મહાવીર જન્મ કલ્યાણક
દેખાવ
| મહાવીર જન્મ કલ્યાણક | |
|---|---|
વર્ધમાન મહાવીર, મદુરાઈ, તમિલનાડુ, ભારત. | |
| અધિકૃત નામ | મહાવીર જયંતિ |
| બીજું નામ | મહાવીર સ્વામીનો જન્મ દિવસ |
| ઉજવવામાં આવે છે | જૈન ધર્મ |
| પ્રકાર | ધાર્મિક, ભારત (જાહેર રજા) |
| મહત્વ | મહાવીર સ્વામીનો જન્મ |
| ઉજવણીઓ | દેરાસરમાં પૂજા |
| ધાર્મિક ઉજવણીઓ | પ્રાર્થના, ધાર્મિક વિધીઓ |
| તારીખ | ચૈત્ર સુદ તેરસ |
| આવૃત્તિ | વાર્ષિક |
મહાવીર જન્મ કલ્યાણક (અથવા મહાવીર જયંતિ) જૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર દિવસ ગણાય છે. આ દિવસને તેઓ તહેવાર તરીકે મનાવે છે. આ દિવસને વીર તેરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જૈન ધર્મના ચોવીસમા તેમજ છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. એમનો જન્મ ભારતીય વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હતો.[૧] આ દિવસે ભારતમાં રાષ્ટ્રીય સ્તરે જાહેર રજા હોય છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "મહાવીર" બ્રિટાનિકા કન્સાઈઝ એન્સાયક્લોપીડિયા. એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા, Inc., ૨૦૦૬. Answers.com ૨૯ નવેં ૨૦૦૯. http://www.answers.com/topic/mahavira