રીંછડીયા મહાદેવ, અંબાજી

વિકિપીડિયામાંથી

રીંછડીયા મહાદેવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં અંબાજી નજીક આવેલ ભગવાન શિવને સમર્પિત મંદિર છે. અંબાજી થી ખેડબ્રહ્મા જતા ધોરી માર્ગ ઉપર કુંભારીયા દેરાસરથી ર કિલોમીટર જેટલા અંતરે અંતરિયાળ વિસ્તારમાં આ પૌરાણિક મંદિર આવેલ છે. ડુંગરાઓ અને જંગલ વિસ્તારમાં આવેલ આ મંદિરની આસપાસનું વાતાવરણ પણ સુંદર છે. ઘણા યાત્રાળુઓ અહી દર્શનાર્થે આવે છે. વિશેષ કરીને શ્રાવણ માસમાં વધુ ભીડ રહે છે. આ સ્થળ પર લોકો પિકનીક કરવા પણ આવે છે. બાજુમાં એક તળાવ પણ છે.[૧]

મેળો[ફેરફાર કરો]

દર વર્ષે ભાદરવા મહિનાની પુનમે અહીં ભવ્ય મેળો ભરાય છે. દર માસની પુનમના દિવસે પણ અહીં મોટો પ્રમાણમાં માનવ-મહેરામણ દર્શનાર્થે ઉમટી પડે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "બનાસકાંઠા જીલ્લા પંચાયત | જીલ્લા વિષે | જોવાલાયક સ્થળો | રીંછડીયા મહાદેવ". banaskanthadp.gujarat.gov.in. મૂળ માંથી 2011-09-01 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ એપ્રિલ ૨૦૧૭.