વિશ્વ બૌદ્ધિક સંપદા દિન

વિકિપીડિયામાંથી

વિશ્વ બૌદ્ધિક સંપદા દિન દર વર્ષે ૨૬ એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે.[૧] આ પ્રસંગ સને. ૨૦૦૧માં વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન (World Intellectual Property Organization (WIPO)) દ્વ્રારા સ્થાપિત કરવામાં આવ્યો હતો જેનો ઉદ્દેશ "આપણા રોજબરોજનાં જીવનમાં બૌદ્ધિક સંપદાના પ્રદાન વિશે જાગૃતિ લાવવાનો અને સંશોધકો તથા કલાકારો દ્વારા, વિશ્વભરમાં સમાજના વિકાસ માટે કરાયેલા પ્રદાનની ઉજવણી કરવાનો છે".[૧] ૨૬ એપ્રિલનો દિવસ એટલા માટે નક્કી કરવામાં આવ્યો કે ઇ.સ. ૧૯૭૦માં આ જ દિવસે "વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન"ની સ્થાપના થઈ હતી.

વર્ષવાર, આ ઘટના સાથે સંકળાયેલ સંદેશ કે વિષય:

  • ૨૦૦૧ - આજે ભવિષ્યનું નિર્માણ
  • ૨૦૦૨ - સર્જનાત્મકતાને પ્રોત્સાહન
  • ૨૦૦૩ - બૌદ્ધિક સંપદાને તમારો વ્યવસાય બનાવો
  • ૨૦૦૪ - સર્જનાત્મકતાને ઉત્તેજન
  • ૨૦૦૫ - વિચારો, કલ્પના કરો, રચના કરો
  • ૨૦૦૬ - વિચાર વડે શરૂઆત થાય છે
  • ૨૦૦૭ - સર્જનાત્મકતાને પ્રોત્સાહન
  • ૨૦૦૮ - નવીન સંશોધનની ઉજવણી અને બૌદ્ધિક સંપદાનાં સન્માનને [૨]
  • ૨૦૦૯ - હરીયાળું સંશોધન (Green Innovation)[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન વેબ સાઇટ, વિશ્વ બૌદ્ધિક સંપદા દિન - એપ્રિલ ૨૬ સંગ્રહિત ૨૦૦૫-૦૩-૨૪ ના રોજ વેબેક મશિન.
  2. યુનાઇટેડ કિંગડમ બૌદ્ધિક સંપદા કચેરીની (UKIPO) વેબસાઇટ, વિશ્વ બૌદ્ધિક સંપદા દિન, એપ્રિલ ૨૬ ૨૦૦૮, Celebrating innovation and promoting respect for intellectual property સંગ્રહિત ૨૦૦૮-૦૬-૨૦ ના રોજ વેબેક મશિન, Events, World IP Day. Consulted on March 27, 2008.
  3. "વિશ્વ બૌદ્ધિક સંપદા દિન ૨૦૦૯". મૂળ માંથી 2009-12-25 પર સંગ્રહિત. મેળવેલ 2009-04-26.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]