વસૂરીમાલા
વસૂરીમાલા | |
---|---|
![]() થેય્યમમાં વસૂરીમાલાનું નિરૂપણ | |
જોડાણો | હિન્દુ |
ક્ષેત્ર | કેરળ, ભારત |
વ્યક્તિગત માહિતી | |
જીવનસાથી | દારિકન (અસુર) |
વસૂરીમાલા એ એક દેવી છે જેની પૂજા કેરળના ઘણા ભાગો અને કર્ણાટકના કોડાગુ ક્ષેત્રમાં કરવામાં આવે છે. ભદ્રકાળી અથવા શિવ મંદિરોમાં તેમને ઉપદેવતા તરીકે પૂજવામાં આવે છે. વસૂરીમાલાને એક દેવતા માનવામાં આવે છે જે શીતળા, અછબડા અને ઓરી જેવા ચેપી રોગોને અટકાવે છે. ઉત્તર કેરળમાં વસૂરીમાલાની પૂજા કરવામાં આવે છે અને તેમને વસૂરીમાલા થેય્યમ[upper-alpha ૧] તરીકે કરવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર, દારિકન નામના અસુરની પત્ની મનોદરીનું નામ પાછળથી વસૂરીમાલા રાખવામાં આવ્યું હતું.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]વસૂરી એ શીતળા રોગનો મલયાલમ શબ્દ છે.[૧] વસૂરીમાલાનો શાબ્દિક અર્થ અછબડાના દાણાની સાંકળ થાય છે.[૨]
પૃષ્ઠભૂમિ
[ફેરફાર કરો]પ્રાચીન કાળમાં એવું માનવામાં આવતું હતું કે રોગ અને બિમારી ભગવાનના પ્રકોપને કારણે થાય છે.[૩] તેથી, તેઓ એવા દેવતાઓની પૂજા કરતા હતા જેમણે રોગોનું બીજ રોપ્યું હતું. વસૂરીમાલાને શીતળા, અછબડા, ઓરી વગેરે ચેપી રોગોના દેવતા માનવામાં આવે છે.[૪][૫] વાસૂરીમાલાને કેરળના મંદિરોમાં ઉપ-દેવતા તરીકે પૂજવામાં આવે છે જેમાં કોડુંગલ્લુર ભગવતી મંદિર, વાલિયાકુલંગરા દેવી મંદિર, મહાદેવિકાડ,[૬] શ્રી પોર્કીલી કાવુ,[૭] અને વસૂરીમાલા દેવી મંદિર, માવેલીકારાકારા મંદિરનો સમાવેશ થાય છે.
પૌરાણિક કથા
[ફેરફાર કરો]દારિકનની પત્ની
[ફેરફાર કરો]ભારતીય પૌરાણિક કથાઓમાં ભદ્રકાળીની કથા ખૂબ જ પ્રખ્યાત છે, અને દેવી ભદ્રકાળીની સમગ્ર ભારતમાં પૂજા થાય છે. માર્કંડેય પુરાણ અનુસાર, દારિકન નામનો એક અસુર હતો (જેનો અર્થ દારુકન પણ થાય છે) અને દેવી ભદ્રકાળી જે ભગવાન શિવની ત્રીજી આંખમાંથી પ્રગટ થયા હતા તેમણે યુદ્ધમાં આ અસુરનો વધ કર્યો હતો.[૮]
કેરળની લોકવાયકાની વસૂરીમાલાની વાર્તાનો ઉલ્લેખ કોટ્ટારાથિલ સંકુન્ની દ્વારા લખાયેલ આઈથિહ્યામાલામાં કરવામાં આવ્યો છે. ભદ્રકાળી અને દારિકન વચ્ચેના યુદ્ધ દરમિયાન, જ્યારે એ લગભગ નક્કી થઈ ગયું હતું કે ભદ્રકાળી સાથેના યુદ્ધમાં દારિકનનું મૃત્યુ થશે, ત્યારે દારિકનની પત્ની મનોદરી કૈલાસ પર્વત પર પહોંચી અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તીવ્ર તપસ્યા શરૂ કરી.[૮] તેની આરાધનાથી સંતુષ્ટ થઈને શિવે પોતાના શરીરમાંથી પરસેવો લૂછીને તેને આપ્યો અને તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે જો તે લોકોના શરીર પર તેનો છંટકાવ કરશે તો લોકો તેને જરૂરી બધું જ આપી દેશે.[૮] મનોદરીએ જોયું કે યુદ્ધમાં વિજેતા બનેલી ભદ્રકાળી પોતાના પતિનું માથું લઈને આવી રહી હતી. ગુસ્સાથી તેણે ભદ્રકાળીના શરીર પર પરસેવે રેબઝેબ થઈ ગયેલું પાણી છાંટ્યું અને પરિણામે ભદ્રકાળીના શરીર પર શીતળા પ્રગટ થયા.[૮] ભદ્રકાળીએ મનોદરીની આંખોમાં વેધી, તેનું નામ વસૂરીમાલા રાખ્યું અને તેને પોતાની સાથી બનાવી દીધી.[૮]
અન્ય
[ફેરફાર કરો]બીજી દંતકથા કહે છે કે જ્યારે ભગવાન શિવને શીતળાનો ચેપ લાગ્યો ત્યારે વસૂરીમાલા શિવ ચેતનામાંથી ઉદભવી હતી.[૯] દારિકનને મારવામાં વસૂરીમાલાને કુરુમ્બા (ભદ્રકાળી)ના અનુયાયી તરીકે પણ જોઇ શકાય છે.[૯]
વસૂરીમાલા થેય્યમ
[ફેરફાર કરો]
વસૂરીમાલા થેય્યમ એ ઉત્તર કેરળના મંદિરોમાં કરવામાં આવતી એક થેય્યમ છે.[૭] શીતળાનો રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે એવું માનવામાં આવે છે કે લોકો આ રોગમાંથી મુક્તિ મેળવવા માટે શીતળાની પૂજા થેય્યમ સ્વરૂપે કરવા લાગ્યા હતા.[૯] વર્તમાનમાં થેય્યમ રોગોના ઈલાજ માટે કરવામાં આવી રહ્યું છે.[૭]
નોંધ
[ફેરફાર કરો]- ↑ થેય્યમ અથવા તેય્યમ એ એક હિન્દુ ધાર્મિક વિધિ છે જે ઉત્તરી કેરળ અને કર્ણાટકના કેટલાક ભાગોમાં પ્રચલિત છે. થેય્યમને કાલીયટ્ટમ અથવા તિરા તરીકે પણ ઓળખવામાં આવે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ തുമ്മാരുകുടി, മുരളി. "കുഴിയാറും തീര്ത്തല്ലോ പാറുക്കുട്ടീ". Mathrubhumi (મલયાલમમાં). મૂળ સંગ્રહિત માંથી 2022-02-18 પર સંગ્રહિત. મેળવેલ 2022-02-18.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ India, The Hans (8 July 2018). "Theyyam A Spell". www.thehansindia.com (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 2022-02-18 પર સંગ્રહિત. મેળવેલ 2022-02-18.
{{cite news}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(મદદ) - ↑ "Vasoorimala Theyyam". old.travelkannur.com. મૂળ સંગ્રહિત માંથી 2020-02-16 પર સંગ્રહિત. મેળવેલ 2022-02-18.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ Abraham, Jyothi Susan; Gopalakrishnan, Kavitha; James, Meera Elizabeth (11 February 2022). Pandemic Reverberations and Altered Lives (અંગ્રેજીમાં). Kottayam: Co-Text Publishers. p. 25. ISBN 978-81-952253-4-7. મૂળ સંગ્રહિત માંથી 2022-02-25 પર સંગ્રહિત. મેળવેલ 2022-02-19.
{{cite book}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(મદદ) - ↑ Balasubramanian, Lalitha (2015-08-19). Kerala ~ The Divine Destination (અંગ્રેજીમાં). One Point Six Technology Pvt Ltd. ISBN 978-93-81576-23-6. મૂળ સંગ્રહિત માંથી 2022-02-25 પર સંગ્રહિત. મેળવેલ 2022-02-19.
{{cite book}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(મદદ) - ↑ "Valiyakulangara Devi Temple, Mahadevikad, Karhikapalli". www.valiyakulangaratemple.org. મૂળ સંગ્રહિત માંથી 2022-02-18 પર સંગ્રહિત. મેળવેલ 2022-02-18.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ ૭.૦ ૭.૧ ૭.૨ "വസൂരിമാല". Keralaliterature.com. 14 October 2017. મૂળ સંગ્રહિત માંથી 18 February 2022 પર સંગ્રહિત. મેળવેલ 18 February 2022.
{{cite web}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(મદદ) - ↑ ૮.૦ ૮.૧ ૮.૨ ૮.૩ ૮.૪ Sankunni, Kottarathil (1909). "Kodungalloor Vasoorimala". Aithihyamala. ખંડ 3.
- ↑ ૯.૦ ૯.૧ ૯.૨ PV, Rekha. "രോഗദേവതയായ വസൂരിമാല ഭഗവതി തെയ്യം". Samayam Malayalam (મલયાલમમાં). The Times of India. મૂળ સંગ્રહિત માંથી 2022-02-18 પર સંગ્રહિત. મેળવેલ 2022-02-18.
{{cite news}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ)
બાહ્ય કડી
[ફેરફાર કરો]