9. રોનાલ્ડ પિટકિન દ્વારા સંકલિત ખંડ 10. (સંપાદકો જી. કિટ્ટેલ, જી. ડબ્લ્યુ. બ્રોમિલી અને જી. ફ્રાઈડરિચ.) (ઈલેક્ટ્રોનિક આવૃત્તિ) (1:535). ગ્રાન્ડ રેપિડ્સ, એમઆઈ(MI): ઈઅર્ડમેન્સ.
  28. Luke 11:38
  29. એ. એ. હોડ્ગે, આઉટલાઈન્સ ઓફ થિયોલૉજી 1992 ISBN 0-85151-160-0, 9780851511603 Bremmer, Michael (સપ્ટેમ્બર 7, 2001). "The Mode of Baptism". મૂળ સંગ્રહિત માંથી જાન્યુઆરી 26, 2002 પર સંગ્રહિત. મેળવેલ ફેબ્રુઆરી 25, 2009.માં ટાંકવામાં આવ્યું હતું
  30. Naumann, Bertram (2006). Paul Naumann (સંપાદક). "The Sacrament of Baptism" (PDF). Learn From Me. Church of the Lutheran Confession. મેળવેલ ફેબ્રુઆરી 24, 2009.
  31. Brom, Robert H. (ઓગસ્ટ 10, 2004). "Baptism: Immersion Only?". Catholic Answers. મૂળ માંથી માર્ચ 14, 2009 પર સંગ્રહિત. મેળવેલ ફેબ્રુઆરી 24, 2009. CS1 maint: discouraged parameter (link)
  32. Drachman, Bernard. "Ablution". માં Cyrus Adler (સંપાદક). Jewish Encyclopedia. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); CS1 maint: discouraged parameter (link)
  33. 'નિમજ્જન દ્વારા વારંવાર પ્રક્ષાલન અથવા સ્નાન, કાં તો બાપ્તિઝો અથવા નિપ્ટો(níptō) (3538) દ્વારા સૂચિત, ધોવું. Mark 7:3માં, "તેમના હાથ ધોયા" શબ્દસમૂહ એ નિપ્ટો(níptō) (3538)નું ભાષાંતર છે, શરીરના હિસ્સા જેવા કે હાથને ધોવા. માર્ક 7:4માં, "સિવાય કે તેઓ ધોવે"માં ધોવું ક્રિયાપદ એ બાપ્તિઝોમાઈ, નિમજ્જન આપવું છે. આ સૂચવે છે કે હાથ ધોવાની ક્રિયા તેમને એકત્રિત પાણીમાં ડુબાડીને કરવામાં આવતી હતી.', ઝોધિએટ્સ, એસ. (2000, c1992, c1993). ધ કમ્પ્લિટ વર્ડ સ્ટડી ડિક્શનરીઃ ન્યૂ ટેસ્ટામેન્ટ (ઈલેક્ટ્રોનિક આવૃત્તિ) (જી908). ચાટ્ટાનૂગા, ટીએન(TN): એએમજી(AMG) પબ્લિશર્સ.
  34. 'માર્ક 7:4 [v. 8માં v.l.]; અહીં કોઈને D Θ plમાં ῥαντίσωνταιની જગ્યાએ βαπτίσωνται દેખાય છે, જે βαπτίζωને βάπτωનો અર્થ આપે છે', બાલ્ઝ, એચ. આર., અને શ્નેઈડર, જી. (1990-આશરે 1993). એક્સિજેટિકલ ડિક્શનરી ઓફ ધ ન્યૂ ટેસ્ટામેન્ટ. એક્સિજેટિસ્ચ્સ વોર્ટેરબુચ ઝુમ નેઉઈન ટેસ્ટામેન્ટનું ભાષાંતર. (1:195). ગ્રાન્ડ રેપિડ્સ, મિચ.: ઈઅર્ડમેન્સ.
  35. 'Βάπτω ડુબાડવું, બોળવું', બાલ્ઝ, એચ. આર., અને શ્નેઈડર, જી. (1990-આશરે 1993). એક્સિજેટિકલ ડિક્શનરી ઓફ ધ ન્યૂ ટેસ્ટામેન્ટ. એક્સિજેટિસ્ચ્સ વોર્ટેરબુચ ઝુમ નેઉઈન ટેસ્ટામેન્ટનું ભાષાંતર. (1:195). ગ્રાન્ડ રેપિડ્સ, મિચ.: ઈઅર્ડમેન્સ.
  36. 'βάπτω; ἐμβάπτω: પદાર્થને પ્રવાહીમાં બોળવો – 'માં બોળવું., લૌવ, જે. પી., અને નિદા, ઈ. એ. (1996, આશરે 1989). ગ્રીક-ઈંગ્લિશ લેક્સિકોન ઓફ ધ ન્યૂ ટેસ્ટામેન્ટઃ બેઝ્ડ ઓન સિમૅન્ટિક ડોમેન્સ (2જી આવૃત્તિની ઈલેક્ટ્રોનિક આવૃત્તિ.) (1:522). ન્યૂ યોર્કઃ યુનાઈટેડ બાઈબલ સોસાયટીઝ.
  37. 'LXXમાં જુ. (Ju.) 2:14 પર βάπτειν...વાઈનમાં કોળિયો ડુબાડવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યો છે, એલવી (Lv). 4:6, 17 વગેરે પર બલિદાનોના તોરાહ(Torah)માં રક્તમાં આંગળી..." થિયોલૉજિકલ ડિક્શનરી ઓફ ધ ન્યૂ ટેસ્ટામેન્ટ. 1964-આશરે 1976. ગેરહાર્ડ ફ્રાઈડરિચ દ્વારા સંપાદિત ખંડ 5-9. રોનાલ્ડ પિટકિન દ્વારા સંકલિત ખંડ 10. (સંપાદકો જી. કિટ્ટેલ, જી. ડબ્લ્યુ. બ્રોમિલી અને જી. ફ્રાઈડરિચ.) (ઈલેક્ટ્રોનિક આવૃત્તિ) (1:535). ગ્રાન્ડ રેપિડ્સ, એમઆઈ(MI): ઈઅર્ડમેન્સ.
  38. ૩૮.૦ ૩૮.૧ આર્ન્ડ્ટ, ડબ્લ્યુ., દાન્કેર, એફ. ડબ્લ્યુ., અને બૉઅર, ડબ્લ્યુ. (2000). 2000). અ ગ્રીક-ઈંગ્લિશ લેક્સિકોન ઓફ ધ ન્યૂ ટેસ્ટામેન્ટ એન્ડ અધરા અર્લી ક્રિશ્ચિયન લિટરેચર, (3જી આવૃત્તિ) (165). શિકાગોઃ યુનિવર્સિટી ઓફ શિકાગો પ્રેસ
  39. ૩૯.૦ ૩૯.૧ ૩૯.૨ ફ્રાઈબર્ગ, ટી., ફ્રાઈબર્ગ, બી., અને મિલર, એન. એફ. (2000). ખંડ 4: એનાલિટિકલ લેક્સિકોન ઓફ ધ ગ્રીક ન્યૂ ટેસ્ટામેન્ટ. બાકર્સ ગ્રીક ન્યૂ ટેસ્ટામેન્ટ લાયબ્રેરી (87). ગ્રાન્ડ રેપિડ્સ, મિચ.: બાકર બુક્સ.
  40. થિયોલૉજિકલ ડિક્શનરી ઓફ ધ ન્યૂ ટેસ્ટામેન્ટ. 1964-આશરે 1976. ગેરહાર્ડ ફ્રાઈડરિચ દ્વારા સંપાદિત ખંડ 5-9. રોનાલ્ડ પિટકિન દ્વારા સંકલિત ખંડ 10. (સંપાદકો જી. કિટ્ટેલ, જી. ડબ્લ્યુ. બ્રોમિલી અને જી. ફ્રાઈડરિચ.) (ઈલેક્ટ્રોનિક આવૃત્તિ) (1:545). ગ્રાન્ડ રેપિડ્સ, એમઆઈ(MI): ઈઅર્ડમેન્સ.
  41. જુઓ http://www.bibelwissenschaft.de/online-bibeln/novum-testamentum-graece-na-27/lesen-im-bibeltext/bibelstelle/Kol%202/cache/d3cb350c68/#v12 નેસ્ટ્લે-એલાન્ડ 27મી (નવીનતમ) આવૃત્તિ.
  42. ૪૨.૦ ૪૨.૧ ઝોધિએટ્સ, એસ. (2000, c1992, c1993). ધ કમ્પ્લિટ વર્ડ સ્ટડી ડિક્શનરીઃ ન્યૂ ટેસ્ટામેન્ટ (ઈલેક્ટ્રોનિક આવૃત્તિ) (જી908). ચાટ્ટાનૂગા, ટીએન(TN): એએમજી(AMG) પબ્લિશર્સ.
  43. Matthew 3:7, Matthew 21:25; Mark 1:4, Mark 11:30; Luke 3:3, Luke 7:29, Luke 20:4; Acts 1:22, Acts 10:37, Acts 13:24, Acts 18:25, Acts 19:3-4)
  44. Romans 6:4, Ephesians 4:5, 1Peter 3:21
  45. Matthew 20:22-23, Mark 10:38-39, Luke 12:50
  46. Stoltz, Eric (2005). "A Christian Glossary: Baptism". The Abraham Project. મેળવેલ ફેબ્રુઆરી 25, 2009.[નોંધનીયતા શંકાસ્પદ?]
  47. Pongratz-Lippitt, Christa (મે 5, 2007). "Churches mutually recognise baptisms". The Tablet. મેળવેલ ફેબ્રુઆરી 25, 2009.
  48. એસડીએ (SDA) ચર્ચ મેન્યુઅલ, 2005, પૃષ્ઠ 42-3
  49. સંસ્કાર (2009). જ્ઞાનકોશ (એનસાઈક્લોપીડિયા) બ્રિટાનિકામાં. મે 20, 2009ના, જ્ઞાનકોશ બ્રિટાનિકા ઓનલાઈનઃ http://www.britannica.com/EBchecked/topic/515366/sacrament પરથી મેળવેલ.
  50. Cross, Frank Leslie (2005). "John the Baptist". The Oxford dictionary of the Christian Church. Oxford: Oxford University Press. ISBN 0-19-280290-9. OCLC 58998735. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); CS1 maint: discouraged parameter (link)ઢાંચો:Pn
  51. ૫૧.૦ ૫૧.૧ ૫૧.૨ Funk, Robert W. (1998). "John the Baptist". The Acts of Jesus: The Search for the Authentic Deeds of Jesus. San Francisco: HarperSanFrancisco. પૃષ્ઠ 268. ISBN 0-06-062978-9. OCLC 37854370. CS1 maint: discouraged parameter (link)
  52. Chadwick, Henry (2001). "John Baptist". The Church in Ancient Society: From Galilee to Gregory the Great. Oxford: Oxford University Press. પૃષ્ઠ 12. ISBN 0-19-924695-5. OCLC 191826204. મેળવેલ ફેબ્રુઆરી 24, 2009. Cite uses deprecated parameter |chapterurl= (મદદ); CS1 maint: discouraged parameter (link)
  53. ૫૩.૦ ૫૩.૧ Theissen, Gerd (1998). The Historical Jesus: A Comprehensive Guide. Minneapolis: Fortress Press. પૃષ્ઠ 209, 377. ISBN 0-8006-3122-6. OCLC 38590348. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); CS1 maint: discouraged parameter (link)
  54. Lichtenberger, Herman (1999). "Syncretistic Features in Jewish and Jewish-Christian Baptism Movements". માં James D. G. Dunn (સંપાદક). Jews and Christians: The Parting of the Ways, A.D. 70 to 135. Grand Rapids, Michigan: William B. Eerdmans Publishing Company. પૃષ્ઠ 87. ISBN 0-8028-4498-7. OCLC 40433122. મેળવેલ જાન્યુઆરી 19, 2009. Cite uses deprecated parameter |chapterurl= (મદદ)
  55. ૫૫.૦ ૫૫.૧ Dapaah, Daniel S. (2005). The relationship between John the Baptist and Jesus of Nazareth: a critical study. Washington, D.C.: University Press of America. પૃષ્ઠ 86–88. ISBN 0-7618-3109-6. OCLC 60342941.
  56. જુઓ, ઉ.દા., રૅયમન્ડ ઈ. બ્રાઉન દ્વારા એવા વિકલ્પોનો સારાંશ જુઓ, ધ ગોસ્પલ અકોરડિંગ ટુ યોહાન (i-xii): ઈન્ટ્રોડક્શન, ટ્રાન્સલેશન, એન્ડ નોટ્સ (યોહાન પ્રમાણે સુવાર્તાઃ પરિચય, અનુવાદ, અને નોંધો) (2જી આવૃત્તિ), ધ એન્કર બાઈબલમાં, ખંડ 29 (ગાર્ડન સિટી, એનવાય(NY): ડબલડે, 1966), પૃ. 164-165, 188-189.
  57. Sanders, E. P. (1993). The Historical Figure of Jesus. London: Allen Lane. ISBN 0-7139-9059-7. OCLC 30112315. CS1 maint: discouraged parameter (link)ઢાંચો:Pn
  58. ૫૮.૦ ૫૮.૧ Funk, Robert W. (1998). "John". The Acts of Jesus: The Search for the Authentic Deeds of Jesus. San Francisco: HarperSanFrancisco. પૃષ્ઠ 365–440. ISBN 0-06-062978-9. OCLC 37854370. CS1 maint: discouraged parameter (link)
  59. કોલિન જી. ક્રુસે, ધ ગોસ્પલ અકોર્ડિંગ ટુ યોહાનઃ એન ઈન્ટ્રોડક્શન અને કોમેન્ટરી (યોહાન મુજબ સુવાર્તાઃ પરિચય અને ટીકા) (વમ. બી. ઈઅર્ડમેન્સ પબ્લિશિંગ, 2004), પૃ. 119.
  60. દાપાહ, ડૅનિયલ એસ. ધ રિલેશનશિપ બિટ્વિન યોહાન ધ બૅપ્ટિસ્ટ એન્ડ જિજસ ઓફ નાઝારેથઃ અ ક્રિટિકલ સ્ટડી (બાપ્તિસ્ત યોહાન અને નાઝારેથના ઈસુ વચ્ચેનો સંબંધઃ એક સમાલોચનાપૂર્ણ અભ્યાસ). યુનિવર્સિટી પ્રેસ ઓફ અમેરિકા, 2005, પૃ. 98
  61. [માર્કસ બોકમ્યુએલ (સંપાદક), ધ કૅમ્બ્રિજ કમ્પૅનિયન ટુ જિજસ (કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ 2001 ISBN 978-0-521-79678-1), પૃ. 27
  62. Tomson, Peter J. (2001). "Jesus and His Judaism". માં Markus Bockmuehl (સંપાદક). The Cambridge Companion to Jesus. Cambridge: Cambridge University Press. પૃષ્ઠ 27. ISBN 0-521-79678-4. Cite uses deprecated parameter |chapterurl= (મદદ)
  63. કૅમ્બ્રિજ કમ્પૅનિયન, પૃ. 40
  64. કૅમ્બ્રિજ કમ્પૅનિયન, પૃ. 30
  65. Chilton, Bruce (2001). "Friends and enemies". માં Markus Bockmuehl (સંપાદક). The Cambridge Companion to Jesus. Cambridge: Cambridge University Press. પૃષ્ઠ 75. ISBN 0-521-79678-4. Cite uses deprecated parameter |chapterurl= (મદદ)
  66. રૅયમન્ડ એડવર્ડ બ્રાઉન, ધ ગોસ્પલ એન્ડ ઈપિસ્ટ્લ્સ ઓફ યોહાનઃ અ કન્સાઈઝ કૉમેન્ટરી (યોહાનની સુવાર્તા અને સંદેશપત્રોઃ એક સંક્ષિપ્ત ટીકા), પૃ. 3,
  67. જોએલ બી. ગ્રીન, સ્કોટ મૅકનાઈટ, આઈ. હોવર્ડ માર્શલ, ડિક્શનરી ઓફ જિજસ એન્ડ ધ ગોસ્પેલ્સઃ અ કૉમ્પેન્ડિયમ ઓફ કંટેમ્પોરરી બિબ્લિકલ સ્કૉલરશિપ . ઈન્ટરવાર્સિટી(InterVarsity) પ્રેસ, 1992, પૃ. 375: "માત્ર એટલા જ કારણોસર કે આ માહિતી માત્ર યોહાનમાં છે, તે તેનું કોઈ ઐતિહાસિક મૂલ્ય નથી એમ કહીને કાઢી નાખવા માટેનું પૂરતું કારણ નથી... વિદ્વાનો તેને સંભવિત માને છે, ઉદાહરણ તરીકે, ઈસુની મંડળી બે કે ત્રણ વર્ષો સુધી ટકી હતી (જેમ યોહાનનું કહેવું હતું), તે યરૂશાલેમમાં અને તેની બહાર હતા (જેમ અન્ય સુવાર્તાઓ સૂચવે છે, ઉ.દા., Luke 13:34, કે તેમના કેટલાક શિષ્યો પહેલાં યોહાન બાપ્તિસ્તના અનુયાયીઓ હતા, [Lk 1:35-37] અને ઈસુ અને તેમના શિષ્યો બાપ્તિસ્માની મંડળી (મિનિસ્ટ્રી) ચલાવતા હતા. "
  68. દ્વિટ મૂડી સ્મિથ સ્મિથ, ડી. મૂડી, આર. ઍલન કુલપીપર, સી. ક્લિફ્ટોન બ્લેક. એક્સપ્લોરિંગ ધ ગોસ્પલ ઓફ યોહાનઃ ઈન ઓનર ઓફ ડી. મૂડી સ્મિથ. વેસ્ટમિનસ્ટર યોહાન ક્નોક્સ પ્રેસ, 1996. પૃ. 28. "માત્ર યોહાનમાં જ એવી કેટલીક બાબતો છે જે ઐતિહાસિક હોઈ શકે અને તેને પૂરતું મહત્ત્વ અપાવું જોઈએ. ઈસુના પ્રથમ શિષ્યો કદાચ એક વખત બાપ્તિસ્તના અનુયાયીઓ હતા (cf. John 1:35-42)"
  69. ડૅનિયલ એસ. દાપાહ, ધ રિલેશનશિપ બિટવિન યોહાન ધ બાપ્તિસ્ત એન્ડ જિજસ ઓફ નાઝારથઃ અ ક્રિટિકલ સ્ટડી (યુનિવર્સિટી પ્રેસ ઓફ અમેરિકા, 2005): "યોહાનની આ સામગ્રીના ટુકડાની ઐતિહાસિકતા અંગે બચાવ કરવાનો અમારો પ્રસ્તાવ છે. આપણે દલીલ કરવી ઘટે કે ઈસુની બાપ્તિસ્મા આપવાની પ્રવૃત્તિના યોહાનના પુરાવા ઐતિહાસિક પરંપરાના ઉતારા હોઈ શકે, કારણ કે માહિતીના આ ટુકડા પાછળ ધર્મશાસ્ત્રનો કોઈ દેખીતો, તત્ત્વદર્શક એજન્ડા નથી. વધુમાં, સુવાર્તાકારોના મૌનને કદાચ સમજાવી શકાય, બીજાં કારણો વચ્ચે, એવી ધારણાને લીધે કે ઈવિન્જિલિસ્ટો આ પ્રસંગથી ક્ષોભિત થયા હતા અને બાપ્તિસ્મા આપતા ચર્ચમાં એ વિધિનો સંદર્ભ આપવો અનાવશ્યક હતો" (પૃ. 7). "સારરૂપ સુવાર્તાઓ(ગોસ્પેલ્સ)માં ઈસુની બાપ્તિસ્મા મંડળીની ગેરહાજરીનો અર્થ એવો નથી થતો કે યોહાનમાંની વિગતો પ્રમાણભૂત નથી, ન તો તે એમ સૂચવે છે કે સુવાર્તાકારોએ એવી વાર્તા ઉપજાવી કાઢી હતી કે જ્યારે ઈસુનું આગમન થયું ત્યારે યોહાન સક્રિય નહોતા. (Mark 1:14 અને સમાન)" ઉદાહરણ તરીકે, માર્કન પરંપરા, જે ચોથી સુવાર્તા કરતાં કાલક્રમ અનુસાર વહેલી છે, તે સૂચવે છે કે ઈસુ યોહાનની એટલી નજીક હતા કે જ્યારે યોહાનને કેદ કરવામાં આવ્યા ત્યારે એક સ્વતંત્ર મંડળી સ્થાપવા માટે ઈસુ ગાલિલી ઊપડી ગયા હતા. એવું લાગે છે કે યોહાન અને ઈસુએ શરૂઆતમાં સાથે કામ કર્યું હતું, ચોથા પ્રબોધક (ઈવેન્જિલિસ્ટ) આ ઘટનાને સ્પષ્ટ કરી છે" (પૃ. 98).
  70. ધ બિગનિંગ્સ ઓફ ધ ચર્ચ (પૉલિસ્ટ પ્રેસ 1988), પૃ. 55: "ચોથી સુવાર્તામાંનું આ લખાણ એવી છાપ આપે છે કે જ્યારે યોહાન હવે બેથનીમાં નહોતા (Jn 3:23; cf. 1:28) ત્યારે ઈસુ— યોહાનના ભૂતપૂર્વ અનુયાયીઓ સાથે—— પોતે જોર્ડન વિસ્તારમાં બાપ્તિસ્માની એક મંડળી ચલાવતા હતા. જ્યારે ઈસુએ જુડીયાનો વિસ્તાર છોડ્યો અને ગેલિલીમાં પોતાની મંડળી શરૂ કરી ત્યારે તેમણે દેખીતી રીતે પોતાની બાપ્તિસ્મા મંડળીને છોડી દીધી હતી અને ઉપદેશ અને બોધ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું."
  71. જૉસેફ સ્મિથ્સ ટ્રાન્સલેશન ઓફ ધ બાઈબલ (બાઈબલનું જૉસેફ સ્મિથનું ભાષાંતર) સંગ્રહિત ૨૦૧૦-૦૨-૨૭ ના રોજ વેબેક મશિન, સેન્ટ. યોહાન પ્રકરણ 4
  72. દાપાહ, ડૅનિયલ એસ. ધ રિલેશનશિપ બિટવિન યોહાન ધ બાપ્તિસ્ત એન્ડ જિજસ ઓફ નાઝારથઃ અ ક્રિટિકલ સ્ટડી. યુનિવર્સિટી પ્રેસ ઓફ અમેરિકા, 2005, પૃ. 97
  73. બાપ્તિસ્મા. (2009). જ્ઞાનકોશ બ્રિટાનિકામાં. મે 21, 2009ના, જ્ઞાનકોશ બ્રિટાનિકા ઓનલાઈનઃ http://www.britannica.com/EBchecked/topic/52311/Baptism પરથી મેળવેલ.
  74. સંસ્કાર. (2009). જ્ઞાનકોશ બ્રિટાનિકામાં. મે 21, 2009ના, જ્ઞાનકોશ બ્રિટાનિકા ઓનલાઈનઃ http://www.britannica.com/EBchecked/topic/515366/sacrament પરથી મેળવેલ.
  75. હૅરિસ, સ્ટીફન એલ., અન્ડરસ્ટેન્ડિંગ ધ બાઈબલ. પાલો અલ્ટોઃ મેફિલ્ડ. 1985. "યોહાન" પૃ. 302-310.
  76. May, Herbert Gordon (1977). The New Oxford Annotated Bible with the Apocrypha. Oxford: Oxford University Press. પૃષ્ઠ 1213–1239. ISBN 0-19-528348-1. OCLC 3145429. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
  77. ૭૭.૦ ૭૭.૧ ૭૭.૨ Funk, Robert W. (1998). "Matthew". The Acts of Jesus: The Search for the Authentic Deeds of Jesus. San Francisco: HarperSanFrancisco. પૃષ્ઠ 129–270. ISBN 0-06-062978-9. OCLC 37854370. CS1 maint: discouraged parameter (link)
  78. ૭૮.૦ ૭૮.૧ ૭૮.૨ Harris, Stephen L. (1985). Understanding the Bible: A Reader's Introduction. Palo Alto, California: Mayfield Publishing Company. પૃષ્ઠ 266–268. ISBN 0-87484-696-X. OCLC 12042593. CS1 maint: discouraged parameter (link) સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ "Harris Gospels" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે
  79. ૭૯.૦ ૭૯.૧ Funk, Robert Walter (1993). "Stages in the Development of Early Christian Tradition". The Five Gospels: The Search for the Authentic Words of Jesus : New Translation and Commentary. New York City: Macmillan Publishers. પૃષ્ઠ 128. ISBN 0-02-541949-8. OCLC 28421734. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); CS1 maint: discouraged parameter (link)
  80. Strang, Veronica (1997). "Water in the Church". The Meaning of Water. Berg Publishers. પૃષ્ઠ 91. ISBN 1-85973-753-6. Fonts and baptisteries were constructed with taps and channels to ensure that they were supplied with moving water,which, as Schmemann points out, is symbolically crucial: 'The early Christian prescription is to baptize in living water. This is not merely a technical term denoting running water as distinct from standing water… it is this understanding that determined the form and theology of the baptismal font… The characteristic feature of the "baptistery" was that water was carried into it by a conduit, thus remaining "living water".' Cite uses deprecated parameter |chapterurl= (મદદ)
  81. "(7:1) બાપ્તિસ્મા અંગે, આ પ્રમાણે બાપ્તિસ્મા આપોઃ આ તમામ બાબતો પહેલાં કહી લીધા પછી, પિતા, અને પુત્ર, અને પવિત્ર આત્માના નામમાં, વહેતાં પાણીમાં બાપ્તિસ્મા આપો. (7:2) પણ જો તમારી પાસે વહેતું પાણી ન હોય, તો અન્ય પાણીમાં બાપ્તિસ્મા આપો; અને જો તમે ઠંડા પાણીમાં ન કરી શકો તેમ હો, તો હૂંફાળા પાણીમાં કરો. (7:3) પણ જો તમારી પાસે બંનેમાંથી કોઈ ન હોય, તો પિતાના અને પુત્રના તથા પવિત્ર આત્માના નામમાં મસ્તિષ્ક પર ત્રણ વખત પાણી રેડો." ડિડાચે (Didache) , પ્રકરણ 7.
  82. Metzger, Marcel (1997). "The Order of Baptism in the Didache". History of the Liturgy: The Major Stages. Collegeville Township, Minnesota: Liturgical Press. પૃષ્ઠ 25–26. ISBN 0-8146-2433-2. The Didache recognizes the superior value of running water for the baptismal immersion but does not impose it as a necessary condition… The regulations of the Didache also forsee the case in which immersion is impossible for lack of water and prescribe baptism by pouring water three times on the candidate's head. Cite uses deprecated parameter |chapterurl= (મદદ)
  83. ૮૩.૦ ૮૩.૧ Lacoste, Jean-Yves (2005). Encyclopedia of Christian Theology: G – O. Milton Park: Routledge. પૃષ્ઠ 1607. ISBN 0-5795-8250-8 Check |isbn= value: checksum (મદદ). According to the Didache (1st century), baptism should be done by a triple immersion in running water. CS1 maint: discouraged parameter (link)
  84. ૮૪.૦ ૮૪.૧ Meeks, Wayne A. (2006). "Baptism: ritual of initiation". The Cambridge History of Christianity. Cambridge: Cambridge University Press. પૃષ્ઠ 160–161. ISBN 0-521-81239-9. The Didache, representing practice perhaps as early as the beginning of the second century, probably in Syria, also assumes immersion to be normal, but it allows that if sufficient water for immersion is not at hand, water may be poured three times over the head (7:3). Cite uses deprecated parameter |chapterurl= (મદદ); Unknown parameter |editors= ignored (|editor= suggested) (મદદ)
  85. Dau, W. H. T. (1995). "Baptism". માં Geoffrey W. Bromiley (સંપાદક). The International Standard Bible Encyclopedia: A – D. Michigan: William B. Eerdmans Publishing Company. પૃષ્ઠ 419. ISBN 0-8028-3781-6. This seems to say that to baptize by immersion was the practice recommended for general use, but that the mode of affusion was also valid and enjoined on occasions
  86. Dau, W. H. T. (1995). "Baptism". માં Geoffrey W. Bromiley (સંપાદક). The International Standard Bible Encyclopedia: A – D. Michigan: William B. Eerdmans Publishing Company. પૃષ્ઠ 417. ISBN 0-8028-3781-6. It is frankly admitted by paedo-baptist scholars that the NT gives no warrant for infant baptism
  87. Bromiley, Geoffrey William (1985). "baptizo". માં Gerhard Kittel and Gerhard Friedrich (સંપાદક). Theological dictionary of the New Testament. Grand Rapids, Michigan: William B. Eerdmans Publishing Company. પૃષ્ઠ 94. ISBN 0-8028-2404-8. OCLC 11840605. Infant baptism, which cannot be supported from NT examples… Cite uses deprecated parameter |chapterurl= (મદદ)
  88. Miller, Randolph A. (2002). A Historical and Theological Look at the Doctrine of Christian Baptism. iUniverse. પૃષ્ઠ 140. ISBN 9780595215317. It is often maintained that the Didache, a very early second-century document describing the practices of the first-century church, including baptism, knows nothing of infant baptism and excludes the possibility of it in the early church because of the fasting and confession of the candidate mentioned in the text.
  89. Williams, J. Rodman (1996). Renewal Theology: Systematic Theology from a Charismatic Perspective. Grand Rapids, Michigan: Zondervan. પૃષ્ઠ 236. ISBN 9780310209140. OCLC 36621651. For example, the Didache has a section on baptism (as we have seen) that concludes with this statement: 'And before the baptism, let the one baptizing and the one who is to be baptized fast. …Also, you must instruct the one who is to be baptized to fast for one or two days beforehand' (The Apostolic Fathers 7:4). Obviously none of this is applicable to infants CS1 maint: discouraged parameter (link)
  90. Wiley, Tatha (2002). Original sin: origins, developments, contemporary meanings. New York City: Paulist Press. પૃષ્ઠ 38. ISBN 0-8091-4128-0. OCLC 50404061. The Didache’s assumption of adult baptism offers evidence that its author did not suppose human beings were in need of divine forgiveness from birth
  91. ૯૧.૦ ૯૧.૧ ૯૧.૨ ૯૧.૩ ૯૧.૪ Fanning, William (1907). "Baptism". Catholic Encyclopedia. New York City: Robert Appleton Company. મેળવેલ ફેબ્રુઆરી 24, 2009.
  92. ૯૨.૦ ૯૨.૧ કૅટિક્યુમૅન. (2009). જ્ઞાનકોશ બ્રિટાનિકામાં. મે 20, 2009ના, જ્ઞાનકોશ બ્રિટાનિકા ઓનલાઈનઃ http://www.britannica.com/EBchecked/topic/99350/catechumen પરથી મેળવેલ.
  93. Cross, Frank Leslie (2005). "Nicene Creed". The Oxford dictionary of the Christian Church. Oxford: Oxford University Press. ISBN 0-19-280290-9. OCLC 58998735. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); CS1 maint: discouraged parameter (link)ઢાંચો:Pn
  94. Cross, Frank Leslie (2005). "Sacrament". The Oxford dictionary of the Christian Church. Oxford: Oxford University Press. ISBN 0-19-280290-9. OCLC 58998735. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); CS1 maint: discouraged parameter (link)ઢાંચો:Pn
  95. Ristow, Sebastian (2005). "Baptismal Font from the Cologne Baptistery". Cologne Cathedral. મૂળ માંથી એપ્રિલ 29, 2011 પર સંગ્રહિત. મેળવેલ ફેબ્રુઆરી 24, 2009.
  96. અનુક્રમમાં "દ્રવ્ય" અને "સ્વરૂપ" શબ્દો મળતા નથી, ન તો તે વિભાગ 1131માં આપેલી સંસ્કારની વ્યાખ્યાઓમાં જોવા મળે છે. પુસ્તકની ઈલેક્ટ્રોનિક આવૃત્તિમાં આપવામાં આવેલા સર્ચમાં "દ્રવ્ય" શબ્દનો કોઈ ઉપયોગ મળતો નથી, અને "સ્વરૂપ" શબ્દ માત્ર વિભાગ 1434માં મળે છે, જેનું શીર્ષક છે "ખ્રિસ્તી જીવનમાં પ્રાયશ્ચિતનાં અનેક સ્વરૂપો", જે સંસ્કારો વિશે નથી.
  97. "Baptism and Its Purpose". Lutheran Church – Missouri Synod. મૂળ માંથી ફેબ્રુઆરી 6, 2009 પર સંગ્રહિત. મેળવેલ ફેબ્રુઆરી 24, 2009.
  98. Luther, Martin (2009) [1529]. "The Sacrament of Holy Baptism". Luther's Small Catechism. મૂળ માંથી સપ્ટેમ્બર 20, 2008 પર સંગ્રહિત. મેળવેલ ફેબ્રુઆરી 24, 2009. Cite uses deprecated parameter |chapterurl= (મદદ); CS1 maint: discouraged parameter (link)
  99. Luther, Martin (2009) [1529]. "Of Infant Baptism". Luther's Large Catechism. મૂળ માંથી જૂન 13, 2008 પર સંગ્રહિત. મેળવેલ ફેબ્રુઆરી 24, 2009. Cite uses deprecated parameter |chapterurl= (મદદ); CS1 maint: discouraged parameter (link)
  100. ૧૦૦.૦ ૧૦૦.૧ ૧૦૦.૨ ૧૦૦.૩ ૧૦૦.૪ ૧૦૦.૫ બ્રાકની, વિલિયમ એચ. "ડૂઈંગ બાપ્તિસ્મા બાપ્તિસ્ત સ્ટાઈલઃ બિલિવર્સ બાપ્તિસ્મા (બાપ્તિસ્તની શૈલીથી બાપ્તિસ્મા આપવાઃ આસ્થાવાનના બાપ્તિસ્મા)." બૅપ્ટિસ્ટ હિસ્ટ્રી એન્ડ હેરિટેજ સોસાયટી. જુલાઈ 29, 2009. ઓનલાઈનઃ http://www.baptisthistory.org/pamphlets/baptism.htm સંગ્રહિત ૨૦૧૦-૦૧-૦૭ ના રોજ વેબેક મશિન
  101. ઈર્વિન ફાહ્લબુશ, જિઓફ્રેય વિલિયમ બ્રોમિલી, ડૅવિડ બી. બાર્રેટ્ટ. ધ એનસાયક્લોપિડીયા ઓફ ક્રિશ્ચિયાનિટી (વમ(Wm).બી. ઈઅર્ડમૅન્સ પબ્લિશિંગ, 1999 ISBN 0-8028-2413-7), પૃ. 562
  102. ડિડાચે(Didache), પ્રકરણ 7: "માથા પર ત્રણ વખત પાણી રેડો".
  103. http://www.etymonline.com/index.php?term=immersion
  104. John Piper (સંપાદક). "1689 Baptist Catechism". મેળવેલ ફેબ્રુઆરી 3, 2010.
  105. ૧૦૫.૦ ૧૦૫.૧ Cross, Frank Leslie (2005). "Immersion". The Oxford Dictionary of the Christian Church. Oxford and New York: Oxford University Press. પૃષ્ઠ 827. ISBN 0-19-280290-9. OCLC 58998735. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); CS1 maint: discouraged parameter (link)
  106. ૧૦૬.૦ ૧૦૬.૧ "પાઈનહુર્સ્ટ યુનાઈટેડ મેથોડિસ્ટ ચર્ચની વેબસાઈટ પર પ્રકાશિત અભ્યાસ" (PDF). મૂળ (PDF) માંથી ઑક્ટોબર 21, 2013 પર સંગ્રહિત. મેળવેલ એપ્રિલ 4, 2011. Check date values in: |archive-date= (મદદ)
  107. વૈજ્ઞાનિક સંદર્ભમાં, બે શબ્દોને મોટા ભાગે પરસ્પર વિશિષ્ટ રીતે સમજવામાં આવે છે. ગણિતમાં તેનાં ઉદાહરણો મળે છે (જુઓ રાલ્ફ અબ્રાહમ, જેરોલ્ડ ઈ. માર્સદન, ટુડોર એસ. રા. iu, બહુવિધ, ટેન્સર વિશ્લેષણ, અને ઍપ્લિકેશન્સ, પૃ. 196 અને ક્લાઉસ ફ્રિત્ઝશ, હાન્સ ગ્રાઉર્ટ, હોલોમોર્ફિક ફંક્શન્સ ટુ કૉમ્પ્લેક્સ મૅનિફોલ્ડ્સ, પૃ. 168), તબીબશાસ્ત્રમાં (નિમજ્જન, પાણીમાં ડુબવા, અને હૃદયના ધબકારાની ફેરફારક્ષમતા પર સ્કૂયુબે ડાઈવિંગ), અને ભાષા શીખવી (શાળામાં દ્વિતીય ભાષામાં નિમજ્જન). સંગ્રહિત ૨૦૧૪-૧૨-૦૬ ના રોજ વેબેક મશિન
  108. કૅથોલિક એનસાયક્લોપિડીયા, લેખ બાપ્તિસ્માનું પાત્ર (બૅપ્ટિસ્મલ ફોન્ટ)
  109. http://www.merriam-webster.com/dictionary/submerge
  110. Cross, Frank Leslie (2005). "Submersion". The Oxford dictionary of the Christian Church. Oxford: Oxford University Press. પૃષ્ઠ 1563. ISBN 0-19-280290-9. OCLC 58998735. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); CS1 maint: discouraged parameter (link), પૃ. 1563; cf. Wilson, Louis Charles (1895). The History of Sprinkling. Cincinnati: Standard Publishing. OCLC 4759559.ઢાંચો:Pn
  111. સાઉથર્ન બૅપ્ટિસ્ટ કન્વેન્શનની અધિકૃત વેબસાઈટ મૂળભૂત માન્યતાઓ, પેટાશીર્ષક "બાપ્તિસ્મા અને પ્રભુનું છેલ્લું ભોજન" સંગ્રહિત ૨૦૧૩-૦૩-૧૨ ના રોજ વેબેક મશિન. 2009-04-08ના મેળવેલ.
  112. જેમ કે Colossians 2:12–13 અને Romans 6:2–13
  113. વિલિયમ એચ. બ્રાકની. "બિલિવર્સ બાપ્તિસ્મા (આસ્થાવાનના બાપ્તિસ્મા)" બાપ્તિસ્ત હિસ્ટ્રી એન્ડ હેરિટેજ સોસાયટી.જૂન 18, 2009. http://www.baptisthistory.org/pamphlets/baptism.htm સંગ્રહિત ૨૦૧૦-૦૧-૦૭ ના રોજ વેબેક મશિન
  114. Disciples.org, સ્વામિત્વ ક્રિશ્ચિયન ચર્ચ (ડિસાઈપલ્સ ઓફ ક્રાઈસ્ટ) બાપ્તિસ્મા સંગ્રહિત ૨૦૧૦-૧૨-૧૨ ના રોજ વેબેક મશિન, 2009-04-08ના મેળવેલ, "જેમ બાપ્તિસ્મા ઈસુ ખ્રિસ્તના મૃત્યુ, દફન અને પુનરુત્થાનને રજૂ કરે છે, તેમ તે પસ્તાવો કરનાર આસ્થાવાનના જૂના સ્વના મૃત્યુ અને દફન, તથા ખ્રિસ્તમાં તદ્દન નવા આનંદસભર જન્મને પ્રતીકાત્મક રીતે વ્યક્ત કરે છે."
  115. Disciples.org ક્રિશ્ચિયન ચર્ચ (ડિસાઈપલ્સ ઓફ ક્રાઈસ્ટ): અ રિફોર્મ્ડ નોર્થ અમેરિકન મેઈનસ્ટ્રીમ મોડરેટ ડિનોમિનેશન સંગ્રહિત ૨૦૧૧-૦૯-૨૭ ના રોજ વેબેક મશિન, 2009-04-08ના મેળવેલ, "આપણી બાપ્તિસ્મા અને પ્રભુના છેલ્લા ભોજનની રૂઢિઓ વિશ્વવ્યાપી છે. આસ્થાવાનના નિમજ્જનની પ્રથા પાળતા હોવા છતાં, મોટા ભાગના ધાર્મિક સમુદાયો અન્ય ચર્ચોના બાપ્તિસ્માને માન્ય રાખે છે."
  116. ૧૧૬.૦ ૧૧૬.૧ ૧૧૬.૨ સ્ટુઅર્ટ એમ. મૅટ્લિન્સ, આર્થર જે. માગિડા, જે. માગિડા, હાઉ ટુ બી અ પરફેક્ટ સ્ટ્રેન્જરઃ અ ગાઈડ ટુ એટીકેટ ઈન અધર પીપલ્સ રિલિજિયસ સેરિમનિઝ (એક આદર્શ અજાણ્યા કેવી રીતે બનવું: અન્ય લોકોના ધાર્મિક સમારંભોમાં વર્તવાની રીતભાત માટેની માર્ગદર્શિકા), વૂડ લેક પબ્લિશિંગ આઈએનસી(Inc)., 1999, ISBN 1-896836-28-3, 9781896836287, 426 પાનાં, પ્રકરણ 6- ચર્ચિસ ઓફ ક્રાઈસ્ટ (ખ્રિસ્તનાં ચર્ચો)
  117. ૧૧૭.૦ ૧૧૭.૧ ૧૧૭.૨ ૧૧૭.૩ ૧૧૭.૪ રોન રહોડેસ, ધ કમ્પ્લિટ ગાઈડ ટુ ક્રિશ્ચિયન ડીનોમિનેશન્સ (ખ્રિસ્તી સંપ્રદાયોની સંપૂર્ણ માર્ગદર્શિકા), હાર્વેસ્ટ હાઉસ પબ્લિશર્સ, 2005, ISBN 0-7369-1289-4
  118. ૧૧૮.૦ ૧૧૮.૧ ૧૧૮.૨ ૧૧૮.૩ ૧૧૮.૪ ૧૧૮.૫ બૅટસેલ બાર્રેટ્ટ બાક્સટર, હૂ આર ધ ચર્ચિસ ઓફ ક્રાઈસ્ટ એન્ડ વૉટ ડૂ ધે બિલિવ ઈન? (ખ્રિસ્તનાં ચર્ચો કોણ છે અને તે શેમાં માને છે?) "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી જૂન 19, 2008 પર સંગ્રહિત. મેળવેલ એપ્રિલ 4, 2011.માં અને અહીં, અહીં સંગ્રહિત ૨૦૦૬-૦૬-૨૨ ના રોજ વેબેક મશિન અને અહીં ઓનલાઈન ઉપલબ્ધ
  119. ૧૧૯.૦ ૧૧૯.૧ ૧૧૯.૨ ૧૧૯.૩ ૧૧૯.૪ ૧૧૯.૫ ૧૧૯.૬ ટોમ જે. નેટ્ટલેસ, રિચાર્ડ એલ. પ્રાટ, જુનિ., યોહાન એચ. આર્મસ્ટ્રોંગ, રોબર્ટ કોલ્બ, અન્ડર્સ્ટેન્ડિંગ ફોર વ્યૂઝ ઓન બૅપ્ટિઝમ (બાપ્તિસ્મા અંગેના ચાર દૃષ્ટિકોણોની સમજણ) , ઝોન્ડરવન, 2007, ISBN 0-310-26267-4, 9780310262671, 222 પાનાં.
  120. "અબાઉટ એડવેન્ટિસ્ટ્સ (એડવેન્ટિસ્ટો વિશે)." સેન્ટ. લૂઈસ યૂનિફાઈડ સ્કૂલ. જૂન 18, 2009. http://slus.org/index.php?option=com_content&view=article&id=66&Itemid=82 સંગ્રહિત ૨૦૧૦-૦૫-૦૫ ના રોજ વેબેક મશિન
  121. ધ ચર્ચ ઓફ જિજસ ક્રાઈસ્ટ ઓફ લેટર-ડે સેઈન્ટ્સની અધિકૃત વેબસાઈટ મૂળભૂત માન્યતાઓ, પેટાશીર્ષક "બાપ્તિસ્મા અને પુષ્ટિકરણ". 2009-04-08ના મેળવેલ.
  122. માહિતીપત્રિકાઃ "જેહોવાઝ વિટનેસિસ- હૂ આર ધે? વૉટ ડૂ ધે બિલિવ? (યહોવાના સાક્ષીઓ- કોણ છે તેઓ? તેઓ શેમાં માને છે?)", પૃ. 13 [૧] સંગ્રહિત ૨૦૧૦-૦૬-૧૩ ના રોજ વેબેક મશિન
  123. Cyril of Jerusalem, Catechetical Lecture 20 (On the Mysteries. II. of Baptism) Romans 6:3-14 http://www.newadvent.org/fathers/310120.htm
  124. ૧૨૪.૦૦ ૧૨૪.૦૧ ૧૨૪.૦૨ ૧૨૪.૦૩ ૧૨૪.૦૪ ૧૨૪.૦૫ ૧૨૪.૦૬ ૧૨૪.૦૭ ૧૨૪.૦૮ ૧૨૪.૦૯ ૧૨૪.૧૦ ૧૨૪.૧૧ ડગલાસ એલન ફોસ્ટર અને એન્થોની એલ. દુન્નાવંત, ધ એન્સાઈક્લોપીડિયા ઓફ ધ સ્ટોન-કૅમ્પબેલ મુવમેન્ટઃ ક્રિશ્ચિયન ચર્ચ (ડિસાઈપલ્સ ઓફ ક્રાઈસ્ટ), ક્રિશ્ચિયન ચર્ચિસ/ચર્ચિસ ઓફ ક્રાઈસ્ટ, ચર્ચિસ ઓફ ક્રાઈસ્ટ (સ્ટોન-કૅમ્પબેલ ચળવળનો જ્ઞાનકોશઃ ખ્રિસ્તી ચર્ચ (ખ્રિસ્તના શિષ્યો), ખ્રિસ્તી ચર્ચો/ખ્રિસ્તનાં ચર્ચો, ખ્રિસ્તનાં ચર્ચો), વમ. બી. ઈઅર્ડમેન્સ પબ્લિશિંગ, 2004, ISBN 0-8028-3898-7, 9780802838988, 854 પાનાં, બાપ્તિસ્મા પર નોંધ
  125. ૧૨૫.૦ ૧૨૫.૧ હૅરોલ્ડ હાઝેલિપ, ગેરી હોલોવે, રાન્ડૅલ જે. હેરિસ, માર્ક સી. બ્લેક, થિયોલૉજી મેટર્સઃ ઈન ઓનર ઓફ હૅરોલ્ડ હાઝેલિપઃ આન્સર્સ ફોર ધ ચર્ચ ટુડે , કૉલેજ પ્રેસ, 1998, ISBN 0-89900-813-5, 9780899008134, 368 પાનાં.
  126. Nicodemos the Hagiorite. "Concerning Thoughts". Exomologetarion.
  127. Tertullian. "Of the Persons to Whom, and the Time When, Baptism is to Be Administered". માં Philip Schaff (સંપાદક). Ante-Nicene Fathers. Cite uses deprecated parameter |chapterurl= (મદદ)
  128. "Baptism in Jesus' Name". Apostolic Network. મેળવેલ ફેબ્રુઆરી 25, 2009.[નોંધનીયતા શંકાસ્પદ?][મૃત કડી]
  129. "Water Baptism in Jesus' Name is Essential unto Salvation". મૂળ માંથી એપ્રિલ 4, 2009 પર સંગ્રહિત. મેળવેલ ફેબ્રુઆરી 26, 2009.[નોંધનીયતા શંકાસ્પદ?]
  130. "Baptism, Eucharist and Ministry—Faith and Order Paper No. 111". World Council of Churches. 1982. મૂળ માંથી જુલાઈ 9, 2008 પર સંગ્રહિત. મેળવેલ March 1, 2009. Check date values in: |archive-date= (મદદ)
  131. "Becoming a Christian: The Ecumenical Implications of Our Common Baptism". World Council of Churches. 1997. મેળવેલ મે 13, 2007.
  132. કોડ ઓફ કૅનન લૉ(ખ્રિસ્તી ધર્મશાસ્ત્રની સંહિતા), કૅનન 869; cf. યોહાન પી. બીઅલ, જેમ્સ એ. કોરીડેન, થોમસ જે. કૃત કોડ ઓફ કૅનન લૉ પર નવું ભાષ્ય, પૃ. 1057-1059.
  133. "Response of the Congregation for the Doctrine of the Faith". Vatican.va. જૂન 5, 2001. મેળવેલ ફેબ્રુઆરી 25, 2009.
  134. વિશ્વાસની માન્યતા માટેની ધર્મસભા દ્વારા જૂન 5, 2001નું ઘોષણાપત્ર
  135. "The Question Of The Validity Of Baptism Conferred In The Church Of Jesus Christ Of Latter". Ewtn.com. ઓગસ્ટ 1, 2001. મૂળ માંથી જાન્યુઆરી 16, 2009 પર સંગ્રહિત. મેળવેલ ફેબ્રુઆરી 25, 2009.
  136. "Topic Definition: Baptism". Lds.org. મેળવેલ ફેબ્રુઆરી 25, 2009.
  137. "ક્વેશ્ચન્સ ફ્રોમ રિડર્સ (વાચકો તરફથી પ્રશ્નો)", ધ વૉચટાવર , મે 1, 1959, પૃ.288, "આમ, જ્યારે ઈ.સ.1914માં ખ્રિસ્તને રાજા તરીકે સિંહાસને બેસાડવામાં આવ્યા ત્યારે તેમની શાસક સ્થિતિના માનમાં તમામ સાચા ખ્રિસ્તીઓને પુનઃબાપ્તિસ્મા આપવા આવશ્યક નહોતા."
  138. "જેહોવાઝ વિટનેસિસ એન્ડ્યોર ફોર હિસ સૉવરિન ગોડશિપ (તેમના સાર્વભૌમ પ્રભુપણા માટે યહોવાના સાક્ષીઓએ સહન કર્યું)", ધ વૉચટાવર , સપ્ટેમ્બર 15, 1966, પૃ. 560, "1919થી પુનઃસ્થાપનના દાયકાઓમાં, પૃથ્વીના અલગ અલગ ભાગોમાં વિવિધ ધાર્મિક પંથોના સાચા-હૃદયના દીક્ષા પામેલા પાદરીઓએ પુનઃબાપ્તિસ્મા લઈને અભિષિક્ત અવશેષના નોકરી-જેવા પાદરીઓની પુરોહિત સેવાઓનો પશ્ચાતાપ સહિત સ્વીકાર કર્યો અને યહોવાના સાચા પાદરીઓની જેમ પાદરીની દીક્ષા આપી હતી."
  139. "ટ્રૂ ક્રિશ્ચિયાનિટી ઈઝ ફ્લાવરિશિંગ(સાચો ખ્રિસ્તી ધર્મ ફૂલીફાલી રહ્યો છે)", ધ વૉચટાવર , માર્ચ 1, 2004, પૃ.7 એપ્રિલ 9, 2009ના મેળવ્યા મુજબ સંગ્રહિત ૨૦૧૦-૦૬-૧૩ ના રોજ વેબેક મશિન, "ભલે ખ્રિસ્તીસમૂહના ધર્મશાસ્ત્રીઓ, મિશનરીઓ, અને ચર્ચ જનારાઓ તેમનાં ચર્ચોમાં ભેગા થતા વિવાદના તોફાન સાથે બાઝંબાઝી કરી રહ્યા છે, પણ વિશ્વભરમાં ખ્રિસ્તી ધર્મ ફૂલીફાલી રહ્યો છે. ખરેખર, સાચા ખ્રિસ્તીઓ... તમને યહોવાના સાક્ષીઓની એકમાત્ર સાચા પ્રભુ, યહોવાની સંગઠિત ખ્રિસ્તી પ્રાર્થનામાં જોડાવા માટે આમંત્રણ આપે છે. "
  140. જેહોવાઝ વિટનેસિસ-પ્રોક્લેમર્સ ઓફ ગોડ્ઝ કિંગડમ(પ્રભુના રાજ્યની છડી પોકારનારા- યહોવાના સાક્ષીઓ) , પ્રકાશક યહોવાના સાક્ષીઓ, "પ્રકરણ 31: કેવી રીતે પસંદગી પામ્યા અને પ્રભુ દ્વારા દોરાયા", પૃ. 706, "સ્પષ્ટપણે, જ્યારે 1914માં અંતસમય શરૂ થયો, ત્યારે ખ્રિસ્તીવિશ્વનાં કોઈ પણ ચર્ચો એક સાચા ખ્રિસ્તી સમુદાયને આ મુજબના બાઈબલનાં ધોરણો અનુસાર માપતો નહોતો. તો ત્યારે યહોવાના સાક્ષીઓ તરીકે, બાઈબલના વિદ્યાર્થીઓને કેવી રીતે ઓળખવામાં આવતા હતા?"
  141. ૧૪૧.૦ ૧૪૧.૧ "The Minister of Baptism". Code of Canon Law. Vatican Publishing House. 1983. મેળવેલ ફેબ્રુઆરી 25, 2009.
  142. "Parishes, Pastors, and Parochial Vicars". Code of Canon Law. Vatican Publishing House. 1983. મેળવેલ ફેબ્રુઆરી 25, 2009.
  143. "Canon 677". Code of Canons of the Eastern Churches. 1990. મેળવેલ ફેબ્રુઆરી 26, 2009.
  144. Ware, Kallistos (1964). The Orthodox Church. New York City: Penguin Books. પૃષ્ઠ 285. CS1 maint: discouraged parameter (link)
  145. "ઍરોનિક પ્રીસ્ટહૂડ", પ્રીસ્ટહૂડ એન્ડ ઓક્સિલિઅરી લીડર્સ ગાઈડબુક , © 1992, 2001 ઈન્ટેલેક્ચ્યુઅલ રિઝર્વ, આઈએનસી.( Inc.), સપ્ટેમ્બર 16, 2009ના મેળવ્યા મુજબ, "ઍરોનિક પ્રીસ્ટહૂડ પર નિયંત્રણ ધરાવતા બ્રેધરિન પાસે અમુક પુરોહિતની ધાર્મિક વિધિ કરાવવાની સત્તા હતી. પ્રીસ્ટ(પાદરીઓ) બાપ્તિસ્મા આપે"
  146. ૧૪૬.૦ ૧૪૬.૧ ૧૪૬.૨ "ક્વેશ્ચન્સ ફ્રોમ રિડર્સ (વાચકો તરફથી પ્રશ્નો)", ધ વૉચટાવર , ઑગસ્ટ 1, 1973, પૃષ્ઠ 480, "બાપ્તિસ્માના અનુસંધાનમાં, એ પણ નોંધવું જોઈએ કે ભલે બીજા કોઈ સાક્ષી મનુષ્યો હાજર ન હોય તે છતાં બાપ્તિસ્મા એક સમર્પિત પુરુષ દ્વારા જ અપાવા ઘટે." સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ "autogenerated480" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે
  147. "ધ જનરલ પ્રીસ્ટહૂડ ટુડે (આજના સમયનું એકંદર પૌરોહિત્ય)", ધ વૉચટાવર , માર્ચ 1, 1963, પૃષ્ઠ 147, "કારણ કે તેઓ એક પાદરી છે, એટલે અંતિમક્રિયાઓ, બાપ્તિસ્માઓ અને લગ્નો કરાવવા માટે, અને પ્રભુના મૃત્યુના વાર્ષિક સમારોહમાં સેવાનું સૂત્ર સંભાળવા માટે, કોઈ પણ સક્ષમ પુરુષ સદસ્યને કહેવામાં આવે છે."
  148. ૧૪૮.૦ ૧૪૮.૧ 1644ની લંડન બાપ્તિસ્ત કબૂલાત. Web: વેબઃ લંડન બૅપ્ટિસ્ટ કન્ફેશન ઓફ 1644. સંગ્રહિત ૨૦૧૦-૦૬-૧૭ ના રોજ વેબેક મશિન29 ડિસે 2009 સંગ્રહિત ૨૦૧૦-૦૬-૧૭ ના રોજ વેબેક મશિન
  149. Jeremiah 31:31-34; Hebrews 8:8-12; Romans 6
  150. ૧૫૦.૦ ૧૫૦.૧ "ધ બૅપ્ટિસ્ટ ફેઈથ એન્ડ મેસેજ (બાપ્તિસ્તનો વિશ્વાસ અને સંદેશો)," સાઉથર્ન બૅપ્ટિસ્ટ કન્વેન્શન. જૂન 14, 2000ના અપનાવવામાં આવ્યું. જૂન 29, 2009ના જોવામાં આવ્યું: http://www.sbc.net/bfm/bfm2000.asp#vii સંગ્રહિત ૨૦૦૯-૦૩-૦૩ ના રોજ વેબેક મશિન
  151. ૧૫૧.૦ ૧૫૧.૧ ૧૫૧.૨ ૧૫૧.૩ વી. ઈ. હોવર્ડ, વૉટ ઈઝ ધ ચર્ચ ઓફ ક્રાઈસ્ટ? (ખ્રિસ્તનું ચર્ચ શું છે?) 4થી આવૃત્તિ (સુધારેલી) સેન્ટ્રલ પ્રિન્ટર્સ એન્ડ પબ્લિશર્સ, વેસ્ટ મોનરોએ, લોઈસિયાના, 1971
  152. ૧૫૨.૦ ૧૫૨.૧ ૧૫૨.૨ ૧૫૨.૩ રીસ બ્રાયન્ટ, બૅપ્ટિઝમ, વ્હાય વેઈટ?: ફેઈથ્સ રિસપોન્સ ઈન કન્વર્ઝન (બાપ્તિસ્મા, રાહ શું કામ જોવી?: ધર્માન્તરણમાં આસ્થાનો પ્રતિભાવ) , કૉલેજ પ્રેસ, 1999, ISBN 0-89900-858-5, 9780899008585, 224 પાનાં
  153. એડવર્ડ સી. વ્હાર્ટોન, ધ ચર્ચ ઓફ ક્રાઈસ્ટઃ ધ ડિસ્ટિન્ક્ટિવ નેચર ઓફ ધ ન્યૂ ટેસ્ટામેન્ટ ચર્ચ (ખ્રિસ્તના ચર્ચઃ નવા કરારના ચર્ચનો લાક્ષણિક સ્વભાવ) , ગોસ્પેલ એડવોકેટ કું., 1997, ISBN 0-89225-464-5
  154. ૧૫૪.૦ ૧૫૪.૧ ૧૫૪.૨ ૧૫૪.૩ ૧૫૪.૪ ૧૫૪.૫ ૧૫૪.૬ ઈવરેટ્ટ ફેર્ગ્યુસન, ધ ચર્ચ ઓફ ક્રાઈસ્ટઃ અ બિબ્લિકલ ઇકિલઝિઓલોજી ફોર ટુડે (ખ્રિસ્તનું ચર્ચઃ આજ માટેનું બાઈબલનું ધર્મતંત્ર ), વમ. બી. ઈઅર્ડમેન્સ પબ્લિશિંગ, 1996, ISBN 0-8028-4189-9, 9780802841896, 443 પાનાં
  155. ૧૫૫.૦ ૧૫૫.૧ ૧૫૫.૨ ૧૫૫.૩ ડગલાસ એ. ફોસ્ટર, "ચર્ચિસ ઓફ ક્રાઈસ્ટ એન્ડ બૅપ્ટિઝમઃ એન હિસ્ટોરિકલ એન્ડ થિયોલોજિકલ ઓવરવ્યૂ (ખ્રિસ્તનાં ચર્ચ અને બાપ્તિસ્માઃ એક ઐતિહાસિક અને ધર્મશાસ્ત્રીય વિહંગાવલોકન)," સંગ્રહિત ૨૦૧૦-૦૫-૨૦ ના રોજ વેબેક મશિન રિસ્ટોરેશન ક્વાર્ટરલી , વોલ્યુમ 43/ક્રમ 2 (2001)
  156. ૧૫૬.૦ ૧૫૬.૧ ડગલાસ એલન ફોસ્ટર અને એન્થોની એલ. દુન્નાવંત, ધ એન્સાઈક્લોપીડિયા ઓફ ધ સ્ટોન-કૅમ્પબેલ મુવમેન્ટઃ ક્રિશ્ચિયન ચર્ચ (ડિસાઈપલ્સ ઓફ ક્રાઈસ્ટ), ક્રિશ્ચિયન ચર્ચિસ/ચર્ચિસ ઓફ ક્રાઈસ્ટ, ચર્ચિસ ઓફ ક્રાઈસ્ટ (સ્ટોન-કૅમ્પબેલ ચળવળનો જ્ઞાનકોશઃ ખ્રિસ્તી ચર્ચ (ખ્રિસ્તના શિષ્યો), ખ્રિસ્તી ચર્ચો/ખ્રિસ્તનાં ચર્ચો, ખ્રિસ્તનાં ચર્ચો), વમ. બી. ઈઅર્ડમેન્સ પબ્લિશિંગ, 2004, ISBN 0-8028-3898-7, 9780802838988, 854 પાનાં, રિજનરેશન (પુનર્જીવન) પર નોંધ
  157. કેજેવી(KJV), ત્રાંસા અક્ષરો ઉમેરવામાં આવ્યા છે.
  158. ૧૫૮.૦ ૧૫૮.૧ "Code of Canon Law, canon 849". Intratext.com. મે 4, 2007. મેળવેલ ફેબ્રુઆરી 25, 2009.
  159. ઓર્ડો ઈનિશિએશન ઈઝ ક્રિસ્ટાનાએ એડલ્ટરમ (Ordo initiationis christanae adultorum) , એડિટિયો ટાયપિકા, વેટિકન સિટી, ટાયપિસ પોલીગ્લોટિસ વેટિકનિસ, 1972, પૃ. 92, cf લેટરન IV દ ફિદે કૅથોલિકા , ડીએસ (DS) 802, cf ફ્લોરેન્સ, ડેક્રીટમ પ્રો અર્મેનિસ , ડીએસ(DS), 1317.
  160. cf. કૅટિકિઝમ, 1260
  161. જેટ મૅગેઝિન, ઑગસ્ટ 4, 1955, પૃષ્ઠ 26 ઓનલાઈન
  162. ઓર્ગેનાઈઝ્ડ ટુ ડૂ જેહોવાઝ વિલ (યહોવાની ઇચ્છાનુસાર કરવા માટે સંગઠિત), યહોવાના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત, પૃષ્ઠ 182
  163. ઓર્ગેનાઈઝ્ડ ટુ ડૂ જેહોવાઝ વિલ (યહોવાની ઇચ્છાનુસાર કરવા માટે સંગઠિત), યહોવાના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત, પૃષ્ઠ 217-218.
  164. ધ વૉચટાવર , મે 15, 1970, પૃષ્ઠ 309.
  165. "ધ જનરલ પ્રીસ્ટહૂડ ટુડે (આજના સમયનું એકંદર પૌરોહિત્ય)", ધ વૉચટાવર , માર્ચ 1, 1963, પૃષ્ઠ 147
  166. ઓર્ગેનાઈઝ્ડ ટુ ડૂ જેહોવાઝ વિલ (યહોવાની ઇચ્છાનુસાર કરવા માટે સંગઠિત), યહોવાના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત, પૃષ્ઠ 215, "સામાન્ય રીતે યહોવાના સાક્ષીઓની સભાઓ અને સંમેલનોમાં બાપ્તિસ્મા આપવામાં આવે છે."
  167. વૉચટાવર જૂન 1, 1985
  168. ""ગોડ્સ પ્રોફેટિક વર્ડ" ડિસ્ટ્રીક્ટ કન્વેન્શન્સ ("પ્રભુનો આગાહીસૂચક શબ્દ" જિલ્લા સમારંભો)", અવર કિંગડ્મ મિનિસ્ટ્રી , મે 1999, પૃષ્ઠ 4
  169. "ક્વેશ્ચન્સ ફ્રોમ રિડર્સ (વાચકો તરફથી પ્રશ્નો)", ધ વૉચટાવર , એપ્રિલ 15, 1973, પૃષ્ઠ 254-255
  170. "ક્વેશ્ચન બૉક્સ", અવર કિંગડ્મ મિનિસ્ટ્રી , જૂન 1993, પૃષ્ઠ 3
  171. ""ગોડ્સ પ્રોફેટિક વર્ડ" ડિસ્ટ્રીક્ટ કન્વેન્શન્સ ("પ્રભુનો આગાહીસૂચક શબ્દ" જિલ્લા સમારંભો)", અવર કિંગડ્મ મિનિસ્ટ્રી , મે 1999, પૃષ્ઠ 4
  172. "ક્વેશ્ચન્સ ફ્રોમ રિડર્સ (વાચકો તરફથી પ્રશ્નો)", ધ વૉચટાવર , નવેમ્બર 15, 1986, પૃષ્ઠ 31
  173. "ક્વેશ્ચન્સ ફ્રોમ રિડર્સ (વાચકો તરફથી પ્રશ્નો)", ધ વૉચટાવર , ઑગસ્ટ 1, 1973, પૃષ્ઠ 479-480
  174. "પ્યુઅર્ટો રિકો એન્ડ ધ વર્જિન આઈલૅન્ડ્સ", 1987 યરબુક ઓફ જેહોવાઝ વિટનેસિસ , પૃષ્ઠ 71
  175. ડ્યૂટીઝ એન્ડ બ્લેસિંગ્સ ઓફ ધ પ્રીસ્ટહૂડઃ બૅઝિક મૅન્યુઅલ ફોર પ્રીસ્ટહૂડ હોલ્ડર્સ, પાર્ટ બીઃ પર્ફોર્મિંગ પ્રીસ્ટહૂડ ઓર્ડિનાન્સિસ (પૌરોહિત્યની ફરજો અને આશીર્વાદઃ પુરોહિત પદાધારીઓ માટેની બુનિયાદી માર્ગદર્શિકા. ભાગ બીઃ પુરોહિતની ધાર્મિક વિધિઓ), §બાપ્તિસ્મા.
  176. જુઓ, ઉ.દા., ધર્મગ્રંથ બાઈબલની માર્ગદર્શિકાઃ બાપ્તિસ્મા, બાપ્તિસ્મા આપવો, §યોગ્ય અધિકારી .
  177. જુઓ મૉર્મનનું પુસ્તક, મોરોની 8:4-23.
  178. જુઓ ડૉક્ટરાઈન એન્ડ કોવેનન્ટ્સ 68:25, 27.
  179. http://www.lds.org/ldsorg/v/index.jsp?vgnextoid=bbd508f54922d010VgnVCM1000004d82620aRCRD&locale=0&sourceId=1ec52f2324d98010VgnVCM1000004d82620a____ મૃત માટેના બાપ્તિસ્મા
  180. "Apology, Proposition 12". Qhpress.org. મેળવેલ જુલાઇ 28, 2009.
  181. "Why does The Salvation Army not baptise or hold communion?". The Salvation Army. ફેબ્રુઆરી 28, 1987. મૂળ માંથી નવેમ્બર 20, 2008 પર સંગ્રહિત. મેળવેલ જુલાઇ 28, 2009.
  182. Havard, David M. "Are We Hyper-Dispensationalists?". Berean Bible Society. મૂળ માંથી ફેબ્રુઆરી 4, 2009 પર સંગ્રહિત. મેળવેલ જાન્યુઆરી 19, 2009.
  183. Luke 3:16, John 1:33, Matt 3:11Acts 1:5
  184. Ephesians 5:26; Acts 19:1-5
  185. Matthew 3:12, Luke 3:17, [૨]
  186. ગૂડ ન્યૂઝ (સારા સમાચાર) . અંક 3. સેન્ટ લૂઈસ, એમઓ(MO). 2003. પૃ. 18-19[ચકાસણી જરૂરી]
  187. ૧૮૭.૦ ૧૮૭.૧ "The Thirty-Nine Articles". Anglicans Online. એપ્રિલ 15, 2007. મેળવેલ ફેબ્રુઆરી 25, 2009.
  188. "The Baptist Faith & Message". Southern Baptist Convention. જૂન 14, 2000. મૂળ માંથી માર્ચ 3, 2009 પર સંગ્રહિત. મેળવેલ ફેબ્રુઆરી 25, 2009.
  189. Huston, David A. (2003). "Speaking in Tongues in the Church: A Look at the Purpose of Spiritual Utterances". Rosh Pinnah Publications. મૂળ માંથી જાન્યુઆરી 1, 2011 પર સંગ્રહિત. મેળવેલ ફેબ્રુઆરી 25, 2009.[નોંધનીયતા શંકાસ્પદ?]
  190. Huston, David A. (2003). "Questions and Answers about The Doctrine of the Oneness of God". Rosh Pinnah Publications. મૂળ માંથી મે 28, 2010 પર સંગ્રહિત. મેળવેલ ફેબ્રુઆરી 25, 2009.[નોંધનીયતા શંકાસ્પદ?]
  191. "Baptism". મૂળ માંથી ઑક્ટોબર 12, 2007 પર સંગ્રહિત. મેળવેલ August 22, 2007. Check date values in: |archive-date= (મદદ)[નોંધનીયતા શંકાસ્પદ?]
  192. "Baptism". Bible Q & A. 2001. મેળવેલ ઓગસ્ટ 22, 2007.[નોંધનીયતા શંકાસ્પદ?]
  193. Levin, David. "Forgiveness". મેળવેલ ઓગસ્ટ 22, 2007.[નોંધનીયતા શંકાસ્પદ?]
  194. Norris, Alfred (નવેમ્બર 12, 2006). "His Cross and Yours". મેળવેલ ઓગસ્ટ 22, 2007.
  195. ૧૯૫.૦ ૧૯૫.૧ Morgan, Tecwyn (2006). "What Exactly is Christian Baptism?" (PDF). Understand the Bible for Yourself. Christadelphian Bible Mission. મેળવેલ ફેબ્રુઆરી 26, 2009. Cite uses deprecated parameter |chapterurl= (મદદ)[નોંધનીયતા શંકાસ્પદ?]
  196. "શા માટે ચર્ચ ઓફ ક્રાઈસ્ટ માત્ર નિમજ્જન થકી જ બાપ્તિસ્મા આપે છે?" વેબઃ શા માટે ચર્ચ ઓફ ક્રાઈસ્ટ માત્ર નિમજ્જન થકી જ બાપ્તિસ્મા આપે છે? સંગ્રહિત ૨૦૧૦-૦૮-૦૩ ના રોજ વેબેક મશિન
  197. "Topic Definition— Baptism". The Church of Jesus Christ of Latter-day Saints. 2008. મેળવેલ ફેબ્રુઆરી 25, 2009.
  198. ધર્મગ્રંથ બાઈબલના સંદર્ભો સાથે ગોડહેડની લેટર-ડે સેઈન્ટ્સની વધુ વિગતવાર સમજૂતી માટે જુઓ ધર્મગ્રંથ બાઈબલની માર્ગદર્શિકાઃ પ્રભુ, દૈવી સ્વરૂપ.
  199. વર્શિપ ધ ઓન્લી ટ્રૂ ગોડ , યહોવાના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત (2002, 2006). "પ્રકરણ 12: તમારા બાપ્તિસ્માનો અર્થ", પૃ. 118, "બાપ્તિસ્મા પોતે મુક્તિની ખાતરી આપે છે એવા તારણ પર પહોંચવું ભૂલભરેલું રહેશે. તેનું મૂલ્ય તો જ છે જો વ્યક્તિએ પોતાની જાતને ખરેખર ઈસુ ખ્રિસ્ત થકી યહોવાને સમર્પિત કરી હોય અને ત્યારબાદ પ્રભુની ઇચ્છાને અનુસરે, છેલ્લે સુધી વિશ્વાસુ બની રહે છે."
  200. "ક્વેશ્ચન્સ ફ્રોમ રિડર્સ (વાચકો તરફથી પ્રશ્નો)", ધ વૉચટાવર , મે 1, 1979, પૃ. 31, "બાઈબલ એવું દર્શાવે છે કે સંપૂર્ણ નિમજ્જન થકી બાપ્તિસ્મા એ ખૂબ અગત્યનો છે. એટલે જો કોઈ પણ રીતે શક્ય હોય તો, જરૂર પડ્યે કોઈ વ્યક્તિની સ્થિતિને લઈને કેટલાંક અસામાન્ય પગલાં લેવા આવશ્યક હોય તો તે લઈને પણ, તેને બાપ્તિસ્મા તો આપવા જ જોઈએ. ...આધુનિક સમયમાં યહોવાના સાક્ષીઓ સંમેલનોમાં બાપ્તિસ્મા આપવાનું આયોજિત કરે છે. [જો કે], સંપૂર્ણ વિધિસરના બાપ્તિસ્મા તો સ્થાનિક ધોરણે ઘરનાં વિશાળ સ્નાનકુંડોમાં આપવામાં આવે છે. ...અલબત્ત, એવું શક્ય છે કે કેટલાક આત્યંતિક કિસ્સામાં તત્પૂરતા સમય માટે બાપ્તિસ્મા આપવા તદ્દન અશક્ય હોય. ત્યારે આપણે એવો ભરોસો રાખીએ કે આપણા સ્વર્ગે બિરાજતા કરુણાસભર પિતા તે સમજશે".
  201. એલસીએમએસ(LCMS) બાપ્તિસ્મા પુનર્જીવન સંગ્રહિત ૨૦૧૦-૧૦-૨૨ ના રોજ વેબેક મશિન, 18 ડિસેમ્બર 2009ના મેળવેલ
  202. ઈએલસીએ(ELCA) બાપ્તિસ્મા પદ્ધતિઓ, 18 ડિસેમ્બર 2009ના મેળવેલ
  203. એલસીએમએસ(LCMS) બાપ્તિસ્મા પદ્ધતિઓ સંગ્રહિત ૨૦૧૦-૦૭-૩૧ ના રોજ વેબેક મશિન, 18 ડિસેમ્બર 2009ના મેળવેલ
  204. ઈએલસીએ(ELCA)ના શિશુ બાપ્તિસ્મા અંગેના દૃષ્ટિકોણો સંગ્રહિત ૨૦૧૦-૦૭-૨૪ ના રોજ વેબેક મશિન, 18 ડિસેમ્બર 2009ના મેળવેલ
  205. ૨૦૫.૦ ૨૦૫.૧ એલસીએમએસ(LCMS)ના શિશુ બાપ્તિસ્મા અંગેના દૃષ્ટિકોણો સંગ્રહિત ૨૦૧૧-૦૧-૦૨ ના રોજ વેબેક મશિન, 18 ડિસેમ્બર 2009ના મેળવેલ
  206. "By Water and the Spirit: A United Methodist Understanding of Baptism". The United Methodist Church. મેળવેલ 2007–08–02. In United Methodist tradition, the water of baptism may be administered by sprinkling, pouring, or immersion. Check date values in: |access-date= (મદદ)
  207. "History and Exposition of the Twenty-five Articles of Religion of the Methodist Episcopal Church". Eaton & Mains. પૃષ્ઠ 295-312. મેળવેલ 2007–08–02. Check date values in: |access-date= (મદદ)
  208. "By Water and the Spirit: A United Methodist Understanding of Baptism". The United Methodist Church. મેળવેલ 2007–08–02. John Wesley retained the sacramental theology which he received from his Anglican heritage. He taught that in baptism a child was cleansed of the guilt of original sin, initiated into the covenant with God, admitted into the church, made an heir of the divine kingdom, and spiritually born anew. He said that while baptism was neither essential to nor sufficient for salvation, it was the "ordinary means" that God designated for applying the benefits of the work of Christ in human lives. On the other hand, although he affirmed the regenerating grace of infant baptism, he also insisted upon the necessity of adult conversion for those who have fallen from grace. A person who matures into moral accountability must respond to God's grace in repentance and faith. Without personal decision and commitment to Christ, the baptismal gift is rendered ineffective.
    Baptism as Forgiveness of Sin. In baptism God offers and we accept the forgiveness of our sin (Acts 2:38). With the pardoning of sin which has separated us from God, we are justified—freed from the guilt and penalty of sin and restored to right relationship with God. This reconciliation is made possible through the atonement of Christ and made real in our lives by the work of the Holy Spirit. We respond by confessing and repenting of our sin, and affirming our faith that Jesus Christ has accomplished all that is necessary for our salvation. Faith is the necessary condition for justification; in baptism, that faith is professed. God's forgiveness makes possible the renewal of our spiritual lives and our becoming new beings in Christ.
    Baptism as New Life. Baptism is the sacramental sign of new life through and in Christ by the power of the Holy Spirit. Variously identified as regeneration, new birth, and being born again, this work of grace makes us into new spiritual creatures (2 Corinthians 5:17). We die to our old nature which was dominated by sin and enter into the very life of Christ who transforms us. Baptism is the means of entry into new life in Christ (John 3:5; Titus 3:5), but new birth may not always coincide with the moment of the administration of water or the laying on of hands. Our awareness and acceptance of our redemption by Christ and new life in him may vary throughout our lives. But, in whatever way the reality of the new birth is experienced, it carries out the promises God made to us in our baptism.
    line feed character in |quote= at position 862 (મદદ); Check date values in: |access-date= (મદદ)
  209. "By Water and the Spirit: A United Methodist Understanding of Baptism". The United Methodist Church. મેળવેલ 2007–08–02. The United Methodist Church does not accept either the idea that only believer's baptism is valid or the notion that the baptism of infants magically imparts salvation apart from active personal faith. Check date values in: |access-date= (મદદ)
  210. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી ઑક્ટોબર 25, 2010 પર સંગ્રહિત. મેળવેલ એપ્રિલ 4, 2011. Check date values in: |archive-date= (મદદ)
  211. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી ફેબ્રુઆરી 27, 2009 પર સંગ્રહિત. મેળવેલ એપ્રિલ 4, 2011.
  212. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી ફેબ્રુઆરી 27, 2009 પર સંગ્રહિત. મેળવેલ એપ્રિલ 4, 2011.
  213. સ્કોટ હાહ્ન, લિઓન જે. સુપ્રિનાન્ત, કૅથોલિક ફોર અ રિઝનઃ સ્ક્રિપ્ચર એન્ડ ધ મિસ્ટ્રી ઓફ ધ ફેમિલી ઓફ ગોડ (ઈમાયુસ(Emmaus) રોડ પબ્લિશિંગ, 1998 ISBN 0-9663223-0-4, 9780966322309), પૃ. 135.
  214. પૉલ હાફ્ફનેર, ધ સેક્રમેન્ટલ મિસ્ટ્રી (ગ્રેસવિંગ પબ્લિશિંગ, 1999 ISBN 0-85244-476-1, 9780852444764), પૃ. 36.
  215. ૨૧૫.૦ ૨૧૫.૧ સેવન્થ-ડે એડવેન્ટિસ્ટ મિનિસ્ટર્સ હૅન્ડબુક, સંપા. મિનિસ્ટ્રરિયલ એસોસિએશન, સેવન્થ-ડે એડવેન્ટિસ્ટોની સામાન્ય સભા (સિલ્વર સ્પ્રિંગ, મૅરીલેન્ડ, 1997). 199.
  216. સેવન્થ-ડે એડવેન્ટિસ્ટ ચર્ચ મૅન્યુઅલઃ 2005માં સુધારેલી 17મી આવૃત્તિ, સંપા. સેવન્થ-ડે એડવેન્ટિસ્ટોની સામાન્ય સભાનું સચિવમંડળ (હૅગરસ્ટોન, મૅરીલેન્ડઃ સમાલોચના અને હેરાલ્ડ, 2005), 30.
  217. Apuleius (1998). "11.23.1". The golden ass, or, Metamorphoses. trans. E. J. Kenney. New York City: Penguin Books. પૃષ્ઠ 208–209. ISBN 0-14-043590-5. OCLC 41174027. Cite uses deprecated parameter |chapterurl= (મદદ)
  218. Hartman, Lars (1997). Into the Name of the Lord Jesus: Baptism in the Early Church. Edinburgh: T&T Clark. પૃષ્ઠ 4. ISBN 0-567-08589-9. OCLC 38189287.
  219. સાહિહ મુસ્લિમ , હદીસ સંખ્યા 616
  220. અલ-બાઘાવી કૃત શાર્હ અસ-સુન્નાહ . ખંડ 2., પૃ. 9
  221. શેખ અબ્દ અલ-અઝીઝ ઈબ્ન બાઝ કૃત મજમૂ' ફતવા અલ-શેખ ઈબ્ન બાઝ , ખંડ 10, પૃ. 161
  222. મુહમ્મદ ઈબ્ન સાલિહ અલ-ઉથાયમીન કૃત મજમૂ' ફતવા ઈબ્ન 'ઉથાયમીન , ખંડ 11 પૃ. 318-319
  223. સાહિહ અલ-બુખારી , ખંડ 2, પુસ્તક 23, હદીસ સંખ્યા 345
  224. સાહિહ અલ-બુખારી , ખંડ 1, પુસ્તક 12, હદીસ સંખ્યા 817
  225. શેખ અબ્દ અલ-અઝીઝ ઈબ્ન બાઝ કૃત મજમૂ' ફતવા વા માક્કાલાત મુતાનાવ્વી'હા લી સમાહત , ભાગ 12, પૃ. 404
  226. શાર્હ મુક્ખ્તાસર , ખંડ 2, પૃ. 102
  227. ૨૨૭.૦ ૨૨૭.૧ શેખ અલ-અલ્બાની કૃત તમામ અલ-મિન્નાહ , પૃ. 120
  228. સુરા 2:138
  229. "US Grand Lodge, OTO: Ecclesia Gnostica Catholica". Oto-usa.org. માર્ચ 19, 1933. મેળવેલ ફેબ્રુઆરી 25, 2009.
  230. "Ecclesia Gnostica Catholica: Baptism: Adult". Hermetic.com. મેળવેલ ફેબ્રુઆરી 25, 2009.

સ્રોતો[ફેરફાર કરો]

  • Jungkuntz, Richard (1968). The Gospel of Baptism. St. Louis: Concordia Publishing House. OCLC 444126.
  • Kolb, Robert W. (1997). Make Disciples, baptizing: God's gift of new life and Christian witness. St. Louis: Concordia Seminary. ISBN 0-911770-66-6. OCLC 41473438.
  • Chaney, James M. (2009). William the Baptist. Oakland, TN: Doulos Resources. પૃષ્ઠ 160. ISBN 978-1442185609. મૂળ માંથી જુલાઈ 8, 2009 પર સંગ્રહિત. મેળવેલ એપ્રિલ 4, 2011. Check date values in: |archive-date= (મદદ)
  • Scaer, David P. (1999). Baptism. St. Louis: The Luther Academy. OCLC 41004868.
  • Linderman, Jim (2009). Take Me to the Water: Immersion Baptism in Vintage Music and Photography 1890-1950. Atlanta: Dust to Digital. ISBN 978-0-9817342-1-7.

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]

ઢાંચો:Christian Soteriology