રણછોડલાલ છોટાલાલ

વિકિપીડિયામાંથી

રણછોડલાલ છોટાલાલ (૨૯ એપ્રિલ, ૧૮૨૩ – ૨૬ ઓક્ટોબર, ૧૮૯૮)[૧] એ એક ગુજરાતી ઉદ્યોગપતિ હતા. પશ્ચિમ ભારતમાં આવેલા અગત્યના શહેર અમદાવાદ ખાતે ઈ. સ. ૧૮૬૧ના વર્ષમાં સૌથી પ્રથમ કાપડની મિલને સફળતાપૂર્વક ચાલુ કરી હતી[૨], જેથી એમને અમદાવાદ કાપડ ઉદ્યોગના જનક અને આધુનિક અમદાવાદના અગ્રણી ગણવામાં આવે છે. તેમને અંગ્રેજ સરકારે "રાવબહાદુર"નો ખિતાબ આપ્યો હતો.

આજીવન કર્મઠ ઉદ્યોગપતિ, કુશળ વહીવટદાર, સેવાપરાયણ, દાનવીર એવા રણછોડલાલે શિક્ષણ અને આરોગ્ય[૩] ક્ષેત્રે તેઓએ માતબર રકમ દાનરૂપે ફાળવી હતી.[૪] તેમણે શિક્ષણ લીધા પછી કસ્ટમ ખાતામાં, રેવાકાંઠાના દફતરદાર તરીકે નોકરી કરી હતી.[૫] ત્યારપછી ઈ. સ. ૧૮૫૯ના વર્ષમાં એમણે "અમદાવાદ સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની"ની સ્થાપના કરી હતી, અને આ કંપનીએ ઈ. સ. ૧૮૬૧ના વર્ષમાં ૩૦ મેના દિવસે પોતાની મિલ ચાલુ કરી હતી.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Bridge, Gary; Watson, Sophie (2011). The New Blackwell Companion to the City (અંગ્રેજીમાં). John Wiley & Sons. ISBN 9781444395129.
  2. Makrand Mehta (1991). Indian merchants and entrepreneurs in historical perspective. Academic Foundation. પૃષ્ઠ 171. ISBN 978-81-7188-017-1.
  3. "Victoria Jubilee Hosptial Trust". મૂળ માંથી 2014-04-28 પર સંગ્રહિત. મેળવેલ 2014-04-30.
  4. "First Rancho: Ranchhodlal Chhotalal (1823-98) - Times of India". The Times of India. 24 February 2010. મેળવેલ 16 June 2017.
  5. Dwijendra Tripathi; Jyoti Jumani (2007). The Concise Oxford History of Indian Business. Oxford University Press. પૃષ્ઠ 53. ISBN 978-0-19-568429-2. મેળવેલ 18 June 2017.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]