વરાહમિહિર
વરાહમિહિરે બૃહદસંહિતા ગ્રંથ લખ્યો હતો. આ ગ્રંથ ઘણી ભારતીય લિપિઓમાં હિંદુ, જૈન અને બૌદ્ધ મંદિરોમાં સંગ્રહ થયો હતો.
વરાહમિહિર | |
---|---|
જન્મ | આશરે ઇ.સ. ૫૦૦ |
મૃત્યુ | ૬ઠ્ઠી સદીના અંતમાં |
સમયગાળો | ગુપ્ત સામ્રાજ્ય |
વિષય | વિશ્વકોશ |
નોંધપાત્ર સર્જનો | પંચ-સિદ્ધાંતિકા, બૃહદ સંહિતા, બૃહદ જાતક |
વરાહમિહિર (દેવનાગરી: वराहमिहिर) (અંદાજીત ઇસ ૫૦૫–૫૮૭), જે વરાહ અથવા મિહિર નામે પણ ઓળખાય છે, ઉજ્જૈનના ભારતીય ખગોળવિજ્ઞાની, ગણિતશાસ્ત્રી, અને જ્યોતિષી હતા. તેઓ અવંતિ વિસ્તારમાં જનમ્યા હતા, જે અત્યારના માળવા તરીકે ઓળખાય છે. તેમના પિતા આદિત્યદાસ, જેઓ પણ જાણીતા ખગોળશાસ્ત્રી, હતા. તેમના પોતાના અનુસાર, તેઓએ કપિથાકા ખાતે શિક્ષણ મેળવ્યું હતું.[૧] તેઓ માળવાના વિક્રમાદિત્યના દરબારના નવ રત્નોમાંના એક ગણાતા હતા.
યોગદાન[ફેરફાર કરો]
ત્રિકોણમિતિ[ફેરફાર કરો]
વરાહમિહિરે આર્યભટ્ટના sine કોષ્ટકની ગુણવત્તા સુધારી હતી. તેમજ અન્ય સૂત્રો આપ્યા હતા.
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ J J O'Connor and E F Robertson. "Varahamihira".